________________
૧૮૨
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫–૧૪૮
--
-
-
ડોકટર:–બાઈ–બાઈ !
અબદુલ્લા :-યા, ખુદા ! તેરે ઘરકા યે કૈસા ન્યાય હૈ ? એક મુસલમાન જે અપને બુઢે બાપ ઔર અધી. માકે લીએ રેટી કમાને જાતા હૈ, જીસને ઈન્સાનીયતકા કોઈ ગુન્હા નહી કીયા હૈ જો બીસ્કુલ બેગુન્હા હૈ, ઉપર એક ગુંડાં છુરી ચલાતા હૈ, ઔર એક ડાકટર, જીસને હમે કભી દેખા ભી નહિ હૈ ઉસકી જાન બચાને કે લીએ અપના ખુન દેને કે લીએ તૈયાર હુઆ હૈ એક છંદગી લેતા હૈ, દુસરા છંદગી દેતા હૈ, યહી ઈન્સાનીયત છે. ખુદા! યહી તેરા ન્યાય હૈ ! કીસ મજહબમેં યે લીખા છે કે નિર્દોષ
ઔર બે ગુનાહ પર છુરી ચલાએ. આખીર એ સબ કયું! કયું! - કીમ લીએ !
પ્રવેશ ૨ જે સ્થળ:-ડોકટરનું ઘર (ડોકટરના પિતા છાપું વાંચતાં ખાટલા ઉપર બેઠા હોય છે).
પિતા:-ગિરીશ...... ગિરીશ.
ગરીશ: આબે દાદાજી! પિતા:- કેમ બેટા! મારી ચા તૈયાર થઈ ગઈ? ગિરીશ:-હા ! દાદાજી હમણાં લાવું.
પિતા:-નહિ રે. બેટા ! કોઈ ઉતાવળ નથી-હાં-જરા જે તે | મુકેશ શું કરે છે ?
ગિરીશ-દાદાજી મટાભાઈ તે દવાખાને જાય છે.
પિતા –કેમ મેં એને ના પાડી કે આજે ન જાય, છતાંય તે જાય છે. કાલે તેના દવાખાના પાસે સખત તેફાન થયું હતું " અને ગોળીબાર પણ થયું હતું. કોઈનું કહ્યું માનતો જ નથી. અણુ આજે તે તેને નથી જ જવાનું. (અંદરથી છેકટર આવે છે)
ડોકટર:-પિતાજી આજે તો મારે જવું જ પડશે-હમણાં જ મેં દવાખાને ફેન કર્યો હતો. અને મી. પરેરાએ કહ્યું કે, દર્દીઓ એક કલાકથી મારી રાહ જોઈને બેસી રહ્યા છે. અને અત્યારે ત્યાં કાંઈ તફાન નથી.
પિતા :-ત્યારે શું તોફાન કરનારા તને કહીને તેફાન કરશે? અત્યારે કંઈ ન હોય પણ કઈ ઘડીએ તોફાન થશે તે શું કહેવાય ? કાલે કેટલું બધું તોફાન હતું? છાપામાં પણ આવ્યું છે. નહિ આજે નથી જવું.
' ડોકટર:-પણ પિતાજી આપણું દવાખાનું તે હિન્દુ લત્તામાં છે–ત્યાં આપણને શું બીક છે ? એમ કોણ મારી નાખે છે ?
પિતા:-પણ એક દિવસ દવાખાનું બંધ રાખીશ તે કાંઈ બગડી જવાનું છે ? જોતું નથી આ અઠવાડીઆ પહેલાં પોલીસે કરેલા ગોળીબારથી ઘરમાં બેઠેલા બે માણસો મરી ગયા છે અને કાલબાદેવી ઉપર પેલા બે મુસલમાનેએ ગેળીબાર કર્યો તેથી કેટલા , નિર્દોષ માણસે મરી ગયા. અરે પેલી નિશાળે જતી બીચારી બાર વર્ષની છોકરી ત્યાંને ત્યાં જ મરી ગઈ. અને પેલે ટોપીવાળે તેની દુકાનમાં જ મરી ગયો તે-એક છાતીમાં ચાર ગળી વાગી હતી.
ડેકટર –એવો બધે વિચાર કરીએ તે પછી ધંધો છોડીને ઘરમાં જ બેસી રહેવું પડે અને જે મરવાના જ હઈશું તે તે ઘરમાં પણ મરી જઈશું-જેમ તમે કહ્યું કે બે માણસે ઘરમાં જ મરી ગયો.
પિતા :- ! મારે દલીલ કરવી નથી. હાઈકોર્ટમાં દલીલો કરીને મારું મગજ કંટાળી જાય છે. મારે તે તને એટલું જ કહેવાનું રહે છે કે તું આજનો દિવસ ન જાય તે સારું, આજે મારું મન ના પાડે છે. '
ડોકટર:-પિતાજી, આજે તે માટે ખાસ જવું જોઈએ. તે.ફાન વધુ હોવાથી આજે તો મારી સેવાની વધુ જરૂર પડશે. જો કાલે હું ન હોત તો પેલો બિચારે મુસલમાન છોકરે જરૂર મરી ગયો હોત. એને બુઢો બાપ કેટલું રડતો હતો? તમે જો એ જોયું હોત તો આજે મને ન રોકત. મારે મારી ફરજ ન ચુકવી જોઈએ, તમે મને જવા દો.
પિતાઃ -ફરજ, ફરજ, ફરજ, કેના પ્રત્યેની ફરજ ? શું અમારા પ્રત્યે તારી કાંઈ ફરજ નથી. જેણે તને પાળીપોષીને મોટો ક્યો એ માબાપ પ્રત્યે તારું કાંઈ જ અણુ નથી ?
ડોકટર:-છે, જરૂર છે. એ ફરજ હું કોઈ દિવસ ચુ નથી. પણ પિતાજી ! હું ડોકટર છું. ડોકટરની જીંદગી ઉપર કોઈ
વ્યકિતને વ્યકિતગત હકક ન હોઈ શકે. તેના ઉપર તે સારાય સમાજને હક છે. ડોકટરનો પિતાને પણ તેના ઉપર હકક નથી. તેણે તા એ જીવનને માનવસેવા અર્થે અર્પી દીધું છે. '
પિતા -એ મારે તારી ફીલસુફી નથી સાંભળવી હું પણ ફીલસુફી ભણે છું. હંમેશા બધે ફીલેસે ફી ચાલતી નથી. વ્યહવારિક . દૃષ્ટિએ જરા વિચાર કરવું જોઈએ. ન કરે નારાયણ અને તને. કાંઈ થયું તે આ બુઢાપામાં અમારું જીવન ધૂળધાણી........
- ડેકટર:–એવી અમંગળ શંકાઓ શા માટે કરો છો ? પિતાજી–મને કાંઈ જ થવાનું નથી. મેં કેઈનું કશું જ બગાડયું નથી-સેંકડના જાન બચાવ્યા પછી મને મારવાનું શું પ્રયોજન ?
પિતા –તો શું મારનાર તને પૂછવા રોકાવાને છે? અને જે ધાયલે તારી પાસે આવે છે તેમાં કેટલા ગુનેહગાર છે ?.તું કાણ છે, શું ધધ કરે છે ને કેટલાના જાન બચાવ્યા છે-ને શું પૂછવા રોકાવાના છે ?
બધા જ નિર્દોષ માણસોના ખૂન રેડાય છે. પોલીસનાં ગળીબારમાંય પણું ગુડાએ તે છટકી જાય છે અને નિર્દોષ જ સપડાય . છે. નહિ-ઓજ તે તું જવાનું રહેવા દે–અમારે ખાતર નહિ તે તારી પત્ની અને બાળકોની ખાતર તું રહેવા દે, અમારો નહિ તારી પત્નીના સૌભાગ્યને તે વિચાર કર.
ડોકટર -પિતાજી, તમારૂં વાત્સલ્યથી ભરેલું હૃદય તમારા પુત્રને જ વિચાર કરી શકશે, તમને આજે તમારી પુત્રવધૂને છોડી જે નિર્દોષ અબળાઓ જેમને તેમના પતિ સીવાય આ દુનિયામાં કઈ જ નથી, પતિ જતાં, કયાં રહેવું, શું ખાવું એનું પણ ઠેકાણું નથી; એવી સ્ત્રીઓના સોભાગ્યની કેમ ચિતા થતી નથી ? તમને એ ખ્યાલ કેમ નથી આવતું કે જો હું આજે નહિ જાઉં તો મારી સેવાના અભાવે કંઈક નારીઓનાં સૌભાગ્ય ખંડિત થઈ જશે, કંઈકના લાડકવાયા ચાલો જશે, કેટલાથની 19વન આશા તૂટી પડશે. પિતાજી, તમે મને ન રોકોમને જવા દે-મારો ધર્મ મને પુકારી રહ્યો છે. - પિતા :-ધર્મ, ધર્મ, ધર્મ તને બહારજ દેખાય છે. ખેર !. તારે જવું હોય તે તું જઈ શકે છે–પણ હું તને એટલું જ કહેવા માંગું છું કે અમારા પ્રત્યે પણ તારે કાંઈક ધમ છે.
(અંદરથી ગીરીશ આવે છે.) 'જ . ગીરીશ – દાદાજી, પરેરાને દવાખાનેથી ફેન છે કે ત્યાં તે ફાન થયું છે-અને પિતાજી દવાખાને જાય નહિ.
પિતા:. જે સાંભળ, તું કહેતું હતું કે તોફાન નથી. આ તોફાન થયું. હવે જ, અંદર જઈને કપડાં કાઢી નાંખ-પછી તારે તારા ધર્મી ફીસુફી સમજાવવી હેય તે હું પણ દલીલો કરવા તૈયાર છું. વકીલાતમાં વીશ વર્ષ અમસ્તા નથી કાઢયાં.
ડોકટર:-પિતાજી, તમે વકીલ છે. હું ડાકટર છું. તમે મને નહિ સમજી શકે. ચર્ચા તમારે વિષય છે. મારે વિષય છે કર્તવ્ય. તમારે અને મારે ધમ જુદે છે. મારે ધર્મ છે માનવ સેવા તમારા ધર્મમાં સંકુચિતતા છે, સ્વાર્થવૃત્તિ છે, કારણ એ ધર્મ વ્યકિતના ઉધ્ધાર માટે છે. પણ મારો ધર્મ તમારા વ્યકિત ધમ કરતાં વિશાળ છે. મેં એને કાજે મારું જીવન અપી દીધું છે. એના ઉપર કોઈ હક નથી. પૃથ્વીની કોઈ સત્તા મને નહિ રોકી શકે.
પિતા -બેટા! આમાં સત્તા, હકક કે અધિકારને પ્રશ્ન જ નથી. પ્રશ્ન છે ફકત લાગણીને, દુનિયામાં લાગણી જેવી પણ કાઈ. વસ્તુ છે.
ડાકટર:-લાગણી અને કર્તવ્ય એક ત્રાજવે તેળી શકાય નહિ. બને અલગ વસ્તુ છે. લાગણી કરતાં કર્તવ્ય મહાન છે.. પિતાજી, મને માફ કરે. મને જવાદે.