SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬ ૪૮ શુદ્ધ જૈન મૃત્યુબિછાનાથી માંડીને (ગતાંકથી ચાલુ) સ્મશાનમાં લઈ જવા માટે હિન્દુ ઠાઠડી ગરીબ પ્રજાને પાલવે એવી કરકસરભરી રીત છે. પણ દુર લઇ જવાનું હોય, ઉંચકનારા ન હોય, અથવા બીજું કાંઇ કારણુ હાય । શાને વાહનમાં નાંખીને લઇ જવામાં કો સકાચ માનવા જેવું નથી. વાહનમાં લઇ જાઓ તેા ઠાઠડી બાંધવાનીયે જરૂર નથી. શાને ચંદન અને ફૂલ ચડાવવાં, સારા વચ્ચેથી શણુગારવું, ચંદનના લાકડામાં ઘી સાથે ખાળવું વગેરે બાબતા ધન અને મિથ્યાભિમાનની છે, સદ્ગતિ-દુર્ગતિની નથી. મારા જેવી સ્થિતિના માણસને એક ધોતિયાબેર, સાદી ચાદર ઓઢાડી, ખેર–આવળની ચિતામાં, જરૂર પડયે ઘાસતેલની મદદથી ખાળવામાં નાનપ માનવાની જરૂર નથી. આગ કાણુ મુકે અને પગ પર, મેઢા પર કે માથા પર મુકે વગેરે બાબતા મને જરાયે મહત્ત્વની લાગતી નથી. જેમ સાકર જ્યાંથી ચાખીએ ત્યાંથી ગળી લાગે, તેમ આગ જેનાથી તથા જયાંથી લાગે તેનાથી અને ત્યાંથી ખાળે. માટે જેમાં પસંદગી નાપસ'દગીના પ્રશ્ન ન હેાવા જોઇએ. ડાધુઓમાંથી જે વડીલ હોય તે જેમ સૂચના કરે તેમ વર્તવું, અને તે વિષે કાંઇ શંકા—કુશ ંકા કરવી નહી એ ડહાપણ છે. એવી જ રીતે શબ પગ આગળથી બહાર કાઢવું કે માથા આગળથી, વિસામાની જગ્યાએ શું કરવું વગેરે બાબતે પણ સમજુ માણસાએ ચર્ચાના વિષય બનાવવા જેવી નથી. એની સાથે શુકન અપશુકન જોડવાં એ વહેમીપણાનું લક્ષણ છે. પણ ખાળવા–દાટવા માટે નજીકમાં નજીક આવેલા સ્મશાન—કબ્ર સ્તાનનો જ ઉપયોગ કરવા ઘટે. કાઇ ખાસ જગ્યા શોધવાની જરૂર ની, અને હું આજે છુ તે કરતાં ધણા વધારે મોટા માણસ થઈને મારૂ, તાયે તેમાં ફેરફાર કરવા યોગ્ય નથી. તે જગ્યા પર સમાધિ । અર બાંધવી, અને તે પર ફૂલ ચડાવતાં ત્યાં જઇ પ્રાથના નમાજ કરવાં વગેરે મને ભૂતપૂજાના પ્રકાર લાગે છે, પાળેલા પોપટ પાંજરામાંથી છટકી ગયા પછી તેનાં ખાલી પડેલા પાંજરાને ખાળી કે દાઢી. દુએ, અને પછી તેના ઉપર ચબુતરે બાંધી રાજ ફૂલ ચડાવીએ અને પાપટને નામે પ્રાથના કરીએ કે આંસુ સારીએ, તેના જેવા પ્રાણુ ગયા પછી શબને બાળવા—દાટવાની જગ્યાના મહિમા વધારવાના માહુ છે. પણ માહ એટલા ઊંડા છે કે મહાજ્ઞાનીઓને પણ તેને સંસ્કાર છૂટી શકતા નથી. તે જગ્યા તીનું સ્થાન ખની જાય છે. કયારેક તે સમાધિ કે કબર રસ્તાની વચ્ચે આવી પડે અને ખસેડવાની જરૂર ઉભી થાય તા લાહીની નદી વહે એવી તેના પરથી લડાઈ ઉભી થાય છે. મૂઢપણે ભાવનાની ખીલવણીનાં અંતિમ પરિણામ કેવા આવી શકે છે તે આ દેખાડે છે, મનુષ્ય સિવાય ખીજા કાઈ પ્રાણીમાં આવું કરવા જેટલા બુદ્ધિના ગહન વિકાસ થયા નથી ! સાચે જ મનુષ્ય બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ટ છે, કારણ કે તેને બુધ્ધિ મળેલી છે ! ખેર. હું મરી જાઉં ત્યાં કે મને ખાળવા—દાટવામાં આવે ત્યાં કશું યે ચિહ્ન રાખવું નહીં. એ જગ્યા બીજા મરનાર માટે કે કાઈ ખેતરમાં બળ્યો દાટયા હાય તો ખેતીને માટે ઉપયાગમાં લેવી. જે ધર કે ઓરડામાં માઁ હાઉ તેને પાછળથી બીજાએએ અવશ્ય વપરાશમાં લેવા. ચિતાની જગ્યાએ કે ઘરના કાઈ ભાગમાં હું ભૂત થઈને રહેવાના નથી, એટલે કાઇ સ્થાનને ભૂતધર બના વીને નિરૂપયેાગી કરવાની જરૂર નથી. આપણા વંશપર પરાગત મકાનમાં અનેક પૂર્વજો અને સગાં મરી ગયા હોય છે. તેમની ૨૦૧ વાપરેલી જગ્યાને આપણે ઉપયોગ છેડી દેતા નથી, એ જ રીત બરાબર છે. ખાળવાની જગ્યા સા કરી નાખવાની દ્રષ્ટિએ ફૂલ વીણી લેવાની રીત સારી છે. પાણીથી ચિતા હોલવવાની અનુકૂળતા હાયતા તે જ વખતે તેમ કરી શકાય; નહીં તે। ઠરી જાય ત્યારે તેમ કરવાનું રહે, એ સગવડના સવાલ છે. જે રીતે નજીકમાં નજીક થઈ શકતા હોય તે રીતે ફૂલના નિકાલ કરવો. કાઇ ઝાડમાં તેના ખાતર તરીકે ઉપયોગ કરી શકાતા હોય તે કરવા, નહી તે નજીકમાં જે કાઇ વહેતી નદી હોય તેમાં નાંખવાં. પ્રયાગ, હરદ્વાર કે સમુદ્ર સુધી પહોંચાડવાની જરૂર નથી. મારા કુટુંબમાં સાદડીના, રાવા-કુટવાના કે ગરૂડ પુરાણુ બેસાડવાના રિવાજ નથી. તેથી કુટુંબમાં તેવા પ્રશ્ન મારે માટે ઉડવાના સ ́ભવ નથી. પણ જે સંસ્થાએ સાથે મારે સંબંધ છે, ત્યાં તેની સુધરેલી આવૃત્તિ દાખલ થવાનો સંભવ ખરે, એટલે કે, શમા, ખારમા વગેરે દિવસોને કે મરણની તિથિ કે તારીખને મહત્ત્વ આપી તે દિવસે કાંતણ, ગીતાપાઠ વગેરે યેાજવાની સૂચનાઓ કરવામાં આવે એમ ખને. કાંતણુ અને ગીતાપાઠને બહાને પણ તિથિઓને આવુ કૃત્રિમ મહત્ત્વ આપવું અથવા તિધિઓને બહાને કાંતણુ અને ગીતાપાઠના પ્રચાર કરવા એ બન્ને રીતે મને ઇષ્ટ લાગતી નથી. અને એક પછી એક મારા જેવા અનેક કાય કર્તા મરશે. કેટલાકની તિથિએ પળાશે ? અને માટે આમ કર્યુ તે તે માટે કેમ નહીં એવી ઇર્ષ્યા પણ એમાંથી દરેકના ખાસ ચાહનારાઓના દિલમાં ઉત્પન્ન થાય. જ્યારે કોઇ રિવાજ આવું સ્વરૂપ પકડે ત્યારે તે કમ કાંડ બન્યા કહેવાય. આથી, ભલે ખીજા માટે આમ કર્યુ” હાય અથવા ભવિષ્યમાં થાય, મારે નિમિત્તે આવું કશું ન યેાજવાની હું ભલામણ કરૂં છું. (૫) શ્રાધ્ધ-દાન વગેરે : તણું, પિંડદાન વગેરે પિતૃપૂજા અને પ્રેતપૂજાના પ્રકારો છે, ગીતાએ તે તેને રાજ તામસ શ્રદ્ધા કહી છે, છતાં ગીતાભકતા તેને છેાડતા એ નથી. મરનારને બધું પહોંચે છે અથવા તે ન કરવાથી- મરનારની અશુભ ગતિ થાય છે એ ભેાળી શ્રધ્ધા છે. મર્યાં પછી વ્યકિતત્વ જળવાઇ રહેતુ હાય તમે ઘણામાં ઘણું એમ કહી શકાય કે જીવન દરમ્યાન જે જે અનું. લવામાંથી એ પસાર થયા, તેને પરિણામે તેની ગુણુપ્રકૃતિમાં જે ફેરફાર નજરે પડયો હોય, તે પ્રકૃતિના સંસ્કારો એ સાથે લઇને જાય છે. અથવા માનેા કે મરનાર જે વસ્તુનું ચિંતન કરતો મરે છે, તે સાથે તદ્રુપ થઇ જાય છે; એટલે કે તે પોતાનો એક સ્વપ્ન સૃષ્ટિ રચીને સ્વમ ક્ષીણ થાય ત્યાં સુધી તેમાં રહે છે. પરંતુ પેાતાના જીવન દરમ્યાનની જાગૃત અવસ્થાની સૃષ્ઠિનું સ્મરણ કરવાનુ એનું સ્થૂળ સાધન મરણને લીધે નષ્ટ થયેલુ હોવાથી, તે સૃષ્ટિની સાથે એ સબંધ રાખી શકે નહીં. પશુ મરનાર પ્રત્યેના સ્નેહને લીધે કેટલાક કાળ સુધી તેની સ્મૃતિ જાળવવાની વૃતિ સગાંસ્નેહીઓમાં રહે એ સ્વાભાવિક છે. આથી પિંડ-તપણુ વગેરેનાં શ્રાદ્ધ કરવામાં ન આવે, તેાયે કાઇ ને કાષ્ઠ પ્રકારનાં શ્રાદ્ધ હુંમેશ થયા કરવાનાં જ. મરનારને નામે દાન કરવું એ તેના એક અને નાનામેટા દરેકના મરણ પાછળ થઇ શકે એવા પ્રકાર છે. દાન ધ્રુવે માગે કરવું એ કાવાર દાન આપનારની ફિચ ઉપર અને કાઇવાર મરનારની જણાયેલી રૂચિ ઉપર આધાર રાખે છે.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy