SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫–૧૦–૪૮ પ્રબુદ્ધ જૈન તે જ વેતામ્બર તેમજ મિલનમાં શ્રદ્ધા છે, નિયમ સતર પાછા દેશના ભાગલા પાડવાનું કેટલું કમનસીબ છતાં કોંગ્રેસે તેને સંમતિ આપી છે. આવા તે અનેક દાખલાઓ છે, જેમાં સમય પ્રમાણે અને લેકમત મુજબ બંધારણમાં ફેરફાર થયા છે, બંધારણે સુધારાયાં છે અને નવીન રીતે અમલમાં આવ્યાં છે. આમાં લેક મતને માન આપવા સિવાય બીજું કશું જ નથી. યુવક સંધના હાલના અવ્યવહારૂ બંધારણને લઈને અનેક ભાઈઓ અને બહેને આપનાથી છૂટા પડયા છે તેટલી જ હકીક્ત જે આપ અને આપની સમિતિ મન ઉપર લે તે જરૂર તેને વિચાર કરવાની અને બંધારણમાં ફેરફાર કરવાની ફરજ આપને સમજાશે. ‘Greater good of greater number” એ સિદ્ધાંત આપે લક્ષમાં રાખીને આપની પ્રવૃત્તિ આગળ વધારવી જોઈએ. આપ કહે છે કે આ બંધારણ ઘણા લાંબા વખત પહેલાં ઘડયું છે. મારી આપને સીધે પ્રશ્ન છે કે આટલા લાંબા સમયમાં આપે કેટલો લેકમત કેળવ્યો? કેટલાં મંદિરોના વહીવટ આપના હરતક સંપવામાં આવ્યો? મંદિરના ટ્રસ્ટી તરીકે યુવક સંઘના સભ્યોમાંથી કેટલા સભ્યો ચુંટાયા ? જ્યાં સુધી આપ મંદિરોને કબજો મેળવશે નહિ, જ્યાં સુધી આપના સભ્યમાંથી તેના ટ્રસ્ટી તરીકે ચુંટાવાની યોગ્યતા અને લોકો વિશ્વાસ સંપાદન કરશે નહિં, ત્યાં સુધી મંદિરની મિલક્તને અમુક રીતે ઉપયોગ કરવાનું સુચવવું સામાન્ય કાનુનથી વિરૂદ્ધ છે. મૂર્તિપૂજા ભવેતામ્બર તેમજ દિગમ્બર બંનેને માન્ય છે. સ્થાનકવાસી ભાઈઓ સિવાય જૈનમાત્રને મૂર્તિપૂજામાં શ્રદ્ધા છે, મૂર્તિની પૂજા-દર્શન ભાવનાને જેને આત્મકલ્યાણનું અંગ માને છે. મૂર્તિપૂજારા જેને પ્રભુએ બતાવેલા રસ્તે ચાલવાને પ્રયત્ન કરે છે. શ્રદ્ધાળુ જેનેને મૂર્તિમાં સાક્ષાત ભગવાનનાં દર્શન કર્યાને સંતોષ થાય છે. દર્શન દ્વારા આત્માનાં કલ્યાણ અર્થે કંઈક ધર્મ કર્યાની ભાવના થાય છે. મંદિરમાં દાખલ થતાં જ ધમે યાદ આવે છે અને ધાર્મિક ભાવના જાગૃત થાય છે. આ રીતે જેનાને મૂર્તિ ઉપર શ્રદ્ધા છે, ભાવ છે. જનેને લગભગ બધા જ વર્ગ આવી માન્યતા ધરાવે છે. “પ્રબુદ્ધ જન” માં આવતાં લખાણો દ્વારા જણાવવામાં આવે છે કે શાસ્ત્રોમાં મૂર્તિપૂજા જ નથી તે ક્યાં ઉદ્દેશથી લખવામાં આવે છે? શું યુવક સંઘના સંચાલકો આવા લેઓને સ્થાન આપી મૂર્તિપૂજાની વિરૂદ્ધ ચળવળ કરવા માંગે છે? આવાં લખાણેથી જનોની લાગણી કેટલી દુખાય છે તેને વિચાર સંચાલકોએ કર્યો છે? શું યુવક સંઘના સંચાલકોએ જાણીબુજીને મૂર્તિપૂજા વિરૂદ્ધ પ્રચાર કરવાનું નકકી કર્યું છે? આ દેશના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ નામદાર રાજગોપાલાચાર્ય પણ લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈને જગતને કહે છે કે આ લક્ષ્મીનારાયણની મૂર્તિમાં પ્રભુનો વાસ છે. આમ છતાં પણ યુવાસંધને મૂર્તિ અને મૂર્તિપૂજા સામે આટલો બધે પ્રચાર શા માટે ? આ હકીકત સ્પષ્ટ થવાની જરૂર છે. દેવદ્રવ્યને અંગે અત્યાર સુધી એકત્ર થયેલ દ્રવ્ય “Earmarlied છે, ભક્તિભાવે લોકોએ દેવને ચરણે ધરેલ છે, તે એવી શુભ ભાવ. નથી કે દ્રવ્યને ઉપગ મંદિરોના નિભાવ અર્થે થશે. મંદિરમાં સાધારણ ખાતામાં પણ દ્રવ્ય લેવાય છે અને જે ભાઈ દેવદ્રવ્યમાં આપવા ન માગતા હોય તે સાધારણ ખાતામાં પૈસા આપી શકે છે, અને તેને ઉપગ બધી રીતે થઈ શકે છે. દેવદ્રવ્યને ઉપયોગ બીજી રીતે કરવાનું સુચવવું એ ભક્તિમાર્ગે વળેલા ભાઈઓની ધાર્મિક લાગણી દુઃખાવવા જેવું છે. તમે એ તે કબુલ કરશે કે જૈન ઇતિહાસ, જેન કચર અઢી હજાર વર્ષ થયાં જાળવી રાખવામાં જન મંદિરોએ અને મૂર્તિઓએ અગ્રભાગ ભજવે છે. જેનોએ મંદિર પાછળ પૈસા ખર્યા છે તેમ કેળવણી-સમાજ-રાષ્ટ્રઉદ્ધાર પાછળ પણ લાખની રકમ કાઢી આપી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને. તેના જેવા બીજા અનેક છાત્રાલય, કન્યા છાત્રાલય, હોસ્પીટલે તેની પુરતી સાક્ષીરૂપે છે. દેવદ્રવ્યને ઉપયોગ બીજી રીતે અથવા આપ માને છે તેમ જનકલ્યાણ માટે કરવાની સૂચના કરવાને અધિકાર જેઓ દેવદ્રવ્યમાં પૈસા આપે છે તેને છે. શ્રી સંધ મંદિરના વહીવટ માટે ટરટીઓની ચુંટણી કરે છે તે જ માત્ર હવે પછી એકત્ર થતા દેવદ્રવ્યને ઉપગ બીજી રીતે કરવાનું દ્રસ્ટીઓને સૂચવી શકે; બીજા અને તેમાં માથું મારવાનો અધિકાર નથી. યુવક સંઘમાં જે ભાઈઓ મંદિરે અને મૂતિ એમાં માનતા નથી તેઓ સભ્ય તરીકે અને અધિકાર પદે છે. તે પછી ન્યાય અને નીતિની રૂઇએ દેવદ્રવ્ય જેવા અમુક વિભાગને સ્પર્શ તેવા વિધ્યમાં તે ભાઈઓએ માથું મરવું શું ઉચિત છે ? વ્યકિતગત કદાચ એકબીજા પક્ષની ટીકા કરી શકાતી હોય, પરંતુ એક મોભાદાર સંસ્થા તરીકે તે નહિ જ. આપ ત્રણે ફિરકાઓને એકત્ર કરવાને મરથ સેવો છો. આપને હેતુ ઘણે જ પ્રશંસનીય છે. તે પછી એકલા મૂર્તિપૂજકોના શાસ્ત્રસિદ્ધાન્તોને સરકાર મારફતે કાયદાઓ કરાવી ઉથલાવી પાડવાને મને રથ સેવ એ શું ઇષ્ટ છે? યુવક સંઘનાં આવાં પગલાંથી ત્રણ ફિરકા એકત્ર થવાને બદલે એકબીજ વચ્ચેનું અંતર તમારા આ એકપક્ષી વર્તનથી વધશે, અને નજીક આવવાને બદલે એક નાનકડા નવા મઠની નવા પક્ષની સ્થાપના થશે અને તેની બધી જવાબદારી યુવક સંધને શિરે રહેશે. યુવક સંઘે દેવદ્રવ્યના અંગે જે ત્રણ નિયમો જાહેર કર્યા છે તેમાંથી પહેલા નિયમમાંથી (ઘ) (હ) અને (૨) તથા બીજો અને ત્રીજો નિયમ સત્વર પાછા ખેંચી લેવા જોઇએ અને મંદિરે અને મતિઓની ચર્ચામાં જે ભાઈઓ તેમાં માનતા નથી તેઓએ ભાગ લેતા તથા અભિપ્રાય આપતાં અટકવું જોઇએ. યુવક સંઘનું હિત આપને હૈયે હોય તે આટલી મારી વિનંતિ જરૂર સ્વીકારશે. મારા આ વિચારોથી જનરલ સભાને જાણ કરશો અને Vote of Confidance આપનામાં છે કે નહિ તેની ખાતરી કરી જોશે. - આપને બીજે પત્ર ધમકીરૂપે છે. યુક સંધની દેવદ્રવ્યની નીતિની વિરૂદ્ધ હેઉ તે યુવક સંઘના પત્રક ઉપર મારું નામ રહે કે નહિ તેને વિચાર કરવાની આડકતરી રીતે આપે મને સૂચના કરી છે. હું આપને જણાવી શકું કે હું આપના જેટલે જ ઉદ્દામ વિચારવાળો–કાન્તિવાદી યુવક છું. યુવક સંઘને સભ્ય હોઉં કે ન હોઉં તે પણ સમાજની પ્રગતિમાં-ક્રાન્તિમાં માનવાવાળે છું. ક્રાન્તિને અર્થ ધર્મના નાશમાં નહિ, પરંતુ ધર્મના સાચા ઉદ્ધારમાં છે એ પણ સાથે સાથે આપે સમજી લેવું જોઈએ. * ધર્મના સિદ્ધાન્તને કાયદાથી ફેરફાર કરવાની અને તે ભાગે ધર્મના નાશને તરતી પ્રવૃત્તિમાં કદાચ હું સાથ ન આપું અને તે કારણે કદાચ આપ મને આપનાથી છૂટો કરી તેમાં મને લગારે દુ:ખ થવાનું નથી. મારા અમને સતેજ થશે કે ધર્મના નાશને નેતરતી અને ખેટે ભાગે દેરવણી આપતી યુવક સંધની આ પ્રવૃત્તિમાં મારો હાથ નથી. પ્રભુ સૌને સમતિ આપો ! કકલભાઈ ભુદરદાસ વકીલ આ આખા પ્રકરણ ઉપર વિચાર કરવા માટે તા. ૧૩–૧૦-૪૮ના રોજ મુંબઈ જૈન યુવક સંધી કાર્યવાહક સમિતિ સભા મળી હતી, જે પ્રસંગે શ્રી. કકલભાઈ ભુદરદાસ વકીલ સંબંધમાં નીચે મુજબનો ઠરાવ કરવામાં આવ્યા. આ કાર્યવાહક સમિતિનો ઠરાવ તા. ૨૦-૯-૪૮ના મુંબઈ સમાચારમાં મુંબઈ જૈન યુવક સંધના એક આધસ્થાપક સભ્ય શ્રી કાલભાઈ ભુદરદાસ વકીલે પ્રગટ કરેલું નિવેદન, તેમ જ સંધના મંત્રીના બે પાના ઉત્તરરૂપે શ્રી કમલભાઈએ લખેલ તા. ૧-૧૦-૪૮ને પત્ર-બને તા. ૧૩-૧૦-૪૮ના જં મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy