SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અણુશ જેત તા. ૧૫-૬-૪૮ સુધી જ ખર્ચી શકશે અને એથી વધારે એક પાઈ પણ તમને નહિ મળે. કાકા માં ઉપરથી તે એમ લાગે છે કે ટ્રસ્ટીઓના હક ઘણું મોટા પ્રમાણમાં ટુંકાવવામાં આળ્યા છે, પ્ર. ટે. : હા. એમ જ છે. કા. કા. : અને આવું નિયંત્રણ મુકવાની સત્તા, હું આશા રાખું છું કે, સમાજને વિશ્વાસ ઘરાવતા માણસેના હાથમાં મૂકવામાં આવી હશે. પ્ર. 2. : "હું માનું છું ત્યાં સુધી આ અધિકારીઓની નીમણુંક પ્રજાકીય સરકાર કરે છે. એ અર્થમાં આપ કહી શકે છે કે તેઓ લે કોને વિશ્વાસ ધરાવે છે. કા. કા. : હું એમ આગ્રહ કરું કે જે કામનું મંદિર હોય એ કેમને તેમણે વિશ્વાસ ધરાવો જોઈએ. પ્ર. ટે. : હા, સમજ. જો હિંદુ મંદિર હોય તે હિંદુ ' કમીશનર હોવો જોઈએ એમ આપ કહેવા માંગે છે ને ? કા. કા. : એમ ખાસ નહિ. નિયામક અધિકારી ગમે તે કેમને હેય પણ જે કોમનું મંદિર હોય છે કે મને, એ અધિકારી અથવા તે એ અધિકારી મંડળ, વિશ્વાસ ધરાવતા હોવા જોઇએ. 5. ટે. તમારે સુદો હું સમજી શકું છું. પણ એ સિવાય મંદિરના વધારાના નાણું ઐહિક કાર્યો પાછળ ખર્ચાય એ સામે તમને કોઈ વાંધે તે નથી ને ? કા. ઠા.: હા, એ તે બરાબર છે, પણ મારે મન ધાર્મિક અને સામાજિક કાર્યો વચ્ચે કોઈ તફાવત નથી. હું એ કઈ ભેદ સ્વીકારતા નથી. પ્ર. ટે: તે એક પગલું આગળ છે અને એક અર્થમાં તે બરોબર છે, પણ ધાર્મિક શબ્દ ખાસ કરીને એને માટે વાપરીએ છીએ કે જેને લાભ આપણને પરલેકમાં મળવાનો હોય. કા. કા.: કોઈ પણ માણસને મૃત્યુ બાદ આ લેક સિવાય બીજો કોઈ પુરક રહેતા નથી. ૫. ટે. . જયારે હું ઐહિક અથવા તે સામાજિક શબ્દ વાપરું છું ત્યારે હું કાંઈક એવું મૂર્ત કાર્ય સુચવવા માંગું છું કે જેનું પરિણુમ હું અને આપ નજરે જોઈ શકીએ. જયારે આપણે કોઈ કાર્યને ધાર્મિક તરીકે વર્ણવીએ છીએ ત્યારે તેનું પરિણામ હવે પછીની દુનિયામાં અનુભવવાનું હોય એવી આપણને ક૯પના હોય છે. સમાજને ચોકકસપણે ફાયદાકારક હોય તેને આપણે સામજિક અથવા તે અહિક તરીકે ઓળખીએ છીએ. કા. કા : અપંગ કે નબળી ગાયને બચાવવા માટે જે પૈસા ખર્ચવામાં આવે તે ધાર્મિક કહેવાય કે સામાજિક યા તો અહિક કહેવાય? પ્ર. 2. : ગાય એક પ્રાણી છે તે જોતાં તેને લગતું કાર્ય ધાર્મિક હોવા ઉપરાંત સામાજિક યા તે અહિક લેખી શકાય. હિંદુધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવી છે. તેથી એ કાર્ય ધાર્મિક પણું ગણાય. કા. ક. : તે પછી હિંદુધર્મના દ્રષ્ટિબિંદુથી આ કાર્યને આપણે ધાર્મિક લેખવું જોઈએ. ૫. ટે. : હિંદુધર્મ મુજબ તે એમ જ ગણાશે. કા. કા. તેથી જ હું એમ કહું છું કે હિંદુઓના દ્રષ્ટિ. બિંદુથી કયું સામાજિક અથવા તે ઐહિક અને કયું ધાર્મિક, એટલે કે પારલૌકિક એ નકેકી કરવું સહેલું નથી. તેથી હું કહું છું કે વધારાના નાણાંને ઉપયોગ કોઈ પણ પરોપકારી ઉપયોગી કાર્યમાં કરો અને તે ધાર્મિક જ છે. ૫. ટે. : જે કાર્યને વનસ્પતિ કે પશુવર્ગના કલ્યાણ સાથે સંબંધ હોય તેને ધામિંક કહેવું કે ઐહિક કહેવું એ ઘણું મુશ્કેલ છે એ હું કબુલ કરું છું. આપણે તે મંદિરને લગતાં ટ્રસ્ટને વિચાર કરવાનું છે, અને ઘણાં ટ્રસ્ટ આ નિમિત્તનાં જ હોય છે. આ સંબંધમાં આપણે એમ કરી શકીએ કે સ્થિતિચુસ્તની માન્યતા મુજબ જેને ધાર્મિક લેખવામાં આવે છે તેથી ઈતર બાબતે જેવી કે વૈદ્યકીય રાહત, શિક્ષણપ્રચાર અને એવી બીજી બાબતે માટે મંદિરનાં વધારાનાં નાણાંને ઉપયોગ થ જોઇએ. કા. કા,ઃ હા, એ મને મંજુર છે. પ્ર. 2.: આના અનુસંધાનમાં હું ધારું છુ કે આપે જૈન સાહિત્ય સારા પ્રમાણમાં વાંચ્યું છે. કા, કઃ મેં બહુ વાંચ્યું છે એમ તે હું નહિ કહી શકું. પ્ર. ટે: દેવદ્રવ્ય સંબંધમાં જૈન માન્યતા શું છે તે આપ કહી શકશો? દેવદ્રવ્યને બીજા કોઈ કાર્યમાં ઉપયોગ થઈ ન શકે એવી જે માન્યતા જૈનોમાં પ્રચલિત છે. તેની પાછળ કાંઈ સત્ય છે ખરું? કા. કા. ? જૈન ધર્મને જે રીતે જાણું છું તે રીતે વિચારતા બૌદ્ધોની માફક જ ઇશ્વરમાં માનતા નથી, પણ જેને આત્મામાં માને છે અને જનોના તીર્થંકરે કે જેમને તેઓ પૂજે છે તેઓ તેમની કલ્પના મુજબ પૂર્ણ આત્માઓ છે. આ તીર્થકરો વિનરાગ અને સંપૂર્ણ ત્યાગી હતા એમ માનવામાં આવે છે. તેથી તેમની સાથે કોઈ પણ પ્રકારની દ્રવ્યની માલીકી જોડી શકાય નહિ. લાખો રૂપીઆ કે કીમતી દાગીનાના તેમને માલીક બનાવવા કે લેખવા તે યંગ્ય નથી. આ બાબત હું આ રીતે સમજુ છું. પ્ર. 2.: અમારી સમક્ષ એક બે બહુ મહત્વના પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એ બાબતમાં આપને અભિપ્રાય અમે જાણવા ઇચ્છીએ છીએ. એક તો આ મુજબ છે. અમોને એમ સુચવવામાં આવ્યું છે કે હિંદુઓની અમુક જ્ઞાતિ કે પેટાજ્ઞાતિના ભલા માટે ઉભું કરવામાં આવેલ ટ્રસ્ટને બધા હિંદુઓને લાભ મળવો જોઈએ. આપનો આ બાબતમાં શું અભિપ્રાય છે ? કા. કા.: મારે પિતાનો અભિપ્રાય એમ છે કે કોઈ પણ ચેરીટી અથવા તે દાનનું મુખ્ય લક્ષણ એ હોવું જોઈએ કે જેમને કાયદાના ધોરણે મદદ કે રક્ષાણને હકક મળી શકે એમ ન હોય તેમના રક્ષણ અને લાભની દિશાએ એ ચેરીટી અથવા દાનને પ્રવાહ વહેવો જોઈએ. દાખલા તરીકે, જે હું મારા ભાઈ કે ભાંડુને કાંઈ આપું તો એ ચેરીટી ન કહેવાય. એ જ રીતે પિતાની કોમના ભલા માટે કાઢવામાં આવેલી કોઈ પણ રકમને હું ચેરીટીનાં ખરા લક્ષણથી વંચિત ગણું. તેથી કેટલાક શાસ્ત્રોના ઉલ્લેખ મુજબ ચેરીટીની આવકના એક છામાં ઓછા નીશ ટકા સગાવાલાથી ઈતર લોકોનાં ભલા માટે ખર્ચાવા જોઈએ. હું તો ઘણું યે ઇચ્છું કે આપણે એવી રીતે જાહેરમત કેળવીએ કે જેથી ધાર્મિક કે સામાજિક કાઈ પણ ચેરીટીની આવકના ઓછામાં ઓછા વીશ ટકા પ્રસ્તુત સમાજથી અન્ય સમાજના ભલા માટે અથવા તો જે સમાજ આર્થિક શૈક્ષણિક, અથવા તો નતિક દરજજામાં વધારે કમનસીબ હોય એ કેમના ભલા માટે ખરચાય એ કાયદે લ સ્વીકારે. પ્ર. 2.: આ આપે એક નવી જ વાત કરી. તે બાબતમાં તાજેતરમાં મુંબઈમાં એક નવો મુદ્દો ધ્યાન ખેંચી રહેલ છે. આપણે ત્યાં અમુક જ કેમ અથવા તે પેટા જ્ઞાતિના ઉપયોગ માટે મર્યાદિત હોય એવા ઈસ્પીતાલો છે. અમારી કમીટી સમક્ષ એવી સુચના રજુ કરવામાં આવી છે કે બીજી ચેરીટીઓ સંબંધમાં ગમે તેમ કરે પણ ઈપીતાના મૂળ ટ્રસ્ટમાં ગમે તે મર્યાદા મુકવામાં
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy