________________
૨૮
પ્રશુદ્ધ જૈન
તા ૧-૬-૪
આવતા જતા હોય તે ધમભાવનામાંથી આર્થિક લાભ ઉઠાવવાની વૃત્તિ કાઇ પણ રાજ્ય રાખે તે યેાગ્ય નથી, ન્યાય્ય નથી. પાલીતાણા રાજ્યની પરપરા જ જૈન સમાજની ધમ ભાવના અને ભક્તિભાવમાંથી ખને તેટલા લાભ ઉઠાવવાની રહેતી હતી. અને પરિણામે રાજ્ય અને જૈન સમાજ વચ્ચે નાનીમેટી અથડામણા ચાલ્યા જ કરતી હતી, જૈન સમાજના દિલમાં આ કર અત્યન્ત ડંખતે હતા અને એમ છતાં અંગ્રેજ સરકારના અમલ દરમિયાન આ વસ્તુસ્થિતિમાં કશા પણ ફેરફારને અવકાશ નહાતા. કારણુ કે આવી બાબતમાં 'ગ્રેજ સરકારનુ' વળષ્ણુ હંમેશા દેશી રાજ્યની પરપરાગત આવકને ટેકો આપવાનું જ રહેતું. સદ્ભાગ્યે કાર્ડિયાવાડમાં રાજ્યક્રાન્તિ આવી, ભિન્ન ભિન્ન રાજા રજવાડાઓના અસ્ત થયે। અને એકસૂત્રી સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઇ. સૌરાષ્ટ્ર સરકારના ધ્યાન ઉપર આ બાબત લાવવામાં આવતાં આવા કરલાગાનુ... અનૌચિત્ય અને અન્યાયીપણું તેમણે તુરત જ સ્વીકારી લીધું અને કંઇ વર્ષાથી જૈન સમાજમાં ભેાંકાયલું શૂળ તેણે સત્વર દૂર કર્યુ.
છે કે શ્રી. કેશરિયાજી તિની સારી રીતે વ્યવસ્થા ચાલે તે માટે એક પંચ નીમવામાં આવ્યું છે અને તે અ ંગેનું કામ શ્રી તેજસ હજી કાઠારીને સુપ્રત કરવામાં આવ્યું છે. આ જાહેરનામાથી સમાધાન પામીને શ્રી, જવલબહેને પારણું કર્યુ. છે. આ જાહેરાત હજી બહુ અસ્પષ્ટ છે. આને લગતી ખીજી કાઇ વધારે સ્પષ્ટતા જાણવા કે સાંભળવામાં હજી આવી નથી. શ્રી. જવલબહેનની પ્રસ્તુત અનશનને પ્રાર ંભ કરતી વખતની પ્રતિજ્ઞા તા એવી હતી કે “જ્યાંસુધી આ તીર્થની વ્યવસ્થા ૧૯૩૪ ની રાજ્યની જાહેરાત મુજબ જૈન સમાજના પ્રતિનિધિઓને યોગ્ય રીતે સાંપવામાં નહિ આવે ત્યાં સુધી આ અનશન ચાલુ રહેશે.” આ પ્રતિજ્ઞામાં જે જાહેરાતના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે જાહેરાત વિ. સં. - ૧૯૩૪ માગશર વદ ૬ એટલે કે ઇ. સ. ૧૮૭૭ના નવેમ્બર માસની તા. ૨૬મી ના રાજ કરવામાં આવેલી હતી. અને તે જાહેરાત મુજબ તે સમયમાં કેશરીયાજી તીના વહીવટમાં ચાલી રહેલી ગેરવ્યવસ્થા અને અધેર કારભાર દૂર દરવાં માટે રાજયે અમુક ચાર ઓશવાલ ગૃહસ્થાને તીના વહીવટ સોંપવાનો નિણુય જાહેર કર્યાં હતા. આ ઓશવાલ ગૃહસ્થા શ્વેતાંબર મૂતિ'પૂજક જૈન હતા. હવેઉદેપુર રાજ્ય તરથી જે છેલ્લી જાહેરાત કરવામાં આવી છે અને જેના આધારે શ્રી. જવલબહેને પારણુ કર્યુ છે તે જાહેરા તમાં શ્રી જવલબહેનની માગણી કઇ રીતે પુરી થાય છે એ હજી સ્પષ્ટપણે સમજી શકાતું નથી—સિવાય કે પંચ અગેનું કામકાજ શ્રી તેજસંહ કાઠારીને સોંપવામાં આવ્યું છે, જે શ્વેતાંબર · મૂર્તિપૂજક જૈન છે. આ સમાધાનના આશય એવા હાય કે હવે પછીથી શ્રી. કેશરીઆજીને વહીવટ માત્ર વેનાંબર મૂર્તિ પૂજક જને હસ્તક જ રહેશે તે એ સમાધાન કોઇ રીતે ઇચ્છવા ચેાગ્ય નથી અને તે એટલા માટે કે ઇ. સ. ૧૮૭૭ ની જાહેરાત ઉપર તે આજે ૭૧ વર્ષનાં પાણી વહી ગયાં છે અને તે દરમિયાન શ્વેતાંબર દિગંબરેશના ખુબ ઝગડાએ ચાલ્યા છે અને રાજ્ય તરફથી પણ સમયે સમયે અનેક જાહેરાત કરવામાં આવી છે અને જે સમાધાન પાછળ દિગંબર શ્વેતાંબરાની એકમતી નહિ હોય તે સમાધાન કોઈ કાળે થાયી બનવાનું નથી. પણ આમ બને કે ન ખને–આ પ્રશ્ન ઉપર આજના સયાગામાં શ્રી. જવલબહેનનું અનશન ટાઈ પણ રીતે છવાયોગ્ય નહતુ અને તે અનશ। ચાલુ રહે તેથી પણ કાયે લાભ થવાને બદલે નુકસાન થવાના જ સંભવ હતા. તેથી શ્રી. જવલબડુને ડહાપણપૂર્વક પોતાનું અનશન સકેલી લીધેલ છે તે ખરેખર આનદ અને સ ંતોષની વાત છે. આપણે આશા રાખીએ કે શ્રી. જવલબહેને પેાતાના અનશનવડે ઉભા કરેલ આન્દોલનના પરિણામે દિગંબર અને શ્વેતાંબર સમાજના આગેવાનાના દિલમાં એકતાની ખુધ્ધિ જાગૃત થાય અને બન્નેનુ સમાધાન થાય એવી કાઇ ચેાજના ઘડી કાઢીને એ ચેાજ નાના સત્તાધિકારી પાસે સ્વીકાર કરાવવા માટે અને એ રીતે કેશરીઆજી તીના લાંબા કાળના અત્યન્ત ગુંચવણભરેલા પ્રશ્નના હંમેશને માટે સુખદ નીકાલ લાવવા માટે તે પોતાથી અનતું કરી છુટે. શત્રુંજયતીના મુડકાવેરા નાબુદ થયા.
તેમ જ પણ
શત્રુંજયતીય સંબંધમાં પાલીતાણા રાજ્યને દર વર્ષે` મુ`ડકાવેરા અદલ જૈન સમાજને દર વર્ષે રૂા. ૬૦૦૦૦ આપવા પડતા હતા તે રકમ સૌરાષ્ટ્રની નવી સરકારે હંમેશાને માટે માફ કરી છે. આ જાહેરાતથી માત્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને જ નહિ પણ ઋાખા જૈન સમાજને અત્યન્ત આનંદ થયા છે. આ મુંડકા વેરાના લાંખે તિહાસ છે. આ સંબંધમાં પાલીતાણા રાજ્ય સાથે જૈન સમાજને કેટલાય સમયથી બહુ ચાલ્યા કરતું હતું. કોઇ પણ સમાજ ધમ ભાવનાથી અમુક સ્થળે મોટી સંખ્યામાં
સામાન્યતઃ લાંબા વખતથી ચાલી રહેલા કાઇ પણ અન્યાયનુ નિવારણુ કરવા માટે કાઈ પણ સરકારને ધન્યવાદ આપવા એ કાંઇક વધારા પડતું લાગે, પણ એ અન્યાય સાથે ચલુ ચિરસ્થાપિત મહત્વની આવકને સબંધ હાય અને પ્રસ્તુત અન્યાયનું નિવારણ કરવા સાથે પેાતાને થતી સંગીન આર્થિક આવકને એકાએક ત્યાગ કરવાની તે રાજ્ય તત્પરતા દાખવે તે તે પગલુ' ખરેખર સ્તુતિપાત્ર બને છે, આ રીતે દર વર્ષની રૂા. ૬૦૦૦૦ ની આવક હમેશાને માટે જતી કરવા માટે સૌરાષ્ટ્ર
રકારને અનેકશ: ધન્યવાદ ઘટે છે.
આ બાબતને લગતી જાહેરાત કરતાં સૌરાષ્ટ્ર સરકારના નાયબ વડાપ્રધાને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે એક તે સૌરાષ્ટ્ર સરકારના આ પગલાની જૈન સમાજ યાગ્ય કદર કરશે અને પેાતાની પૂરપરાગત દાનવૃત્તિના બહેાળા જનસમાજને પુરા લાભ આપશે અને બીજી' જૈન શત્રુંજયના મંદિરે હરિજને માટે હંમેશાને માટે ખુલ્લાં મૂકશે. પહેલી ખબૂત તેા ખરાખર છે અને શત્રુ ંજય, ગીરનાર, આધ્યુ-આ ત્રણે તીને જે વિવિધ પ્રકારની મુાંકેત મળી છે તે ધ્યાનમાં લઈને સાવજનિક હિતેાના કાર્યોમાં આર્થિક સાથ આપવામાં જેના પાછી પાની નહિ કરે એમ આપણે જૈન સમાજની વતી કહીએ તેમ છે. પણ શ્રીજી ખાખત સબંધમાં પણ આપણે એવા જવાબ વાળવાની સ્થિતિમાં હેત કે “અમને હરિજન મંદિર પ્રવેશ માટે કહેવું પડે એ જ અમારૂ અમારા જૈન ધર્મનુ અપમાન છે. અમારાં મદિરા સૌ કાઇના માટે હંમેશા ખુલ્લાં હતાં, ખુલ્લાં છે અને ખુલ્લાં રહેશે. હિરજનેને અપનાવવા માટે અમે સર્વ પ્રકારે તૈયાર છીએ” તે કેવુ સારૂં થાત ? પણુ કમનસીખે હિંદુ સમાજના અંગભૂત અવયવ તરીકે માપણુને વારસામાં મળેલી અસ્પૃશ્યતા સાથે હજી આપણે છુટાછેડા કર્યાં નથી અને તેથી સૌરાષ્ટ્ર સરકારના નાયબ વડાપ્રધાનની આ બીજી માંગણીને આપણે માં ખેાંખારીને હજુ હકારમાં જવામ આપવાની સ્થિતિમાં નથી. આ અસ્પૃશ્યતાવાદથી આપણે જેમ અને તેમ જહિંદુથી મુક્ત થઇએ અને એ રીતે જૈન ધમની અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્યની શૈભા અને શાખમાં વૃદ્ધિ કરીએ એ જ પ્રાય'ના ! પરમાનદ
સધદ્વારા વૈદ્યકીય રાહતના પ્રશ્નધ
શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી મુંબઈ તેમ જ પરાંઓમાં વસતા કાઈ પણુ જૈન ભાઈ કે બહેનને જરૂરી વૈદ્યકીય રાહત આપવાના પ્રબંધ કેટલાય સમયથી કરવામાં આવ્યા છે. આ રાહ તમાં દવા, ઇન્જેકશન, ડાકટરના ખીલા, હાસ્પીટલના ખર્ચે' તેમ જ દર્દીને માંદગી દરમિયાન જરૂરી આર્થિક મદદ આવી અનેક આખ તેના સમાવેશ થાય છે. આ ચેાજનાને લાભ લેવા વૈધકીય રાહે તની અપેક્ષા ધરાવતા મુખ તેમ જ પરાંમાં વસતા સૌ કાઈ જૈન બંધુઓ તેમ જ બહેનને આગ્રહપૂર્ણાંક વિનતિ કરવામાં આવે છે. જયંતિલાલ લલ્લુભાઈ પરીખ મંત્રી, વૈદ્યકીય રાહંત સમિતિ.