SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૬-૪૮ - પ્ર. 2.: આપ એમ કહેવા માગો છો કે જેને હિંદુઓથી એક અલગ કેમ છે? ક. લા. : લગભગ એમ જ. પ્ર. .. : તેમની સાથે એ જ રીતે વર્તાવ કરવામાં આવે એમ તમે દાડે છે ? ક. લા. : જ્યાં સુધી ધમને લાગેવળગે છે ત્યાં સુધી એ પ્રમાણે જ થવું જોઇએ. અલબત્ત અમેએ કઈ સ્વતંત્ર પ્રતિનિધિવની માંગણી કરી નથી. પ્ર. . : ધર્મની વાત બાજુએ રાખીએ તો પણ ચેરીટીઓ વિષે શું? જોને હિંદુ ચેરીટીઓના લાભથી મુક્ત રાખવામાં આવે એમ આપ ઈચ્છો છો ? ક. લા. : નહિ સાહેબ. જાહેર ચેરીટીઓ પુરતા તેમને બન્નેને એક ગણો તે મને વાંધો નથી. પણ જો એમ હોય તો પારસી અને મુસ્લીમ ચેરીટીઓને આપ અલગ કેમ રાખે છે તે હું સમજી શકતા નથી. પ્ર. 2. હિંદુઓ અને પારસીઓ અથવા મુસલમાનો વચ્ચે જેટલે તફાવત છે તેટલો તફાવત હિંદુ અને જૈનો વચ્ચે છે એમ આપ ધારો છે ? ક. લા.: એટલો બધે નહિ જ. એમ છતાં પણ જૈન અને હિંદુઓ વચ્ચે ઘણા મેટો તફાવત છે. પ્ર. 2. : પછી જેને હિંદુ ચેરીટીઓનો લાભ મળવો ન જોઈએ એમ આપ ઇચ્છે છે ? કલા. : આપ શું કહેવા માંગે છે એ હું સમજી શકતો નથી. પ્ર. 2 : કમીટીની દરેક બેઠક દરમિયાન હું એમ માનીને ચાલતું હતું કે જૈને હિંદુ સમાજને એક અંગભૂત વિભાગ છે. તેથી આપે હમણાં જે કહ્યું તેથી મને ભારે વિસ્મય થયું છે. જેને હિ ૬ કામને અંગભૂત વિભાગ નથી એ જેનોનો દાવો છે એમ આપનું કહેવું હું સમજુ છું. ક. લા. : સામાજિક રીતરીવાજ પુરતા જેને હિંદુઓના અંગભૂતવિભાગ છે. પણ માર્મિક ટ્રસ્ટ અને ચેરીટીઓને લાગેવળગે છે ત્યાં સુધી હું ભારપૂર્વક ફરીને જણાવું છું કે જેને હિંદુઓથી તદ્દન અલગ છે. પ્ર. ટે. જે જૈન ધર્મ જુદે છે એ તે સ્વીકૃત છે. . ક. લા. : નહિ સાહેબ, એ સ્વીકારવામાં આવ્યું નથી, ધારે કે ધાર્મિક કમીશનરો હોવા જોઈએ એમ તમારી કમીટી નકકી કરે તે હિંદુઓના અન્ય વિભાગો માફક જેને તે બાબત લાગુ પાડ* વામાં આવશે. જેના રીતરીવાજ શું છે તેને ખરો ખ્યાલ અન્ય વિભાગોને લોકોને હેવાને જરા પણ સંભવ નથી આ મારે મુદો છે. પ્ર. 2. : મેં તમને કહ્યું તેમ ધર્મના રીતરીવાજોને લ ગુ પડે એવું અમે કશું કરવા માંગતા નથી. * ક. લી. મારે એટલું જ જોઇએ છીએ. આના અનુસંધાનમાં પ્રમુખે જણાવ્યું કે, ધર્મના બધા રીતરીવાજોને પહોંચી વળવામાં આવે ત્યારબાદ જે કાંઈ વધારાનું નાણું રહે તેને જ અમારે વિચાર કરવાને છે. ધર્મ એ તદન જુદો જ મુદો છે. એ અમારા કમીટીના ક્ષેત્રની બહારની બાબત છે. ક. લા.: આને જવાબ મેં આગળ ઉપર આપી દીધું છે. તમે જણાવે તેવા દેખરેખ અને નિયંત્રણની જરૂર તે છે જ. એ ચેરીટીઓનો વહીવટ સારો ચાલતું હોય તે પણ એના ઉપર કંઈક અંકુશ તો જોઈએ જ. ' - ચી. ચ. શાહ : તે પછી જૈન ચેરીટીઓ ઉપર દેખરેખ રહી શકે એવા કાયદા સામે આપને વાંધો નથી. પ્રશ્ન તે આ નિમંત્રણ કેવું અને કેટલું હોવું જોઈએ તેને છે. દાખલા તરીકે પુરવાર થયેલા ગેરવહીવટના કીસ્સાઓમાં કમીશનરને જુના ટ્રસ્ટીએને કાઢી મુકવાની અને નવા ટ્રસ્ટીઓ નીમવાની સત્તા હેવી જોઈએ એ આપને સંમત છે? કલા. : જરૂર. પુરવાર થયેલા ગેરવહીવટમાં આમ કરવા - સામે મને કોઈ વાંધો નથી. ચી. ચ. શાહ : આણંદજી કલ્યાણજીની પેઢીને દાખલો લઈએ. આપ તેનું વાર્વિક બજેટ તૈયાર કરતા હશે. આ બજેટે ચેરીટી કમીશનર સમક્ષ રજુ થાય અને તેની મંજુરી મળે જ તેને અમલ થઈ શકે એવો પ્રબંધ આપ સંમત કરો કે? ક. લા. : ના સાહેબ. એ જાતની દખલગીરી હું પસંદ કરતા નથી. એમ કહેવા માંગુ છું કે જ્યાં સુધી જુદા જુદા ટ્રસ્ટ-જનના હોય કે હિંદુઓના હાય-સરખી રીતે ચાલતા હોય ત્યાં સુધી સરકાર તરફથી તેમાં કોઈ પણ જાતની દખલગીરી હોવી ન જોઈએ. ચી. ચ. શાહ : ધારે કે અમુક ચેકસ હેતુ માટે આપ વિશ લાખ રૂપીઆ ખર્ચ કરવા માંગે છે. અને આ ખોટા ખર્ચ છે અને એવો ખર્ચ થવો ન જોઈએ એમ ચેરીટીકમીશનર માને છે તે એવા સંજોગોમાં ચેરીટીકમીશનરનું નિમંત્રણ હોવું જોઈએ એમ આપ પસંદ કરે કે ટ્રસ્ટીઓને જ આ બાબતમાં છેવટની સત્તા હોવી જોઈએ એમ આપ કહે છે ? - ક, લા. : જરૂર, આ બાબતમાં ટ્રસ્ટીઓને જ પુરી સત્તા હાવી . ટીના કામકાજમાં ઓછામાં ઓછી દખલગીરી હોવી જોઈએ. જ્યારે ગેરવહીવટ પુરવાર થાય ત્યારે જ સરકારે માથું મારવું જોઈએ. નહિ તે કઈ પણ મંદિરનો જીર્ણોદ્ધાર સાથે અથવા તો ધાર્મિક ક્રિયાકાંડ સાથે કયા પ્રકારની ધાર્મિક લાગણી જોડાયેલી છે તેને કમીશનરને ખરે ખ્યાલ હોવા સંભવ નથી અને તેથી તેના હાથે અન્યાય થવાનું જોખમ રહે છે. ચી. ચ. શાહ: આણંદજી કલ્યાણજીની પેઢીને દાખલે બાજુએ રાખીએ. ધારો કે મુંબઈના કોઈ પણ મંદિરના ટ્રસ્ટીઓ કોઈ નવુંમંદિર બાંધવા માટે અથવા તે કેાઈ જુના મંદિરનો જીર્ણોદ્ધાર " કરવા માટે પાંચ લાખ રૂપી આને ખર્ચ કરવા માંગે છે. આ બાબતમાં તેમને નિર્ણય છેવટને ગણવો જોઈએ કે કેમ ? ક. લા. : જીર્ણોદ્ધારની બાબતમાં તેમને નિર્ણય છેવટનો ગણવો જોઈએ. નવું મંદિર બાંધવા સંબંધમાં તમે કાંઈ બધન મુકે તે તેની સામે મને કોઈ પણ વાંધો નથી, ચી. ચ. શાહ : આમ જીર્ણોદ્ધારને આપ અપવાદ શા માટે કરો છો ? ક. લા. : આ બહુ અગત્યને મુદ્દો છે અને જે મંદિરોની સંભાળ લેવાની છે તે એટલાં મોટાં અને ભવ્ય હોય છે કે આપે સુચવેલ દખલગીરીથી કોઈ પણ અર્થ સરસે નહિ. પાંચસો રૂપીઆના પગારદાર કમીશનરને આ બાબતનો ખ્યાલ પણ શી રીતે આવવાનો છે ? હું કોઈ પણ કોંધારમાં પચીશ લાખ રૂપીઆઈ ખર્ચાવા માંગું છું એમ જે તે સાંભળે તો આ સાંભળીને તેનું હૃદય ચાલતું બંધ થઈ જશે કે કેમ તેની મને ખબર નથી. તેથી આ બાબત ટ્રસ્ટીઓના અભિપ્રાય ઉપર સર્વાશ છોડવી જોઈએ અને સરકારની કોઈ પણ પ્રકારની દખલગીરી હોવી ન જોઈએ. ચી. ચ. શાહ : પાંચ લાખને કરવા ધારેલો ખર્ચ કેવળ દુરથય પણ હોઈ શકે છે.' પ્રશ્નકા૨ : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ચી, ચ, શાહ: આ તપાસનો હેતુ જુદાં જુદા ટ્રસ્ટ અને ચેરીટીઓના વહીવટની દેખરેખ અને નિમંત્રણના ઉપાય સુચવવા એ છે. ધાર્મિક દ્રોને આપણે પહેલો વિચાર કરીએ, આણંદજી કલ્યાણુજીને બાદ કરતાં જેની બીજી ધાર્મિક ચેરીટીઓને પણ વહીવટ એટલો સારી રીતે ચાલે છે કે સરકારના કોઈ પણ નિયંત્રણની તેમને જરૂર નથી એમ આપ કહેવા માંગે છે ને ?
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy