SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૪૮ પ્રબુદ્ધ જન આશીર્વાદરૂપ હતા. કોલંબિયા યુનિવર્સીટીના અધ્યાપક “બટ સાથે આ બાબત ચર્ચાવાને મને સુયોગ સાંપડયો હતો. મેં તેમને જણાવ્યું હતું કે હિંદુસ્તાનમાં કોઈ પણ માણસ અધ્યયન અને જ્ઞાનપાન માટે રોકફેલર કે એવી અન્ય કોઈ સંસ્થાને મદદ માટે અરજી કર્યા સિવાય એક ખુણેથી બીજે ખુણે ખાવાપીવાની કશી પણ અગવડ ભેગવ્યા સિવાય ફરી શકે છે. આખા દેશમાં જયાં ત્યાં સદાવતે ચાલતા હોય છે. જયાં જાઓ ત્યાં તમને ખાવાનું મળી રહે છે. અલબત્ત, તે પાછળ રહેલ શુભ હેતુ આજે નષ્ટ થયો છે અને એને ખૂબ દુરૂપયોગ થઈ રહ્યો છે પણ આ માટે આપણે જ જવાબદાર છીએ. આપણે આપણી જવાબદારી બેરો બર સમજતા જ નથી. હિંદુસ્તાન અતિથિધમ માટે એક વખત પંકાયેલ દેશ હતો. આજે છે એના એ જ આકારમાં નહિ પણ તેમાં જરૂરી સુધારા કરીને આ સંસ્થાઓ જીવંત રાખવી જોઈએ. ભૂતકાળમાં કાશીમાં તેમ જ અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓને જોઈને ખોરાક મત મળી રહે અને નિશ્ચિતપણે તેઓ અભ્યાસ કરી શકતા, જેમાંથી આજે કેટલાયે વિદ્વાને પાકયા છે, અને સમાજનાં મોટા ઘડવૈયાઓ નિર્માણ થયા છે. આ સંસ્થાનો આવે ઉજજવળ ભૂતકાળ ધ્યાનમાં લઈને એને મૂળમાંથી નાબૂદ કરવાનું સુચવવા માટે હું તૈયાર નથી. અલબત્ત, તેમાં સુધારાની અત્યંત આવશ્યકતા છે. હું આ સંસ્થાને બંધ કરવાને બદલે સુધારવાનું વધારે પસંદ કરું છું.. . - પ્રશ્નકાર શ્રી. દફતરી દફતરી : આપે એમ સુચવ્યું કે કોઈ પણ સંસ્થાનું બજેટ એને લગતી કોમની આગળ રજુ કરવું જોઈએ. હું એમ સુચવું છું કે આ બજેટ ચેરીટી કમિશનરની આગળ જ રજુ થવું જોઈએ અને તેણે તેને લગતા નિણ કરવા પહેલાં એ ચોકકસ કોમની કમીટીની સલાહ લેવી જોઈએ. આ એક ઉચિત મધ્યમમાગ મને લાગે છે. કા. ક. : ચેરીટીકમીશનર તે એક સત્તાધિકારી જ હશે. તેને લેકની સલાહ લેવાની જરૂર છુટ હશે, પણ એ સલાહ લેશે કે કેમ એ જ સવાલ છે. અધિકારીઓ સંબંધમાં હું ચોકકસ પ્રકારનો અવિશ્વાસ ધરાવું છું. આમ હોવાથી આ બાબતે હું કોમની હસ્તક જ રહે એમ હું ઈચ્છું છું. ચેરીટી કમિશનરના સ્થાને જુદી જુદી કમેનું પ્રતિનિધિત્વ ધરાવતું જે કોઈ ચુંટાયેલું મડળ હોય તો તે સામે મને વાંધો નથી, દફતરી. : સરકાર પોતે જ એક ચુંટાયેલી સંસ્થા નથી? કા. કા. : હા, એમ છે એટલે જ અમે એની અનેક વિચિ. - ત્રતાઓ સહન કરીએ છીએ. રાજસત્તા એક અનિવાર્ય અનિષ્ટ છે અને તેથી જ તેને નિભાવી લેવી પડે છે. સરકાર, લેકોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંરથા હોઈને સરકારની સત્તાને જરૂર જણાય ત્યાં ઉપયોગ કરવાનું હું જરૂર પસંદ કરું. પણ, જ્યાં જ્યાં મને ચાલી શકે ત્યાં ત્યાં સરકારને હું કોઈ પણ નવી સત્તા સહેલાઈથી ન આપું. આ મારો મધ્યમાર્ગી વિચાર છે. ઉપર જણાવેલ હતુ માટે સરકારને જે આપ ચુંટાયેલું મડળ નીમવાની ભલામણ કરશે તે એ મંડળ જાહેર જનતા માટે વધારે અનુકુળ થઈ એ પડશે અને જાહેર જનતાનો અભિપ્રાય પણ તે ઘણી સહેલાઈથી સમજી શકશે. અનુવાદક પરમાનંદ સર પુરૂષોત્તમદાસ ઠાકોરદાસે આપેલી જુબાની આ પ્રશ્નકાર : પ્રમુખ ટેન્ડલકર પ્ર. ટે: અમારી પ્રશ્નાવલિના ઉત્તરમાં આપ સૌથી પહેલી બાબત એ જાણો છો કે ટ્રસ્ટના વહીવટમાં ગોટાળો કરનારાઓને ઠેકાણે લાવવામાં બહુ ભારે ખર્ચ કરવો પડે છે, અને અમારી સમા પણ આવી જ ફરીઆદ સામાન્ય રીતે કરવામાં આવી છે. પુ. ઠા. : હા જી, આપની કમીટીમાંના ચીમનભાઈ પણ આ બાબતની સાક્ષી પુરશે. પ્ર. ટે: ઈગ્લાંડમાં, આપ જાણતા હશે કે, ચેરીટી કમીશનર નીમવામાં આવે છે. આ ચેરીટી કમીશનર સમક્ષ જે કોઈ ફરીઆદો રજુ કરવામાં આવે છે તેની વિનાવિલ બે તપાસ કરવાની તેમને સત્તા હોય છે. તેઓ પિતે જ તપાસ ચલાવે છે અને તેમની સમક્ષ રજુ કરવામાં આવેલી ફરીયાદે વજુદવાળી છે કે નહિ તે બાબતમાં તેઓ નિર્ણય કરે છે. આમાં ખર્ચાને કશો સવાલ આડે આવતો નથી. આવું જ કાર્ય કરવા માટે હિંદુસ્તાનમાં અને ખાસ કરીને આપણા પ્રાન્તમાં આવી કોઈ સંરથા ઉભી કરવાની અમારી સમક્ષ દરખાસ્ત આવી છે. આપ આ વિચારના પક્ષમાં છે ? પુ. ઠા. : આ યોજનાની બધી વિગતે હું જાણતા નથી. પણ હું જે કાંઈ જાણું છું તે ઉપરથી મને લાગે છે કે આ બહુ જ ઈચ્છવા યોગ્ય છે. હું આશા રાખું છું કે આવી સંસ્થા સરકાર પુરી તટરથ વૃત્તિથી ઉભી કરશે અને એ સંસ્થાના સભ્ય કાયદા અને ન્યાયના ધોરણે વ્યાજબી નિર્ણય લઈ શકે એવી તાકાતવાળા-ડીસ્ટ્રીકટ જજના મોભાવાળા-હશે. પ્ર. .. ? બીજી એક ફરિયાદ સામાન્યપણે કરવામાં આવે છે કે ટ્રસ્ટીઓ પોતાની હરતકનાં નાણુને દુરૂપયોગ કરે છે. લેવડદેવડ થઈ શકે એવી સીકયોરીટીઓમાં અથવા તે ગવર્મેન્ટ પ્રોમીસરી નોટોમાં ટ્રસ્ટના ફંડે રોકાયેલા હોય છે. આ રોકાણ ટ્રસ્ટીઓના નામ પર હોય છે અને ટ્રસ્ટીઓ આ રોકાણની પિતાને ઠીક પડે તેમ વર્ષો સુધી હેરફેર કર્યા કરે છે, અને સરવાળે ટ્રસ્ટને કોઈ પણ પ્રકારને ફાયદો થતો નથી. આ દુરૂપયોગ અટકાવવા માટે અમારી સમક્ષ એક એવી સૂચના કરવામાં આવી છે કે રીઝર્વ બેંકને અથવા તે અમે સુચવીએ છીએ એવા ચેરીટી કમીશનરોને આ બધી સીકયેરીટીઓ સ્ટેમ્પ કરવાની સત્તા હોવી જોઈએ અને ચેરીટી કમિશનરની પરવનાગી સિવાય આ સીક્યોરીટીએ વેચી શકાય નહીં આવે પ્રબંધ થવું જોઈએ. પુ. ઠા. : આ તમારી સુચના મને કબુલ છે, પણ મને ભય રહે છે કે સ્ટેમ્પ લગાડ અને લઈ લે આ બધું કદાચ બહુ ખર્ચાળ બનશે. જો આમ કરવામાં નામનો જ ખર્ચ થવાને હોય તો તમારી સૂચના સ્વિકારવામાં મને કશો વાંધો નથી. પ્ર .: હું ધારું છું કે આપ રીઝર્વ બેંકના ડીરેકટર છે. રીઝર્વ બેંક આવું કામ હાથ ધરે કે નહિ એ એક પ્રશ્ન છે. પુ. ઠા. : રીઝર્વ બેંકનું ભાવી શું છે એની મને ખબર નિથી, પણ મને લાગે છે કે તમારી સુચના વિચારવા જેવી છે. એમ કરવામાં રીઝર્વ બેંકને કશે ખર્ચ નહિ થાય અને આજે ચાલી રહેલા ઘણું ગોટાળા એમ કરવાથી અટકી જશે. પ્ર. ટે.. આ જ રીતે અમે મિલ્કતને દુરૂપયોગ અટકાવવા માટે એ કાયદો કરવા ઈચ્છીએ છીએ કે ધાર્મિક તથા લોકોને પયોગી કાર્યો માટે ટ્રસ્ટીઓએ ખરીદેલી મિલકતની રજીસ્ટ્રેશન એકટ નીચે રાખવામાં આવતા રજીસ્ટરમાં નેધ હોવી જોઈએ. આમ કરવાથી સ્ત્રીઓને અંધારામાં રાખીને ટ્રસ્ટની મિલકતના કરવામાં આવતાં વેચાણ અટકાવી શકાશે. પુ. ઠા. : આમ કરવામાં પણ નામનો જ ખર્ચ લાગ જોઈએ એ શરતે આપની સૂચના હું સ્વિકારું છું. ધાર્મિક કે લોકાયોગી ટ્રસ્ટે ઉપર નાનો સરખો પણ કરભાર લાગુ પાડવો ન જોઈએ એ મારો અભિપ્રાય છે. પ્ર. 2.: આપ જાણો છો કે બોમ્બે પબ્લીક ટ્રસ્ટ રજીસ્ટ્રે શન એકટ નીચે બધા ટ્રસ્ટ પાસેથી બહુ જ છેડે કર લેવામાં આવે છે. દરેક ટ્રસ્ટને પિતાની આવકમાંથી અમુક રકમ આપવાની હોય છે. ' રીઝર્વ બેંકઆરી સુચની વિગતે આજે
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy