SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૪૭ હરિજન મંદિર ૧૦૫ પ્રમુખ જેન પ્રવેશ ધારા અને જૈન શ્વે. મૂ. કાન્ફરન્સનું પ્રત્યાઘાતી નિવેદન આજ સુધી એક પણ જિન મ ́દિરના દરવાજે આ મંદિરમાં કાણુ દાખલ થઈ શકે તે વિષે મર્યાદાસૂચક લખણુ જોવામાં આવતું નહેાતું. પણ જ્યારથી હરિજન મંદિરપ્રવેશના પ્રશ્ન ઉપસ્થિત થયે છે ત્યારથી આ મંદિરમાં જતા સિવાય અન્ય કોઈને પ્રવેશ કરવાના હડક નથી એવાં પાટીયાં નજરે પડવા લાગ્યાં છે. આ નિવેદનકારા પણ આજે આ જ વાત અગળ ધરી રહ્યા છે. આનું કારણ શું? શું ખીજા હિંદુ જૈન મંદિરમાં આવે એ આ ભાઇને ખરેખર નથી ગમતું? એવું કશુ જ નથી. આવા પાટીયાં હવા છતાં પણ અનેક સવષ્ણુ હિંદુએ જૈન મંદિરમાં આવે તેના આ પાટીયાં ચડાવનારા અને આ નિવેદન ધડનારા ભાઇએને જરા પણ વાંધે નથી. પણ તે ઉભયના દિલમાં ભરી છે . અસ્પૃશ્ય લેખાતા ભાઇઓ માટેની ધૃણુા. એ ધૃષ્ણા તેમને આજે ખેલાવી રહી છે કે અમારા મદિરમાં જતા સિવાય બીજા કાને પ્રવેશ કરવાન જરા પણું હક નથી. અને આ ધૃા દિલમાં ભરેલી હોવા છતાં આજના જમાનામાં એ પ્રગટપણે જાહેર કરવાની એમનામાં હીંમત નથી અને તેથી જ આ ખીલના આવા આડકતરા વિરોધ કરતું નિવેદન-ઉપરથી વિદેદૅષ દેખાતું' એમ છતાં અંદરથી હિંદુત્વને ઇંનાકાર કરવા સાથે અસ્પૃશ્યત્વનું સમર્થન કરતુ નિવેદન તેમણે મુંબઇ સરકારને મોકલવાનું ઉચિત ધાયુ' છે. એમ ન હત તે। આ નિવેદનમાં અસ્પૃશ્યતા નિવારણના મુબઇ સરકારના આ મહાન પ્રયત્નનું કાંઈ ને કાંક સમર્થન આપણને જરૂર નજરે પડવુ જોઇતું હતું. એમ ન હોત તે। એ નિવેદન એમ જરૂર જણાવી શકતુ હતુ કે અમે અમારી જાતને હિંદુ ગણતા નથી તેથી એ ભાવ સૂચવતી કલમ આપ રદ કરા, પણ સાથે સાથે અમે જણાવીએ છીએ કે અમારાં મદિર હરિજના માટે હુ'મેશાને માટે ખુલ્લાં છે. આ તે દૂર રહ્યું પણ એટલું પણ સ્પષ્ટપણે આ નિવેદનકારે જણાવતા નથી કે જે કાઇ હરિજન જન હશે તેના માટે અમારાં દિશા “મેશાને માટે ખુલ્લાં છે જ. લટુ દુરિજનામાંથી કઇ જૈન નથી અને તેથી અમારા માટે રિજન મંદિરપ્રવેશતા ક્રાઇ પ્રશ્ન જ સભાને નથી એમ જાવવામાં પ્રસ્તુત નિવેદનકારા ભારે સતે।ષ અને આશ્વાસન અનુભવતા હ્રાય અને નિરાંતના ઘુંટડે પીતા હાય ઍવો ધ્વનિ આખું નિવેદન વાંચતા સભળાય છે. ( ગતાંકથી ચાલુ ) આ બધી ચર્ચા કરવા છતાં હિં’દુઓમાં જનતા સમાવેશ કરવા તે યોગ્ય છે કે નહિ એ એક એવી બાબત છે કે જે ઉપર પ્રમાણિક મતભેદ હાઇ શકે એ સમજી શકાય તેવી વાત છે. અને તેથી જતા હિંદુએથી એક અલગ કામ છે એ પ્રતિપક્ષના દાવા આપણે સ્વીકારીએ તે પણ પ્રશ્ન ા એ છે કે આ ભાઇએ એમ કહેવાને તૈયાર છે ખરા કે અમે હિંદુએથી અલગ એવા જૈના છીએ અને એમ હાવા છતાં અને ખરી રીતે તે એમ હાવાના જ કારણે અમારા સમાજમાં, ધ'માં અસ્પૃશ્યત્વને કાઇ પણ પ્રકારનુ સ્થાન નથી. અમારાં મંદિર અને અમારા ઉપાશ્રયે! સૌ કોઇને માટે ખુલ્લાં છે ?” હરગીજ નહિ. ઉપર જણાવેલ નિવેદન જણાવે છે કે ‘હકકની રૂએ જન મંદિરમાં માત્ર જનો જ આવી શકે છે. અમે જનેતરને અમારા મદિરમાં અમારી મરજી હાય તે આવવા દઇએ, પણુ જૈન સિવાય બીજો કઇ પણ માણુસ જૈન મંદિરમાં આવવાના હકક દિ કરી શકે જ નહિ. આના સમર્થનમાં પારસી અગિયારી દાખલેો દેવામાં આવ્યો છે. અલબત્ત પારસી અગિયારીઓમાં પારસી સિવાય બીજા કોઈને દાખલ થવા દેવામાં આવતા નથી. પણ પારસી અગિયારીઓની સંકુચિતતા કાં અને જૈન મંદિરની પરંપરાગત વિશાળતા કર્યા? જૈન મંદિરને અભગમ દ્વાર અને અખડદાર તરીકે હુ'મેશા વણુ વવામાં આવ્યું છે. જૈન મંદિરમાં કાઇ પણ સમયે દર્શન કરવા જઇ શકાય છે. સગવડતાની ખાતર રાત્રે 'દિશ 'ધ રાખવામાં આવે તે જુદી વાત છે, પણુ દર્શન માટે નિમેલા ચાસ સમયેા-એવી કાઇ મર્યાદાને જૈન મંદિરની સંસ્થામાં સ્થાન નથી. એવી જ રીતે દર્શન કરવા આવનાર સૌ કાને માટે જૈન મંદિર ખુલ્લું છે. જૈન ધર્મના શાસ્ત્રગ્રંથૈામાંથી કાઇ પણ સ્થળે એવા ઉલ્લેખ મળવા સવિત નથી કે જે ઉલ્લેખ મંદિરપ્રવેશને અમુક જ જાતિ, ધર્મ કે સપ્રદાય પુરતો જ મર્યાદિત કરતે હાય. આજ સુધી આવી કાઇ મર્યાદા, આવો કાષ્ઠ પ્રતિબંધ જૈન મંદિર પુરતા જાણવા કે સાંભવામાં આવ્યો નથી. ઉલટુ જૈન મંદિરમાં જ તરાના થતા આગમનને જનાએ હુંમેશાં આવકાયુ‘ છે, ઉતેજ્યું છે, અપનાવ્યું છે. અને ન સપ્રદાયના સ્વરૂપ સાથે પણ આ હકીકત તદ્દન બંધ એસતી છે. આ વિશાળ દેશમાં જૂના હંમેશાં એક લધુમતી વગ તરીકે પેાતાનું અસ્તિત્વ ટકાવતા આવ્યા છે, અને તેથી પાંતાના સમાજને કેમ વિસ્તારતા રહેવું એ ચિન્તા જૈન સમાજના નિયામકાના દિલમાં હુંમેશાં વસેલી હૅય છે. જૈન ધર્મ તરફ અન્ય જનાને વાળવાની પ્રવૃત્તિને જૈન આચાર્યોએ 'મેશા ઉત્તેજન આપ્યું છે. જૈન' સમાજે જાણે કે પેાતાનાં દ્વાર સૌકાના માટે ખુલ્લાં હોય એવે જ હુમેશા વર્તાવ દાખવ્યો છે, એટલા જ માટે અન્ય સંપ્રદાયની અપેક્ષાએ જૈન સંપ્રદાય Converting Religion ધર્માન્તરનું હુ‘મેશાં અનુમેદન કરતા ધમ' રહ્યો છે. આ લીધે જ અન્ય હિંદુ દેવસ્થાનમાં જાત જાતની પ્રવેશમર્યાદા જોવામાં આવે છે, જ્યારે જૈન મંદિર માટે આવી કાઇ પ્રવેશમર્યાદા જૈન શાસ્ત્રકારાએ કદ્દિ પ્રતિપાદિત કરી નથી. આથી જ્યારે પ્રસ્તુત નિવેદનમાં જોરશેારપૂર્વક કહેવામાં આવ્યું છે કે જૈન સિવાય અન્ય કોઇ માનવીને જૈન મંદિરમાં પ્રવેશકરવાતા હુડડ નથી, ત્યારે તે સામે એટલા જ ભારપૂર્વક જાહેર કરવાની આપણુને જરૂર પડે છે જિતેશ્વર ભગવાનનાં દર્શન કરવા આવનાર હરકોઈ માનવીને જૈન મંદિરમાં દાખલ થવાના હડા છે. આ હુડા જૈન મંદિરની સર્વાંગી કલ્પનાના મૂળમાં રહેલા છે અને તેથી દશન કરવા આવનાર એવા કઇ પુણ્ માનવીને પાછા કાઢનાર જૈન જૈન ધર્મના મૂલભૂત મન્તવ્યોના ઇન્કાર અને અવજ્ઞા કરે છે. પ્રસ્તુત નિવેદન હિંદુઓમાં જનાને સમાવેશ કરવા સામે વિરોધ દાખવીને જ માત્ર અટકતું નથી, પણ તેથી આગળ ચાલીને જણાવે છે કે ‘‘છેવટે હિંદની બંધારણ સભાએ ન્યાયપૂર્ણ મૂળભૂત હુકાને લગતા જે ઠરાવે। પસાર કર્યા છે તે તર અમે આપનું ધ્યાન ખેંચીએ છીએ. આ ઠરાવેાથી હિંદી સ‘સ્થાનમાં વસતી જુદી જુદી સર્વ કામાને સ’પૂર્ણ અંશમાં ધાર્મિક સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. અમે તેથી નમ્રતાપૂર્વક રજી કરીએ છીએ કે આ ધારા ઉપર જણાવેલ મૂળભૂત હકાના શબ્દો અને ભાવનાથી વિરૂદ્ધ છે, અને તેથી આવા ધારાને કાયદાનું સ્વરૂપ આપવું ન જોઇએ.” આમ જણાવીને આ નિવેદનકારે જન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના નામે જે સનાતનધી હિંદુ આ ખીલને સખ્ત વિરોધ કરી રહ્યા છે તે સનાતનધમી આની વહારે જાય છે અને મૂળભૂત હકકાના નામે આ ખીલના મૂળમાંથી વિરાધ કરે છે. નિવેદનકારાના મત મુજબ હરિજનો જૈન મ ંદિરમાં તે। આવી શકતા નથી કારણ કે તે ધમે' જૈન નથી, પણ ચુસ્ત સનાતન ધમી એના મદિરમાં પશુ તેએ જઇ શકતા નથી, કારણ કે એમ કરવાથી સનાતનધમી ઓનું ધાર્મિ ક સ્વાતંત્ર્ય છુંદાય છે. હિરજનાના ધાર્મિક સ્વાત ંત્ર્યનું ચાલુ રૂઢિારા સીધેસીધુ ખુન થઇ રહ્યું છે એ જોવા સમજવાની આ નિવેદનકારને જરા પણ્ ચિન્તા નથી કારણ કે હરિજાના હાથ ઝાલવાથી તે તેએ અભડાય છે.
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy