SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૧૫-૧૧-૪૭ મ9 % જેના += પાંચ પ્રાન્તને સમાવેશ થતો હતો. તેમાંથી આસામ તેમ જ અરધું બંગાળ અને અરધું પંજાબ હિંદી સંધમાં આવી ગયું: આમ ખંડિત પાકીસ્તાન પણ હવે તે વિશેષ અને વિશેષ ખંડિત જ થવાનું છે અને આખરે હિંદી સંધની શરણાગતી સ્વીકાર્યું જ તેને છુટકો છે એમ અજે બની રહેલી ઘટનાઓ સ્પષ્ટપણે અંગુલિનિદેશ કરી રહી છે. ત્રાવણકરને અવળે માર્ગે દોરનાર સી. પી. રામ સ્વામી અયર આજે કયાં વસે છે તેની કોઈને ખબર નથી. દેશી રાજ્યના જોડાણ અંગે મોટી દહેશત મુરલીમ રિઆસની હતી. પાકીસ્તાન સાથે ભૌગોલિક સંપર્ક ધરાવતા અને મુસ્લીમ બહુમતીવાળા અમુક રાજ્ય પાકીસ્તાનમાં જોડાઈ ગયા છે. પણ હિંદી બહુ મતીવાળા નવાબને મોટી મુંઝવણ હતી. તેમની નિષ્ઠા પાકીસ્તાન તરફ હતી અને ભગૌલિક અને વરતીવિષયક સ્વાભાવિક પરિસ્થિતિ હિંદી સંધ તરફ ખેંચી જનારી હતી. પાલણપૂર નવા તે પ્રારંબથી જ હિંદી, સંધમાં જોડાઈ ગયેલા. ભોપાળના નવાબ હતા તો કદર લીગવાદી, પણ બધા સંગે તેમણે વિચાર કરી લીધું અને જે ભાગે જાની તેમને ફરજ પડે તેમ હતું તે માર્ગ શાણપણથી તેમણે સ્વીકારી લીધા. અંધણુપુરે થોડું નાચી લીધું પણ આખરે તેની સાન ઠેકાણે આવી ગઈ. નવાબમાં સૌથી બેવકુફ જુનાગઢને નવાબ. એને સૂઝયું પાકીસ્તાન સાથે મહે બત કરવાનું. પરિણામે પિતાનું રાજ્યતંત્ર તે તેણે ગુમાવી દીધું છે અને તેની કહેવાતી નવાબી પણ આજે તે કાળતા મેઢામાં તોળાઈ રહી છે. પાકીસ્તાને જરા ધીરજ રાખી હત તે સંભવ છે કે કાશ્મીર જેવડું મોટું રાજ્ય પ્રજામતના ધોરણે અને દેહલીદીપક ન્યાય જેવા તેના ભૌગોલિક સંગેના કારણે સહેલાઈથી પાકીસ્તાન સાથે જોડાઈ જાત. પણ ખાઉં ખાઉં કરતા ખવીશને ધીરજ કેવી અને શાણપણ કેવું? ખંજરબાજીથી ખનને મેળનાર હકક, અને ન્યાયના ધે રણે ચાલીને લબો અને કંટાળાભર્યો માર્ગ કેમ પસંદ કરે? પરિણામે આજે કાશ્મીર તેના પિલાદી પંજામાંથી છટકી ગયું છે-ઉગરી ગયું છે. હવે અવશેષ રહ્યું છે. હૈદ્રાબાદ. એણે આજે ઝીણની નીતિ અખત્યાર કરી છે અને ૮૫ ટકા હિંદુ વરતીની સ્વાભાવિક ઈચ્છા અને ભેગેલિકની પરિસ્થિતિની વિશિષ્ટતાને અવગણને આઝાદ રહેવાની અને એ રીતે પાકીસ્તાનના મદદશ બનવાની આ નિઝામને હોંશ થઇ છે. આ માટે શસ્ત્રસરંજામ પણ તેણે બહુ મોટા પ્રમાણમાં તૈયાર કર્યો છે; હિંદુ પ્રજાને તેણે નિઃશસ્ત્ર બનાવી છે; મુસલમાનોને સશસ્ત્ર બનાવ્યા છે. ભલે ચાર દિવસ આઝાદીની રમત તે પણ માણી લે અને આજ સુધીમાં બની ગયેલાં અનેક રક્તપાતનાં કાડેમાં ભલે એક બે વધારે કાંડનો ઉમેરો કરે. કારણ કે જે પિશાચી વૃત્તિ તેને આજે દોરી રહી છે તે થોડે ઘણે ૫ણુ ભેણ લીધા વિના તે નહિ જ રહે, પણ આખરે સમજણ, ડહાપણું, ન્યાય અને નીતિનો માર્ગ સ્વીકાર્યું જ તેને છુટકે છે અને એમ નહિ કરે તે જે હાલ જુનાગઢ નવાબના થઈ રહ્યા છે તે જ હાલ તેના થવાના છે. આમ વિચારતાં ઘાઘેર વાદળોથી ઘેરાયેલું અને ગાજવીજથી જનતાને ભયગ્રસ્ત બનાવતું હિંદનું આકાશ ધીમે ધીમે નિર્મળનિરભ્ર બનવા લાગ્યું છે; ક્ષિતિજ ને છેડે નિર્મળ લાગતા આકાશમાં આઝાદીને સૂર્ય ધીમે ધીમે ઉચે ચઢવા લાગે છે; હિંદના પ્રાણમાં નવી ઉમા, નવું ચેતના, નવી રોશની પ્રગટી રહી છે. ગયું વર્ષ પ્રધાનત: યાતનાઓથી ભરેલું હતું. આ વર્ષ દરમિયાન એ વાતન: એને ભાર હળવે બની જશે અને શાન્તિ, સહીસલામતી અને આબાદીના માર્ગે આપણે ઝડપભેર આગળ વધીશું એવી આશા બંધાવા લાગી છે. મેહેમ લીગની પીશાચી ચુડમાંથી ધીમે ધીમે મુકત બનતી જતી મુસલમાન પ્રજાની સાન ઠેકાણે આવશે અને બે અલગ પ્રજાને અસત્ય-મૂલેક સિદ્ધાંત કેટલે બેટ અને કેવા ભયંકર અનર્થોથી ભરેલો છે તે એ પ્રજા બરે.બર સમજી જય સોમનાથ ! જ્ય સૈરાષ્ટ્ર!! તા. ૮-૧૧-૪૭ના રોજ જુનાગઢ, રાજ્ય હિંદી સંઘની શરણાગતી સ્વીકારી અને જુનાગઢ નવાબના પાકીસ્તાન સાથેના જોડાણુ સામે જુનાગઢ તેમ જ સમસ્ત કઠિયાવાડની પ્રજાએ નહેર કરેલ યુદ્ધને દોઢ માસની મુદતમાં એકાએક અન્ત આવ્યું. આ સુખદ ઘટનાએ પાત્ર જુનાગઢના કે કાઠિયાવાડના જ નહિ પણ આખા હિંદુસ્તાનના પ્રજાજનોને આનંદમુગ્ધ બનાવી દીધાં છે. તા. ૨૫-૯-૪૭ ના રોજ મુંબઈ ખાતે જુનાગઢની પ્રજાની આરઝી સરકારની સ્થાપના કરવામાં આવી હતી એ હિસાબે આ લોકયુદ્ધ દેઢ માસનું ગણાય, પણ આ આરઝી સરકારે જુનાગઢ રાજ્યના મુલક ઉપર ખરી ચઢાઈ તે ગઈ વિજ્યાદશમીના રોજથી શરૂ કરી હતી, એ હિસાબે વાસ્તવિક રીતે પખવાડીઆની મુદતમાં જ પ્રસ્તુત યુધે સફળતા પ્રાપ્ત કરી છે. આ માટે જુનાગઢની આરઝી હકુમતના સભ્ય અને ખાસ કરીને તે હકુમતના સરનશીન શ્રી. સામળદાસ ગાધીને કાઠિયાવાડની પ્રજાના અનેકાનેક ધન્યવાદ ઘટે છે. જુનાગઢના નવાબીનાં મૂળ કાઠિયાવાડની ધરતી ઉપર એટલાં બધાં ઉડાં હતાં તે કોઈ કાળે પણ ઉખડે નહિ એવી માન્યતા કાઠિયાવાડના સામાન્ય પ્રજાજનોમાં પ્રવર્તતી હતી. હિંદભરમાં કેટલાંયે રાજકીય આન્દોલને ઉઠયાં અને આથમ્યાં, દેશી રાજ્યોમાં કંઈ કંઈ ઠેકાણે રાજાઓની આપખુદી સામે પ્રજાએ ભાથું ઉંચકયું અને રૂઢ રાજ્યસત્તા સાથે ઘણું તીવ્ર ઘર્ષણમાં આવી, અથડાઈ અને પછડાઈ. રાજ કેટ અને લીંબડીનાં રાજકારણી ઉથાને તે હંજુ જાણે કે ગઈ કાલે જ બની ગયાં હોય એમ લાગે છે. પણ જુનાગઢમાં કદિ કોઈ કાળે પણ કશેયે સળવળાટ જાણવા કે સાંભળવામાં આવ્યું નહોતું. મૂળથી જ નવાબી રાજ્યતંત્રની પ્રજા ઉપર ભારે ધાક બેસી ગઈ હતી અને તેમાં પણ છેલ્લાં વીશ વર્ષ દરમિયાન જુનાગઢ રાજ્ય અખત્યાર કરેલી હાડોહાડ કોમી રાજનીતિએ હિંદુ પ્રજા જે રાજ્યની કુલ પ્રજાને ૮૨ થી ૮૫ ટકા ભાગ છે તેનું એવું સખત દમન કર્યું હતું કે તે પ્રજામાં રાજ્યના કોઈ પણ અન્યાય સામે માથું ઉંચકવાની હીંમત જ દેખાતી હતી. ગુપ્તપ્રયાગ અને વેરાવળની આવી જ દુર્દેવભરી દમનપૂર્ણ ઘટનાઓ હતી. જુનાગઢમાં ગીરનાર એક મોટું યાત્રાસ્થાન છે. એ તીર્થ માત્ર જનેનું જ છે એમ નથી, પણ આખી હિંદુ જનતાનું છે. ગીરનાર પ્રત્યે મને નાનપણથી ખુબ આકર્ષણ છે, તેથી જુનાગઢ જશે અને અન્ય વર્ગો પ્રત્યે શુદ્ધ ભાઈચારાની નાતિ અખત્યાર કરશે એવા ચિને પ્રગટ થઇ રહ્યાં છે. આયંક દૃષ્ટિએ અત્યન્ત જરિત બની રહેલું પાકીસ્તાન બહુ જ ચેડા સમય માં નાખી બની જાય અને ખંડિત હિંદુસ્થાન અખંડ હિંદુસ્થાનમાં પાછું પરિવર્તન પામે એ સભાવના આજે માત્ર કલ્પનાને કે ઇષ્ટ છે માટે એમ બનવું જ જોઇએ એ કેવળ શુભ ચિન્તનનો વિષય નથી રહી. એ સંભાવના આજે તો વાસ્તવિકતાના ક્ષિતિજ ઉપર ડોકીયું કરી રહેલ છે. વળી આ વર્ષે આખા દેશમાં સરસાદ પણ બહુ સારો પડયો છે અને પાક બહુ સારે ઉગ્યો છે. અને વસ્ત્રની મુશ્કેલીઓ હજુ ચાલુ જ છે, પણ વર્ષ આખર દરમિયાન એ સંકટ પણ બહુ હળવુ બની જશે એવી આશા રહે છે. આમ નવા વર્ષના ઉગમ સાથે નવી આશા, નવો ઉત્સાહ અને ન ઉલ્લાસ આપણે અનુભવી રહ્યા છીએ. એ આશા ઉત્સાહ અને ઉલ્લાસને આપણે ઉગ્ર પુરૂષાર્થ વડે સાર્થક કરીએ અને પરસ્પર પ્રેમ, સહકાર અને ઉદારતા વડે સાચી કેમી એકતાને જન્માવીએ અને ભારત માતાના દેડમાં પડેલી ચીરાડને કોઇથી કળાય પણ નહિ એવી રીતે આપણે સાંધી દઇએ. આજના મંગળ પ્રભાતે આ જ આપણી પ્રાર્થના હા, આ જ આપણું સતત ચિન્તન હો, આ જ આપણી તમન્ના હો ! પરમાનંદ,
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy