SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૯-૪૮ પ્રબુદ્ધ જૈન માતા જ બળાતો થાય છે. દરમિયાન એ. બની ગઈ, આ દુઃખદારૂણ ધટનાઓ દરમિયાન એક સન્નપુરૂષની આમા સદા બળો રહ્યો; બીજાને આત્મા દયેયસિદ્ધિ સમીપ આવતી જોઈને મલકા રહ્યો. સભ્ય દુનિયાની સમક્ષ કાંઈક તે માથું ઉંચું રાખવું જોઈએ એટલા માટે અથવા તે વાઈસરોય વગેરેના દબાણને સ્વીકારીને આવાં અપકૃત્યથી અટકવાની ઝી સાહેબે એક બે વર અપીલે કરેલી ખરી. પણ તે બધું કેવળ ઔપચારિક હવ, તેની પાછળ તેનું હૃદય હતું જ નહિ. પિતાના અનુયાયીઓને આવા દારૂણ કુથી વારવા તેણે કદિ ગંભીર પ્રયત્ન કર્યો જ નથી. એક નૌ આખલીમાં જઈને હિંદુઓનાં આંસુ લુંછાયા; કલકત્તામાં જઈને મુસલમાન કેમને બચાવી. અને હિંદુઓને સતત ભાંડયા જ કર્યા', મુસલમાનોના અત્યાચારની કાં તે ઉપેક્ષા કરી અથવા બચાવ કર્યો અથવા તે જયારે સાધ્યસિદ્ધિઃ પુરતી જરૂર લાગી ત્યારે ઉત્તેજના આપી. તે સ્વીકારેલા ધ્યેયમાં કવળ ત૬૩૫, માનવતા સ થ જેણે સદાને માટે છુટાછેડા લાષા હાય છે, સાધ્ય સિદ્ધ કરવા માટે જેને મન ગમે તેવા સાધને આદરણીય હોય છે, હિંસા અને અસત્યના પાયા ઉપર જેને આ રાજકારણી કાર્યક્રમ રચાયેલું હોય છે એવા આપણી આંખ સામેથી પસાર થઈ રહેલા સરમુખત્યારની પરંપરામાં ઝીણાની એ વિશેષતા છે કે અન્ય સરમુખત્યારે એ પોતાના દેશને એક અને અખંડ રાખવા સદા પ્રયત્ન સેવ્યું છે, ઝીણુએ જે દેશમાં પિને જમ્યા, અને જે દેશની આઝાદી માટે અમુક સમય સુધી જે ઝુઝયા પણ ખરા એ જ દેશના આખરે તેણે ભાગલા કરાવ્યા. આ દેશદ્રો, રાષ્ટ્રદ્રોડ માત્ર ઝીણુના જ નામ ઉપર જ લખાય લાગે છે. આજે પણ એવા કેટલાય મુસલમાન હશે અને ખાસ કરીને પાકીસ્તાનમાં કે જેઓ ઝીણાને પિતાની કોમન એક મહાન ઉદ્ધારક તરીકે લેખતા હશે, પણ સમગ્ર રીતે વિચારતાં ઝીએ હિંદુઓનું તેમજ અન્ય વર્ગોનું જ નહિ પણ મુસલમાનેનું પણ અત્યન્ત અહિત કર્યું છે. વેરઝેરની વિષપરંપરાને જીવતું રાખતું પાકીસ્તાન પેદા કરીને ઝીણાએ ત્યાં વસતા મુસલમાનોનું કલ્યાણ સાધ્યું છે એમ માનવાને આપણી બુદ્ધિ ના પાડે છે. અને હિંદમાં વસતા ચાર કરોડ મુસલમાને તે કેવળ પીઠબળ વિતાના બની ગયા છે, રાજકારણી વચં. સથી વાંચિત બન્યા છે, પોતાની જ ભેમમાં નહિ મિત્ર નહિ દુશ્મન એવી કોઇ વિચિત્ર અને સદઃ શંકાસ્પદ દુર્દશાનો ભાગ બન્યા છે. આ કેવળ ઝીણાની પાકીસ્તાનની પેદાશને જ આભારી છે. આજે આપણા દેશમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે અનર્થ પરંપરાઓ જન્મી રહી છે, જે ભીષણ કાંડે સરજાઈ રહ્યા છે એ સર્વ ઝીણાને જ આભારી છે એમ કહેવું એ ઝીની તાકાતનો બહુ મોટો ગુણુાકાર કરવા બરાબર લેખાય. પણ કોઈ પણ વ્યક્તિના સારા નરસા પણાને નિર્ણય એક જ ધારણુથી થઈ શકે અને તે એ કે પિતાને જે શકિત મળી અને પિતાને જે તકે મળી તે સર્વને ઉપયોગ તેણે કઈ બાજુએ કર્યો? લે કાનું-જનતાનું શ્રેય તેમ જ શાન્તિ, સુખ તેમ જ સ્વાર વધારવા પાછળ કર્યો કે તેથી તદ્દન ઉલટા માગે? ઝીણુના સમગ્ર વ્યકિતત્વને અને તેના સર્વ કાર્યને સરવાળે કઇ બાજુએ નમે છે એ કહેવાની જરૂર છે ખરી? મારા એક મિત્ર અને માર્ગદર્શક કહે છે કે ઝીણાના પક્ષે આપણે એમ જરૂર કહી શકીએ કે તે ધારત તે આથી પણ વધારે દુષ્ટ થઈ શકત. હું જવાબ આપું છું કે છેલ્લાં દશેક વર્ષનું હિંદનું રાજકારણ તપાસતાં મને તે એમ લાગે છે કે તેણે દુષ્ટતા દાખવવાની એક પણ તક જવા દીધી નથી. આપણને આઝાદી મળ્યા બાદ તે તેમની વાણી ઉપર ' સ્વાભાવિક ચેકડું આવી બેઠું હતું, પણ તે પહેલા એવું ભાગ્યે જ અઠવાડીયું ' ગયું હશે કે જયારે વણી યા વતન વડે ઝીણુએ આપણા અન્તઃ રાત્માને, દેશદાઝને કે સભ્યતાના ખ્યાલને એક યા બીજી રીતે દુકાવેલ ન હોય. મારા મિત્ર અને પ્રત્યુતર આપે છે કે તમારી દુષ્ટતાની ટ૯૫ના બહુ ઠીંગણી લાગે છે. આ તેમને આક્ષેપ હું નતમસ્તકે સ્વીકારું છું. આજે આપણે તેમ જ પાકીસ્તાનને આજના વૈમનસ્યમાંથી છટવું હોય અને પરસ્પરને શ્રેમના માર્ગે પ્રગતિ સાધવી હોય તો ઝીણા જે વિચારસંસ્કારને વારસા મુકી ગયેલ છે તેથી મુક્ત બન્ચે જ આપણો છુટકે છે. ઝીણા એટલે પાકીસ્તાન, ઝીણા એટલે કામી વેર ઝેર, ઝી એટલે માનવતાને અભાવ-એ ભરવા છતાં પણ આપણી વચ્ચે ચિરંજીવ છે. તેને ભુલીશું ત્યારે જ આપણામાં સન્મતિ-સમભાવને-ઉદય થશે. કમ'ની પરિભાષામાં બેલીએ અને સારા તેમ જ ખરાબ કમને કુળદાતા ઈશ્વર છે એ ક૯૫ના સ્વીકારીએ તે આપણું દિલમાંથી એક જ ઉદ્ગાર નીકળે છે કે અમારા કોઈ મહાન પાપકર્મનું ફળ ભેગવવાનું હશે, પ્રાયશ્ચિત કરવાનું હશે એટલે, હે બગવાન, તે અમારી વચ્ચે ઝીણુને મોકલે. જે હવે અમારું પ્રાયશ્ચિત પુરૂં થયું હોય, તે કૃપા કરીને અમારે ત્યાં એવા કોઈ બીજી ઝીણાને ના મોકલતે એટલું જ નહિ પણ કોઈ દુશ્મન દેશમાં પણ આ આદમી ને પાજો ! પરમાનંદ પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી મુંબઈ ખાતે યોજાયેલી પjપણું વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ જેની વિગત ગયા અંકમાં પ્રગટ કરવામાં આવી હતી તે બહુ નજીવા ફેરફાર સાથે સફળતાપૂર્વક પાર પડ્યું હતું. પહેલાં સાત દિવસની સભાએ સવારના સાડા આઠથી સાડા દશ સુધી વિઠલભાઇ પટેલ રોડ ઉપર આવેલ આનંદભુવનમાં ભરવામાં આવી હતી; વચગાળે રવિવારના રોજ બપોરના ભાગમાં એક સભા મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં ભરવામાં આવી હતી, જ્યારે મહાસતી ઉજવલકુમારીએ વિજ્ઞાન અને ધર્મ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. છેલ્લા દિવસની સભા રાકસી થીએટરમાં રાખવામાં આવી હતી. આજ સુધીની વ્યાખ્યાનમાળામાઓ કરતાં આ વખતની વ્યાખ્યાનમાળા તરફ ઘણી વધારે બાઈબહેને આકર્ષાયાં હતાં. શરૂઆતથી જ આનંદભુવનની વ્યાખ્યાનશાળા ભરાયલી જ રહેતી હતી. જેમ જેમ દિવસે જતા ગયા તેમ તેમ ભાઈ બહેનોને સમાવવાનું કાર્ય અશક્ય બની ગયું હતું. છેલ્લા દિવસની સભા કેટલાંક વર્ષોથી ભાંગવાડી થીએટરમાં ભરવામાં આવતી હતી. આ વર્ષે સદૂભામે રાકરસી થીએટર મળ્યું હતું, અહિં દેઢી સંખ્યામાં તે જરૂ૨ વધારે ભાઈ બહેને સમાઈ શકે. પણ તે દિવસે આ સભામાં શ્રોતાજનેની જે ભીડ જોવામાં આવી છે તેવી ભીડ કઈ કાળે અનુભવી નથી. કેટલાયને જગ્યાના અભાવે પાછા જવું પડેલું. આ વખતના અનુભવોએ પjપણ વ્યાખ્યાનમાળાના અને સંચાલકે માટે એક નવી મુંઝવણ પેદા કરી છે. શરૂઆતના સાત દિવસ માટે આનંદભુવન નાનું પડે અને છેલ્લા દિવસ માટે રેકશી થીએટર પણ જો નાનું પડે તે આ વ્યાખ્યાનસભા હવે પછીના વર્ષ માટે ગોઠવવી કયાં?. મુંઝવણને મારું નીકળી આવશે એવી આશા રાખીએ, પણ આજે તે આ પ્રશ્ન મુંઝવણ રૂપે જ ઉભો છે. વર્ષ પ્રતિવર્ષનાં અને ખાસ કરીને આ વખતના અનુભવ ઉપરથી એમ માલુમ પડયું છે કે આ વ્યાખ્યાનમાળી જૈન સમાજ માટે એક મહાવભર્યા આકર્ષણનું નિમિત્ત બની રહેલ છે એટલું જ નહિ, પણ સાંભળવા આવનાર જૈનેતર ભાઈ બહેનોની સંખ્યા પણ વધતી જાય છે. પjપણ વ્યાખ્યાનમાળા માત્ર એક ધાર્મિક પર્વ નહિ પણ એક જ્ઞાન હોય-એક સંસ્કાર પર્વ –એવી રીતે આવકારાઈ રહી છે. આ ઉપરથી પયુંષણ વ્યાખ્યાન
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy