SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુધ્ધ જૈન ૩૫ વિરૂધ્ધમાં છે એમ માલુમ પડયું અને તેથી તે ભાખતને આગળ નહિ વધારતાં પડતી મૂકવામાં આવી. સભાના પ્રમુખસાહેબના ઉપકાર માનીને સભા વિસર્જન કરવામાં આાવી. નિઝામની શરણાગતી ગયા સપ્ટેમ્બર માસની ૧૭ મી તારીખે હિંદી સથે હૈદ્રા ાદના નિઝામ સામે પેાલીસ-પગલાને પ્રારંભ કર્યાં અને ૧૭ મીની સાંજે પાંચ દિવસના ગાળામાં નિઝામે હિંદી સધની શરષ્ટ્રાગતી સ્વીકારી. હિંદુમાં આઝદીની સ્થાપના થયા બાદ આ એક * એવી અદ્ભુત ઘટના બની છે કે જ્યારથી આપણે વિના સંશયે એમ કહી શકીએ કે હવે આપા હિંદી સધના શુભ ભાગ્યની ખરેખર શરૂઆત થઈ ચુકી છે. મહત્ત્વ હિંદી સંધના ઇતિહાસમાં આ ઘટનાનું રાજકારણી સમજવા માટે આપણને જે સ્વરૂપે આઝાદી મળી તેનેા જરા વિગન તથી વિચાર કરવા ધટે છે. આપણે ત્યાં આજથી ૧૩ માસ પહેલાં જે રાજકારણી ક્રાન્તિ થઇ તેનાં મુખ્ય તત્ત્વા આ મુજબ હતા. (૧) કાયદે આઝમ ઝીણાને ખંડિત પાકીસ્તાન મળ્યું (૨) બાકીનેા બ્રીટીશ હિંદને નામે ઓળખાતા મુલક હિં'દી સ'ધને મળ્યા (૩) બધા દેશી રાજા બ્રીટીશ સાવભૌમત્વથી મુક્ત બન્યા એટલે કે સ્વતંત્ર અને સ્વાધીન બન્યા. જે કાયરૢ આઝામ સિંધ, વાયવ્ય પ્રાન્ત, આખું પંજાબ અને આખુ બંગાળા-આથી કશુ પણ ઓછું કદી પણ સ્વીકારે તેમ લાગતુ' નહતું તેમણે ખંડિત પંજાબ અને ખંડિત બંગાળા કેમ સ્વીકાયુ? કાંગ્રેસ કાષ્ટ પણુ રીતે હિન્દુસ્તાનના ભાગલા સ્વીકારે તેમ નહેતું લાગતું, તેણે હિંદના ભાગલા કૅમ સ્વીકાર્યા અને દેશી રાજાએ તદ્દન સ્વતંત્ર અને સ્વાધીન બની જાય એવી વસ્તુસ્થિતિ કેમ સંમત કરી? કોંગ્રે સનું મુખ્ય લક્ષ્ય આ દેશમાંથી કોઇ પણુ રીતે અંગ્રેજી હકુમત ટળે એ મુદ્દા ઉપર જ કેન્દ્રિત થયું હતુ અને તે પરિણામ હિંદુસ્થાનના ભાગલા અને દેશી રાજ્યાની સ્વાધીનતા સ્વીકાર્યાં સિવાય શકય નહતુ. તેથી કોંગ્રેસે એ અનિષ્ટ પૂર્વકની આઝાદીને આવકારી. કાયદે આઝમ સમક્ષ ખંડિત પાકીસ્તાન સ્વીકારવાની વાત જેવી રજી કરવામાં આવી કે તુરત જ તે વાતને તેઓ ચોંટી પડયા હતા. કારણ કે કાંગ્રેસ એક વખત પાકીસ્તાનના મુદ્દો સ્વીકારે તે પછી પહેાળા કેમ થવું અને આગળ કેમ વધવું એ જોઈ લેવ શે અને તે ઉપરાંત લગભગ ૫૦ દેશી રજવાડાની સ્વાધીનતામાં પાકીસ્તાનથી શિલ્પાચાયે ઠેર ઠેર પાકીસ્તાનાનાં જ નિર્માણ કલ્પી લીધાં હતાં. અને તેના લાભ પોતે બહુ જ સારી રીતે ઉઠાવી શકશે એમ પોતે માની લીધુ હતુ. આ ઉપરાંત દક્ષિણમાં નિઝામી રાજ્ય અનેક પ્રત્યાઘાતી તત્વાનુ કેન્દ્રસ્થાન હાઇને એક સાથે જ બીજી પાકીસ્તાન હતું અને હિંદી સધને સદા ભયગ્રસ્ત રાખવામાં તેની ઘણી ઉપયાગીના હતી એ પશુ તેમના પુરા ખ્યાલમાં હતું. આ બધી ગણતરી પૂર્ણાંક કાયદે આઝમ ઝીણાએ ખંડિત પાકીસ્તાનનેા એકાએક સ્વીકાર કર્યાં હતા. અને કાયદે આઝમની આ ગણુતરી શરૂઆતમાં સાચી પડતી લાગી હતી. જીનગઢ પાકીસ્તાનમાં જોડાયું. ત્રાવણુકરમાં સર સી. પી. રામસ્વામી આયરે ત્રાવણુકાર સ્વતંત્ર હાવાની ધેષણા કરી. ખીજા માટાં રાજ્યે પણ માથું ઉંચકવા લાગ્યાં. નિઝામે પણુ અણુનમ વળષ્ણુ અખત્યાર કર્યુ.. જો કે ત્રાવણકાર તે બહુ થોડીવારમાં હિંદી સધને નમી પડયું, તે પણ શ્રીજી બાજુએ ઉત્તરમાં કાશ્મીર સર કરવાની કાયદે આઝમે એક ઘેાડાવેગી યાજના કરી. નવા નકશામાં એક 1 ખીજા પાછળ શ ખન્નાબદ્ધ મુસલમાની રાજ્યની હું અનુભવતુ પાકિસ્તાન તે। હતું જ. પશ્ચિમ કિનારે જુનાગઢ પાકીસ્તાન સાથે જોડાયલુ' હતું. દક્ષિણમાં નિઝમ પાકીસ્તાનનું જ પુરૂ સાથીદાર હતું. પૂવ બંગાળ પાકીસ્તાનના જ વિભાગ હતા. હવે ઉત્તરમાં કાશ્મીર સર થઈ જાય એટલે પછી તે હિંદી સંધે પકિસ્તાનથી તા. ૧-૧૦-૪ એક યા બીજી રીતે ધેરાયલી સ્થિતિમાં જ જીવવા જેવી સ્થિતિ સ્વીકારવી રહી. આવી કુશળ વ્યુહરચના માટે કાયદે આઝમ ઝીણાને જેટલા ધન્યવાદ આપવા હૈાય તેટલા આપી શકાય તેમ છે. પણુ માણુસ ધારે છે કાંઈક અને વિધિ ખેલ ખેલે છે કોઇ જુદા જ. હાથવેંતમાં આવેલુ કાશ્મીર પાકીસ્તાનના પંજામાંથી સરકી ગયું અને હિંદી સધ સાથે જોડાઇ ગયુ. જુનાગઢના નવાબ કરાંચીમાં હવા ખાતા થયા અને માત્ર જૂનાગઢ જ નહિ, પણ આખું કાઠિયાવાડ રાજાઓની આપખુદ સત્તાથી મુકત બન્યુ.. અન્ય દેશી રાજ્યો ટપાટપ હિંદી સબ સાથે જોડાવા લાગ્યા અને તેમાંથી અમુક ગણ્યાગાંઠયા મોટા રાજ્યા જોકે સ્વાયત્ત શાસન રહ્યા છે તેા પણ ત્યાં પ્રજાતંત્ર તે ગેહવાઈ જ ગયાં છે. ખીજા... કેટલાક દેશો રાજ્યાના સંધે ઉભા થયા અને કેટલાક દેશી રાજ્યા હિંદી સધમાં સમાવિષ્ટ થઈ ગયા. છેલ્લા છેલ્લા વડેદરાના ગાયકવાડ સર પ્રતાપસિંહરાવ જરા આમ તેમ માથું ઉંચકી રહ્યા હતા, પણ તેમને પણ આખરે હિંદી સધને લળી લળીને નમવુ” “ પડયુ અને પ્રજાતંત્ર સ્વીકારવુ' પડયું. આવા પાયાનાં પરિવતન ચેાતરક નીપજી રહ્યા હૈાવા છતાં હૈદ્રાબાદના નિઝામની સ્વતંત્ર રહેવાની ઘેલછા વધતી જ જતી હતી અને ઇત્તેઙાદ-ઉલ-મુસ્લમીનના પ્રમુખ અને રઝાકારાના સરમુખત્યાર કાસીમ રઝવીને તે। દીલ્હીના લાલ કીલ્લા સર કરવાના કોડ જાગ્યા હતા. પાંચ દિવસના સર્વાંગી હુમલાના પરિષ્ઠાયે નિઝામના તાબુત હેઠા બેઠા અને હિંદી સધની તેણે શરણાગતી સ્વીકારી, પાકીસ્તાનના મનેારાજ્યને આ સૌથી માટે છૂટા પડયો છે. કાશ્મીરને હિંદી સધ પ્રત્યે અનુકુળ રાખ વામાં નિઝામને પરાજય ઘણા મહત્વની ભાગ ભજવશે એમ સહેજે આશા બંધાય છે. નિઝામની આડખીલી દૂર થવાથી હિ'દી સંધ ધણી રીતે નિર્ભય બન્યુ છે અને ચેતરફથી સુગ્રથિત થવામાં હિંદી સંધે ઘણી મોટી અનુકુળતા પ્રાપ્ત કરી છે. આજે ભેપાળ સિવાય હિંદી. સધના પેટાળમાં કઇ એવી મહત્વની મુસલમાની રીયાસત રહી નથી કે જ્યાં ખટપટ અને કાવાદાવા કરીને પાકી, સ્તાન હિંદી સંધુને જરા પણ પજવી શકે. અને ભોપાળને હવે ઠેકાણે લાવતાં શી વાર? આ દેશમાં ફ્રેંચ અને પેાયુગીઝના થાડાંક થાણાં છે, પણ વચમાં નિઝામ હોવાના કારણે આ થાણુાં સામે કાઇ કડક વળણું હિંદી સધ અખત્યાર કરી . શકતું નહતું. હવે એ પ્રત્યવાય દૂર થયા છે અને હિંદની ભૂમિ ઉપરથી પરદેશીઓનાં થાણાં ઉખેડી નાંખવાનું કાય' ધણું સરળ થયુ' છે. આ સથે ધણુા એમ પણ માને છે કે પાકિસ્તાની પૂર્વ ખંગાળ હિંદી સધના પશ્ચિમ ખેંગાળથી લાંખો વખત અલગ રહી શકશે જ નહિં. પછી કાયદે આઝમ પરલેકમાં જ્યાં હેાય ત્યાંથી આ વિશાળ પૃથ્વી ઉપર પાકીસ્તાનનું નાનું સરખું ટપકું જોઇને ભલે રાચ્યા કદે અને હીંદી સંધ ઉપર શ્રાપ વરસાવ્યા કરે ! આમ દૂરનાં તેમ જ નજીકનાં અનેક સુપરિણામા જેના ગમમાં રહ્યા છે એવા આ નિઝામી પરાજયથી એવા કાઇ પણ હિંદી નહિ હોય કે જેનું દિલ અતિ ખાનથી પુલકિત બન્યુ નહિ - હાય. ઉપરની સમગ્ર સમાક્ષેાચના ઉપરથી માલુમ પડશે કે આઝાદીને સૂર્યોદય ગાઢ અને ભયાનક વાદળાથી ધેરાયલા હતે. આજે એ વાદળા વીખરાવા લાગ્યાં છે અને આઝાદીના સુય પૂર્વાકાશમાં ઊંચે ચઢતા ચઢતે પેાતાનાં પ્રાણદાયી કરણા, ભારતના પૃથ્વીતળ, ઉપર ફેકી રહ્યો છે અને ચાતરફ, કલ્યાણુપ્રકાશ ફેલાવી રહ્યો છે. આપણી, કલ્પનામાં કદિ ન આવે એવી ભવ્ય ઘટના આજે જોતજોતામાં બની રહી છે. હૈદ્રાબાદ ઉપર વિજય આવી જ કોઇ અપૂર્વ ઘટના છે. આ માટે આપણે સૌ એકમેકનુ' અભિન’દન કરીએ અને આવી આશ્રય કારક ઘટનાના નિર્માતાઓને અનેક ધન્યવાદથી નવાજીએ ! ગાંધી સ્માર્ક ફાળા સપ્ટેમ્બરની પચ્ચીસમી તારીખથી પખવાડી સુધી ગાંધીજીની જન્મ જયન્તી ઉજવવાના કાર્યક્રમ નકકી કરવામાં આવ્યે છે
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy