SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૪૭ . પ્રભુકણ જેન - પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી ગયા મે માસ દરમિયાન ગુજરાતમાં ઉવારસદ મુકામે મુનિશ્રી દેવેન્દ્રવિજયજીની પ્રેરણાથી સ્વ. જૈનાચાર્ય શ્રી. વિજયધર્મસૂરિની રજતજયન્તી ઉજવવામાં આવી હતી. તે પ્રસંગનું સ્મરણ કાયમ રાખવાના હેતુથી જન સાહિત્યને સમૃદ્ધ કરવામાં યોગ્ય કાળે આપનાર જન કે જનેતર વિદ્વાનનું સન્માન કરવા “શ્રી વિજયુસુરિ જૈન સાહિત્યચંદ્રક”ની પેજના કરવામાં આવી હતી અને તેને અમલ કરવાનું ભાવનગરની શ્રી યશોવિજયજી ગ્રંથમાળા નામની સંસ્થાને સોંપવામાં આવ્યું હતું. આમ તે સ્થાએ આ વર્ષના પ્રથમ ચંદ્રક કાને આપ એ નકકી કરવા માટે મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી જયંતવિજયજી, પંડિત બેચરદાસ અને શ્રી ભીમજીભાઈ સુશીલની એક સમિતિ નીમી હતી. આ સમિતિએ આ પ્રથમ સુવર્ણચંદ્રક પંડિત સુખલાલજીને આપવાની ભલામણું કરી હતી.. એ ભલામણ મુજબ પંડિત સુખલાલજીને સુવર્ણચંદ્રક આપવાને એક સમારંભ શ્રી. છોટાલાલ ત્રકમદાસ પારેખના પ્રમુખપણ નાચે ભાવનગરમાં યોજાયેલી શ્રી. વિજયધર્મસૂરિ રજત જયંતી પ્રસંગે શ્રી. યશવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી તા. ૨૮-૯-૪૭ રવિવારના રોજ ગે ઠવવામાં આવ્યા હતું. આ અવસર ઉપર જુલાઈ માસના મેડર્ન રીવ્યુ’માં શાન્તિનિકેતનના એક અધ્યાપક મહામહોપાધ્યાય શ્રી વિધુશેખર શાસ્ત્રીએ પંડિત સુખલાલજીનો એક લેખ દ્વારા પરિચય કરાવ્યો છે અને જે લેખને અનુવાદ કડી' નામના તાજેતરમાં શરૂ કરવામાં આવેલ પાક્ષિકમાં શ્રી. યશવન્ત દેશમાં પ્રકાશન કર્યો છે તેનું પ્રસંગે ચિત ગણાશે અને તે દ્વારા પંડિત સુખલાલજી એક કેવી વિશિષ્ટ આ બળવો કરવા પ્રેરતી આપણી ધર્મબુદ્ધિ આપણને જે માગે સુઝાડે તે માર્ગે બહાદુરીપૂર્વક નિડરતાપૂર્વક આગળ વધવું એ જ આપણી ફરજ બની રહે છે, કમનસીબે આજે યુદ્ધના આવેશમાં એવી એક હિંસાપ્રચુર ભાષા પ્રચલિત થઈ રહી છે કે જે ઉપરથી “આજ સુધીની અહિંસાની વાતે કેવળ બેવકુફીભરેલી હતી, હિંસા એ જ સામનાનું એક અમોઘ અને અદ્વિતીય સાધન છે, તેપ અને તરવાર જ સાચા ઉદ્ધારક છે.” આવી છાપ સામાન્ય જનતા ઉપર પડી રહી છે.આ બાબત આપણા આગેવાનોએ બરાબર યાન ઉપર લેવી જોઈએ અને આવી કાઈ ખાટી છાપ લે કોના દિલ ઉપર ન ઉઠવા પામે એ બાબતની તેમણે પુરી સાવચેતી રાખવી જોઈએ અને એ રીતે પિતાનાં વાણી અને વર્તનને પુરેપુરાં સંયમપરાયણ બનાવવાં જોઇએ. ગાંધીજીની આટલાં વર્ષોની કામગીરી બાદ અહિંસા- વિષયક આપણી કમતાકાત કબુલ કરવાને બદલે જો આપણે અહિં. સાની આ રીતે અવહેલના અને હિંસાની શેખી કરવા માંડીએ તે હવેથી આંપણે ગાંધીજીને ઇનકાર કરીને ઝીણાનું અનુયાયીપણું સ્વીકાર્યું છે અને માનવપ્રકૃતિમાં રહેલ દિવ્ય અંશના સ્થાને હેવાનિયતની પ્રતિષ્ઠા કરવાની શરૂઆત કરી છે એમ જ આપણે કબુલ કરવું રહ્યું. આપણા આગેવાને આ બાબત બરોબર યાનમાં લે. હિંસાની શેખીને પિતાના દિલમાં કે પિતાની વાણીમાં લેશ માત્ર સ્થાન ન આપે અને હિંસા તરફ ધસડી જતી પિતાની વંશપરં. પરાગત પામરતાને બરાબર ઓળખતા રહે અને અહિંસક પધ્ધતિના સમ્યગુ દર્શનના અભાવે એક ઘર અન્યાયને સામને કરવા માટે હિંસક પદ્ધતિને પિતાને અશ્રય લે પડે છે એમ નમ્ર ભાવે નિખાલસપણે કબુલ કરે અને કોઇને પણ જરૂર કરતાં લેશ માત્ર ઇજા કે નુકસાન ન થાય એવી આ આખી લડત દરમિયાન તેઓ પુરી કાળજી રાખે--આટલી વિનંતિ કરવાની અને આટલી ચેતવણી આપવાની આ ધૃષ્ટતા જુનાગઢની લડતના આપણા આગેવાને ક્ષમ્ય ગણશે એવી આપણે આશા રાખીએ ! પરમાનંદ વિભૂતિ છે તેને “કબુધ્ધ જૈન”ના વાંચકોને કાંઈક ખ્યાલ આવશે એ હેતુથી તે અનુવાદ અહિં સાભાર ઉધૃત કરવામાં આવે છે. પરમાનંદ, પંડિત શ્રી. સુખલાલજી સંઘવી હિંદના સૌથી મહાન સંસ્કૃત ૫ ડિતોમાંના એક છે. હિંદમાં જ નહિ પણ પરદેશમાં પણ એમના માટે દરેકે ગૌરવ લેવા જેવું છે. ઈ. ૧૮૮૦માં લીંબડીમાં એમને જન્મ થયે હતો. પ્રણાલિકા પ્રમાણે શાળાનું ભણતર નિયત ઉંમરે શરૂ થયું અને સાત ગુજરાતી સુધી એમને અભ્યાસ ચાલે. દુર્ભાગ્યે શીતળાના જહાદ વ્યાધિથી એમણે ચક્ષુ ખયાં અને સાળ જ વર્ષની વયે સાવ ચક્ષુહીન થયાં. પણ તે ક્ષણે કોઈને પછી પણ કહપના નહિ હોય કે આ જ બાળક આપણા દેશમાં સંસ્કૃતિને એક પ્રખર પંડિત બનવાનું છે. માંસચક્ષુથી વંચિત બનવા છતાં ઉત્કૃષ્ટ કક્ષાના પ્રજ્ઞાચક્ષુ બનવાનું એમને માટે નિમણુ થયું હતું. ખરી રીતે આ દુભાંગી દૃષ્ટિધ પછી જ એમનું સાચું શિક્ષણ શરૂ થયું. હવે એમને સંપૂરું આધાર એમની પાસે વાંચનાર પંડિત ઉપર જ હતો. પ્રથમથી જ એમને સંસ્કૃત અને તત્વજ્ઞાન ઉપર નકિ કીતિ. કાઠિયાવાડથી એ કાશી આવ્યા. ત્યાં સ્વ. મહામહોપાધ્યાય પંડિત વામાવરણ ભટ્ટાચાર્ય પાસે ન્યાયશાસ્ત્ર શીખ્યા. સ્વર્ગસ્થ મારા સતર્યા હતા, કારણ કે અમે બન્ને સ્વર્ગથ મહામહેપાધ્યાય પંડત કૅલ.સચંદ્ર ભટ્ટાચાર્યના શિષ્યો હતા. અભ્યાસ માટે સુખલાલજીને મિથિલાને પ્રવાસ પણ કરવો પડયો. ત્યાં કેટલાક વિખ્યાત અધ્યાપકો પાસે એમણે શિક્ષણ લીધું. એ અધ્યાપકોમાં સૌથી જાણીતા મહા. પંડિત બાલકૃષ્ણ મિશ્ર હતા. અહીં સુખલાલજીના જીવનને એક નાનકડો પ્રસંગ બને. એ રસિક છે એટલે અહીં ટાંક જોઇએ. એમની આર્થિક સ્થિતિ સારી નહોતી અને સંસ્કૃતને વિદ્યાર્થી ગુરૂને ઘેર રહે છે એ તે જાણીતી વાત છે. સુખલાલજીએ એક ગંજીફરાક પહે,* હતું. સરકૃત શિક્ષકે એ જોયું ને એનાં વખાણ કર્યા. બીજે જ દિવસે મિથિલાના સખત શિયાળામાં પોતાનું શું થશે એને કશે જ વિચાર કર્યા વિના એ ગંજીફરાક ગુરૂને આપી દીધું. ને પછી પિતે શું કર્યું? રાતે શરીર ઉપર ડાક ધાસના પૂળા પાથરી એની ઉપર એક ફાટયાતૂટ કામળ નાખી તેમણે એ કડકડતી ઠંડીની રાને કાઢી. વિદ્યાર્થી જીવનમાં પિતાના ભોજન માટે માસિક બે કે ત્રણ રૂપિયાથી વધુ ખર્ચ એમણે કદી કર્યો નથી. એમનું એ વ્રત હતું. મિથિલાથી પાછા કાશી આવ્યા. અહીં થોડાં વરસ સુધી સંસ્કૃત સાહિત્ય અને તત્વજ્ઞાનના વિવિધ શાખાઓને અભ્યાસ કર્યો. આ અભ્યાસ પાછળ એ રાતદવસ પરિશ્રમ કરતા અને એ રીતે એમણે સમગ્ર રીતે સંસ્કૃત સાહિત્યનું સર્વગ્રાહી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ સાહિત્યની સૌથી વધુ મુશ્કેલીમરી કૃતિઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ધર્મ એ જૈન છે એટલે સ્વાભાવિક રીતે એમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના જૈન સાહિત્યને એની બધી શાખાઓને આવરી લેતે અભ્યાસ કર્યો. જેન તત્વજ્ઞાન કે જન સિદ્ધાન્તના વિષયમાં એમના તાલે આવે એવું કોઈ નથી. કાશીથી એ પાછા ગુજરાત આવ્યા. પણ અહીં આવતા પહેલાં એ થેડા વખત આચામાં રોકાયા. ત્યાં રહી એમણે ચેડાંક હિન્દી ભાષાંતરે અને ટીકાઓના ગ્રનું કામ કર્યું. અને પંચપ્રતિક્રમણ, પહેલા ચાર કર્મગ્રંથ, એગદર્શન અને વેગવંશિકા જેવા ધાર્મિક અને તત્ત્વજ્ઞાનનાં રસિક પુસ્તક તૈયાર કર્યા. ગુજરાતમાં મહાત્મા ગાધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય વિધાપીઠસમી ગુજરાત વિદ્યાપીઠના પુરાતન્ય મંદિર માં ભારતીય તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણુંક થઈ. અહીં રહ્યા તે દરમિયાન મહત્વનું નોંધપાત્ર કામ એમણે તર્કશાસ્ત્રના પ્રથમ જૈન લેખક સિદ્ધસેન દિવાકરના સંભવિતર્ક ઉપરની અભયદેવન ટીકાના વિવિધ ઉપયોગી મૂલ્યવાન સૂચિઓ અને પરિશિષ્ટ સાથે,૮૦૦ ઉપર પાનાંને ગ્રંથ સંપાદિત કરવાનું કયુ". અહીં એ
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy