SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રબુદ્ધ જૈન જણાવવુ' જોઇએ કે આ કામમાં પડિત સુખલાલને ગુજરાતના સંસ્કૃત અને પ્રાકૃતના એક પ્રસિદ્ધ વિદ્વાન અને લેખક પડત એચરદાસ દોશીની સહાય મળી હતી. આ ગ્રંથના પાંચ પુસ્તકો થયાં અને એના સંપાદનકાય પાછળ ઓછામાં ઓછાં દસ વર્ષ લાગ્યાં. ઉપર કહ્યું છે તેમ એ પ્રજ્ઞાચક્ષુ છે અને છતાં એમણે આવું અસાધારણું કામ માથે લીધું' ને પતિએ પક્તિએ ગહન અભ્યાસથી પૂર્ણ મૂલ્યવાન વિદ્વતાભરી નોંધેથી એને સપૂણુ કર્યું' એ જોતાં આશ્રય' થાય છે. સામાન્ય રીતે સંપાદનની શાસ્ત્રીય પદ્ધતિથી માહીતગાર આધુનિક વિદ્વાન જ કરી શકે એવુ' સોંપાદનકાર્ય આ દૃષ્ટિહીન માજીસ શી રીતે કરી શકયા એ જાણવામાં ખરેખર રસ પડે એવુ' છે. એમના અભ્યાસખંડમાં બેસે છે ત્યારે એમની ખાસપાસ એમના શિષ્યા અથવા સહકારી બેસે છે તે એ દરેકના હાથમાં એક એક હસ્તપ્રત હાય છે. દરેકને એ વારાફરતી પાઠાંતરા વાંચવાનું કહે છે, એ પેાતે એમાંથી કયે પાઠ પાનાના ગ્રંથ માટે ઉત્તમ છે. તેના ઉડા ચિંતનમાં મગ્ન હોય છે. ને છેવટે અમુક પ ગ્રંથના પ્રધાન ભાગે રાખી બાકીના પાંતરા નિમ્નમાંધ તરીકે મૂકવામાં આવે છે. આ ગ્રંથના ભાષાંતરમાં એમણે સૌથી વધુ મહત્ત્વનું ને મૂલ્યવાન તે સાથે સૌથી વધુ મુશ્કેલ કામ કર્યું છે. નૈષ્ઠિક બ્રહ્માચારી તરીકે એમની જીવનની જરૂરિયાત અલ્લ છે. ન એ ઝઝુ દ્રવ્યાપાર્જન કરવાની માથ ફૂટ કે પરવા કરતા નથી. આદશ અભ્યાસી તરીકે જેટલું મળે તેટલાથી એ સાય અનુભવે છે. એમને મળતા વેતનમાંથી પણ એ એકાદ બે શિષ્ય કે સહાયાને નિભાવતા જ હાય છે. ૧૯૩૩માં એ ગુજરાત છેડીને કાશી આવ્યા. કાશી હિન્દુ વિદ્યા પીઠમાં જૈનદર્શનના પ્રાધ્યાપક તરીકે એમની નિમણુ' થઈ હતી. ૧૯૪૪માં એ. નાકરીમાંથી એ સ્વેચ્છાએ નિવૃત થયા. આ ૧૧ વર્ષના ગાળામાં એમણે સખ્યાબંધ કીંમતી સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી પુસ્તક લખ્યાં અથવા સ ંપાદિત કર્યાં. જૈન ધર્મોંમાં પ્રથમ સંસ્કૃતલેખન તરીકે જાણીતા ઉમાસ્વાતિના ‘તત્ત્વાર્થસૂત્ર'ની એમની ગુજરાતી અને હિન્દી ટીકા અને એ ભાષાઓમાં એ ગ્રંથનાં ભાષાન્તર એ ગ્રંથનું સાચું રહસ્ય સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજવા ઈચ્છનાર માટે અત્યંત ઉપયેગી છે. એના પાઠમાં આવતા બધા જ ગુંચવણભર્યા મુદ્દાઓના એમાં સરળ ઉકેલ છે. એમણે સંપાદિત કરેલ જ્ઞાનબિન્દુ અને પ્રમાણુમીમાંસામાંની એમની પ્રસ્તાવનાએ સંસ્કૃત પ્રમાણુશાસ્ત્રમાં મહત્વના કાળા છે. ઉપર કહેલી સમતિતક ઉપરની વિસ્તૃત ગુજરાતી ટીકા તે એમની કક્ષાના માણુસ જ લખી શકે. - ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝમાં પ્રસિધ્ધ થયેલી તત્ત્વ પાવસહુની એમની આવૃતિ ખાસ ઉલ્લેખપાત્ર છે, કારણ કે ચાર્વાક દૃષ્ટિબિન્દુનુ એમાં પધ્ધતિસર નિરૂપણુ છે ને ચાર્વાક મતે ખીજાં બધાં દનેનુ' એમાં ખંડન કર્યુ છે. હેતુબિન્દુ એ ધમ પ્રીતિના બૌધ્ધ પ્રમાણુશાસ્ત્રને એક સૌથી વધુ મહત્વનેા ગ્રંથ છે. તે અકટની એ ગ્રંથ ઉપર ટીકા પણ છે. આ મેગ્ન’થેનાં તીબેટની ભાષામાં ભાષાંતરો છે. આ ટીકાના સ'સ્કૃત પાઠનુ પ'ડિતજી ગાયકવાડ ઓ. સીરીઝ માટે સંપાદન કરે છે, ને એ આવૃત્તિમાં એની ઉપસ્તીદુવેક મિશ્રની ઉપ-ટીટા પણ હશે. આ ઉપ-ટીકા મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને તીખેટમાં લીધેલી થેડી તસ્વીરો ઉપરથી ઉપલબ્ધ થઈ છે. બિહાર અને એરિરસાની સોધન સંસ્થામાં એ તસ્વીરા ચાચવી રાખવામાં આવી છે. Gist વિસમાજમાં પંડિત સુખલાલજીનું સંસ્કૃતના અભ્યાસી તરીકે તે સાથે, એક ઉત્કૃષ્ટ ચરિત્રશીલ માસ તરીકે પણ બહુમાન થાય છે. . એ સ` પ્રકારની સાંપ્રદાયિકતા કે રૂઢ માન્યતાએથી પર છે. એમની વિચારસરણી કાઇ સંકુચિતતાથી બંધાઇ ગઇ નથી, કારણ કે પ્રત્યેક વસ્તુને એ ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ નિહાળે છે. અને શુધ્ધ વિવેક અને બુદ્ધિપૂર્વક એ વિષે નિયા કરે છે. આથી જ એમના રૂઢિચુસ્ત ઃ સહધર્મીઓ કરતાં જૈનેતરોમાં એ વધારે પ્રતિષ્ઠા પામ્યા છે. એમના ઉદાર વિચારેને કારણે જતા ઘણી વ ર તે સાવ હલકી ભાષામાં એમને નાસ્તિક કહે છે. પણ સાચા સરસ્વતીમક્ત તરીકે એ કશાની એમની ઉપર અસર થતી નથી. ઉદાહરણ તરીકે નિગ્રંથ-સપ્રદાય નામની એમની તાજેતરની જ હિન્દી કૃતિની વાત કરું. એમાં જૈન સાધુએના રિવાજ અને વ્યવહારનુ નિરૂપણ છે અને પ્રાંચીન બૌધ્ધ અને બ્રાહ્મણ ગ્રંથમાંથી એ વિષેના તુલનાદર્શક અભિપ્રાયો આપ્યા છે. અનેક વિષયો સાથે જૈન સાધુએટમાં માંસભક્ષણુની પ્રણાલિકાની પણ એમાં એમણે ચર્ચા કરી છે. જાતે જન હેાઈ જૈન સાધુએ એક કાળે અપવાદરૂપે માંસભક્ષણ કરતા એમ કહેવુ એ જેવી તેવી હિંમત નથી. અહીં સાથે એટલું કહું કે આ બખતમાં પંડિતજી સાથે મૂકી શકાય એવી એક જ વ્યક્તિ છે અને તે મુનિ જિનવિજયજી, ` મુનિજી શિક્ષણ સંસ્થાઓની વ્યવસ્થાના વિષયમાં મુબઇ અને ગુજરાતમાં જાણીતી વ્યકિત છે.......... સુખલાલજીના ચારિત્રનું હું જેને સૌથી વધુ મહત્વનું અંગ માનું છું તેને ઉલ્લેખ કર્યાં સિવાય આ નાના પરિચયલેખને પૂરે ન કરી શકું. પોતાના અભ્યાસ કરતાં પણ પોતાના શિષ્યની મુશ્કેલીગ્મા, ને એમનાં હિન અને સગવડને એ વધારે વિચાર કરે છે. શિષ્યાના છીછરા જ્ઞાનથી એમને તેય નથી થતે।. કાઇ પણ વિષયના સંપૂર્ણ` જ્ઞાનતા એ આગ્ર સેવે છે. અને એ માટે જાતે એમને બધી રીતની-પૈસાની—સુધ્ધાં-મદદ કરે છે. વિધિપૂર્વક સંસાર યાગીને પંડિત સુખલાલજી સાધુ નથી થયા, પણુ એ સાચા અર્થમાં સાધુ છે. એમને રહેવાનુ ધર નથી છતાં એમને એથી કશી અગવડ નથી થતી, કેમકે એ જ્યાં જાય છે ત્યાં. એમને સાચા દિલથી સત્કાર થાય છે ને આદરમાન મહેમાન તરીકે એમને આવકાર મળે છે. પંડિતજી મુખલાલજીના મુખ્ય મુખ્ય ગ્રંથા ૧ પંચપ્રતિક્રમણ સૂત્ર ૨ ચાર કમગ્રંથ ૩ 'ૐક ૪ યાગદર્શન (યાવિંશિકા) તા. ૧-૧૦-૪૭ ૫. ન્યાયાવતાર • તત્ત્વાર્થાધિગમ સૂત્ર સન્મતિતક પ્રકરણ-૭ ભાગ ( ૫. બેચરદાસજી સાથે ) ૮ તત્ત્વો પ્લત્રસિંહ (જયરાશિકૃત) ૯ હેતુબિંદુ (બૌદ્ધ ધર્મ કીતિ કૃત) ૧૦ જૈનદષ્ટિએ બ્રહ્મચય વિચાર ૧૧ જ્ઞાનબિંદુ ૧૨ પ્રમાણમીમાંસા ૧૩ જૈન તર્ક ભાષા ૧૪ વેદવાદ ત્રિ’શિકા ૧૫ આધ્યાત્મિક વિકાસક્રમ ૧૬ દીધંતપરવી મહાવીર ૧૭ ધમવીર મહાવીર અને કમવીર કૃષ્ણ ૬, મહાવીરના નીયમ : एक ऐतिहासिक दृष्टिपांत ૧૮ १८ निर्ग्रन्थ सम्प्रदाय २० जैन संस्कृतिका हृदय પાકીસ્તાનમાંથી આવતા સ્થાનકવાસી ભાઇઓને સગવડ શ્રી મુ`બઈ સ્થાનકવાસી જૈન સધના મત્રી જણાવે છે. ચાલુ પરિસ્થિતિને અંગે પાકીસ્તાનમાંથી જે સ્થાનકવાસી જૈન બધું મુંબઇ આવવા ઇચ્છતા હોય અથવા આવેલ હાય અથવા આવતા હૈાય તેમના માટે શ્રી દામજીભાઈ લક્ષ્મીચંદ જૈન ધમ' સ્થાનક (કાલાચોકી પેસ્ટ સામે પરેલ રોડ, ચીંચપાકલી, મુંબઇ ન. ૧૨ ટે. નં. ૪૩૫૦૬) મધ્યે શ્રી મુંબઇ સ્થાનકવાસી જૈન સંઘ તરફથી રહેવા તેમજ જમવા વિગેરેની સગવડ આપવાનું નક્કી કરેલ છે. slilizationalist and
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy