SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ - તા. ૧--૪૮ પ્રબુદ્ધ જન ૨૭૫ વિશિષ્ટતા ધ્યાનમાં લેશે અને તેના ચાલુ સમારકામ માટે કેટલા ' વિપુલ દ્રવ્યની જરૂર છે તેનો કમીટી બરોબર ખ્યાલ કરશે તે કમીટીએ જૈન મંદિરોને આવા કોઈ પણ કાયદાઓથી મુકત રાખવા જોઈએ એવા વિચારપક્ષના સમર્થનમાં કશું પણ વિશેષ કહેવાની જરૂર નહિ રહે. પ્ર. 2. અાપને એવો ભય રાખવા જરૂર નથી. જરૂરિયાત વિના જૈન મંદિરો સંબંધે અમે કશે પણ કાયદે કરવા માંગતા નથી. કોઈ પણ સંજોગોમાં મંદિરની જરૂરિયાત વણપૂરાયેલી રહે એમ અમે ઇચ્છતા નથી. મંદિરનાં નાણાં વ્યાજબી કામ માટે વપરાવી ન જોઈએ એવું પણ અમે સુચવવા માંગતા નથી. કમીટી સામે એક જ મુદો છે, અને તે એ છે કે મંદિરની બધી જરૂરિયાતને પહોંચી વળવા બાદ જે કશું પણ વધારાનું નાણું રહે તે એ નાણુના ઉપયોગ સામાજીક કાર્યો માટે કરવો જોઈએ પછી સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકાનું ખાતું આવે છે, ત્ય અને મૂર્તિ માટે નિર્માણ થયેલાં નાણું જ્ઞાન પાછળ ખર્ચી શકાતા નથી અને જ્ઞાનનો અર્થ આજની કુલ કે કોલેજમાં જે શિક્ષણ આપવામાં આવે છે તે નથી. પ્ર. ટે. જ્ઞાન એટલે ધાર્મિક સાહિત્યનું શિક્ષણ એમ તમે કહેવા માગે છે ને ? ક. લા. હાજી. . . .. આ દેવદ્રવ્યને ઉપયોગ કેળવણી અને એવી અન્ય સામાજિક પ્રવૃત્તિ પાછળ કરવાની હીલચાલ જેમાં છેલ્લી પેઢી દરમિયાન ચાલી રહી છે ખરી ? ક. લા. એવી કોઈ અગત્યની હીલચાલ ચાલી નથી. મારે એમ કહેવાનું છે કે પાંચ હજાર માણસે જે આ વિચારના હોય તે તેની વિરૂધ્ધમાં પચાસ હજાર માણસે મળી આવશે. આ બાબત ઉપર તમે કહે તે શરત કરવા હું તૈયાર છું. પ્ર. ટે. આજે તો સાસરે સ્થિતિચુસ્ત હોય છે અને પુત્રવધુ નવા જમાનાની હોઈ શકે છે. ક, લા. : એ ઠીક છે. પુત્રવધૂને જે કરવું હોય તે ભલે કરે. તેને કાઈ અટકાવશે નહિ. ૫ણું જે મારા પિતા ચેકસ હેતુને માટે અમુક રકમ મને આપી ગયા હોય તે મારી પત્ની કેપુત્રવધૂને ફાવે તેમ તે રકમને ઉપગ કરવાની હું રજા આપી નહિ શકું. તે નવા જમાનાની છે, અથવા તે પિતે બહુ મેટું કામ કરી રહેલ છે એમ તે માને છે એટલા ખાતર તે નાણાંને તેને અન્ય ભાગે ઉપયોગ કરવા નહિ દઉં”. કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ બીજાની મીલ્કત ઝુંટવી લેવી ન જોઈએ, પણ તેણે પિતે જ તે માટે જરૂરી દ્રવ્ય પેદા કરવું જોઇએ. ક. લા. : હું એ દષ્ટિબિન્દુ બરાબર સમજી શકું છું, પણ હું નમ્રભાવે રજુ કરું છું કે જ્યાં સુધી કમીટી એક યા બે મંદિરોની મુલાકાત નહિ લે ત્યાં સુધી જન મંદિરોની જરૂરિયાત કેટલી છે તેને કમીટીને પુરો ખ્યાલ આવી શકશે નહિ. આ પ્ર. 2.: જન મંદિરની સુરક્ષાને લગતી વ્યાજબી જરૂરિયાતને પહોંચી વળવા બાદ જનમંદિર પાસે વધારાનું નાણું રહે છે કે નહિ એ પ્રશ્ન સાથે જ અમારે સીધી નિસબત છે. ક, લા. : હું આગળ વધીને કહું છું કે જન મંદિરના જરૂરી સમારકામ માટે પણ અમારી પાસે પુરતા પૈસા નથી. ક જરૂરી છે કે ના શ્રો. આપતાં ન ન સંમત - પ્ર. કે. જૈન સમાજમાં સમાન હેતુ ધરાવતી ઘણી ચેરીટીઓ હોવી જોઈએ. એ બધી ચેરીટીઓ એકમેક સાથે મળીને પિતાને વહીવટ ચલાવે એમ આપ ઇચ્છો ખરા કે નહિ? દાખલા તરીકે અમદાવાદની શિક્ષણ સંસ્થાઓ લ્યો. ધણી જન સંસ્થાઓ પોતપોતાની રીતે કેળવણીને પ્રચાર કરવા માટે જુદી જુદી રીતે કામ કરે છે. તે - બધી પરસ્પર સહકાર સાધીને કામ કરે એ વિચાર આપને સંમત છે કે નહિ? ક. લા. એકકસ સિધ્ધાંતે નકકી કરીને સર્વસામાન્ય કાર્ય પદ્ધતિ નકકી કરવામાં આવે એ હું જરૂર છછું. પણ આ બધી સંસ્થાઓ સાથે મળીને કામ કરે તેની હું ચોકકસપણે વિરૂદ્ધ છું. - . . : આપ શું કહેવા માંગે છે તે હું સમજી શકતા નથી. ક. લા. : મારું કહેવું એમ છે કે પોતપોતાની સંસ્થાને વહીવટ ચલાવવા માટે બધી સંસ્થાના કાર્યવાહકે એક સંમેલનના આકારમાં એકત્ર થાય અને ચોક્કસ સિદ્ધાંત તારવી કાઢે છે તે હું જરૂર પસંદ કરું. પણ બધી સંસ્થાઓને એકમાં સમાવેશ કરવામાં આવે એવું જો સુચવવામાં આવતું હોય તો હું તેની તદન વિરૂદ્ધ છું. પ્ર. 2. : -બધી સંસ્થાઓને એકમાં સમાવેશ કરવામાં આવે એમ હું કહેવા માંગતા નથી. એટલા માટે તે મેં સહકાર શબ્દ વાપર્યો હતેા. . ક. લા. : હાજી. એ તો ઘણું ઈચ્છવાયેગ્ય છે. પ્ર. 2. : દેવદ્રવ્ય સંબંધમાં મારે પુછવાનું છે કે તેને ઉપગ ધાર્મિક શિક્ષણ આપવા પાછળ જે કરવામાં આવે તે તેથી પણ તમારી કેમ નાખુશ થશે? ક. લા. ; બહુ જ. પ્ર. 2. : દેવદ્રવ્યને એ વ્યાજબી ઉપયોગ ન ગણાય? ક. લા. : બીલકુલ નહિ. આ પ્રશ્નને લાગેવળગે છે ત્યાં સુધી જૈન ધર્યાનું મંતવ્ય બીજા ધર્મો કરતાં બહુ જુદું છે. જૈન ધર્મના ધોરણે ઐય અને મૂર્તિમાં સૌથી પહેલાં આવે છે અને તે જ્ઞાનથી તદ્દન જુદા જ છે. જ્ઞાનખાતું પછી આવે છે અને ત્યારે ચેરીટીકમીશનરની નીમણુક જરૂરી છે કે નહિ તે પ્રશ્નને જવાબ આપતાં શ્રી. કસ્તુરભાઈએ જણાવ્યું કે, “ આવા ટ્રસ્ટમાં સરકારની કોઈ મોટા પાયા ઉપરની દખલગીરીની હું ચોક્કસપણે વિરૂદ્ધ છું. અમુક સ્વાર્થી માણસે ટ્રસ્ટના પિતાના હાથની ખાતર દુરૂપયોગ ને કરે એટલા પુરતી દખલગીરી આવકારવાને હું તૈયાર છું. પણ મદ્રાસની સરકારે કમીશનર નીમેલ છે અને બીજું પણ કેટલુંક કયું છે, તેથી મુંબઈની સરકારે . પણ એ જ ધોરણે ચાલવું જોઈએ એ મારી દૃષ્ટિએ ખૂટી રીત છે. એક બીજી પણ સુચના તમારી કમીટી સમક્ષ હું રજુ કરવા માગું છું અને તે એ છે કે અમને જનેને હિંદુઓથી તદન અલગ રાખવા જોઈએ. કારણ કે અમારા સિદ્ધાંત અને હેતુઓ હિંદુઓથી ' તદ્દન જુદા છે. દેશના વધારે વિશાળ કિતે લક્ષમાં લઈને જનોના અલગ પ્રતિનિધિત્વ અને બેઠકો માટે અમે હીલચાલ કરી નહિ એ કમનસીબીની વાત છે. તેથી જ આજે અમારા ઉપર જવાં ત્યાં હુમલા થઈ રહ્યા છે. જ્યારે પણ કાંઈ આવે છે ત્યારે અમને હિંદુઓ સાથે ભેળવી દેવામાં આવે છે. અમારો ધર્મ, અમારા આચાર, અમારા વિચાર હિંદુઓના રીતરિવાજથી તદ્દન વિરૂદ્ધ છે. હું એમ નથી કહેવા માગતે કે સામાજીક દષ્ટિએ અમારે અને હિંદુ વચ્ચે ભેદ છે, સિવાય કે કેટલાક હિંદુઓ માંસાહારી હોય છે; જયારે જને બીલકુલ માંસાહારી હેતા નથી. પણ એ સિવાય ધાર્મિક રીતરીવાજ પુરતા હિંદુ અને જૈન ધર્મ તદ્દન અલગ છે. વળી તમેએ આજે બીજી ચેરીટીએને બાજુએ રાખી છે. પારસી પંચાયતને અને તેના ટ્રસ્ટોને તમેએ બકાત રાખ્યા છે. કારણ કે એ લેકે બહુ માથાભારી છે અને લાગવગ ધરાવે છે અને સરકાર તેને અડવા માગતી નથી. જયારે જયારે કાંઈ પણ કાયદે કરવાને હોય છે ત્યારે અમને હિંદુઓ સાથે ભેળવી દેવામાં આવે છે તે ! અમે જેને ભારે અન્યાયકર્તા છે.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy