________________
તા. ૧-૧૦-૪૮
વાસમાં જઇને લોકોનાં માથાં ફોડી આવ્યા. તેમના છાશપાણી બંધ કર્યા? આમાં ઈશ્વર રાજી રહે ? બીજા કોઈને નહિ તે ભગવાનને તે ડર રાખો ?”
ગાંધીજીના નામે અપીલ કરી આભડછેટ જેવું કંઈ નથી, માણસને અડયાથી માણસ અભડાતે નથી એ સમજાવ્યું. અને અંતમાં કહ્યું.
બેલે ! આનું શું કરવું છે? ' તમે કહે તેમ કરીએ..” કઈક બેલ્યું. તમે ભૂલ કરી છે એમ માને છે ?” કોઈ ન બેલ્યું.
“તમને કોઈને એમ નથી લાગતું કે હરિજનોને મારવામાં તમે ભૂલ કરી છે? કાયદાને ભંગ કર્યો છે એની તો તમે ને નહિ પડે ને ?'
“જે થઈ ગયું તેને શું કરવા ગા ગા કરે છે ? કરવાનું છે એ કહેને ?? એક વૃદ્ધ અકળાઈને બોલતા હોય એમ બોલ્યા.
“બીજું કંઈ કરવાનું નથી. હરિજનોને પહેલાંની પેઠે મજુરી આપે, છાશ પાણી આપે અને ખાવાનું આપે. એમને ભૂખે માથે કંઇ નહિ વળે.
અને થોડીવાર ભણભણાટ થયે. મુખીએ પણ કેટલાકને સમજાવ્યા અને બધાની વતીથી તેમણે ખાત્રી આપી કે હવે કઈ હરિજનને કનડગત નહિ કરે. મુખી અને બીજા બે આગેવાને મારી સાથે હરીજનવાસમાં આવ્યા. તેમણે હરીજનાને જે થઈ ગયું તે ભૂલી જવાનું કહ્યું. મને વિશ્વાસ પડયો કે હવે કંઈક સીધું ચાલશે.
હું મેડા સુધી વાસમાં રોકાયે, જેમને વાગ્યું હતું તેમને મળે. જે ડોસાને માથા પર ઈંટ વાગી હતી તેમની સ્થિતિ હવે સુધારા પર હતી. તેમને છોકરો અમદાવાદ મિલમાં નોકરી કરતા હતો તે ખબર કાઢવા આવ્યું હતું. શહેરમાં રહી ચબરાક થયે હતું. તેણે મને સંભળાવ્યું;
“સેવકરામ! તમે જ કહે કે હરિજને શા માટે ખ્રિસ્તી ન બની જાય? આ દશામાં ગાળો ખાવાની, હડધૂત થવાનું અને ભૂખે મરવાનું. ખ્રિસ્તી થઈએ તે સૌની સાથે બેસવા ઉઠવાનું મળે,
કરી ધ મળે અને નિરાંતનું જીવન મળે. હું તે આ લોકને કહી કહીને થાકય કે ચાલે શહેરમાં. એકી સાથે બધા યે ખ્રિસ્તી થઈ જઈએ.” * હું એને શું જવાબ આપું? હરિજનનાં દુઃખ અને દારૂણ દશા જોઈ મનેય એમ થાય છે કે એ લેકે હ૦૭ય હિંદુ ધર્મમાં રહ્યા છે એ જ હદ કરી છે. હિન્દુધર્મ પિતાના મનને પૂછે -તે હરિજનની સ્થિતિમાં મૂકાયો હોય તો આ ધમને વળગી રહે કે ધમંપલટો કરે ? પ્રતિમા માંથી સાભાર ઉધૃત
સેવકરામ કેટલાક સમાચાર અને નોંધ સંયુકત જૈન વિદ્યાથીગ્રુહ
સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના ટ્રસ્ટી તરફથી તે સંસ્થાના ભકાનકાળામાં મદદ કરનાર દાતાઓની એક સભા તા. ૨૫-૯-૪૮ ના રોજ જૈન છે. મૂ, કેન્ફરન્સના કાર્યાલયમાં લાવવામાં આવી હતી. સભાની વિનંતિને માન આપીને શ્રી ચંદુલાલ સારાભાઇ મોદીએ સભાનું પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું. ત્યાર બાદ આ સંસ્થાના એક દ્રસ્ટી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આજ સુધીમાં જે કાંઈ કાર્ય થયું છે તેની વિગતે રજુ કરતાં જણાવ્યું કે આ મકાન- ફાળામાં આજ સુધીમાં રૂ. ૧૭૦૦૦૦ ભરાયા છે જેમાંથી રૂ. ૧૨૭૦ ૦૦ વસુલ થયા છે અને બાકી રહેલી રકમ વસુલ થવામાં કશી પણ અડચણ આવે તેમ નથી. મકાનફાળામાં બે લાખનું જે સીમાચિહ્ન નકકી કર્યું છે. તેમાં હજુ રૂા. ૩૦,૦૪ એકા કરવાના બાકી રહે છે જેમાં બને તેટલા મદદરૂપ થવા હાજર રહેલા ગહરને તેમણે ખાસ વિનંતી કરી. ત્યાર બાદ સંસ્થાને
મકાન માટે દાદર (બી. બી. એન્ડ સી. આઈ.) સ્ટેશન પાસે લગભગ ૭૨૦૦૦ ની કીંમતે જે જમીન ખરીદવામાં આવી છે તેને લગતી વીગતે તેમણે રજૂ કરી અને હવે બે પ્રશ્નો વિચારવાના રહે છે એમ તેમણે જણાવ્યું. એક તે મકાન કેવું અને કેવા પ્રકારની સગવડ વાળું બાંધવું અને બીજું આ સંસ્થા વિશેષ સમાજમાન્ય બને અને સંસ્થાને મદદ કરનારાઓ પણ સંસ્થાના વહીવટમાં રસ લેતા થાય તે હેતુથી કેવું બંધારણ ઘડવું. આ સંબંધમાં તેમણે કેટલાક વીચારે રજુ કર્યા અને અને હાજર રહેલા ગૃહસ્થોને પોતાના વિચારો રજૂ કરવા તેમણે વિનંતિ કરી. ત્યાર બાદ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે તથા બીજા ભાઈઓએ આ બધી બાબતે ઉપર કેટલુંક વિવેચન કર્યું, જેના પરીણામે સર્વાનુમતીથી નીચે મુજબના નિર્ણય કરવામાં આવ્યા. - (૧) સંસ્થાના ટ્રસ્ટીઓ તરફથી મકાનફાળાને લગતી અને જમીન ખરીદીને લગતી જે વિગતે રજૂ કરવામાં આવી છે તેની આ સભા કૃતજ્ઞતાપૂર્વક નોંધ લે છે.
(૨) આ સંસ્થાના નવા મકાનનું રુટીઓને યોગ્ય લાગે તેવા વિશિષ્ટ પુરૂષના હાથે આગામી વીજયાદશમીના રોજ ખાતમુહૂર્ત કરાવવાનું ઠરાવવામાં આવે છે.
(૩) આ સંસ્થાનું બંધારણ ઘડવા માટે નીચેના સભ્યોની એક સમિતિ નીમવામાં આવે છે -
(૪) (૧) શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) શ્રી શાન્તિલાલ હરજીવન શાહ (૩) શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ (૪) શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી (૫) શ્રી ચ દુલાલ વર્ધમાન શાહ આ બંધારણ સમિતિએ આવતા ડીસેમ્બર માસની આખર સુધીમાં નીચે જણાવેલ સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ મંડળ સમક્ષ સંસ્થાના બંધારણને ખરડે રજુ કર એમ ઠરાવવામાં આવે છે.
(૪) આ સંસ્થાના નવા મકાનને પ્લાન નકકી કરવા માટે ઉપર જણાવેલ બંધારણ સમિતિના પાંચે સભ્યો અને તે ઉપરાંત શ્રી. મણિલાલ મકમચંદ શાહ અને શ્રી ટી. જી. શાહની બનેલી એક સમિતિની નીમણુક કરવામાં આવે છે.
(૫) ઉપર મુજબ તૈયાર કરવામાં આવનાર બંધારણને ખરડો આજે જે દાતાઓ છે અને હવે પછી નવા બંધારણનો સ્વીકાર થતાં સુધીમાં જે નવા દાતાઓ ઉમેરાય તેની સમક્ષ રજુ કરવામાં આવે અને તેની મંજુરી મળે સંસ્થાના ટ્રસ્ટીઓ આ સંબંધમાં હાઈકોર્ટને જરૂરી એડર મેળવે અને ત્યાર બાદ નકકી થયેલા અને હાઈકૅટે સ્વીકારેલા બંધારણ મુજબ સંસ્થાની નવી રચના કરવામાં આવે એમ ઠરાવવામાં આવે છે.
ત્યાર બાદ સંયુકત જૈન વિધાથીગૃહમાં અમુક પ્રમાણમાં જેને તર વિધાથી'એને દાખલ કરવાની નવી બંધારણમાં અવકાશ રાખવી કે નહિ એ પ્રશ્નની ચર્ચા ઉપસ્થિત થતાં મેં જણાવ્યું કે “આજે જ્યારે આપણે કોમવાદથી બને તેટલા મુકત બનવા પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપણી આસપાસના ભાઈ બહેનને કહી રહ્યા છીએ ત્યારે આ જૈન વિદ્યાર્થીઓ માટે કેટલાંય વર્ષોથી ઉભી કરવામાં આવેલી સંસ્થા ખાસ કરીને જયારે નવે આકાર ધારણ કરી રહી છે ત્યારે આ સંસ્થાને છેડે સરખો પણ લાભ જનેતર વિદ્યાર્થીને આપવાની ઉદરતા જે આપણે બતાવી શકીએ તે બીનકામીવાદની દિશાએ આપણે એક સુન્દર અને અન્યને અનુકરણ કરવા યોગ્ય રંpય પગલું ભર્યું" કહેવાય એમ સમજીને આ મુદ્દો આપની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા છે. અહિં એ જણાવવું જરૂરી સમક્ષ ઉપસ્થિત કરવામા આવ્યા છે કે આ સંસ્થા પુરતા આવા ઉદાર વિચાર અમારા સાથી અને મુરબ્બી શ્રી મણિભાઈને સૌથી પહેલાં આવ્યો અને તેમણે મને જણાવ્યું અને મેં બહુ હર્ષપૂર્વક એ વિચારને વધાવી લીધું. આ વિચાર શ્રી ચીમનભાઇને તેમજ શ્રી. શાન્તિભાઇને પણ એટલે જ આવકાર રદાયક લાગે અને આમ હોવાથી જ આ મુદ્દો આપના નિર્ણય માટે આપની સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.” આ મુદ્દાની વિશેષ ચર્ચા થતાં સભાને ઘણે ભેટે ભાગ આ વિચાર સ્વીકારવાની
શ્રી ચીમનલાલ
કરતાં જ
છે. જેમાંથી ૪