SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ તા. ૧૫-૬-૪૮ છ. ટે.: એ કાયદે આપની સુચના મુજબ સુધારી શકાય એમ છે કે નહિ તે આપણે વિચારીશું. ૫. ટે. હવે એક બીજી બાબત વિચારીએ, હિંદુસ્તાનમાં કેટલાક લોકે પિતાના વીલમાં “ધર્માદા’ ‘પુણ્યદાન”, “સારા કામ માટે એ શબ્દથી નાની મોટી ચેરીટીઓ જાહેર કરે છે. કમનસીબે બન્યું છે એમ કે કાયદાની અદાલતોએ આવી ચેરીટીઓને અર્થે વિનાની જાહેર કરેલ છે, કારણ કે ચેરીટીના લક્ષણમાં આવા દાનનો સમાવેશ થતો નથી. આપણે જેને ચેરીટી માનીએ છીએ એમાં બધાં દાનનો સમાવેશ થાય એ પ્રમાણે ચેરીટીનું લક્ષણ બદલાવું જોઈએ એ કેટલાકને અભિપ્રાય છે. આપ આ સંબંધમાં શું. ધારો છો? કા. કા. : ચેરીટીને લગતા આપણા ખ્યાલમાં અંગ્રેજી કાયદાઓએ માથું મારવાના પરિણામે આવી વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઈ છે એમ મને લાગે છે. પ્ર. ટે: હા, જી. કા. કા.: અંગ્રેજી રાજ્યના અમલના અંત સાથે એ લોકોએ આપણી ઉપર લાદેલા ચેરીટીના ખ્યાલને પણ અંત આવો જોઈએ. પ્ર. ટે.. અને આપણે ચેરીટીના અર્થને આપણી ઈચ્છા મુજબ વ્યાપક બનાવ જોઈએ એમ આપ કહો છો ને ? કા. કા. : હા, જી. એ એક કમનસીબ વિષમતા છે કે કેટલાક અંગ્રેજી ખ્યાલોએ આપણ ખ્યાલ ઉપર વર્ચસ્વ જમાવ્યું છે. પ્ર. ટે.: આપ કહો છો તે બરાબર છે. એ જ દાવા હેઠળ આજે કેટલીયે ચેરીટીઓને અમલ જ થઈ શક્યું નથી. કા. કા. : મને લાગે છે કે ધર્મ શું કહેવાય તે વિષે આપણે આપણા દેશમાં વધારે સારી સમજુતી ધરાવીએ છીએ. ધર્મ નિમિત્તનું ધન તે ચેરીટી જ છે એમ દરેક હિંદુ કહેશે. આવી હોય તે પણ ઇસ્પીતાલે તે સૌ કોઈના માટે ખુલ્લો મુકાયા જોઈએ. કા. કા. : એ વિચાર સાથે હું સર્વથા સંમત છું. હું તે એટલે સુધી કહું કે વૈધકીય રાહત અમુક એક કેમ પુરતી મર્યાદિત રાખવામાં આવે તે એક ગુનાહિત કાર્ય ગણાવું જોઇએ. પ્ર. 2.: આપ એટલે સુધી જુઓ છે ? કા. કા. હા, જી. પ્ર. 2.: તે પછી ધર્મશાળાઓને પ્રશ્ન આપણે વિચારવાને છે એ પ્રમાણમાં વધારે હળવે છે. ઘણુંખરૂં આ ધર્મશાળાઓ તીર્થસ્થાનમાં હોય છે. આમાંની ઘણી ધર્મશાળાઓ અમુક જ્ઞાતિ કે પેટાજ્ઞાતિના ઉપયોગ માટે અંકિત હોય છે. ગયે વર્ષ જ્યારે હું રામેશ્વર ગયેલ ત્યારે કેટલીક ધર્મશાળાઓ, ખીચખીચ ભરેલી હતી, જ્યારે બીજી કેટલીકમાં પુષ્કળ ખાલી જગ્યા હતી, છતાં તેમાં કોઈને દાખલ થવા દેવામાં આવતાં નહોતા, કારણ કે તે ધર્મશાળાઓ ચેકકસ કામ માટે અંકિત કરવામાં આવેલ હતી. આ ધર્મશાળાઓ બધાય હિંદુઓ માટે ખુલ્લી મુકાવી જોઈએ કે કેમ ? કા. કા. : આ કાય કાયદાથી થવું જોઈએ એમ હું એકાએક નહિ, કહું પણ આ દિશાએ જાહેર મત કેળવાવો જોઈએ. અને હું એમ પણ કહેવા માગું છું કે બધી કામ માટે ધર્મશાળાઓ ખુલ્લી મૂકીએ તે પહેલાં ખાનપાનને લગતા લેકોના પુર્વગ્રહ પુરેપુરા ધ્યાનમાં લેવાવા જોઈએ. ' પ્ર. 2.: એ બાબતમાં તે નિયમ થઈ શકે છે. આપણે એમ પણ નિયમ કરી શકીએ છીએ કે જે કઈ માણસ જે ધર્મશાળામાં જાય એણે તે જ ધર્મશાળના નિયમો પાળવા જોઇશે. તે નિરામિષાહારી માટે હોય તે ત્યાં તેણે માંસાહાર કરવો ન જોઈએ, આવો નિયમ થઈ શકે છે. કા. કાઆ સિવાય બીજો કોઈ ભેદભાવ હોવો ન જોઇએ. અને જે બીજો કોઇ ભેદભાવ હોય તો આપણે તે કાયદાથી દૂર કરવો જોઈએ. અને ધર્મશાળાઓ સૌ કોઈને માટે ખુલ્લી કરવી જોઈએ. એ ધર્મશાળાઓને લાભ લેતા લોકે, આસપાસ રહેતા લોકોને પ્રતિકુળ કે વાંધા પડતી રીતે ન વત” એટલી આ બાબતમાં સંભાળ લેવી જોઈએ. ઇસ્પીતાલ કે ધર્મશાળાઓને આ વધારે વ્યાપક ઉપયોગ હિંદુઓ પુરતો જ રહેશે એવી આપની દરખાસ્ત છે એમ હું સમજું છું. - ૫. ટે. : હા, જી. હાલ તુરત તો એમ જ છે. અમારી પાસે એક બે એવા સાક્ષીઓ પણ આવી ગયા છે કે જેઓ મુસલમાન, પારસી સૌ કોઈને આ લાભ મળે એમ કહે છે. આ કદાચ અંતિમ દયેય હોઈ શકે, પણ સમગ્ર હિંદુ જાતિ માટે પણ જે આ સંસ્થાઓ ખુલી જાહેર કરી શકાય તે આપણે એક અગત્યનું આગળ પડતું પગલું ભર્યુ” કહેવાશે. કે. કા. હા, છે. મારા પિતાને અભિપ્રાય આ મુજબ છે. ધર્મશાળાઓ સૌ કોઈને માટે ખુલ્લી મુકાવી જોઈએ. પણ આ બાબત લોકો ઉપર બળજબરીથી ઠેકી બેસાડવી ન જોઈએ. હિંદુઓ માટે ખુલ્લી મુકાય ત્યાં સુધી હું રાહ જોવાને તૈયાર છું. જો કોઈ ધર્મશાળા હરિજનને બહિષ્કાર કરે તો તે બંધ કરવી જોઈએ. પ. ટે.? એ બાબતમાં હું આપની સાથે સહમત છું. જે કઈ પણ ઠેકાણે હરિજનને બહિષ્કાર કરવામાં આવશે તે હમણાં જ મુંબઈમાં પસાર કરવામાં આવેલ ધારા મુજબ તે ધર્મશાળાના સંચાલકને શિક્ષા કરવામાં આવશે. કા. કા.: પણ, ઉંચાવણુને હિંદુઓ માટેની ધર્મશાળાઓમાં આજે પણ હરિજનોને દાખલ થતા અટકાવી શકાય છે. ૫. ટે.: મુંબઈમાં સારસ્વત કેમ લગભગ અરધો ડઝન . મંદિરોનો વંશપરંપરાથી વહીવટ ચલાવે છે અને એમાં ભુલેશ્વરનું મંદિર પણ આવી જાય છે. આ બાબત તમે જાણે છે કે નહિ તેની મને ખબર નથી. આ દેવસ્થાનના ટ્રસ્ટીઓએ લાખ રૂપી ખા એકઠા કર્યા છે અને ટ્રસ્ટ સીક્યોરીટીઓમાં રોકાયા છે. અને તેઓ દેવદ્રવ્યની માફક જ સમજે છે અને બીજા કેઈ હેતુ માટે તેનો ઉપયોગ થઈ શકે એમ તેઓ માને છે. પરિણાબ એ આવ્યું છે કે આ નાણાંઓ કશાં પણ કામમાં આવતાં નથી. કા. ક. : સિવાય કે એ મંદિરોમાં ઢગલાબંધ નાણું તથા કીંમતી આભુષણો છે એમ કે લૂંટારાઓની ટોળીને ખબર પડે અને તેઓ લૂંટ ચલાવે અને મંદિરો એટલા લક્ષ્મીબારથી હળવાં કરે. ગોવામાં આવા લૂટારાઓ એક મંદિરમાંની મૂર્તિનું જ અ૫હરણ કરી ગયા હતા, કારણ કે તે સેનાની બનાવેલી હતી. પ્ર. 2.: આ માલમત્તા લૂંટી લેવા માટે લૂંટારાની ટળી સરકાર ઉભી કરે એવી તે આપ સલાહ નથી આપતા ને ? કે. કા. : તેથી જ આ પૈમાને સમાજને માટે ઉપયોગ થાય એ વધારે ઈચ્છવા ગ્ય છે. ૫. ટે.: આ દરદાગીના અને માલમિલકતનાં રેકડાં નાણાં કરવામાં આવે અને સમાજના લાભ માટે વપરાય એમ આપ ઇચ્છે છે ને ? .. કો. કા. : હા, જી. પ્રશ્નકાર: શ્રી શાંતિલાલ હ. શાહ શાંતિલાલઃ કેટલાક માણસાઓએ એ અભિપ્રાય રજુ કર્યો છે કે ધાર્મિક તથા સામાજિક ટ્રસ્ટના વહીવટમાં સરકારે માથું મારવું ન જોઈએ. આ સંબંધમાં મારો ખ્યાલ એ છે કે જુના હિદુ કાયદા કે શાસ્ત્રોએ આવી બાબતે સંબંધમાં વ્યવસ્થા
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy