________________
. શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
રજી. ન. બી. ૪ર૬૬
પ્રબુદ્ધ જેન
તંત્રી: મણિલાલ મેકમચંદ શાહ,
૧૪ : ૧ અs : ૮
.
મુંબઈ: ૧૫ ઓગસ્ટ ૧૯૪૮ રવિવાર
વાર્ષિક લવાજમ રૂપિયો ૪.
- આઝાદીને વાદળઘેરે અરૂણોદય ગયા વર્ષે ૧૫ મી ઓગસ્ટના રેજ, દેશના ભાગલા પડેલા હોવા છતાં, આપણી સ્વાતંત્ર્યસિદ્ધ નજરે નિહાળી આપણે આનંદમગ્ન બન્યા હતા. આઝાદીના સૂર્ય તરફ આપણે આપણી દૃષ્ટિ સ્થિર કરી હતી અને
સ્વાતંત્ર્યના શુભ પરિણામોને આપણે ચિત્તવવા લાગ્યા હતા, પણ જે કે સૂર્યનો ઉદય તો થઈ ચુક્યો હતો એમ છતાં પણ કાળાં વાદળાંઓથી તે ઢંકાયેલું હતું અને આપણે અરૂણોદયનો આ છે પ્રકાશ અનુભવી રહ્યા હતા. એ અરૂણોદય જેવી જ આજે પણ આપણી સ્થિતિ હજુ ચાલુ રહી છે અને ચહેલા દિવસના ઉજજવળ પ્રકાશને સુખદ અનુભવ હજુ આપણને સાંપડયો નથી. કારણ કે કોઈ ચોક્કસ રાજકારણી નિર્ણય લેવામાં આવે કે નવું બંધારણ ઘડવામાં આવે અથવા તો તેથી પણ જેને આપણે વધારે અગત્યની બાબત લેખીએ તેવી કોઈ આર્થિક નીતિ સ્વીકારવામાં આવે એનું નામ કાંઇ ખરી આઝાદી નથી, ખરી આઝાદી તે મનને અને હૃદયનો વિષય છે અને જે આપણા મનનું સાંકડાપણું ચાલુ રહે અને આપણું ચિત કશી સ્પષ્ટતા કે વિશાળતા ન અનુભવે અને આપણું હૃદય દ્વેષ અને મત્સરથી ભરેલું જ રહે છે ત્યાં સુધી સાચી આઝાદીને અભાવ છે એમ જ આપણે સમજી લેવું જોઈએ.
* આજે પાછી એ જ એંગસ્ટની ૧૫મી તારીખ આવી છે અને અનેક અઘટિત ઘટનાઓ બની ગયેલી હોવા છતાં આપણા માટે આજનો દિવસ અત્યન્ત મહતવને છે. આ વર્ષ દરમિયાન આપણે ઘણાં કાર્યો સાધ્યા છે અને જે લાંબો પ્રવાસ આપણે કરવાનું છે તે પ્રવાસના માર્ગે કેટલુંક અન્તર કાપ્યું છે, પણ ગયું આખું વર્ષ અનેક યાતનાઓથી અને આપણા માટે અનેક શરમજનક ઘટનાઓથી ભરેલું પસાર થયું છે અને હિંદની વિશેષતા દાખવતા જે આદર્શને આપણે આજ સુધી વળગી રહ્યા હતા તે આદર્શને આપણે દગો દીધો છે. ગત વર્ષ દરમિયાન રાષ્ટ્રપિતાની પ્રાણહત્યાદ્વારા સંતાનને આપણે મહાન દિગ્વિજય નિહાળ્યો છે. આપણા માટે આથી વધારે શરમાવનારૂં અને દુ:ખ આપનારૂં બીજું કયું હિચકારૂં કૃત્ય હોઈ શકે ?
આપણે જેવી રીતે ઉજવો જોઈએ એ રીતે આજના મહાન પર્વને આપણે ઉજવી રહ્યા છીએ, પણ આપણા પરાક્રમની માટી બડાઈ હાંકી ને કે ધર્મ અને સિદ્ધાન્તની મોટી મોટી વાતો કરીને આ દિવસ ઉજવે
ગ્ય નથી. આજે આપણે વધારે ઉંડાણથી આતરનિરીક્ષણ કરવું જોઇએ અને આપણા મહાન દયેય પ્રત્યે આપણી જાતનું પુન: સમર્પણ કરવું જોઈએ. આપણે કેટલું કામ પાર ઉતાર્યું છે એને બહુ વિચાર ન કરીએ, પણ કેટલું કામ હજુ અધુરૂં રહ્યું છે અને કેટલું કામ આપણે ખોટી રીતે ઉકેલ્યું છે તેના ઉપર આપણું બધું લક્ષ્ય કેન્દ્રિત કરીએ. લાખો નિર્વાસિતો કે જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે અને જેઓ આજે પણ ઘરબાર વિનાનાં જ્યાં ત્યાં ભટકી રહ્યા છે તેમને આજની ક્ષણે આપણે સંભારીએ, હિંદના લાખો માનવીઓ જેઓ આજે અનેક પ્રકારની હેરાનગતી અને હાડમારીઓ ભેગવી રહ્યા છે અને જેઓ આપણી સામે આશાની મીટ માંડીને બેસી રહ્યા છે અને પોતાના દુદૈવમાં સુધારણા થવાની ધીરજપૂર્વક રાહ જોઈ બેઠા છે તેમને આપણે વિચાર કરીએ. હિંદની અમાપ સાધનસામગ્રી કે જેનું પુરું સંશોધન તેમ જ સંજન કરવામાં આવે અને જેને લેકેના ભલા માટે વ્યવસ્થિત રીતે પુરે ઉપયોગ કરવામાં આવે તો હિંદની સુરત બદલાઈ જાય, હિંદ ખાબાદ બને અને અપૂર્વ ભવ્યતાને પ્રાપ્ત કરે-એ હિંદની છુપી અઢળક સાધનસામગ્રીને પણ આપણે વિચાર કરવાનું ન ભૂલીએ.
આ મહાન દથિયને સિદ્ધ કરવા માટે આપણે આપણી સર્વ તાકાતને એકત્રિત કરીએ. પણ સૌથી વધારે અગત્યનું તો એ છે કે મહાત્મા ગાંધીએ આપણને જે જીવનસ શિખવ્યા છે અને જે મહાન આદર્શો આપણી સામે રજુ કર્યા છે તે જીવનસ અને મહાન આદર્શોનું આપણે પુન: પુન: સ્મરણ કરીએ. જે આપણે તેમણે આપેલા બોધને અને પાલી ભાવનાઓને ભુલી જઇશું તો આપણા ધ્યેયને તેમ જ આપણા દેશને આપણે બેવફાદાર લેખાઇશું. તો પછી આપણી આઝાદીના આ સંવત્સરિદિને હિંદની અને તેની પ્રજાની સેવા અર્થ આપણી જાતનું ફરીથી આપણે સમર્પણ કરીએ અને હિંદમાતાના સંતાન તરીકે આપણી યોગ્યતા સર્વ પ્રકારે પુરવાર કરીએ ! જય હિંદ ! !
મૂળ અંગ્રેજીઃ પંડિત જવાહરલાલ નેહરુ , ,
;# અનુવાદક : પરમાનંદ