SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રશુદ્ધ જૈન જોઇએ એવા બચાવ હવે કાઇ કરતું નથી. ચરણુમાં હજી ઘણી શિથિલતા છે, પણ કાયદા થયા છે એટલે અસ્પૃશ્યતા તે! હવે ગઇ જ સમજવી. અસખ્ય તેમ જ આખા દેશમાં અનેકવાર કરીને નાના મેટા નેતાએ એમણે ઘડી કાઢયા-ખરેખર અક્ષરશઃ ઘડી કાઢ્યા. એ સસ્થાએ અને એ નેતાઓએ ગાંધીજીનું કાય" તે કરી આપ્યુ પણ એમણે બતાવેલી સાધના સાધી નહિ, એની ઉપેક્ષા જ કરી. કેટલાકાએ તે એની ઠેકડી પણ કરી. પરિણામે ખાપણા દેશની સ્થિતિ શીશમહાલ જેવી થઇ છે. મધ્યકાલીન રાજમહેલામાં એકાદ ઓરડીમાં જમીન, દિવાલ અને છત બધે અરીસાના નાનાનાના કટકા બેસાડેલા દ્વાય છે. એક ચંદ્રજ્યાતિ એ ખ’ડમાં સળગાવા એટલે સખ્ત અરીસામાંથી તેટલા જ પ્રતિબિંબે ઝળકી ઊઠે છે અને રરંગીન પ્રકાશની દીવાળી થઇ જાય છે. આપણને લાગે છે કે લાખેક દીવાઓ ઝળહુળી ઊઠયા છે? પણ એ બધાં ખિા ઘેાડાં જ હાય છે ? એક બિંબનાં અસંખ્ય પ્રતિબિંબે ! બિળના પ્રકાશ ઝાંખા પડી હાલવાઇ ગયા કે આખા ખંડ સનાતન અંધારામાં ડૂબી જવાના ! ગાંધીજીની અસર એવી જ હતી એમ નહિ કહું, એમણે જવાહરલાલજી જેવા કેટલાક આય ભૂષણ પુરુષમાં જ્યંતિ જગાવી અને આજે તે જ આપણને કષ્ટક આશાનાં કિરણ બતાવી શકે છે. આપણે જે બધા એમને રસ્તે ચલ્યા, એમનું કામ કરતા થયા, તે બધાએ જો એમણે બનાવેલી સાધના અગીકારી હાત તે હિંદુસ્તા નમાં શીશમહાલ બનવાને બદલે સ્વયંભૂ તેજ ફૅલાવનારા નવલખ તારાનું આાકાશ બન્યુ' હાત. સત્યાગ્રહ દ્વારા અહિંસક પ્રતિકાર કરીને વિજય મેળવવાના નવા ભાગ ગાંધીજીએ દુનિયા આગળ રજૂ કર્યાં. એ સત્યાગ્રહથી જ આપણુને સ્વરાજ મળ્યુ એમ ન કહેવાય, પણ સત્યાગ્રહ મારફતે દેશમાં એક નવી શકિત પેદા ન થઇ હેાત અને કૉંગ્રેસ મારફતે એનું સ'ગઠન ન થયુ' હાત, તે કાષ્ઠકાળે આપણા હાથમાં સ્વરાજ ન આવ્યુ` હૈાત, સત્યાગ્રહ અથવા અહિંસક પ્રતિકાર એ ગાંધીજીની આખી દુનિયાના દખાયેલા અને ર’જાડાયેલા લોકેા માટે અદ્ભુત ભેટ છે. જેના હાથમાં સત્યાગ્રહ છે, તેને કાઇ કાળે પરાણે અપમાનજક સ્થિતિમાં રહેવું નથી પડતુ. ગમે તે પરિસ્થિતિમાં સત્યાગ્રહી માસ આત્મગૌરવ સાચવી જ શકે છે.. ' રાજારી દિલચાલ અને સ્વરાજ્યપ્રાપ્તિ એટલું જ ગાંધીજીનુ જીવનકાય' ન હતુ. એમણે જીવનને સ્પક્ષતાં અસખ્ય ક્ષેત્રે ખેડયાં. એમની અહિંસા રાજદ્વારી લડત પૂરતી જ ન હતી. પશુપક્ષી, સવીંછી અને ઝાડપાન સુધી અહિંસક રહેવા તે મયતા હતા. પણ એમણે જોયું કે આજના જમાને, ખાજની માણુસજાત, આટલી અહિંસા ઝીલી ન શકે. એ અધિકારી માણુસે મેળવ્યા નથી. તેથી એમણે માણસમાણુસ વચ્ચેના વ્યવહારમાં ચાલતી હિંસા દૂર કરવાનુ કામ પોતાના હાથમાં લીધું, અમે જેલમાં હતા. ત્યારે દાતને અથે લીમડાની જરૂ૨ કરતાં • મેટી ડાળ તેડું અથવા પીંજણુને ધસવા માટે લીમડાનાં વધારે પડતાં પાંદડા તાડુ તેય એમને ગમતું ન હતુ. જરૂરી પાંદડાં ક્ષમા માગીને જ તેડાય' એમ તે કહેતા. ભગવાન મહાવીરતું મરણુ કરવાના આજના દિવસે ગાંધીજીની આ બાજુ મારે આપની આગળ વિશેષ રીતે રજૂ કરવી જોઇએ. વૃત્તિએ . આટલા અહિં સક ડ્રાવા છતાં એમણે ફકત માણુસમાસ વચ્ચેની હિંસા ટાળવાને જ સવાલ હાથમાં લીધા હતેા. એની સાથે જેની મહેનત વગર અને નાં દૂધ વગર આપણે જીવી જ શકતા નથી, તે ગાય-બળદની રક્ષા અને સેવાનુ` કા` એમણે પેાતાનું કર્યુ હતુ અને એના કાર્યક્રમ નવી ઢબે દેશ આગળ મૂકયેર્યા હતા. ગાંધીજીએ હરિજના, સ્ત્રીજા અને ભૂમિજનેાની હજારો વર્ષની કક઼ાડી સ્થિતિ દુર કરવા માટે ભારે જહેમત ઉઠાવી. અસ્પૃશ્યતાનિવારણની બાબતમાં આખા રાષ્ટ્રનું હૃદ્યપરિવત ન તેએ સફળતાપૂર્વક કરી શકયા છે. છૂત રાખવી તા. ૧-૧૦-૪૮ સ્ત્રીજના માટે ગાંધીજીએ જે કયુ છે, તેના દસમા ભાગ પણુ દુનિયા જાણુતી નથી. સ્ત્રીજાતિ પુરૂષથી દબાયેલી રહે, માથુ ઉંચું કરી ન શકે, એ વસ્તુ એમને માટે અસહ્ય હતી. જવાબદારીનાં બધાં ક્ષેત્રે પુરૂષો જેટલાં જ સ્ત્રીને મળે એ માટે તે હંમેશાં જાગૃત રહેતા. આજે તા સ્ત્રીજાતિની સ્થિતિ મૂક જાનવરની પેઠે અસહાય છે. એમનુ' રક્ષણુ કરવુ જોઈએ, એ તરક એમનુ વિશેષ ધ્યાન રહેતુ. એક વખતે સાબરમતીમાં એક તૂટતુ વેવિશાળ સાંધી આપ્યા પછી એમને થયું કે આમાં તે કન્યાને અન્યાય થાય છે. એટલે કન્યાના પિતને સમજાવી એમણે સાંધેલુ’વેવિશાળ તેાડી નંખાયું. તે વખતે હું હાજર હતા. મને તે કહે, ‘કાકા, મેં આજે ગૌરક્ષાનુ કામ કર્યુ. ' એમને મન મૂક બાળાઓ ચતુષ્પાદ ગાયે જેટલી જ અસહાય અને પવિત્ર હતી. ભૂમિજન એટલે કે આદિવાસીઓનુ કામ પણ એમને મન ધણું જ મહત્ત્વનું હતું. શ્રી. ઠક્કરબાપા મારફતે એમણે આદિવાસીએની ઘણી સેવા કરી છે. એ કામના આપણે હાથે છ પૂરા પ્રારંભ પણ થયા નથી એમ તેઓ હંમેશાં કહેતા. પશુ આખી દુનિયાની રાજનૈતિક સ્થિતિ તપાસી એમણે જે નવા રસ્તા ખતાવ્યા છે તેની વાત મારે કરવી છે. જેમ વિવાદ એ એક હજી સફળ ન થયેલી સંસ્થા. છે, તેમ પતિ અને સમાજ વચ્ચેના રાજનૈતિક અને સામાજિક સબધા પણ ખરાખર ગેહવાયા નથી. વ્યકિત શ્રેષ્ઠ કે સમાજ શ્રેષ્ઠ એ પ્રશ્ન હજી અણુઉક। જ રહ્યો છે. એ વચ્ચે શુદ્ધ સમન્વય સધાતા જ નથી. એક પક્ષ કહે છે કે વ્યકિત એ જ મુખ્ય છે. એ શ્વરની કૃતિ છે. સમાજ કેવળ સંખ્યા છે. ચૈતન્ય તત્વ વ્યકિતમાં જ હોય છે. એને ભેગે સમાજનું સંગઠ્ઠન ન જ કરાય, વ્યકિત-વાતંત્ર્યને ભાગ ન જ અપાય. આ ભૂમિકા લીધા પછી રાજનિતિના ક્ષેત્રમાં કાંતા જંગલના ન્યાય સ્વીકારવા પડે છે અને જેમ જગલનાં બધાં જ પશુઓ સ્વતંત્ર છે, ગમે તે ખીજાને મારી શકે છે, કાષ્ટ કામનુ રક્ષણ કરવાને બધાયેલાં નથી તેવી સ્થિતિ આવીને ઊભી રહે છે; અથવા દાનિક રાજકવાદ સ્વીકારવા પડે છે, જેમાં વ્યક્તિ પોતે જ પોતાના ઉપર અંકુશ રાખે છે અને વ્યકિતને કશું કહેવાના અધિકાર સમાજના હાથમાં હોતા નથી, ખીજો પક્ષ કહે છે કે વ્યકિત આજે છે અને કાલે નથી. વ્યકિતના પ્રમાણમાં સમાજ ચિર'જીવી છેઃ સસ્કૃતિની મૂડી સમાજના જ હાથમાં સુરક્ષિત રહે છે. સમાજ એ જ ખરી આધ્યાત્મિક હસ્તી છે. રાજનૈતિક, સામાજિક, આર્થિક, ધધાવિષયક અને વૈવાહિકબધાં જ ક્ષેત્રામાં વ્યકિતએ સમાજના અંકુશ તળે રહેવુ જોઈએ. સમાજ માટે વ્યકિત છે. એ લેાકેા આપણા જૂના શ્લોક પણ ટાંકે છે;– त्यजेत् एकम् कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । પ્રામં નનવાયાર્થે (ચોથી લીટી આપણે છેડી દઈએ.) આ પક્ષ આપણુને સ`સત્તાવાદી–Totalitarian-સમાજવાદ કે સામ્યવાદ તરફ લઇ જાય છે; અને જેને આજે ઉમેાક્રસી કહે છે તે આ મે છેડા વચ્ચે જેમતેમ માંડવાળ કરીને ચાલવા માટે કાંકા મારે છે.. ગાંધીજીએ જોયું કે જોકે આ બહુજનસમાજની આજની સ્થિતિમાં કામચલાઉ વ્યવસ્થા તરીકે ડેમેક્રેસી ઠીક છે, તે પણુ જ્યાં સુધી વ્યક્તિ અને સમાજ બન્ને આત્મશુદ્ધિ ન કરે ત્યાં સુધી એ એ ખેડા વચ્ચે વિરાધ, ઝડા કે સધ રહેવાને જ. જો વ્યકિત અને સમાજ ખાતે શુદ્ધ થઇ જાય તે અન્ને એકબીજાને પૂ`પણે ‘પાષક છે. હું વ્યક્તિમાં સ્વાથ હોય છે. આપ-પર.ભાવ હોય છે, ભેગ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy