SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પરિણામે એકમેકને છેદ નથી ઉડાવતાં ત્યાં સુધી બંને આવશ્યક અને આરાગ્યપ્રદ છે. ગાંધીજી પેાતાની રીતે અપૂર્વ હોવા છતાં 'વે રૂવે એવા તા ભારતીય છે કે એ લગભગ ભારત તે જ છે. આપણે 'િદુએ જેને અવતાર કહીએ છીએ તેવા એ ભારતના અવતાર છે, ભારતના આત્માનું વ્યકત રૂપ છે. હિં`દની પાંચ હજાર વની તપસ્યા એમની નાડીએમાં વહે છે. ભારતના આત્મા સાથે એ એવા તે આતપ્રેત બની ગયા છે કે એમની મધ્યકાલીન મનેદશા” નહેરૂની આધુનિક મનેદશા કરતાં યે વધુ આધુનિક બની શકે તેવી ખૂબીવાળી છે. ભારતીય આકાંક્ષાને વધારે સચેષ્ટપણે એ સિદ્ધ કરે છે અને ભારત પણ તરત એને અનુકૂળ બની જાય છે. પશ્ચિમ કનેથી એ જે કઇ લે છે-અને બીજા કાઇ પણ હિંદીએ લીધું હશે તેટલું પેાતાની રીતે એમણે પશ્ચિમ કનેથી લીધું છે જ-તેને ગાંધીજી તત્કાલ ભારતીય રૂપ આપી દે છે. જેમ કેાઇ સક કલાકાર પારકા સાહિત્યમાંથી કાઇ વાકય કે વિચાર લઇ આવે છે ત્યારે પ્રથમ એને આત્મસાત્ કરે છે તેમ વિદેશમાંથી ગાંધીજી જે કંઈ લઈ આવે છે તેનામાં આપણી સ ંસ્કૃતિને અનુરૂપ, એવા પ્રાણુ, એવું વ્યક્તિત્વ પૂરે છે કે, કેક દિવસ એ તે એ જ વસ્તુ પશ્ચિમને આપણે ત્યાંથી ઉછીતી લેવા આવવુ પડે. બીજી રીતે કહેવુ હાય તા, શુ` ક્રાન્તિકાર તરીકે કે શુ' રાજનીતિજ્ઞ તરીકે ગાંધીજી સર્વોચ્ચ કક્ષાના કલાકાર છે. ગાંધીજી હિંદને ધડે છે અને નેહરૂ હિંંદને ખેાજે છે તેનું કારણ પણ આ જ છે, અને ગાંધીજીની કાયલિપિ જેમને અવગત છે તેવા એમના દેશબાંધવાને એકલાને જ ગાંધીજી સુગમ્ય છે. તેનું કારણ પણુ આ જ. ગાંધીજીને સમજવાને માટે ગાંધીજીની કાય-લિપિનુ પોતાની લિપિમાં રૂપાન્તર કરવાની પરદેશીઓને ક્રૂરજ પડે છે; પણ મૂલગત સંસ્કૃતિભેદને લીધે આ પ્રકારના મેળ બેસાડવાનું એમને ફાવતુ' જ નથી. ગાંધીજી એમને પ્રત્યાધાતી, જજૂનવાણી, પ્રતિશત્રુ લાગે છે: બહુ કરે તે ચક્રમ સાધુ જેવા અને તેમ નહિ તે ગુલાંટખાજ મુત્સદી જેવા લાગે છે! શુદ્ધ જૈન પણ તેહરૂ . એમને સીધા સાદા, સુગમ્ય અને આદરપાત્ર લાગે છે. પરદેશીને એ અકળાવી મૂકતા નથી અમેરિકાવાસી, યુરોપ વાસી, ચીનવાસી બધા તેમને સમજી શકે છે. એ તે ગમે તે દેશના વતની થઈ શકયા હેત. નેહરૂ જે ગુણે પ્રગટ કરે છે તે અહિંદી નથી; પણ ત્યારે તે ખાસ હિંદના જ કહી શકાય તેવા પણ નથી. સધળી સમ સસ્કૃતિમાં સર્વસામાન્ય એવા એ ગુણા છે. દુનિયાના કોઇ પણ મહાન સુસ'સ્કૃત દેશમાં એ જન્મ્યા હાત તે જેવા છે તેવા જ હેત. ગમે ત્યાં એ સન્માનાયા વિના ન રહેત. રાજકીય ઝંઝાવાતના સમયમાં ઉદ્દન પશુબળને પડકારનારા અને ન્યાય અને સ્વાતંત્ર્યને રક્ષનારા એ વીરને લકાએ પોતાના નાયક કરીને સ્થાપ્યા હોત, શાન્તિ અને સમૃદ્ધિના સમયમાં આગળ પડતા ઉદાર મત ધરાવતા બુદ્ધિવાદી તરીકે પોતાને પ્રભાવ એ સ્થાપી શકયા હૈાત અને લાભ અને જડતાને ધિકકારી કાઢી જીવનનાં સૂક્ષ્મ મૂલ્યો એ આગ્રહથી સ્થાપતા હત. કોઇ પણ પ્રજા જેને વિષે ખુશીથી ગ ધરી શકે, જેના સ્મરણમાત્રથી સઘળા રાષ્ટ્રનાં નરનારીઓમાં સમાનવૃત્તિ ઉભરા આવે એ પ્રકારની એમની માનવતા છે. હિંદના રાજકારણમાં નેહરૂનુ સ્થાન અપૂર્વ છે. નેતા તરીકે એમણે સત્તા કરતાં મહત્તા વિશેષ સ'પડાવી છે. ભકિત કરતાં આદ રના એ વિશેષ અધિકારી ઠર્યા છે. મુત્સદ્દી તરીકે એ સમથ છે પરંતુ હજી પરિણામદાયી નીવડયા નથી. એમની શેહુ બધે પડે છે પરંતુ ધારે એ દિશામાં ઘટનાપ્રવાહને વાળવાને એ હજી અસમર્થ છે. પ્રજાના એ લાડીલા છે પણ તેના સ્વામી નથી. ભિન્ન ભિન્ન દિશામાં ગતિ કરતાં જે અળેા પ્રવર્તી રહ્યાં છે તેમની મધ્યમાં વ્યૂહાત્મક અગત્યનું જે સ્થાન એ ધરાવે છે. તેમાં જ તેમનુ બળ તા. ૧૫-૫-૪૭ સમાયલું છે. એ ગાંધીવાદી નથી તે પણ ખીજો કાઇ ન ડ્રાય એટલા બધા એ ગાંધીજીના પ્રેમ અને વિશ્વાસના અધિકારી છે. પ્રૌઢ લેકનાયકાને એમની નિષ્ઠાનું મૂલ્ય વસે છે. જ્યારે એ જ પ્રૌઢાના યુવાન પ્રતિસ્પર્ધીઓ જવાહરની નિભયતા પર વારી જાય છે. મધ્યમમા ગાંધીવાદીઓને એ સર્વથા અનિવાય છે; જ્યારે ઉદ્દામવાદીઓને એ અનુકૂળ પડે તેમ છે. રાષ્ટ્રવાદીમેને ધરપત વળે તેટલા એ આક્રમણુશૂર છે; સામ્યવાદીએ તરપાય તેટલા એ આંતરરાષ્ટ્રીય છે; મૂડીવાદી નિચ'ત બને તેટલા એ સમજદાર છે; અને સમાજવાદીએ ઇચ્છે છે એટલા એ ઉદ્દામ છે, અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભાના છેલ્લા અધિવેશનના પ્રમુખ તરીકે એમની વરણી થઇ તેને પ્રજાના તમામ વર્ગાએ આવકારી હતી. કેંગ્રેસમાંના એક પશુ પક્ષ કે જૂથ સાથે એમનું નામ જોડી શકાય તેમ નથી. એટલે તમામ પક્ષેને એમ લાગે છે કે નેહરૂ થાડેણે અંશે પેાતાના પક્ષના છે. ક્રાન્તિકારને છાજે તેવી એમની ધગશને કઈ ઇનકાર કરી શકે તેમ નથી; અને એમની નિઃસ્પૃહીøનિમાં તેમજ સાહજિક મહાનુભાવતામાં સને વિશ્વાસ છે, કેઈ એમને દ્રોહ કરી બેસે પણ એ કાઇના જ દ્રોડ નહિ કરે એવા એ વિશ્વાસ છે, એ સ્વતંત્ર રીતે પિચ.રે છે અને ગાંધીજીના ઉચ્ચતર શાણપણું કે સમૂહકા ની શિસ્તને એ માથે ચઢાવતા લાગે ત્યારે પણ એ પારકાની ભાષામાં વાત નથી કરતા. અન્યના દૃષ્ટિબિં'દુને સમજવાને એ સદા તત્પર હાય છે જે ક્રાન્તિકારને માટે તે વિરલ ગુણુ કહેવાય. મતાન્તરને એ સહી લે છે અને પ્રતિપક્ષી પર પણ ઉપકાર કરે છે. મુત્સદ્દીમાં આ ગુણા ભય કર કહેવાય ! એટલે લક્ષાવિધિ જતેાની આ આરાધ્યમૂર્તિ એકલી અટૂલી હેય તે। એમાં વિસ્મયને કારણ નથી. એમનામાંથી ઉભરાતાં વીતે એજસ્, એમના નિયપ્રફુલ્લ યૌવનની અને એમની દેખીતી આક્રમકતા ને આત્મવિશ્વાસની ભીતરમાં વિષાદ, સ ંશય અને અનિ'યતે। એક ગુપ્ત પ્રવાહ વહ્યા કરે છે, જે એમનાં લખાણાના વેદનપટુ અભ્યાસીને પ્રતીત થયા વિના નહિ જ રહ્યો હાય. પ્રાચીને અને નવીનને, મરી રહેલાને અંતે હજી નહિ. અવતરેલાને, પ્રશાન્ત સાગરને અને પ્રદીપ્ત જવાળામુખીને સાંકળતા સેતુ પર એ ઊભા છે. એક પણ કાંઠે એમને મુકામ નથી. એમને ચાહે છે સૌ, પણ અનુસરતું કાઇ નથી; એમને સન્માને છે સૌ, પણ આના કાષ્ઠ ઉઠાવતું નથી. એ એવા નેતા છે જેમને કંઇ પણ પક્ષ પર કાબૂ નથી. એમને દલી કરવી પડે છે, દાખલા આપવા પડે છે. એ હુકમા છેડી શકે તેમ નથી. સૈન્ય વિનાના એ સેનાનાયક છે. પરદેશીએ એમને હિંંદના બેતાજ બાદશાઢ કહે છે. વસ્તુતઃ તાજ તે એમને મસ્તકે છે, પરંતુ એમણે રાજ્યદંડ ધારણ કર્યો નથી. એમને જેએ અનુસરે છે તેએ પણ અનુયાયી કાક બીજાના જ હેય છે. એ એવા તેના છે જે દારે છે તે કરતાં દેરવાય છે વિશેષ. અને છતાં પારકાને નચાવ્યે નચતી કઠપૂતળી જેવા એ નથી; કેમકે એ સ્વાયત્ત, સ્વયં પર્યાપ્ત છે. ગાંધીજીને ખુદ કરતા અન્ય કોઇના કરતાં એમને પ્રભાવ અને પ્રતાપ વિશેષ છે; પરંતુ ગાંધીજી કરતાં નેહરૂનાં પ્રભાવપ્રતાપ અસ્પષ્ટ, ધૂંધળાં અને સત્તામાં ધરીભૂત ન થાય તેવાં છે. પરંતુ એ એટલા બધાં અભિજાત છે કે પાતાને ખાતર કદી સત્તાને લેભ ન કરે. એટલે સત્તા કરતાં કીતિને પ્રેમણે વહાલી ગણી છે. સાથે સાથે એમ પણ કહેવુ જોઇએ કે ગાંધીજી પહેાંચ્યા છે તેવી ઉચ્ચ અવસ્થાએ છ એ નથી પહોંચ્યા કે જ્યાં સત્તા એમને શેધતી શેાધતી આવે. તત્ત્વતઃ એમને પ્રભાવ નૈતિક કાર્ટિન છે. એમની નિભયતા દૃષ્ટિવિશાળતા, ત્યાગભાવના અને સ્વભાવનું આભિજાત્ય એ સા એ પરિયાક છે. ઉપર ઉપરથી જોતાં પરસ્પરવરેધી લાગે તૈયા ગુણાના વિચિત્ર મિશ્રણને લીધે એમના વ્યક્તિત્વમાં હૃદય િતાના ( અનુસધાન પૃષ્ટ ૧૭ મું જુએ)
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy