SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૪૭ અસ્તુ. આ તે હું જરા વિષય ઉપર આગળ વધીએ. પ્રભુ વિષયાંતર કરી ગયા. સુવે મૂળ જેમ સ્થાપત્યની કળાને વિકાસ કરી જનાએ ગુજરાતને અપૂર્વ અને આકર્ષીક રોભા આપી છે તેમ, સાહિત્યવિષયક વિવિધ રચનાદ્વારા જનેએ ગુજરાતને અનુપમ જ્ઞાનસમૃદ્ધ બનાવ્યું છે, ગુજરાતની સાહિત્યસમ્પત્તિ ઘણી વિશાળ છે. અહિલપુરના અભ્યુદયકાળથી માંડી આજ સુધીમાં જૈન એ ગુજરાતમાં રહીને જે સાહિત્યરચના કરી છે તેની તુલનામાં બીજો કાઇ દેશ ખેસી શકે તેમ નથી. પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી અને નવીન ગુજરાતી એમ વિવિધ ભાષાઓના હજારા ગ્રંથેથી ગુજરાતના જ્ઞાનભંડારા ભરપૂર છે. પ્રાકૃત ભાષા, જે આપણા દેશની બધી આય ભાષાઓની માતામહી છે તેના વિપુલ ભંડાર એક માત્ર ગુજરાતની સપત્તિ છે. વલ્લભી યુગના આરંભથી લઇ, છેક માગલઇના અંત સમય સુધીમાં ગુજરાતના જૈન યતિ પ્રાકૃત ગ્રંથોની રચના કરતા રહ્યા છે, અને એ રીતે પ્રાકૃત ભાષાનેા અખંડ પરિચય ગુર્જર પ્રજાને તેઓ આપતા રહ્યા છે. પ્રાકૃત ભાષાના એ પરિચયસાતત્યને લઇને, ગુજરાતી ભાષાના વિકાસક્રમના ઇતિહાસ આપણને ખૂબ જ સુલભ અને સુસ્પષ્ટ રીતે પ્રાપ્ત થઇ શકે છે. હિંદી, મરાઠી, બંગાલી અને ગુજરાતી ભાષાની સાક્ષાત્ જનની જે મધ્યકાળની અપભ્રંશ ભાષા ગણાય છે તેનુ પણ જેટલું વિપુલ અને વિશિષ્ટ સાહિત્ય ગુજરાતના જૈનભડારામાં પ્રાપ્ત થાય છે તેટલું ખીજે કયાંયે ઉપલબ્ધ નથી. વનરાજ ચાવડાના રાજ્યાભિષેકના યુગથી માંડી, કરણ વાઘેલાના પતન સુધીના સમય દરમ્યાનના દરેક સૈકાની, જૈન યતિએ રચેલી એવી કેટલીય અપભ્રંશ કૃતિએ અણુહિલપુરના ભંડારામાંથી આપણુને જડી આવે છે, જૈન પડિતે હમેશાં પ્રાચીન અને વર્તમાન બ’તે પ્રકારની ભાષાના ઊપાસકો રહ્યા છે; અને તેમણે બંને પ્રકારના ભાષા-સાહિ ત્યને પોતાની કૃતિએથી અલ'કૃન કયુ" છે, પ્રાકૃત અને સંસ્કૃત એ ખે પુરાતન ભાષા સાથે અપભ્રંશયુગમાં તેમણે અપભ્રંશ ભાષાને સમૃદ્ધ કરવા અંધે તેમાં પણ તેટલી જ રચના કરી; અને એ યુગ વીત્યા પછી, જ્યારે ગુજરાતી ભાષાને યુગ આરભાયે ત્યારે તેમાં પણ તેટલી જ તત્પરતાથી તેવી રચના કરવા માંડી. હેમચંદ્રના જીવનની સમાપ્તિ સાથે અપભ્રંશ ભાષાના જીવનની પણ સમાપ્તિ થઇ; અને ગુજરાતી ભાષાને ઉદયકાળ–પ્રારંભ થયો. એ ઉદયકાળી આદિ ક્ષજુથી લઇ આજ સુધી જૈન વિદ્વાનાએ ગુજરાતી ભાષાની અવિરત સેવા કરી છે અને જેની બરાબરી કાષ્ટ પણું દેશભષા ન કરી શકે એટલી બધી કૃતિથી એ ભાષાના બડારને એમણે ભર્યાં છે. વિદ્યાવિલાસી અને સરકૃતિ-પ્રતિભૂતિ મહારાજાધિરાજ સયાજીરાવના પ્રશંસનીય આદેશથી સદ્દગત સક્ષરશ્રી સર ચિમનલાલ દલાલે પાટણના ભંડારનું સવિસ્તર પર્યવેક્ષણુ કર્યુ હતુ, અને તેના પરિણામે ગુજરાતી ભાષાના એ પુરાતન અમૂલ્ય ઝવેરાતને જગત્ આગળ મૂકવાના અનન્ય ઉદ્યોગ કર્યો હતે. એ ઉદ્યોગના પરિણામે આપણને એ ઝવેરાતના મહાન ખજાનાએ ખેળી કાઢવાની જિજ્ઞાસા પ્રાપ્ત થઈ છે. જૈન-સાક્ષર શ્રી માઠુનલાલ દલીચંદ દેશાઇ છેલ્લાં વીશેક વર્ષથી ગુજરાતી ભાષામાં રચાયેલા જૈન સાહિત્યની શેષોાળ કરી રહ્યા છે અને તેના ફળરૂપે તેમણે અત્યાર સુધીમાં લગભગ હજાર-હજાર પાના જેટલા દળદાર ત્રણ ગ્રંથ તૈયાર કર્યાં છે. એ પ્રથા જોવાથી આપને કલ્પના આવશે કે જૈન વિદ્યાએ ગુજરાતી ભાષાની કેવી ઉત્કૃષ્ટ સેવા કરી છે. અણુહિલપુર, ભક્ષ્ય, ખંભાત, કપડવ’જ, ધળકા, ધંધુકા, કર્ણાવતી, ડભેઇ, વડાદરા, સુરત, પાલણુપુર, પાટડી, ચંદ્રવતી, ઇડર, વડનગર, વગેરે વગેરે ગુજરાતનાં દરેક મધ્યકાલીન નગરાના ઉષાશ્રયે માં વસી જૈન યતિએએ અસંખ્ય સંસ્કૃત ગ્રંથેની રચના કરી છે; અને એ ગ્રંથમાં વ્યાકરણુ, કાવ્ય, કેષ, અલંકાર, જેન સાહિત્ય, છંદ, નાટક, ન્યાય, વૈદક, જ્યાતિષ, ગણિત, આખ્યાન, પ્રબંધ આદિ જ્ઞાન-વિજ્ઞાનના સર્વ વિષયાના સમાવેશ કર્યાં છે. સેકડા એવા માત્ર કથાયા છે જેમાં ગુજરાતના સામાજિક અને લોકજીવન વિષેની વિવિધ માહિતિ આપણને મળી આવે છે. તે કાંળમાં પ્રચલિત ગુજરાતની સેંકડા લાકકમાને લૌકિક સંસ્કૃત ભાષામાં પરિવર્તિત કરી, તેમના પણ અનેક સંગ્રહા. તેમણે ગ્રંથિત કર્યાં છે. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની યથાશ્રુત ધટનાઓને ગ્રંથશ્રદ્ધ કરવા, અને એ રીતે ગુજરાતના ઇતિહાસને સુરક્ષિત કરવા તેમણે ઐતિહાસિક-અધ -ઐતિહાસિક એવા સખ્યાધ પ્રબંધની રચના કરી છે. ગુજરાતના રાષ્ટ્રીય ઇતિહાસનુ જેટલું સરક્ષણ જેને એ કર્યુ છે તેના સહસ્રશ જેટલા ભાગનું પણ રક્ષણ જૈનેતરાએ કયુ નથી. ધામિઁક મનેવૃત્તિની સી' ભાવનાથી જો આપણે જેનેના એ મહાન રાષ્ટ્રઋણુની હલકી કિંમત આંકીએ કે નાકબુલાત કરીએ તે એક પ્રકારના રાષ્ટ્રદ્રોહ જ કર્યું સમજાય. ગુજરાત પાસે તેના પોતાના જ સતાનેાની જ્ઞાન-વિજ્ઞાનના સત્ર વિષયોની ઉત્તમાત્તમ કૃતિ વિદ્યમાન છે, અને એ રીતે જનેએ ગુજરાતને સાહિત્ય-સામ્રાજ્યની દૃષ્ટિએ સર્વતંત્ર-સ્વતંત્ર રાષ્ટ્ર બનાવ્યું છે, અલબત્ત આ રીતે ગુજરાતની સાહિત્યિક સમૃધ્ધિના ભડારાને ભરપૂર કરવાના યશ જૈનેને ધટે છે, પણ એ સાહિત્ય-સર્જન કરવામાં જતાને પ્રેરણા કયાંથી અને કેવી રીતે મળી, તે પણ જરા વિચારી જોઇએ, જો કે આ વિચાર ખૂબ લાંબુ વિવેચન માંગી લે છે. એની પૂર્વભૂમિકા તપાસવા માટે આપણે ગુજરાતના જૂના ઇતિહાસનાં ઘણાં પાનાં ઉકેલવાં જોઇએ. એ માટે અહીં પૂરતા અવકાશ નથી; છનાં હું બહુ જ સંક્ષેપરૂપે એ વિષે થોડાંક વાકયા કહેવા ઇચ્છું છું. સા ગુજરાતના 'સુવણૅ કાલ રચનાર ચૌલુકય નૃપતિએ ઉત્કટ સ્વદેશપ્રેમી હતા. તેમની મહત્ત્વાકાંક્ષા ગુજરાતને ભારતનુ મુકુટમણિ બનાવવાની હતી. શક્તિ, સંસ્કૃતિ અને સમૃદ્ધિમાં ગુર્જરદેશ, અન્ય દેશેા કરતાં જરા પણ પાછળ ન રહે એ તેમની સામ્રાજ્ય નીતિના મહનીય મુદ્રાલેખ હતા. તેએ જેટલા શૌર્યપૂજક હતા તેટલા જ સસ્કારપ્રિય હતા. સાહિત્ય, સ્થાપત્ય અને સંગીત આદિ સર્કલાના તેઓ ખુબ શોખીન હતા. કળાકેાવિદોના તેએ શ્રદ્ધાવાન ભક્ત હતા. તેઓ પોતાના શૌય બળથી જેમ ગુજરાતના સામ્રાજ્યની સીમાએ વધારવા ઈચ્છતા તેમ ઉત્તમાત્તમ સ્થાપત્યની રચના દ્વારા ગુજરાતના નગરાની' શાભા વધારવા ઇચ્છતા. વિદ્યાના અને વિશેષજ્ઞેશને સમૂહ-સંગ્રહ કરી તેમના દ્વારા સાહિત્ય સર્જન કરાવતા અને ગુર્જર પ્રજાની જ્ઞાનજ્યોતિ વિકસાવતા. ભારતના અન્ય રાજ્યામાં જેવાં વિશિષ્ટ દેવસ્થાના કે જલાશયા વગેરે સ્થાપત્યનાં સુંદર કામા થયાં હાય કે થતાં હાય તેવાં કામે ગુજરાતમાં પણ થવાં જોઇએ; બીજા પ્રાંતામાં જેવા વિદ્યામો અને સારસ્વત ભંડારા વિધમાન હાય તેવા ભઠા અને ભડારા ગુજરાતમાં પણ વિદ્યમાન હાવા જોઇએ; ભારતના અન્ય રાજદરબારામાં જેવા સમ વિદ્રા, પંડિત, કવિ, મત્રી, રાજદૂત, સૈનાનાયકા, નીતિવિશારદ, વ્યાપારપ્રવીણેા અને અન્ય કળાનિપુણ પુરૂષો વિદ્યમાન હોય તેવા ને તેથી પણ ચઢે એવા શ્રેષ્ઠ પુરૂષરતા ગુજરાતની રાજસભા શોભાવનારા પણુ સદા રહેવા જ જોઇએ ઃ એ તેમની સામ્રાજ્ય જિગીષાનુ મુખ્ય ધ્યેય હતુ. ગુજરાતની શક્તિ અને સંસ્કૃતિની કોઇ પણ બાબત વિષે યત્કિંચિત્ પણ આક્ષેપ થાય કે લઘુતા બતાવાય તે તેમને સ્વપ્ને પણ સદ્ઘ થતું ન હતું. તેમના એવા ઉત્કટ દેશપ્રેમે અને સંસ્કાર–શેખે તેમને પેાતાના દેશમાં રૂદ્રમહાલય, ત્રિપુરપ્રાસાદ, સોમેશ્વર અને તેવાં ખીજા સેંકડે। ભવ્ય મહાલયા બાંધવા પ્રેર્યાં, કણ્ સરાવર, મિનલસરોવર, સિદ્ધ્સર જેવાં અનેક મહાસરાવ રચવા ઉત્સાહિત કર્યાં, સ્થાને સ્થાને સુંદર તેારણે અને
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy