________________
૩૦૪
શુદ્ધ જૈન
આ જ નિશ્ચયદ્રષ્ટિથી હજી પણ લોકો ભડકે છે, પણ આમ થવુ ન જોઇએ. નિશ્ચયપૂર્વક વ્યવહાર એ જ સાચા વ્યવહાર છે. “અક્ષરેમાંએ વિભાગ પડે છે. સ્વર અને વ્યંજન, આધ્યાત્મિક પરિભાષામાં સ્વર એ આત્મા છે અને વ્યંજન એ શરીર છે. તેના સુમેળ મનુષ્યને શાશ્વતપણું દેખાડે છે. સ્વરને વ્યંજન સાથે જોડાયલે આપણે કલ્પી શકીયે છીએ તેમ જ તેથી છુટા પણ આપણે કલ્પી શકીએ છીએ તેવા જ આત્મા અને શરીરને સબંધ સમજવા. અને શાશ્વત સ્વરની માક આપણે આત્મા અમર છે. એ હકીકત આપણા અંતરમાં ઉતારવી.'
જ્યારે આપણી કાઇ નિંદા કરે છે ત્યારે આપણે અકળાઇએ છીએ અને, તેવી નિંદા કરનાર ઉપર આપણુને રાષ આવે છે. પશુ તાત્વિક રીતે વિચારતાં એ નિંદા કરનાર આપણા દ્વેષને મેટા દેખડીને ખરી રીતે આપણને જાગૃત કરે છે અને એ રીતે તે આપણા ઉપર ઉપકાર કરે છે. માટે મારી નિંદા કરનારને હું એમ કહું કે જે કંઇ તમારે કહેવુ હોય તે મારી સમક્ષ કહે। અને હિંમત ન હેાય તે મારી પાછળ કહો. એ બન્ને પ્રકારના લેાકા અત્યાર સુધી મારા ઉપર અનુગ્રહ કરતાં જ આવ્યા છે.
‘જ્યારે મે” સુપ્રસિધ્ધ વકતા શ્રી સુરેન્દ્રનાથ બેનરજીને કેંગ્રેસમાં ભાષણ કરતાં સૌભષા ત્યારે મને વકતા થવાની પ્રેરણા ઉત્પન્ન થઇ, અને એ દિશાએ મારી શકિત કેળવવાના મે” પ્રયત્ન કરવા માંડયા. દશ વર્ષ બાદ આજે જેને આઝાદ મેદાન તરીકે ઓળખ વામાં આવે છે તે મેદાનમાં જૈન શ્વે. કેન્ફરન્સનું અધિવેશન મળેલુ, અને ત્યાં મને વ્યાખ્યાન કરવાની તક આપવામાં આવી હતી. મને સાંભળીને આપણી જૈન કાળના જાણીતા આગેવાન સદ્ગત શેઠ કુંવરજી ણુજીએ મને ખૂબ શાખ શી આપી હતી. ત્યાર પછી કેટલાક સમય બાદ પડિત સુખલાલજીને કાશીમાં પ્રથમ સમાગમ થયે ત્યારથી જૈનધર્મની નિશ્ચય અને વ્યવહાર ઉપર રચાયલી ઇમારતને મેં યથાશકિત અભ્યાસ કરવા માંડયા. આ રીતે મને ધણુ' જાણવા સમજવાનું મળ્યું. આમ છતાં પણ આજે લાલન જે કાંઇ જાણે છે તે સમુદ્રના એક શિંહંદુ જેવુ છે. એનુ લાલનને સ્પષ્ટ ભાન છે અને એ જ્ઞાનના મીઠા મહાસાગરના કયારે સપૂછ્યુ` દર્શન થાય એ ભાવથી નહિ જાણેલુ જાણુવાની પણુ લાલન એટલી જ ઉત્સુકતા અનુભવી રહેલ છે.
જે
અંતમાં આજે આ પ્રસંગે એક સુચના કરવું મને સુજે છે. આપણા સમાજમાં ઘણુા શ્રીમાને છે. માબાપ વિનાના બાળકો માટે બાળાશ્રમેા થયાં છે અને થાય છે. પણ ખાળા વિનાના વૃદ્ધ માળાપા માટે વૃદ્ધાશ્રમે કાં નથી થતાં ? પશુઓને માટે પાંજરાપાળે છે, પણ અશક્ત અને વૃદ્ધ માનવીએ માટે આશ્રમેા કાં નથી ? યુરોપ તેમ જ અમેરિકામાં મે ડેગ્ઝ હેામ ” “નાશ્રમે જોયા છે તેમ જ “એજેડ હેામ” વૃદ્ધાશ્રમા પણ જોયા છે. આપ એક વૃદ્ધાશ્રમમાં નેપોલીયનના યુધ્ધમાં જેણે ભાગ લીધેા હતા તેવા એક ૧૩૦ વર્ષની ઉમ્મરના ડાસાને મે જોયે હતે. આપણે ત્યાં આવી સંસ્થાઓ ઉભી થવાની ખાસ જરૂર છે.
અંતમાં મારા પ્રત્યે આટલે બધા સદ્ભાવ અને લાગણી બતાવવા માટે આપ સર્વોની હું ફરી ફરીને તઃકરણપૂર્વક ઉપ
કાર અને આભાર માનું છું.
ત્યાર બાદ શ્રી નાથજીએ સમગ્ર પ્રસગને ઉપસંહાર કરતાં ગુાવ્યું કે “આજે આપણે સધળા લોકો એકત્ર થને પંડિતજીનુ ગૌરવ કરી રહ્યા છીએ તે કેવળ એમની ઉંમરના અંગે નથી. આપણા સમાજમાં પંડિતજી કરતાં પણ વધારે ઉમરવાળા પુરૂષ નહિ મળે એમ આપણે નહિ કહી શકીએ, પણ પડતછ જેટલા વયેવૃધ્ધ છે તેટલા જ્ઞાનવૃધ્ધ પણ છે અને પેતાના જીવનના ઘણા મોટા ભાગ તેમણે આધ્યાત્મિક વિચાર અને સધનાની પાછળ ગાળ્યો છે. આ જ તેમની વિશેષતા છે અને એ કારણે જ આપણે એમનું માન અને ગૌરવ કરીએ છીએ. એમની વકૃતકિતના પરિચય મને આજે જ થયે. એ ઉપરથી પણ હું કલ્પના કરી શકું છું કે આજે એમની ૯૧ વર્ષની ઉમરમાં પણ જ્યારે તે આવુ એકધરૂ અને ભાવપૂર્ણ વકૃત્વ કરી શકે છે તે તેમની જુવાનીમાં આ શકિતને પ્રવાહ કેટલેા ધે જોરદાર દશે?
તા. ૧-૭ ૪૮
પંડિતજી સાથે મારે પહેલા પરિચય લગમગ ૨૬ વર્ષ પહેલા સાબરમતી આશ્રમમાં થયા હતા. એ વખતે એમની ઉંમર ૬૯ વર્ષ ની હતી. એ વખતે એમની સાથે મારા જે વાર્તાલાપ થયા એ ઉપરથી મને માલુમ પડયુ કે એમને આધ્યાત્મિક જ્ઞાનની ખૂબ તૃષ્ણા છે. તે વખતે એમનુ* પૂર્વ જીવન હુ ખીલકુલ જાણતા નહતા. ધીમે ધીમે એમના પૂર્વ જીવનની વિગત પશુ મારા જાણુવામાં આવી અને મારા દિલમાં એમના વિષે આદર ઉત્પન થયે।. ત્યારબાદ એમને મળવાનું કદિ અમદાવાદમાં થતુ તે કર્દિ મુંબઈમાં થતું. એક વખત તે માંદા હતા અને હું તેમની પાસે ગયા હતા. તેમની તીક્ત ખીલકુલ સારી નહેાતી અને તેએા તદ્દન અશકત બની ગયા હતા. એમ છતાં પણ મારી સાથે પતંજલ યોગદર્શન ઉપરથી યોગભ્યાસ સાધી એમણે વાત કરવા માંડી. જ્યારે જ્યારે પણ એમને મળવાનુ બનતું હતુ ત્યારે ત્યારે દરેક વખતે તે મને આધ્યાત્મિક પ્રશ્નો જ પૂછતા રહ્યા છે. અને એ બાબતેાની જ તેમણે મારી સાથે ચર્ચા કરી છે. આ સિવાય બીજો કાઇ વિષય તેમણે મારી સામે ઉપસ્થિત કર્યાં નથી. આ બધી બાબતો ઉપરથી મને વિશ્વાસ થયા કે પંડિતજીને આધ્યાત્મિક વિષય અત્યન્ત પ્રિય છે અને એ વિષય પાછળ લાગેલા એક શ્રેયાર્થી છે.
પ'ડિનછ જ્યારે ધામિ'ક ક્ષેત્રમાં કામ કરતા હતા ત્યારે તે સુપ્રદ્ધિ પુરૂષ હતા. અમેરિકા, ઇંગ્લાંડ વિગેરે દૂર દેશે.માં વસતા લેાકા પણ તેમને જાણુતા હતા. મારા સાંભળવામાં આવ્યુ છે કે ક િક િતેમને પ્રચલિત ધમ કલ્પનાની વિરૂદ્ધ ખેલવુ' પડતું હતુ આના પરિણામે તેમને સાધારણુસમાજ તરફથી કેટલું સહન કરવુ' પડયું હશે તેની આપણે કલ્પના કરી શકીએ તેમ છે. પણ આશ્રય' તેમ જ આનદની વાત તે એ છે કે સમાજના ગમે તેટલા વિરાધ સહન કરવા છતાં પણ પંડિતજીએ પેાતાનું સત્યપ્રતિપાદનનું કાર્યં એકસરખું ચાલુ રાખ્યું હતું. એમનાં જીવન ઉપરથી આ પણે સત્યપરાયણુતા અને નિર્ભયતા, આ ગુણાનુ મહત્ત્વ સમજવું જોઇએ અને તે ગુણે આપણા જીવનમાં ઉતારવાન પ્રયત્ન કરવા જોઇએ. ધખની ખાતર સહન કરવા સિવાય મનુષ્યની કોટી થઇ રાકતી નથી. જે એ કસેટીમાંથી પાર ઉતરે છે તેનુ તેજ વધે છે. પંડિતજીની ઉપર અટલી મેાટી હાવા છતાં અને વૃદ્ધાવસ્થાનું તેમના ઉપર અ ટલું બધું અક્રમણ હોવા છતાં એમનામાં રહેલી સ્વાભાવિક તેજસ્વિીતા બીલકુલ ઓછી થઈ નથી. એ તેજ ધર્મ'નુ' તેજ છે. વૃદ્ધાવસ્થામાં સવ કાઇનું તેજ ધટતુ જાય છે, પણું જે ધર્મશીલ હાય છે તેનામાં વિરતા હેાય છે. જે સાચે જ્ઞાની હેાય છે તેનું તેજ વૃદ્ધાવસ્થામાં પણ ઘટી શકતુ નથી, શરીર ભદ્રે ક્ષીણુ થાય, જર્જરિત થાય, પરંતુ તેના તેજમાં જરા પણ કીપણું આવતું નથી. આ પ્રભાવ ધા છે, વીરત્વ છે, જ્ઞાનના છે. પંડિતજીના જીવનમાંથી આપણે આટલી વાતા સમજીને એમના ગુણુ આપણામાં ઉતારવાના પ્રયત્ન કરીએ તે આપણું જીવન પણ એમની માફક સાર્થક થશે. એમનુ ગૈરવ કરવાને આ જ સાચે રસ્તા છે. જેના પ્રત્યે આપણે માન દાખતા હૈઇએ તેના દરેક ગુણુ પેાતાનામાં લાવવ, પ્રયત્ન કરવો એ આપણુ સર્વનું કવ્ય છે.
પંડિતજીનુ માન અને ગૌરવ કરવાનું ભાગ્ય આજે આપણુ સર્વને જે રીતે પ્રાપ્ત થયું છે, તે રીતે પરમાત્માની કૃપાથી એનું ગૌરવ કરવાના પ્રસંગ દુજી કંઇક વાઁ સુધી આપણને મળતા રહે અને એમના જ્ઞાનના તથા એમન! સદ્દગુણેના આપ જીતે મેશા લાભ મળતા રહે એ દચ્છા પ્રગટ કરવા સાથે એમનુ અર્વાશ આયુષ્ય સ્વાસ્થ્ય અને રેગ્યપૂર્ણુ રહે એવી મારી પરમાત્મ ને પ્રાથના છે.'
ત્યાર બાદ શ્રી વેણીબહેન કપડીઆએ પ્રમુખશ્રીનેા, પડિંત ક્ષાલનને! તેમ જ સ સભાજનના ચિત્ત શબ્દમાં ઉપકાર મન્યા હતા અને વદેમાતરમના સમુહગાન સાથે સભા વિસર્જિત
થઈ હતી.
શ્રો મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨