SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧-૪૮ ૧૭૯ - વકરેલી માનવતા આજનો યુગ જ વકરેલી માનવતાને છે. ૧૮ ૩૯ની સપ્ટેમ્બર માસની પહેલી તારીખે બીજા વિશ્વયુદ્ધનો આરંભથી થયો ત્યારથી . આ યુગની શરૂઆત થઈ છે. એ યુદ્ધને શમી ગયાને આજે ત્રણુ વર્ષ થવા આવ્યાં એમ છતાં પણ આ યુગનાં વિષમ તત્વ તરફ વધારે ને વધારે વેગપૂર્વક કામ કરી રહેલ છે અને દુનિયામાં વૈર વૈમનસ્ય ઉત્તરોત્તર વધતાં ચાલ્યા છે, અને જાણે કે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આપણે બહુ જલ્દિથી ધસડાઈ રહ્યા હોઈએ એમ લાગે છે. આ જ વકરેલી માનવતા છેલા સવા વર્ષથી હિંદમાં કોમી ઝેરવેર અને ખાનાખરાબીના સ્વરૂપે આપણને પિતાનું દર્શન કરાવી રહેલ છે. ૧૮૪૬ના ઓગસ્ટ માસની સોળમી તારીખે આ કેમી વિગ્રહને પહેલે ભડકે આપણે કલકત્તામાં જોયે. ત્યાર પછી એ આગના તણખાં દેશમાં તરફ ફેલાયા. મુંબઈમાં પણ એક માસ બાદ આ કેમી ધર્ષણની શરૂઆત થઈ. એ વખતના વિગ્રહનું સાધારણ સ્વરૂપ એક કોમના માણસે બીજી કોમના લત્તામાં નીકળે તે ઉપર હુમલે કર, છરી ઘાંચી દેવી અને જાન લઈ લે-આ પ્રકારનું હતું. ત્યાર પછી પંજાબમાં તે આ વમનસ્ય દાવાનળ સ્વરૂપે પ્રગટી ઉઠયું અને હજારો માણસેના જાનમાલની ખુવારી થઈ અને લાખો માણસોને એક વિભાગમાંથી અન્ય વિભાગમાં હિજરત કરવાની ફરજ પડી. હજુ આટલેથી આ બાબતને છેડે આવ્યું નથી. હિંદી સંસ્થાન અને પાકીસ્તાનના સંબંધે દિનપ્રતિદિન બગડતા ચાલ્યા છે અને લડાઈના ઉંબરે આવીને જાણે કે આપણે ઉભા હોઈએ એવી ચિન્તાજનક પરિસ્થિતિ આજે બંને બાજુ એ વિકસી રહી છે. જે ખરેખર આ લડાઈ શરૂ થશે તે હજુ કેટકેટલી યાતનાઓ આપણ નસીબે લખાયેલી છે તેની કોઈ કલ્પના આવતી નથી. આજથી બરાબર બાર મહીના પહેલાં ૧૯૪૭ના જાન્યુઆરી માસની ૧૦મી તારીખે કેટલાક સમયથી મુંબઈમાં ચાલી રહેલ કોમી હુતાશમાં આપણું ચિરસ્મરણીય બંધુ શ્રી. વ્રજલાલ ધરમચંદ મેધાણી હોમાયા હતા. અને આ રીતે માનવતાના એક સાચા મિત્રને વકરેલી માનવતાએ ભેગુ લીધું હતું. એ કરૂણ ઘટનાને કેન્દ્ર રાખીને ભાઈ શાન્તિલાલ રાયચંદ શાહે એક નાની સરખી નાટિકા લખી હતી અને ગયા ઓગસ્ટ માસની ૧૫મી તારીખના ઉત્સવસમારંભના અનુસંધાનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાથીઓએ ડે. ભૂલચંદજીના પ્રમુખપણા નીચે બહુ સુંદર રીતે ભજવી બતાવી હતી. સાત દ્રલાલ મેધાણીનો કોઈ એક મુસલમાન ગુંડાના હાથે જાન ગયે એ એક હકીકત સિવાય પ્રસ્તુત નાટક માંની બીજી બધી વિગતે કાલ્પનિક છે. દાખલા તરીકે આ નાટિકામાં છે. મુકેશના પિતા છે.' મુકેશને દવાખાના ઉપર જતા અટકાવે છે જયારે ડે. મેઘાણીના પિતા તે કેટલાંક વર્ષો પહેલાં વિદેડ થયા છે. આ નાટિકામાં છે. મુકેશ ડાકટરી ધ ધ કરતા જણાય છે જયારે ડે. મેધાણ પહેલાં તે “પ્રેકટીલ' કરતા હતા પણ છેલ્લાં કેટલાંક વર્ષથી બેબે મ્યુનીસીપાલીટીના એક હેલ્થ ઈન્સ્પેકટર તરીકે નોકરી કરે છે હતા. આમ છતાં પણ ડે. મુકેશનું આલેખન બીજી બધી રીતે ડે. મેઘાણીના વ્યકિતત્વને એટલું બધું મળતું છે કે આ નાટિકા વાંચતા આ પણે જે જોવા હતા તેવા જ આકારમાં ડે. મેધાણી અને તેમના ઉપર થયેલ છવલે શુ હુમલાની ઘટના આપણી આંખ સામે તાદશ સ્વરૂપે તર્યા કરે છે અને આ નાટકનું ધ્રુવપદ “આખી એ સબ કયું? કયું? કીસ લીએ ?” આપણું મગજમાં પણ ઘુમવા માંડે છે અને અનુત્તર વિસર્જિત થાય છે. આ સફળ કૃતિ નિર્માણ કરવા માટે ભાઈ શાંતિલાલને ધન્યવાદ ઘટે છે. પરમાનંદ ઉોકી યાદમેં જીહાને અપને ખનસે હિન્દુસ્તાન કે બાગ કો સીંચા! આઝાદીની ઉષા પ્રગટી છે. ગુલામીનો અંધકાર દૂર થયો છે. ત્યારે જે સેંકડો નામી-અનામી શહીદાએ, કશીએ અપેક્ષા સિવાય, પિતાનું સર્વસ્વ રાષ્ટ્રને ચરણે ધર્યું છે, જે બત્રીસલક્ષણાઓએ પોતાના દેહનો ભેગ આપી ચિર નિંદ્રામાં પિઢયા છે, શહીદ બન્યા છે-તે તમામ શહીદના આત્માને તે જ્યાં હોય ત્યાં અમારા લાખ લાખ વંદન હજો ! દેશમાં કેમી પરિસ્થિતિ સળગી રહી છે, માનવતા વકરી ઉઠી છે, ભાઈ ભાઇનાં ખુન માટે તલસી રહ્યાં છે–તેવા સમયે જીવનના સુંવાળા ખુણાના સ્પશને એક બાજુ મુકી, કુણી લાગણી ઓની દરકાર કર્યા વિના, કોમી હુતાશનમાં હુતાત્મા બનનાર એક આદર્શવાદી સેવાભાવી ડોકટરના જીવનની, માનવતાને શરમાવનારી, આ સત્યકથા છે. દેશમાં આજે જે ભયંકર ઝંઝાવાત ચાલી રહ્યો છે. માનવતાનો જે #ર ઉપહાસ થઈ રહ્યો છે, કેમી ભાવના આજે જે વેરઝેર રેડી રહી છે-અને જે સેંકડો નિર્દોષ સ્ત્રી પુરૂષે આજની આ અસહાય અને લાચાર પરિ. સ્થિતિનો ભોગ બની રહયાં છે. તેવી આપણી આજની રચાતી સંસ્કૃતિને આ કથા સાદર સમર્પણ ધરૂં છું. એ આદર્શવાદી જીવનનો ગંભીર કરૂણ અને ધન્ય પ્રસંગ આજની પરિસ્થિતિને વકરેલા ઘા ઉપર મલમ રૂપ બને એવી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે ! પ્રવેશ પહેલે ડેકટર:-(ટેબલ ઉપર હાથ પછાડી). ધેન ધેર બેય બી સ્થળ : ડે. મુકેશનું દવાખાનું. ચારપાંચ દર્દીઓ બેઠા છે. પરફેરેશન! (તે પછી આંતરડામાં ચાંદુ પડયું હશે !) આ કંપાઉન્ડર અંદર દવાઓ બનાવતા હોય છે. ડોકટર બહાર ગયા હોય છે. લોકોને મેં કેટલું સમજાવેલા કે ટાયફોઈડને કેસ છે અને ખાવાનું ડોકટર:-(બહારથી આવે છે) કંપા...ઉડર...મી..પરેરા. આપવાની ઉતાવળ કરશે નહિ, પણુ એ સમજે ત્યારે ને! ઠીક, કંપાઉંડર:-(અંદરથી આવતાં) ય...સ...સ...૨. મી. પરેરા હાં...તમે જરા ડો. દેશમુખની ચાર વાગ્યાની એપોઈન્ટડોકટર:-કેઇને કાંઈ ટેલીફન હતો ? મેન્ટ લઈ લેશો ? will yon? કંપાઉંડર-યસ સર, વાલકેશ્વરથી મી. નારણદાસને ટેલી કંપાઉડર -૧સ સર, (જાય છે) ફોન હતું, ટાયફેઈડવાળા કેઈસની હાલત ગંભીર છે અને આપને ડોકટર:-(દર્દીને) કેમ, ભાઈ, બેલે શું થયું છે તમને ? એકદમ જોવા માટે બોલાવ્યા છે. આપે દર્દીને ખોરાક આપવા ના કહી હતી, છતાં ય એ લે કે એ દુળભાત આપ્યા અને ત્યાર બાદ એક દદી:-સાહેબ, ચાર દિવસથી આ. જમણા પગે દર્દીની હાલત ગંભીર બની છે. ગુમડું થયું છે, બહુ જ પીડા થાય છે, જમીન પર પગ તે
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy