SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૪૮ વખાર સમાન નીવડયા છે અને આ ભંડારો જેમ દેવદ્રવ્યમાંથી નીભાવવામાં આવતા હતા તે જ રીતે આજના વિચાર મુજબ એ નાણાંનો ઉપયોગ જ્ઞાન અને શિક્ષણના પ્રચાર પાછળ આપણે કરી શકીએ છીએ. ચી. . શાહ : બીજા કોઈ કાર્ય પાછળ આનો ઉપયોગ થાય એ આપ સંમત નહિ કરે ? મુનશી: નહિ જ. જે કાયદા દ્વારા ફરજિયાત રીતે આ નાણાંને બીજા કોઈ કાર્ય પાછળ ઉપયોગ કરશે તે તે સામે જાહેરમાં બહુ વિરોધ અને રોષ પ્રગટશે. ' ચી. ચ. શાહ જે કોઈ સંસ્થા ઓ અમુક કોમ અથવા વગરને માટે હેય તે બધા હિંદુઓ માટે ખુલ્લી મુકાવી જોઈએ કે નહિ ? ધારો કે કપાળ માટે એક સસ્તા ભાડાની ચાલ છે અથવા તો જેને માટે એક વિધાથગૃહ છે. આ સંસ્થાને લાભ બધા હિંદુઓને મળે એમ આપ છો કે નહિ ? અને જો એમ કરવામાં આવે તે એવી સંસ્થામાં વહેતે દાનનો પ્રવાહ બંધ પડી જાય કે નહિ? મુનશી : મારા અંગત અનુભવ ઉપરથી મારે કબુલ કરવું જોઈએ કે આવી સંસ્થાઓ બધા હિંદુઓ માટે ખુલ્લી થતાં તેમાં થતી આવકને ધકે તે જરૂર લાગે, પણ આવા ભેદભાવને હવે આપણે લાંબે વખત ચાલવા દેવા ન જોઈએ. અને આજે બનતા બનાવે પણ એમ બતાવે છે કે આ પ્રશ્ન લાંબો વખત રહેવાને નથી. આજે આન્તર્ણાતીય લગ્ન જ્યાં ત્યાં થઈ રહ્યા છે તે આપણે સૌ જાણીએ છીએ. એક જૈન છોકરી હિંદુ છોકરાને પરણે છે અને હિંદુ કરી જે છોકરાને પરણે છે. અને આ બને કીસ્સાઓમાં કોઈને જ્ઞાતિબહિષ્કાર કરવામાં આવતા નથી. હવે પ્રશ્ન તે એ ઉભો થવાનો કે આ યુગલનાં સંતાનોની કઈ જ્ઞાતિ ગણવી? જે કઈ જેને શિષ્યવૃતિ હોય તે તેને લાભ આ બંને પ્રકારના યુગલેના સંતાનને શું નહિ મળે? આપણે એ પણ જાણીએ છીએ કે સમયાંતરે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક એમ અલગ અલગ પ્રાંત ઉભા થવાના છે. અને દરેક પ્રાંતમાં તે તે પ્રાંતની વસ્તી જ મોટે ભાગે વસતી હશે. ગુજરાતમાં બહુ થોડા જનમ અર્થ થાડા દક્ષિણીઓ હશે અને મહારાષ્ટ્રમાં બહુ થોડા ગુજરાતીએ હશે. એમ બનતાં ગુજરાતી સંસ્થાઓ દક્ષિણીઓ માટે અને દક્ષિણી સંસ્થાઓ ગુજરાતીઓ માટે ખુલ્લી મુકવાને પ્રશ્ન જ નહિ રહે. અલબત્ત મુંબઈનું શું થશે એ આજે કઈ કહી શકે એમ નથી. તે એક એવું સ્વતંત્ર શહેર બનવા સંભવ છે કે જ્યાં અનેક જાતના બે કો રહેતા હશે. અને મને લાગે છે કે નાતજાતના આ સર ભેદે ક ળાંતરે જરૂર ભુંસાઈ જશે. તેથી જે નવી રચનાની સંભાવના આપણે આજે કલ્પી રહ્યા છીએ તે જોતાં આ પ્રશ્ન જીવતે રહેશે નહિ અને તેથી આવી બધી ચેરીટીઓ સમગ્ર હિંદુ કેમ માટે ખુલ્લી મુકાય એમ હું ઈચ્છું. આમ થવાથી દાનનો પ્રવાહ વહેતા બંધ થાય એ ભય રાખવાને કઈ ખાસ કારણ નથી. ચી. ચ. શાહ : મહાવીર જૈન વિદ્યાલયને દાખલો આપણે લઇએ. આ સંસ્થા બધા હિંદુઓને માટે ખુલ્લી મુકશે ? મુનશી : હાજી. એ સંસ્થામાં દાખલ થવા માટે કંઈ પણ હિંદુની અટકાયત કરવી ન જોઈએ. ' ચી. ચ. શાહઃ એ બાબતને અમલ કઈ રીતે થશે? મુનશી: એમાં કશી અડચણ નહિ આવે. ટ્રસ્ટીઓ જૈન હેવાના બીજી કોમના બે કે ત્રણ વિધાર્થીઓ જ તેમાં પ્રવેશ પામી શકશે. ચી. ચ. શાહ : જેને પ્રથમ પસંદગી આપવી એમ આપ કહે છે ? મુનશી : ના. ચી. ચ. શાહ : જે તે બધા હિંદુઓ માટે ખુલ્લું મૂકવામાં આવે અને જેને કોઈ પણ જાતની પ્રથમ પસંદગી આપવામાં ન આવે તો તેમાં જૈન વિદ્યાથીઓ શી રીતે દાખલ થઈ શકશે? અમે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાના પરિણામ મુજબ દાખલ કરીએ છીએ. હવે તે સંસ્થામાં દાખલ થવા માંગતા હિંદુ વિદ્યાર્થીના જો ૭૦ ટકા માર્ક હોય અને જૈન વિદ્યાર્થીના જો ૬૦ ટકા માર્ક હોય તે જૈન વિદ્યાર્થીને બાજુએ રાખીને અમારે હિંદુ વિદ્યાર્થીને જ દાખલ પડવો પડશે. આ રીતે જૈન સિવાય બીજી કોમના વિદ્યાર્થીઓને તેમાં ઘણો વધારે અવકાશ મળશે અને જેના વિદ્યાર્થીઓ ભાગ્યે જ પ્રવેશ પામી શકશે. મુનશી : તમેએ જણવ્યું તેમ બે વિદ્યાર્થીમાંથી ટ્રસ્ટીઓ જેઓ જન જ હોવાના તેઓ જૈન વિદ્યાર્થીને એમ કહીને પસદગી આપશે કે એ વિદ્યાર્થી ગરીબ છે અને તેથી જેણે ૭૦ ટકા માર્ક મેળવ્યા છે તે કરતાં આ જૈન વિદ્યાર્થીને પ્રથમ પસંદગી આપવી જોઈએ. મનુષ્યસ્વભાવ જે છે તેવો હોઇને અને ટ્રસ્ટીઓ જન હાઈને તેઓ જનાના પક્ષમાં જ પિતાને મળેલ પસંદગીના અધિકારને ઉપગ કરશે. ચી. ચ. રાવ એ સંસ્થાને વહીટ જિનેના હાથમાં જ રહેવા દેશે? મુનશી: એ તો એમ જ બને. હિંદુ વિદ્યાર્થીગૃહોમાં જિન વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે છે તે મુજબ આ સંસ્થામાં હિંદુ વિધાર્થીઓને દખલ કરવામાં તેઓ શી રીતે વાંધો લે તે હું સમજી શકતો નથી. આવી જ રીતે હિંદુ કામ માટે નિર્માણ થયેલા કેટલાય હોસ્પીટલે કપિળ બે ઇઓ લાભ લે છે. જે એક કામ ધનવાન હોય તો તે પિતાની કોમની જરૂરિયાતે તે પુરી પાડે એટલું જ નહિં, પણ એ ઉપરાંત બીજી કામા દ્વારા ઊભી કરવામાં આવેલી સગવડે.નો પણ લાભ લે એ પે.ગ્ય નથી. સિધ્ધાંતની દ્રષ્ટિએ આ તદન ખોટું છે. પારસીઓની બાબત તદ્દન જુદી છે. તેઓ કોઈ હિંદુ ચેરીટીનો લાભ લેતા નથી. પણ આમ બીજ કામો વિષે કહી શકાશે નહિ. આમ હોવાથી મને લાગે છે કે હદ ચેરીટીઓમાં તે કશો પણ ભેદભાવ હવે ન જોઈએ. ચી. ચ. શા ઃ આવા ભેદભાવ ઉપર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવે છે તેથી લોકલાગણી ઉશ્કેરાશે નહિ? મુનશી : અમુક થે ડાં અપવાદ બાદ કરતાં એ કઈ માટે વિરોધ નહિ થાય. જે કામો આગળ મોટા ફડે છે તેઓ કદાચ રે ભરાય. ચી. ચ. શાહ : એમ કર થી આપણી સંસ્થાઓને પહેલાં માફક જ દાન મળ્યા કરશે એમ આપ ધારો છો ? મુનશી : હાજી. ભારતીય વિદ્યાભૂવન જે જેનેનાં જ નાણાં. માંથી ઉભું કરવામાં આવ્યું છે તેને પારસી તેમજ મુસલમાનોને પણ લાભ આપવામાં આવે છે. ચી. ચ. શાહઃ આગળના એક સાક્ષીએ અમને એમ જણાવું છે કે સર હરકીશનદાસ હોસ્પીટલને જે બધા હિંદુઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હોય તે એની પાસે આજે જે નાણું એકઠાં થયા છે તે થયા ન હોત. ગુજરાતીઓએ તેને એટલો ટેકે આ ન હોત. મુનશીઃ હું એ હેપીટલના પ્રમુખ છું. અલબત્ત, કોઈ પણ સંસ્થા અમુક કામ માટે જ ઉભી કરવામાં આવી હોય છે તે તેવી સંરથા વિષે લોકોમાં વધારે પક્ષપાત થાય છે અને આવી સંસ્થામાં નાણાંને પ્રવાહ પણ વધારે છૂટથી વહેતો રહે છે. પણ બીજી બાજુએ આપણે મારવાડી હોસ્પીટલના દ ખલે લઈએ, બીરલાજીએ આ પેજના રજુ કરી અને પૈસા પણ એકઠા થયાં.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy