SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ - તા. ૧-૬ ૮૮ : પ્રબુદ્ધ જૈન .. ૨૭૭ ક. લા. : એ સંબંધમાં મેં જણાવી દીધું છે કે હું તે - અહીં જેને તરફથી રજુઆત કરવા આવ્યો છું. , પ્રશ્નકાર : પ્રીન્સીપાલ ધારપુરે ઘારપુરે : વિગતો નકકી કરવાનું કામ ટ્રસ્ટીઓ હસ્તક રહેવું જોઈએ, પણ વિગતે નકકી કર્યા બાદ તેના અમલમાં કંઈ ભુલ કે ભંગ થતો હોય તો સરકાર દખલગીરી કરે તેમાં આપને વાંધો નથી એ પ્રકારની મારી સમજણ બરાબર છે ? ક, લા. : જે કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા ચાલતી હોય તે સરકાર ભલે દખલગીરી કરે. ઘારપુરે : ધારો કે રોશની પાછળ કેટલા મણું તેલ વાપરવું તે બાબત બજેટમાં નકકી કરવામાં આવી છે. આને લ્થતી વિગતે ટ્રસ્ટીઓએ નકકી કરી હોય. પણ એ વિગતના અમલમાં ગેરવ્યવસ્થા માલુમ પડે તે સરકાર વચ્ચે પડે કે નહિ? ક. લા. : નહિ સાહેબ. તેના અમલમાં એવી દખલગીરી થવી ન જોઈએ. જે કોઈ પણ પ્રકારની ઉચાપત થતી હોય અથવા તો કોઈ વ્યક્તિ તેમાંથી અંગત લાભ ઉઠાવતી હોય તે સરકાર જરૂર વચ્ચે પડે. પણ વિગતેના ચાલુ અમલમાં કોઈ પણ પ્રકારની દખલગીરી હોવી ન જોઈએ.' ક. લા..: આપ એમ કેમ કહી શકે? ચી. ચ. શાહ : તે પછી આ સંબંધમાં કોઈ એક ચોક્કસ સરકારી વ્યવસ્થા હોય તે વધારે ઈચ્છવાયોગ્ય નથી ? ક. લા. : કોમની ધાર્મિક પ્રવૃત્તિમાં આ તે સીધી દખલગીરી ગણાય, અને તેને તે વિરોધ જ કરે જોઈએ. ' ચી. ચ. શાહ : ટ્રસ્ટીની નીમણુંક કે ફેરબદલી એ દખલ.' ગીરી કહેવાય નહિ ? ના ક. લા. : કોઈ પણ નાલાયક દ્રસ્ટીને દુર કરીને તમો જાહેર ટ્રસ્ટનું ધણુંખરૂં રક્ષણ કરવા માંગતા હો છે. એ રીતે સરકારને જે અધિકાર છે એ જ કાર્ય તમે કરી રહ્યા છે. પણ હું અમુક રકમ જીર્ણોધ્ધાર માટે ખરચવા માંગુ છું તેની સરકાર પાસેથી મારે મંજુરી મેળવવી જોઈએ એમ તમે જ્યારે સૂચવે છે ત્યારે મારા ધર્મના આચારવ્યવહારમાં તમે ચોકકસપણે દખલગીરી કરી રહ્યા છો એમ જ મારે કહેવું રહ્યું. ચી. ચ. શાહ: એક બીજો દાખલો લઈએ. દરેક મંદિરમાં કરવામાં : આવતા ખર્ચે બે પ્રકારના હોય છે. નિત્ય અને નૈમિત્તિક. દરેક મેટા મંદિરના વહીવટકર્તાઓએ ચાલુ દૈનિક ખર્ચમાં તેમને કેટલી રકમ જોઇશે અને વાર્ષિક ઉત્સવો પાછળ કેટલી રકમ જોઈશે તેનું બજેટ કમીશનર પાસે રજુ કરવું જોઈએ કે કેમ એ સંબંધમાં આપ શું ધારે છે ? , ' ક. લા.: બીલકુલ નહિ. - ' ' ચ. ચ. શાહ : ધારો કે ટ્રસ્ટીઓ મેટી મોટી રકમ - ખરચે જાય છે અને તે કેવળ નાણુને દુર્થાય છે. આવા કીસ્સામાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારના નિયંત્રણને આપ સંમત્ત ન કરી? ક. લા.: હું બીજા ધર્મ વિષે કશું પણ કહેવા ઈચ્છતા નથી. એમણે શું કરવું કે એમના વિષે તમારે શું કરવું તે તેમણે - અને તમારે વિચારવાનું છે. હું તે અહિંઆ, જૈનેનો જ : ' ' પક્ષ રજુ કરવા આવ્યો છું અને જન ધમ કેમ ચાલે છે તે હું સમજુ છું. ચી. ચ. શાહ : જન દ્રો બહુ સારી રીતે ચાલે છે એ હું જાણું છું. ૧ ક. લા. : સાહેબ, એ હું જાણતો નથી, પણ હું આશા રાખું છું કે જન દ્રસ્ટે સારી રીતે ચાલતા હશે ! ચી. ચ. શાહ : જો આખી કામ માટે એક નિયમ કરવામાં આવે તે જેનેને તેમાંથી બાકાત રાખવામાં આવે એમ આપ ઇચ્છે છે ?' ક, લા. : આ બાબત વિષે મેં ખૂબ ભાર દઈને કહ્યું છે. કારણ કે જૈનના ખ્યાલો અને રીતરીવાજે કેવળ ભિન્ન પ્રકા રના છે. ટ્રસ્ટની જયાં ગેરવ્યવસ્થા થતી હોય ત્યાં તેના ઉપર જરૂર નિયંત્રણ મુકાવું જોઈએ. પણ ધાર્મિક રીતરીવાજના સંબધમાં ટ્રસ્ટીઓ ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોવું નજ જોઈએ. ન ચી. ચ. શાહ : જે નકામી બાબતે ઉપર પૈસા ખરચવામાં આવતા હોય તે તે ગેરવ્યવસ્થા ન ગણાય ? ક. લા.: નકામું શેને ગણવું તેને લગતો આપ મને એક દાખલો આપશે? જેને નકામું કહે છે તે શું તે મને સમજાવશે? . કોઈ પણ બાબતને નકામી કે કામની માની લેવા માટે કાંઈક ધોરણ તો, જોઈએ જ. આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ ' તરફ નજર કરો. તે પેઢી કેટલાયે મંદિર સંભાળે છે અને - તેનું વાર્ષિક બજેટ રૂપીઆ ત્રણ લાખ લગભગનું હોય છે. તે બજેટની વિગતમાંથી નકામી લેખી શકાય એવી એક પણ બાબત મને બતાવે. . ચી. ચ. શાહ: મારો આ પ્રશ્ન સામાન્યતઃ છે. આણંદજી - કલ્યાણની પેઢીને ઉદ્દેશીને નથી શેઠ કસ્તુરભાઈએ આ મુદ્દા ઉપર પોતાની જુબાની આપતા વિશેષમાં જણાવ્યું કે “નાણાંની ઉચાપત કે કેવળ દુરૂપયોગ થઈ રહ્યો હોય એવા સંજોગોમાં જ હું સરકારી દખલગીરી સંમત કરૂં. દાખલા તરીકે જનેમાં ભિક્ષા આપવાને કઈ રીતરીવાજ નથી. હવે ધારો કે આણંદજી કલ્યાણજી . ૩૦૦૦૦ જેવી મોટી રકમ આવતી કાલથી ભિક્ષા આપવા પાછળ ખરચવા માંડે છે. એ સંજોગમાં સરકાર જરૂર વચ્ચે પડી શકે છે અને કહી શકે કે છે “આ તમારી સત્તાની બહારની બાબત છે. એટલે આ અમે નહિ થવા દઈએ.” સંક્ષેપમાં સરકારી દખલગીરી ઓછામાંઓછી હોવી જોઈએ. પ્રશ્નકાર : ચીમનલાલ ચકુભાઇ શાહ ચી. ચ. શાહ: એવી ફરીયાદ કરવામાં આવે છે કે હિંદુઓને લાગુ પડતા કાયદાઓ જૈનને વિનાકારણ લાગુ પાડવામાં આવે છે. આ સંબંધમાં અને ખાસ કરીને દેવદ્રવ્ય સંબંધમાં જે કાંઈ શાસ્ત્રીય ઉલ્લેખો હોય તે અમને જણાવવા કૃપા કરશે ? ક. લા. : હાજી, પ્રયત્ન કરીશ. ચી. ચ. શાહ : ધારો કે એમ માની લઈએ કે દેવદ્રવ્યને મંદિર અને મૂર્તિ સિવાયના કોઈ પણ કાર્યોમાં ઉપયોગ થવે ન જોઇએ એમ જ શાસ્ત્રો કહે છે એમ છતાં પણ એવા ધાર્મિક ઉલ્લેખ બાજુએ રાખીને કાયદાથી એવી ગોઠવણ કરવામાં આવે કે જે કાંઈ વધારાનાં નાણાં હોય તે સામાજીક કાર્યોમાં વપરાવા જોઇએ તે એ કેમ્પ નહિ ગાય ? હરિજને સંબંધમાં પણ ધાર્મિક પ્રતિબંધની ઉપેક્ષા કરીને જ કાયદાથી તેમને મંદિર પ્રવેશને હઠક આપવામાં આવ્યા છે એ આપ જાણે છે. ક. લા. : સાહેબ, મારા અંગત અભિપ્રાય તરીકે હું એમ રજુ કરવાની રજા લઉં છું કે દેશના સમગ્ર હિતની ખાતર હિંદુ અને જૈન સંસ્કૃતિ જેવી છે તે જ સ્વરૂપે આપણે તેને જાળવવી જોઈએ. અને એની સાથે આપણે કોઈ પણ જાતની રમત કરવી ન જોઈએ. તમે કહે છે તેનું પરિણામ તે જે ધાર્મિક ખ્યાલ અને માન્યતાઓ અને છેલ્લા બે હજાર વર્ષથી વારસામાં મળ્યા છે તેની સાથે ખેલ ખેલવા જેવું આવે. અને એક વખત એ રીતને વર્તાવ શરૂ કરવામાં આવે તો પછી એને છેડે કયાં આવે. તે કંઈ કહી શકે તેમ નથી. હું આ બાબતની મકકમપણે વિરૂદ્ધ છું.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy