SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૪૮ પ્રભુષ જેન ૨૯૭ પ્ર. 2. મદ્રાસમાં આવું એક સરકારી ખાતું કામ કરી રહ્યું છે | મુનશી : અને તે મદ્રાસના કાયદાનો અમલ કેમ થઈ રહ્યો છે તે હું જાણું છું. પણ આજે જ્યારે આપણા દેશમાં અનેક ૨ જ રણ વિચારોની પરસ્પર અથડામણો ચાલી રહી છે ત્યારે આવું કોઈ સરકારી ખાતું ઉભું કરવામાં આવે એમ હું ઈચ્છતું નથી. આપ સમજી શકે તેમ છે કે જ્યારે કોઈ સખાવત કરવામાં આવે છે ત્યારે તેના મૂળમાં રહેલા હેતુઓની ચે કામ પરંપરા ચાલતી રહેવી જોઇએ એવી સમજુતી તે પાછળ રહેલી હોય છે. આજે સામ્યવાદી વલણવાળો પ્રધાન હોય, આવતી કાલે સમાજવાદી વલણવાળે બીજો કઈ પ્રધાન આવે અને જે આવે તે પોતાના મત મુજબ આ દિશાએ કાયદાઓ કરતે રહે. એનો અર્થ તે એ જ થાય કે આપણે ચેરી. શ્રીઓ સાથે રમત કરી રહ્યા છીએ. ચેરીટીનાં નાણું સમાજની સંસ્કૃતિ જાળવવા માટે અને તેને ધીમે ધીમે વિકાસ કરવા માટે આપણુને વિશ્વાસપૂર્વક સંપાવલાં નાણાં છે એ મારે ખ્યાલ છે.. અને જો આ નાણાંને ઉપગ રાજકારણી મનસ્વીતાને આધીન કરવામાં આવે છે તે પાછળ રહેલે સમગ્ર હેતુ માર્યો જશે. પ. ટે.. અમારે બીજા એક પ્રશ્નને પણ નિર્ણય કરવાને છે કે જે હેતુઓ માટે દાન કરવામાં આવ્યું હોય તે હેતુઓ જે આજે વખતના વહેવા સાથે સામાજિક દ્રષ્ટિએ ઉપગી રહ્યા ન હોય તે કાયદાથી તેવા હેતુ એ પાછળ થતા નાણુને વ્યય અટકાહવે જોઈએ કે કેમ ? દાખલા તરીકે કીડીઓને ખાંડ નાંખવી, કુતરાને રોટલા નાંખવે, જેમ મથુરામાં બને છે તે કાચબાને લેટ નાંખવે. | મુનશીઃ ત્યાં પણ આવી કોઈ અટકાયતની ઉપયોગીતા હું સ્વીકારું છું, પણ જો આ બાબત કાયદામાનુનથી સિદ્ધ કરવા જશે તો મેં આગળ સૂચવ્યું તેમ તમને મુશ્કેલીઓ આવશે. " - પ્ર. 2.: ધ રે કે એ બાબત આપણે ચેરીટી કમીશનર ઉપર છેડીએ અને તેના નિર્ણય ઉપર અપીલ કરવાનો પણ આપણે હક્ક આપીએ તો કેમ ? " મુનશીઃ તો એ બરાબર છે, કારણ કે સમાજનો સામાન્ય ખ્યાલ શું છે તે કોટને જરૂર માલુમ પડશે. જ્યારે તમે ધારાસભા પાસે જાઓ છો ત્યારે તતકાળ શેની જરૂર છે અને તત્કાળ કેવા વિચારે વાયુમંડળમાં પ્રસરી રહ્યા છે તે છે રણે જે બધા વિચાર અને નિર્ણય કરવામાં આવે છે. આમ તે કાટને આવી સત્તા છે જ, આમ છતાં પણું જે જરૂર જણાય તે આવા નાણાંને બીજા કોઇ કાર્યમાં ઉપય ફરમાવવાની તમો કાયદાથી કેટને સત્તા આપી શકે છે. પણ જ્યાં સુધી આપણું રાષ્ટ્રીય વિચારો અને વળણે માં એણે ચોકકસ પ્રકારની સ્થિરતા પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી કાને “ઈઝ ગણવું અને કેને “પૂતં ગણવું એને લગતાં આપણાં પરંપરાથી ચાલી આવતા ખ્યાલમાં ધારાસભાના જાતજાતનાં કાયદાકાનુનથી ચુંથામણ થવા માંડે એમ હું છું નહિ. - પ્ર. ટે. આ કમીટી પુરતું હું કહી શકું છું કે ધર સભાને અમો આવું કોઈ કાર્ય સોંપવા માગતા નથી. મુનશી : પણ એક વખત પણ જો તમે આવી જ કોઈ ના- સરખી બાબત માટે ધારાસભા પાસે ગયા તે જે ચોક્કસ મર્યાદાપૂર્વક તમે અમુક વાત રજુ કરે તેને ધારાસભા વળગી રહે એમ હું માનતો નથી. . 2. : દાનના અમુક ભાગ હવે કશી પણ જાહેર ઉપયોગીતા ધરાવતા નથી એમ કાયદાથી નકકી કરવું તે એક વસ્તુ છે અને અમુક બાબત હવે જાહેર ઉપયોગીનાની રહી નથી અને એ માટે નિયત કરાયેલાં નાણુ બીજા કોઈ હેતુ માટે વપરાવા જોઈએ એ કોઈ રાજ્યાધિકારી લેખિત હુકમ કરે અને તે હુકમ સામે અપીલ કરવાને પણ હઠક હોય એ બીજી જ વસ્તુ છે. મુનશી : સામાન્ય ચેરીટીઓ પુરતું તે આ બાબતમાં કશી મુશ્કેલી આવવા સંભન નથી, પણ ધાર્મિક ચેરીટીના સંબંધમાં પ્રશ્ન ઉભો થવાનો. માછલીઓને લોટ નાંખો બીલકુલ ઉપયોગી નથી એમ અમુક માણસ ન પણ માને. પણ આવા કીસ્સાઓમાં કેટ એને લગતાં નાણુને બીજા કોઈ સમાજોપયોગી કાર્યમાં ઉપયોગ કરવાની સંમતિ આપતી જ આવી છે. આ સંબંધમાં આપ જે ખ્યાલ ધરાવો છો એ સાથે હું સંમત છું. આવી અર્થ વિનાવી ચેરીટીઓ અટકવી જોઈએ એ બાબતમાં પણ હું તમારાથી જ દે પડતું નથી, પણ આવી અટકાયત કરવા જતાં બીજી ઘણી બાબતે વિચારવા રહેશે. મૂળભૂત હકે સંબંધમાં મારે ઘણું કામ કરવું પડયું છે અને ત્યાં અમારે કેટલુંક તુમુલ યુદ્ધ કરવું પડેલું તે પણ હું જાણું છું. આપણે એમ માનીએ છીએ કે અમુક કાયદાઓ કરીને, લેકના દિલમાં જે ખ્યાલે સદી ઓથી રૂઢ થયેલાં છે તે ખ્યાલથી લેકીને મુક્ત કરી શકીશું. પશુ કાયદાકાનુન આ બાબતમાં ફળીભૂત થશે એમ હું માનતા નથી. સંભવ છે કે પ્રજા એવા કાયદા કાનુનને પણ ગળી જાય. પ્ર. 2. : તે આ બાબતે આપ જાહેર અભિપ્રાય ઉપર જ ખરેખર છોડવા માગે છે? મુનશી : હું એ બાબતનો કાટને જ હવાલો આપું. પ. ટે. : અમને એવી સુચના કરવામાં આવી છે કે આપણે ચેરીટી કમીશનર ઉભા કરીએ કે ન કરીએ પણ અધિકારી કે બીનઅધિકારી નિરીક્ષક (વીઝીટર્સ) નીમવા કે જેઓ ચોતરફ ફર્યા કરે, ચેરીટીઓ વહીવટી તપાસે અને કોઈ પણ ઠેકાણે કશી પણ ગેરવ્યવસ્થા માલુમ પડે તે તેને લગતા અધિકારીને રીપોર્ટ કરે. આપ આ સૂચનાના પક્ષમાં છે. ? મુનશી : હું તેની વિરૂદ્ધ છું. હું એટલું જ પસંદ કરું કે એક અથવા બે ચેરીટી કમિશનર હાઈટ સાથે જોડાયેલા હોવા જોઈએ. એમ કરવાથી એક સતંત્ર ખ તું જ ઉભુ થશે. જયારે પણ કોઈ ચેરીટી વિષે ફરીયાદ આવે ત્યારે તેઓ ટ્રસ્ટીઓને બેલાવે અને તે ફરીયાદ દૂર કરવા માટે તેમને સમજાવે. જે કોઈ ચેરીટી વિષે કઈ ફરીયાદ કરે તે કમીશનરે ત્યાં જવું, ટ્રસ્ટીઓની બાજુએ બેસવું, ચાલી રહેલે વહીવટ તપાસવો અને તેમને કહેવું કે “જુઓ આમ આમ બની રહ્યું છે, આ હવે તમે સુધારશે ?” મને લાગે છે કે આમ કરવું વધારે ઉપયોગી નીવડશે. એવા બે વકીલે રોકવામાં આવે છે એ બાબતને ખાસ અભ્યાસ કરે, કરવા માં આવતી ફરીયાદમાં ઉંડા ઉતરે અને તેમણે શું કરવું જોઈએ તે મિત્રભાવે જણાવે. એમ કરવાથી આજે ટ્રસ્ટને વહીવટ જે રીતે ચાલે છે તેનાથી વધારે સારી રીતે ચાલશે. પ્ર. 2. આપણે ફરી મંદિરોને વિચાર કરીએ; આ વિષે અમારી સમક્ષ એમ રજુ કરવામાં આવ્યું છે કે ઘણુ મંદિર પાસે ઢગલાબંધ સોનું, ચ દી તથા આભૂષણો હોય છે, જેને ઉપયોગ મૂર્તિ માટે ભાગ્યે જ કર માં આવે છે. તે સેનું, ચાંદી તેમ જ , ઝવેરાતના ઘરેણાને કઈ પણ સાર્વજકિ હેતુ માટે ઉપયોગ કે ન કરે ? મુનશી: વારું, પણ ઝવેરાતના દાગી છે તે મૂર્તિના શણગાર સાથે જોડાયેલાં હોય છે. અલબત્ત, સેના અને ચંદીનાં રોકાણો પણુ હવા સંભવ છે. પાયધુકીના મંદિરમાં ટ્રસ્ટીઓ સેના ને ચાંદીમાં નાણાં રોકયે જ જતા હતા અને અમારે તેમને અટકાવવા પડયા હતા. પ્ર. ટેઃ ટ્રસ્ટીએ વ્યાજબી પ્રમાણમાં સેના ચાંદીમાં નાણું રોકી શકે એમ આપનું સુચન છે?
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy