SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રબુદ્ધ જેની તા. ૧-૭ ૪૮ મુનશી: ઘણીવાર એમ બને છે કે કોઈ પણ ધનાઢય માણસ આગળ આવે છે અને જણાવે છે કે “મૂર્તિના મુગટ માટે હું પચાસ હજાર રૂપીઆ આપવા ઇચ્છું છું. આમ કરવાથી પોતે પુ પાર્જન કરે છે એમ સમજીને તે આવું દાન કરવા આગળ આવે છે. હવે તમે એમ કહો છો કે તમે આવડી મેટી સખાવત કરી તે બરાબર છે, પણ મુગટ એ કેવળ બીનજરૂરી ઉપભોગની વસ્તુ છે એમ અમે ડાહ્યા માણસ ધારીએ છીએ અને તેથી અમે તે વેચી નાંખીશું અને તેમાંથી મળતાં નાણાં કોઈપણ સારા જાહેર કાર્યમાં વાપરીશું. આવું કાંઈક તમે કહે તેને લોકો સંમત કરશે કે કેમ તે વિષે મને શંકા છે. પ્ર. 2. અમને એમ જણાવવામાં આવ્યું છે કે મહાલક્ષ્મીને મંદિરમાં એ રવૈયો છે કે દેવમૂર્તિને જે કાંઇ કીમતી વસ્ત્રાભૂષણે તેમ જ વસ્તુઓ ધરવામાં આવે છે તે મંદિરના ટ્રસ્ટીઓ વેચી નાંખે છે અને તેમ કરવાથી તેમને ઘણી સારી કીંમત મળે છે. બજારમાં તેની જે કાંઈ કીંમત ઉપજે તે કરતાં પણ આવી ચીજે જ્યારે હરાજી કરવામાં આવે છે ત્યારે તેમને વધારે સારી કીંમત ઉપજે છે. કારણ કે આ ચીજને ખરીદનાર આ વસ્તુ પ્રત્યે ચોકકસ પ્રકારની લાગણી અને ભાવના ધરાવતા હોય છે. જે લોકોએ આવી ભેટ. ધરી હોય છે તેમાંથી કોઈએ પણ એવી ફરીઆદ કરી નથી કે અમે જે ધારીએ છીએ તે નફા માટે વેચી નાંખવામાં આવે છે અને મંદિરની આવકને આથી કશી પણ અડચણ પહોંચી નથી. મંદિરના અધિકારીઓ હરેક સામાજિક હેતુઓ માટે આ નાણાંનો ઉપયોગ કરે છે. મુનશી : મંદિરે મંદિરે રીતરિવાજ અને રૂઢિમાં ફેરફાર હોય છે, પણ જો આવી વસ્તુઓ વેચી નાંખવાને જો તમે કાયદો કરે તે મંદિરની આવક ઉપર ઘણી પ્રતિકુળ અસર થાય એમ હું માનું છું. ડાકોરના મંદિરમાં, તેમની પાસે એક મુગટ, મોતીની માળાઓ અને બીજા કેટલાંક આભૂષણે છે, જેને જોમ તરીકે ઓળખવામાં આવે છે અને તે બીવકુલ વેચી શકાતા નથી. ખરીદનાર કામે લાક બને આપીએ છીએ એ બે વચ્ચે આપણે તફાવત કરીએ છીએ. “ઈષ્ટ' એટલે ધાર્મિક અને “પૂત” એટલે દયાપ્રેરિત સામાજિક એ અર્થ આપણે કરીએ છીએ અને મારા મત મુજબ એ બને બાબતે અલગ અલગ છે. ચી. ચ. શા. : ધાર્મિક સખાવતના વધારાનાં નાણું ગૌશાળા સ્થાપવા પાછળ કે ચલાવવા પાછળ વાપરવામાં આવે એ આપને કબુલ છે, પણ આર્ટસ કે સાયન્સ કોલેજ સ્થાપવા કે ચલાવવા પાછળ એ નાણુને ઉપયોગ કરવામાં આવે એ આપ કબુલ નહિ કરો! મુનશી : ધાર્મિક સખાવતો પાછળ ચેક હેતુ રહે છે એમ હું માનું છું. તિરૂપતિ કે ડારના મંદિરની મીલકત કેટલીયે સદીઓ થયાં એકઠી થતી આવી છે. આ મિલકત એ કકસ પ્રકારની સંસ્કૃતિના રક્ષણ માટે એકઠી થયેલી હોય છે. અલબત્ત, પેઢી દર પેઢી માણસેના વિચારો બદલાતા જતા હોય છે, પણ ચેકસ હેતુઓ માટે એકઠા થયેલાં નાણુને કેવળ જ જુદા કાર્યમાં ઉપયોગ કરવો તે યોગ્ય નથી. જો તપે નવા વિચારો દાખલ કરશે અને તે મુજબ એકઠાં થયેલાં નાણાંને ઉપગ કરશે તો લોકોને તે નહિ ગમે અને લોકોની લાગણી દુભાશે. ૫. ટે. પણ તિરૂપતિ મંદિરના નાણુને. આર્ટસ કોલેજ, સાયન્સ કોલેજ અને બીજી કેટલીયે સંસ્થાઓ ચલાવવા પાછળ ઉપયોગ કરવામાં આવે છે. મુનશી : પણ તે સામે લોકોને કેટલે વિરોધ છે તેને તમને ખ્યાલ નથી. તિરૂપતિ મંદિરને બહુ. થડા સમયમાં ભારે નુકસાન થવા સંભવ છે. જો કોઈને કેલેજ ચલાવવા માટે સખાવત કરવી હોય તે તે મુજબ તે કરી શકે છે. પણ મંદિરના નાણાંને એવા હેતુ માટે શા માટે ઉપયોગ કરવો જોઈએ ? બહુ બહુ તો તાદશ હેતુઓ માટે એ જાણીને ઉપયોગ તમે કરી શકે છે. પાઠશાળામાં સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપી શકો છો. ગીતાના જ્ઞાનનો પ્રચાર કરી શકે છે. આ હદ સુધી અન્યથા ઉપયોગ લોકલાગણી નીભાવી શકશે. ચી. ચ. શાહઃ એમાંથી હોસ્પીટલ ચલાવવામાં આવે તો તે સામે તે સામે આપને વાંધે છે? મુનશી : જરૂર એમ કરવું ન જોઈએ. જો તમે એ રીતે નાણુને ઉપયોગ કરવા માંડશો તે લેકે જરૂર દુભાશે. એમના દીલમાં જેને સ્થાન નથી એવા કોઈ એક હેતુ તરફ તમે ઢળી રહ્યા છો-એમ તેમને ખબર પડશે તે છે કે નાણું આપતાં જ બંધ થઈ જશે. ચી. ચ. શાહ : આપ જાણે છે કે જેને દેવદ્રવ્યને પવિત્ર દ્રવ્ય તરીકે લેખે છે અને બીજા કોઈ પણ હેતુ પાછળ તેને ઉપયોગ થઇ ન શકે એમ તેઓ માને છે. આ સંબંધમાં આપને શું અભિપ્રાય છે. | મુનશી. આ પ્રશ્ન ઉપર મેં કેટલાક વિચાર કર્યો છે અને મને લાગે છે કે જેનોમાં આ લાગણીની જડ ઘણી ઉંડી છે. આવો વિચાર કેટલીએ સદીઓ થયા સે તે આવ્યા છે. તેઓ એમ માને છે કે દેવદ્રવ્ય મૂર્તિ માટે જ નિયત કરાયેલું દ્રવ્ય છે. . . એ રૂઢિએ ઘણીયે ઉગી સેવા પણ બજાવી છે. એ રૂઢિના પરિણામે આપણને કેટલીએ સદી એને પુરો ઈતિહાસ મળી શકે છે. આ નાણુમાંથી કેટલાક લહીઆઓને નિભાવવાની પરંપરા તેમનામાં ચાલતી આવી છે. સમય સમયનો ઇતિહાસ નેધતા રડવું એ આ લહીબાઓનું મુખ્ય કામ હતું. બીજું દરેક મંદિર સાથે એક ભડાર હોય છે. આ બન્ને સાધને ભૂતકાળને ઈતિહાસ પુરો પાડવામાં બહુ ઉપયોગી નીવડયા છે. તે દ્વારા જ જન ધમ અને સંસ્કૃતિની રક્ષા કરવામાં અને જુના કાળની નોંધ જાળવવામાં દેવદ્રવ્યે અગત્યને ભાગ ભજવ્યો છે. જેના ભંડારે જ્ઞાનની માટી - પ્ર. 2. દેવમૂતિને હીરાની આંખે ચડાવવામાં આવી છે તો તે તમે જાળવી રાખશે ? મુનશી : હા. છ. જો તમે તે ઉખેડીને વેચી નાંખો તો અમુક માણસોની ધાર્મિક લાગણી તે અવશ્ય દુભાવાની. લોકોની ધાર્મિક લાગણી ન દુઃખાય એ ધરણે કઈ ચીજો કાઢી નાંખવી અને કઈ ન કાઢવી એ સંબંધમાં તમારે પુરી સંભાળ લેવી જોઈએ. પ્રશ્નકાર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ચી. ચ. શા.: મંદિરમાં કરવામાં આવેલી સખાવતેનાં જે વધારાનાં નાણાંની મંદિરના કોઈ પણ કામકાજ માટે બીલકુલ જરૂર ન હોય તે નાણું સમાજોપયોગી કાર્યો પાછળ ખર્ચાવા જોઈએ, એ વિચાર અને સંમત છે? સમાજોપયોગી (ચેરીટેબલ) અને ધાર્મિક હેતુઓ વચ્ચે આપ કઈ તફાવત રવીકારો છે ? મુનશીઃ હા જી. ચી. ચ. શાહ: હું માનું છું કે હિંદુ મયદો આવો ભેદભાવ રવીકારતા નથી. એ બધું જ “ધમ ની કક્ષામાં આવી જાય છે. કાકા કાલેલકર જેમણે ગઈ કાલે જ આ કમીટી સમક્ષ જુબાની આપી હતી તેમણે પણ આ બે વચ્ચે કોઈ પણ ભેદભ.વ નથી એમ જણાવ્યું હતું. મુનશીઃ મને લાગે છે કે શા આ બે વચ્ચે તફાવત કલ્પ છે. હું બ્રાહ્મણ કુળમાં જન્મેલા અને ઉછરેલ હોઈને મારા બાળપણથી હું એમ સમજતે આવ્યો છું કે મંદિરની અંદર આપણે જે કાંઈ દેવને ધરીએ છીએ અને મંદિર બહાર આષણે જે કાંઈ ગરી-
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy