SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩. પ્રબુદ્ધ જૈન તા. ૧-૭ ૪. ધારણ કરીને બેઠા હતા. ગાંધીજીનું હિંદી ભાષામાં કરવામાં આવેલું પ્રવચન ભાગ્યે જ સંભળાઈ શકે તેમ હતું. ત્યાર બાદ અધ્યાપક . નિર્મળ બાબુ ઉભા થયા અને તેમણે ગાંધીજીએ જે કહ્યું તે સાદી છતાં જોરદાર બંગાળી ભાષામાં સમજાવ્યું. લોકેની મુખાકૃ- તિઓ ઉપર આની અસર સ્પષ્ટપણે તરી આવતી હતી. પ્રાર્થનાસભા પુરી થતાં લોકો બેસી રહ્યા અને ગાંધીજી કોઈ મુસલમાનના ઘેર જવા ઉભા થયા. કેટલાક લોકો તેમની પાછળ પાછળ થેડા અન્તરે ચાલવા લાગ્યા તે હિંદુઓ અને મુસલમાનોનું મિશ્ર ટાળ્યું હતું. છેલ્લી દારૂણ ઘટના બાદ કદાચ પહેલી વાર જ આમ તેઓ સાથે સાથે ચાલી રહ્યા હતા. હથિયારબંધ પોલીસ બધે સમય ત્યાં હાજર હતી, પણ તેની હાજરી બીલકુલ અર્થષિનાની દેખાતી હતી. ગામડાંના છોકરાઓ તેમની સાથે અથડાઈને આગળ જતા હતા અને ગાંધીજી પાછળ દેડતા હતા. મુરલીમ યજમાનનાં ધરની ઓશરીમાં ગાંધીજી એક શણગારેલી ખુરશી ઉપર બેઠા હતા. એ ખુરશી ખદીથી ઢાંકવામાં આવી નહોતી અને એવી ખુરશી ઉપર બેઠેલા ગાંધીજી કાંઈક વિચિત્ર લાગતા હતા. તે કુટુંબના માણસે આ માનવન્ત મહેમાનનું હાથ જોડીને સન્માન કરતા હતા. કુટુંબના બાળકે ત્યાં એકઠા થઈ ગયા. હતાં અને એક પછી એક ગાંધીજીના ચરણને સ્પર્શ કરી રહ્યાં હતાં. ગાંધીજી તેમને ટાપલી મારતા હતા અને તેમની સાથે તરેહ તરેહને વિનોદ કરતા હતા. ગાંધીજીએ પિતાને માટે યજમાન તરફથી લાવવામાં આવેલાં ફળો આ બાળકોને વહેંચી આપ્યાં. ગાંધીજી જ્યારે રસ્તા ઉપરથી પસાર થયેલા ત્યારે પિતપેતા ની ઝુંપડીમાં બેસી પડદાની બહેને ગધીરને એકી ટશે જોઈ રહી હતી. આગેકુચકદમ બીજે દિવસે સવારે ગામડાંના લકે પરોઢીયાથી ગાંધીજીની. ઝુંપડી આસપાસ ટેળે મળી એકઠા થયા હતા. સાડા સાત વાગે ગાંધીજી બહાર નીકળ્યા. ગામડાંની બહેને એ ગાંધીજીના કપાળમાં કંકુનો ચાંદલો કર્યો અને તેમને ચરણસ્પર્શ કર્યો. તેમની ઉપર તેમણે ફુલ વરસાવ્યાં અને આનંદ દર્શાવવાની ત્યાંની રીત મુજબ “ઉલુ' શબ્દનો પિકાર કર્યો. ગાંધીજી ધનુષ્યમાંથી બાણુ છુટે તેવી રીતે તે ટેળામાંથી એકદમ છુટા પડીને આગળ ચાલવા લાગ્યા. તેમની સાથે ચાલવું એ પોલીસ માટે પછી આકરૂં કામ નીવડયું. આખું ગામ તેમની પાછળ પાછળ ચાલી રહ્યું હતું. હિંદુઓ અને મુસલમાને તેમના દર્શનની રાહ જોતા રસ્તા ઉપર ઉભા હતા. આગલી રાતે જ ખેતરમાંથી આ રસ્તો તૈયાર કરવામાં આવ્યું હતું. ગાંધીજી આગળ પગલાં ભરી રહ્યા હતા તે દરમિયાન જ આગળને રસ્તો સાફ થયે જતું હતું અને તે ઉપર પુખે વેરવામાં આવતાં હતાં. આ દુષ્ય જોતાં રામના વનપ્રવેશનું સ્મરણ થતું હતું. સર્વત્ર શાન્તિ પસરી રહી હતી. રસ્તામાં તેઓ વાત કરતા હતા, વિનોદ કરતા હતા અને આસપાસના લેકે જે કાંઈ કહે તે સાંભળતા હતા. આ રીતે પ્રવાસ આગળ ને આગળ વધ્યે જતો હતે. હિંદુઓ અને મુસલમાને નજીક આવતા જતા હતા. પ્રાર્થના સભાઓમાં ગાંધીજી લોકોને ભૂતકાળ ભૂલી જવાની અને આખું જીવન નવેસરથી શરૂ કરવાની વિનંતિ કરતા હતા. તેમણે એકમેક સાથે પાડેશીઓ માફક વર્તવાને અને રાજકારણની બાબતે દેશનેતા ઉપર છોડી દેવાને ઉપદેશ આપે. હિંસામાંથી કશું જ પરિણામ નહિ આવે એમ તેમણે તેમને જણાવ્યું. ઘરને આગ લાગી હોય ત્યારે આગ ઓલવવી એજ સૌથી પહેલી ફરજ હોઈ શકે. આ માટે લીગરે મેસ્લમ લીગને કે કોંગ્રેસીઓએ કોંગ્રેસ કમીટીને પુછવા જવાની કશી જરૂર છે જ નહિ.લાડી હા કે અણું બસ . . બને પાછળ એક જ હેતુ રહે છે. હિંસા તેના કેઈ પણું આકારમાં અનિષ્ટ છે અને સર્વ કંઈ માટે અનર્થકારી છે. આની આ જ વાતમાં થોડા ફેરફાર સાથે તેમણે જુદી જુદી પ્રાર્થનાસભામાં સંભળાવી હતી. લોકોમાં કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી થાય કે લાગણીઓ ઉત્તેજિત થાય એવો કોઈ સંભવ જ નહોતું. એ કેવળ “યાત્રા” જ હતી. પ્રસિદ્ધિને લગતી સર્વ પ્રકૃતિને તેમણે જરા પણ આવકાશ મળવા દીધું નહતું અને છાપાવાળાઓને મુલાકાતે આપી નહતી અને સમાચાર–સાધન-સામગ્રીવાળાઓને ત્યાંથી વિદાય કરી દેવામાં આવ્યા હતા. ખુદાના માણસ' ગાંધીજી પિતાને દૈનિક કાર્યક્રમ ઘડિઓળના કાંટાની માફક અમલમાં મૂકતા હતા. પોતાના જ દાખલાથી તેમણે ગ્રામ્યજનોને સ્વચ્છ અને નિયમિત જીવનને બોધપાઠ આપ્યું. પ્રાર્થનાસભાઓ તેમ જ વાર્તાલાપ દરમિયાન તેમણે શું ખાવું, કેમ ખાવું અને . ચાલુ જીવનમાં એકમેકને કેમ મદદરૂપ થવું એ બધું ત્યાંના લોકોને શિખવ્યું. આખો દિવસ તેઓ કામ જ કર્યા કરતા હતા. કાર્યકર્તાઓ સાથેની બપોરના ગાળાની વાતચીત દરમિયાન ગાંધી ખાટલા ઉપર સૂતેલા નજરે પડતા હતા અને તેમના માથા અને પેટ ઉપર ભીની માટીની પટલી પડેલી દેખાતી હતી. પિતાની શકિતઓને ખરે વખતે પુરો ઉપયોગ થઈ શકે એ માટે એ શકિતએને ગાંધીજી બને તેટલી સંગ્રહિત કરતા હતા. સાધારણ રીતે રાત્રે નવ વાગે તેઓ આરામ લેવા જતા હતા, પણ ઘણી વખત જ્યારે જરૂર જણાય ત્યારે સવારના અઢી વાગ્યા સુધી દીવાના ઝાંખા પ્રકાશમાં પિતાને પત્રવ્યવહાર સંભાળતા તેઓ દ્રષ્ટિગોચર થતા હતા. તેમણે ગ્રામ્યજનો ઉપર ખરેખર કેટલી અસર નીપજાવી છે તે હું જોઉં તો ખરે એમ મને વિચાર આવ્યો. ખેતરમાં કામ કરતા મુસલમાન ખેડુતો સાથે મેં ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ગાંધીજી તે ખુદાના માણસ છે.” તેઓ હિંદુઓ જેટલી જ ગાંધીજીને જોવાનું અને જાણવાને આતુર હતા. નૌખાલી પેસ્ટ ઓફીસમાં કામ કરતા મુસલમાન કલાએ મને કહ્યું કે ગાંધીજી જ્યારે તેમના ગામડામાંથી પસાર થવાના હોય ત્યારે મારે તેમને ચોકકસ ખબર આપવા. ગાંધીજીના આ બાજુ આવવા બાદ તેમનું કામકાજ ખુબ વધી ગયું હતું એમ તેમણે મને જણાવ્યું. કોઈ પુરૂ સરનામું કરતું જ નહોતું. પણ માત્ર “ગાંધીજી, બેંગલ” એ સરનામે જ ઘણા ખરા કાગળ આવતા હતા. તેમની હાજરીની સૌ કોઈના દિલ ઉપર બહુ ઊંડી છાપ પડી હતી. અહિંસા અને રેડીયમનું સાદુષ્ય એક દિવસ હું મારી મેળે જ ગામડાંના લોકોને પરિચય સાધવા નીકળી પડયે. કેટલીયે ઝુંપડીએ જમીનદોસ્ત થયેલી અને કાટમાલના ઢગલામાં ફેરવાઈ ગયેલી નજરે પડતી હતી. એમ છતાં પણ ત્યાંથી નાસી છુટેલા કેટલાક ગરીબ હિંદુઓ આ પ્રસંગે અહિં આવી ચઢયા હતા, કારણ કે મહાત્માજી પિતાને ગામ જ્યારે પગે ચાલીને આવે ત્યારે પિતે ત્યાં હાજર ન હોય એ ખ્યાલ તેના માટે અસહ્ય બન્યા હતા. મેં પાંચ માસેનું એક કુટુંબ ગાંધીજીનું સ્વાગત કરવા માટે આવીને ઉભેલું જોયું. તેમને રહેવાને ધર નહોતું; શરીરે તેઓ ચીંથરેહાલ હતા; બધા વચ્ચે સુવાને માત્ર એક બ્લેકેટ હતું. તેમણે કહ્યું કે “મહા માજી અમને અમારા ગામડામાં પાછા આવવાનું કહે છે. અમે પણ જાણીએ છીએ કે અમારી જમીને છોડીને બીજાની દાનવૃતિ ઉપર નભવાનું અમારા માટે શક્ય નથી. ગાંધીના આગમનના આ મંગળ દિવસે અમે અમારા ગામમાં અમારૂં જીવન નવેસરથી શરૂ રરીશું.' પિતાની ઈજજત બચાવવા માટે પિતે નાસી છુટી અને એમ કરવા જતાં પોતાનું બાળક કેમ ગુમાવી બેઠી એવી પિતાની કરૂણુ કથા એ કુટુંબની માતાએ મને સંભળાવી. બાળક હાથમાંથી પડી ગયું અને ત્યાં ને ત્યાં જ મરણ પારકા
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy