SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૯-૪૭ પ્રશુદ્ધ જેન ચાલા કરીએ પ્રતિક્રમણ ! ગઇ વર્ષે વર્ષે સંવત્સરી આવે છે અને રિવાજ પ્રમાણે કાને-માત્રામિડી-આદિની ભૂલ વગર પ્રતિક્રમણ થાય છે. પરંતુ પ્રતિક્રમણ કર્યાંને સંતેષ મળ્યા છતાં પ્રતિક્રમણ્તુ ફળ મળતું નથી. તેનુ કારણ ખરી રીતે પ્રતિક્રમણમાંના “આવતી કાલના પ્રત્યાખ્યાન’ એ અંશ ઉપર ભાર દેવાતા નથી એ તેા મુખ્યરૂપે છે જ અને ગૌણુરૂપે ‘ભૂતકાળનું પ્રતિક્રમણ” તેના ખરા અર્થ માં થતું નથી એ પણ છે. પ્રતિક્રમણ ખરી રીતે વ્યક્તિગત સ્ખલનનુ તા થવું' જ જોઇએ પણ એ પર્યાપ્ત નથી. આજની વ્યક્તિનું જીવન સમાજ અને રાષ્ટ્રના જીવન ઉપર જેટલે આધાર રાખે છે તેટલા આધાર તેના વૈયક્તિક ગણાતા ધાર્મિક જીવન ઉપર નથી રાખતું. જૈન પ્રતિક્રમણવિધિ એક તે જૂની થઈ છે. વળી તે એક વ્યક્તિના વર્તમાન જીવનને પશુ તેના ખરા અમાં સ્પર્શ કરતી નથી. ત્યાં એ વિધિમાં સામાજિક અને રાષ્ટ્રીય પ્રતિક્રમણુની આશા તે। કયાંથી રાખી શકાય ? જૂના સમ યના સમાજમાં વ્યકિત અધાર્મિક ગણાય તેવા જે દેષો આચરતી તેનુ પ્રતિક્રમણ કદાચ એ કાળમાં તેમને લાભકર્તા થતું હશે, પરંતુ વર્તમાનમાં તે ગાય, ઘેાડા કે ધેડાહારને બદલે મેટર અને મોટરગેરેજ નિકાના બંગલામાં શૈાભી રહ્યાં છે. ત્યાં અધે' ‘વહે’ ત્યાદિ અતિચારની ગણુના માત્રથી વ્યકિતગત પ્રતિક્રમણ પણ કેવી રીતે પૂણું થાય ? નવા જમાનાના નવા દેષો છે. એ દોષોના સ્પષ્ટ પણે નિર્દેશ આપણી પ્રતિક્રમણુવિધિમાં ન હોય ત્યાં સુધી પ્રતિક્રમણ કેમ કરીને પૂરૂ' થયું ગણાય? મેટર રાખનાર કાળાબજારનુ પેટ્રેલ વાપરે છે. તેમાં કેટલા જણાને ચેરી કરવા પ્રેરે છે ? વળી ધ્રુવરને ટાઇમ-મેટાઇમ બાંધી રાખ્યા. હાય છે. તેને ખ્યાલ બધે” એમ એલવાથી આવે છે? વળી ગાય જેવા ઉપયેગી જાનવરને ઘરમાંથી કાઢી મૂકીને બારૂં દૂધ લેવાની ટેવ પાડવાથી ગેાવધને! ધીકતો ધંધો વધારવામાં આપણે નિમિત્ત થયા છીએ તેનુ પ્રતિક્રમણ કયાં થાય છે? સરકારને અરજી ઉપર અરજી કરીએ છીએ કે કાયદેસર ગૌવધ બંધ કરો, પણ આપણી ફરજ તે વિષયમાં શી હતી તેને વિચાર જો પ્રતિક્રમણની ક્રિયામાં ન આવતા હાય તેા પ્રતિક્રમણુ પૂરૂં ં કેવી રીતે થયુ' ગણાય? આજના કાળાબજારને લઇને ગરીબેને આપધાત કરવા પડયા છે. તે એ કાળાબજારમાં લેવા કે વેચવામાં આપણે શે! હાથ છે ? જો આ વિચાર આપણને પ્રતિક્રમણ કરતાં ન આવે તે। પછી ક્રૂડ તેલે' ‘ફૂડ માણે કહી જવાથી શુ' વળવાનુ છે? આજના વ્યાપારી જો સટ્ટો કરતા હૈાય તે તેને કાંઇ તાળવાનુ જ નથી અને દલાલ હશે તે પણ તેને માથે એ નથી. જે ચીજ બહુારથી આવે છે તે જ આપે છે અને છતાં તેમાં આજની પરિભાષામાં ચેરી કહી શકાય તેવું ઘણું કરી શકે છે. આમ શાસ્ત્રની પરિભાષામાં એક અતિચાર ન કરતા છતાં તે મહાન અતિ ચાર નહિ પણ અનાચારનું જ સેવન કરતા હેાય છે. તેને જો એ વસ્તુ પ્રતિક્રમણમાં ન સુઝે તેા કયારે સઝે અને તે કયારે સુધરે ? જ્યાં વ્યકિતગત દેષા જેના સુધારતા ઘણા આધાર વ્યક્િતના જ માત્ર નિ ય ઉપર આધાર રાખે છે, તેનું ભાન જ નથી, ત્યાં તેના સુધારની આશા કયાંથી રાખી શકાય? તે પછી સમાજગત અગર રાષ્ટ્રગત દોષનું નિવારણ કરવામાં તે આપણું પ્રતિક્રમણ કેવી રીતે કારગત થવાનું હતું? અને ખરી રીતે સમાજ કે રાષ્ટ્ર પણ છેવટે તે જ સુધરી જો વ્યક્તિએ પોતે અને સમૂહમાં મળીને સુધારની આકાંક્ષા સેત્રે અને પ્રયત્ન કરે? કારણ સમાજ અગર રાષ્ટ્ર ખરી રીતે વ્યક્તિઓના સમૂહનું જ એક નામકરણુ છે. ૯૫ પ્રતિક્રમણમાં વિચાર કરવા પ્રાપ્ત થાય જ છે. એક જૈનવ્યકિતને સમાજની સાથે સંબધ અનેક રીતે ધટમાન હોય છે. · વ્યાપારી સમાજ વચ્ચે તે વ્યાપારી છે, જૈન ધાર્મિક સમાજમાં તે જન છે, જ્ઞાતિસમાજમાં તે શ્રીમાલી અગર એસવાળ આદિ છે. આમ અનેક પ્રકારના સમૂહ-સમાજો સાથે તે જુદી જુદી રીતે સકળાયેલા છે. તે પ્રતિક્રમણ સમયે એ પણ વિચારવુ' પ્રાપ્ત થાય છે જ કે વ્યાપારી સમાજની કે જૈન સમાજની કે જ્ઞાતિસ’સ્થાની કઈ ત્રુટિએ એવી છે, જેથી એ સમાજનું અધઃપતન થયું છે? વ્યાપારી તરીકે એની ફરજ છે કે લાકાતે આવશ્યક ચીજો પૂરતા પ્રમાણમાં ન્યાયી ધોરણે નફે લઇને પૂરી પાડવી. આ ક્રૂરજનું ભાન વ્યાપારી સમાજમાંથી ચાલ્યું જવાથી આખી સમાજવ્યવસ્થામાં ગાબડુ પડયું છે. પ્રથમ ખૂબ કમાવુ અને પછી રાહતફંડમાં દાન આપવું તેના કરતાં વધારે સારૂં તે એ જ કહેવાય કે વ્યાપારી એવી પરિસ્થિતિ ઉભી કરે કે કાને કાઇની પાસે લાંખે। હાથ કરી -ભિક્ષા માંગવી જ ન પડે વ્યાપારીઓ ધારે તે। આટલું સહજભાવે કરી શકે છે, પણ એ તે જ ખતે જો તેઓ આખાં કાળાં ગળી જવાની આદત છેાડે. પ્રતિક્રમણ પ્રસંગે વ્યક્તિગત વનમાંના પતનના પ્રસંગે ઉપરાંત જે સમૂહ યા. સમાજમાં તે રહેતા હૈાય તે સમૂહ યા સમાજના અધઃપતનના પ્રસ`ગે। અને તેનાં કારણેાને પશુ જૈન સમાજના સભ્ય તરીકે એ વિચારે કે જે જૈન ધમ વિષે વિશ્વધર્મને યોગ્ય હેવાને આપણે દાવા કરીએ છીએ તે આટલા માત્ર ૧૪-૧૫ લાખમાં જ કેમ અટવાઇ ગયે! અને તેમાં પણ ધર્મનાં મૂળ તત્વાને ખલે તેના આત્માવિનાના ખેાળિઆવું જ પાલન લોકો ક્રમ કરતા થઈ ગયા? હરિજનને મદિર પ્રવેશ ન મળે તેટલા ખાતર આપણે એ પણ કહેવા તૈયાર થઇ ગયા કે અમે હિન્દુ નથી. તે તમે શું છે? શ્રુતાશ્રુત તમે માતા છો કે નહિં ? જો માનતાં હૈ। તા તમે હિન્દુ જ છે અને ન માનતા હા તે આટલા બધા કાલાહલ શાને ? હરિજન તમારા મંદિરના માલિક થઇ જશે એ ભય છે ? ભલે થઇ જાય. મ"દિરના માલિક થશે એટલે શું ? તેઓ વધારે ભાવથી ભગવાનને પૂજશે એ કે ખીજું કાંઇ ? જો તેમ હાય તે પછી તમારે રાજી જ થવુ જોઇએ. અને મંદિરની મિલ્કતના માલિક થશે એ ભય હાય તે। તે ખાટા ભય છે. તેઓ એ રસ્તે ચાલે છે છતાં તેના માલિક નથી થયા, તેઓ દવાખાનામાં દવા લેવા જાય છે છતાં તેના માલિક નથી થયા. તે એ ગાડીમાં મુસાફરી કરે છે છતાં તેના માલિક નથી થયા. અને તમારા મંદિરમાં માત્ર દર્શન કરવા આવશે તેટલા માત્રથી માલિક થઈ જશે? હિન્દુઓએ પણ આ દિલો તે નથી કરી કે હિરજના મંદિરમાં આવશે તે માલિક થઇ જશે. આપણે તેમના દેવને પિર ગ્રહી બતાવીએ છીએ કે તે તે પડખે સ્ત્રી રાખીને મેસે છે ઇત્યાદિ પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે પણ વીતરાગને હીરાથી મંડિત કરીને તેમને પરિગ્રહી જ બનાવીએ છીએ. જો આમ ન હોય તે। પછી આપણે ડરવા જેવુ શું છે. ત્યારે શુ? એમ સમજવુ કે હિન્દુઓને તે ધામિક ખાધા છે માટે તે હરિજનને મંદિરમાં નથી આવવા દેતા, પણુ જૈનને મંદિરના માલિકી± જાય છે માટે આવવા દેતા નથી ? મંદિરના માલિકીહક્ક જો કોઈના માત્ર દર્શન કરવાથી થઇ જતા હોય તે તેા સ્વય' જૈનાએ જ આબુના મંદિરમાં શિરે હી દરબારને ટેકસ કદી આપ્યા જ ન હોત અને જયાં કાંઇ જૈન સ્વયં જૈનમંદિરમાં જાત ત્યાંના વહીવટદાર સ્વયં પાતે જ બની ગયા હત. પરંતુ સૌ કાઇ જાણે છે કે જૈના તીર્થા અને મ ંદિરના વહીવટ અનેક જુદા જુદા નામે ચાલતી પેઢીઓ કરે છે અને તેના વહીવટામાં દર્શને જનાર કોઇ બહારના જૈનતું કાંઇ જ ચાલતુ નથી. તા ખરી વાત એ છે કે જનેામાં પણ શ્રુતાશ્રુત માનવામાં આવે છે. અને એ એક આભવચના જ છે કે જે આપણે એમ કહીએ કે અમારા ધમ તે બહુ જ ઉદાર છે, પરંતુ શું કરીએ કે તે અમારા મંદિરના માલિક થઈ જાય એટલે અમે તેમને મંદિરમાં આવવા દેવા
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy