SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧-૪૭ - 25. આપણી આંખમાં મેલ હોય, જીભમાં જૂઠ ભર્યું હોય, દિલમાં મલીન વૃત્તિઓ ભરેલી હોય તે બાહ્ય આચાર બજારૂપ થવાને છે. સાથે સાથે અંદરની સ્વચ્છતા કરવી જોઈએ. મહાવીરનું નામ વિધાલય સાથે જોડવું હોય તે તેમનું સ્મરણ હંમેશા હોવું જોઈએ. આપણે વિઘા લેવી હોય તે મહાવીરની મૂતિ આપણી સમક્ષ હોવી જોઈએ, એમનું ચારિત્ર્ય આપણી સમક્ષ હોવું જોઈએ અને તેઓ ઇચ્છે છે એ પ્રમાણે આપણે જીવવું જોઈએ. તે જ મહાવીર નામ સાથે જોડાયેલું જૈન વિદ્યાલયનું નામ શોભે. બાકી યુનિવર્સીટીઓ અને કોલેજો તે ઠેકઠેકાણે નીકળે છે, પણ એમાંથી લાભ મેળવવું હોય તે ધર્મના મૂળતને પકડવા જોઈએ. હિંદ હવે આજ સુધી હતું તેવું રહ્યું નથી, આગળ ચાલી રહ્યું છે. દુનિયાના બીજા સ્વતંત્ર મુલકે સાથે તે હરીફાઈ કરી ન રહ્યું છે. હિંદ દુનિયાનો પાંચમો હિસ્સો છે. હવે જે વિદ્યાર્થીઓ જવાબદારી સમજે તે તેમને માથે મેટો બેજો આવવાના છે. તેમને માટે જીવનમાં અવકાશ પણ ખુબ છે. અનેક પ્રકારના દરવાજા તેમને માટે ખુલી જવાના છે. આજે તે જગ્યાઓ માટે લાયક \. માણસ મળતા નથી. અંગ્રેજો તે હવે હિંદમાંથી જવાનાં જ છે. આજ સુધી થોડા અંગ્રેજોએ રાજ્ય ચલાવ્યું છે, પણ હવે આપણુ પર આટલા મેટા મુલકને બે આવી પડયો છે. એટલે કોઈ એમ ન કહે કે આમને કારભાર ચલાવતા ન આવડે. આપણે દુનીયાને એ બતાવવું છે કે સ્વતંત્ર હિંદનો વહીવટ આપણને ચલાવતા આવડે છે. આજે તે ગાંડપણ આવ્યું છે. પણ જ્યારે ગુલામીમાંથી મુકિત મળે છે ત્યારે થોડો વખત એવું ગાંડપણ આવે, બેશુદ્ધ પણ થવાય. પણ હવે જલદી શુદ્ધિ આવવી જોઈએ. હીંદમાં અનેક સંપ્રદાય છે, ધર્મો છે, ઝગડાઓ હોવાં છતાં અત્યાર સુધી આપણે એકજ બાપની પ્રજા માફક રહેતાં આવ્યા છીએ તેવી જ રીતે રહેવું જોઈએ. નહિ તે આઝાદ હિંદ આવતી કાલે ફરીથી પરતંત્ર થશે. આજનો વિદ્યાર્થી ભાગ્યશાળી છે કે તેને સ્વતંત્ર હિંદમાં પિતાની જીદગી શરૂ કરવાની છે. હવે પછી પાછળનાની માફક એને લડાઈ કરવાની નથી. હવે તે તેણે રચનાત્મક કાર્ય ઉપાડવામાં હિસ્સો આપ જોઈશ. એને માટે લાયક કેળવણી તેણે મેળવવી જોઇશે. તે જ આવી સખાવતેનાં સારાં ફળ આપણે ચાખી શકીએ. એક લાખની સખાવત કરવા માટે ભેળાભાઈને હું મુબારકબાદી આપું છું અને છે શ્રી મહાવીર જૈન વિદ્યાલય આગળ ને આગળ વધ્યે જાય એમ હું અન્તઃકરણથી ઈચ્છું છું. વેશધારીઓ ( જુનું દફતર તપાસતાં કેટલાંય વર્ષો પહૅલાં લખાયેલો આ લેખ મળી આપે છે. અને લેખક કોણ હશે તેની ખબર પડતી નથી. આમ હતી નથી. આમ છતાં આજે પણ આ લેખની વસ્તુ ને એટલી જ ઉપગી અને સમયસરની. છે એમ લાગવાથી અહિં પ્રગટ કરવામાં આવે છે. ) અહી” પરધમીઓ સાથે કે વહેવાર રાખવામાં આવે છે ?? છે ઈરાનની ભૂમિ ઉપર પગ મૂકતાં કવિવર રવીન્દ્રનાથ ટાગેરે પ્રશ્ન કર્યો. પહેલાં તે અહીં જરથુસ્તીઓ અને બહઇઓ ઉપર ખૂબ જુલમ થતું. પણ આજના નવા શાસનયુગમાં સૌ સમાન અધિકાર ભોગવે છે. ધર્મને નામે દેષ કે હિંસા જેવું કંઈ નથી રહ્યું.” એક અધિકારીએ ઉત્તર આપ્યો. છે વિદ્યાને વિસ્તાર જેમ જેમ વધતો ગયો તેમ તેમ ધર્મગુરૂ એને પાખંડી પ્રભાવ મેળે પડશે. તે પહેલાં તે વેશ ધારણ કરવાથી કોઈ પણ માણસ ધર્મગુરૂ બની શકતે. આજે હવે એમને અમુક પ્રકારની કસોટીમાંથી પસાર થવું પડે છે. પરિણામ એ આવ્યું છે કે તેમાંથી નાણું પાખંડી નાસીપાસ બની વેશને અધિકાર ખેઈ બેસે છે. , શ્રી રવીન્દ્રનાથ ટાગોર એ પ્રકરણના અનુસંધાનમાં નીચેના વિચારે રજુ કરે છે: ધારો કે આપણા દેશમાં-હિંદુસ્થાનમાં—આ કોઈ કાયદો થાય અને જેટલા જેટલા પંડયા પુરે હિતે અને સાધુ-સંન્યાસીઓ છે તેમની કાયદેસર કસોટી કરવામાં આવે છે ? “જેઓ ખરેખરા સાધુ-સંન્યાસી છે તેમની ગ્યતા પરીક્ષાથી પુરવાર થઈ શકતી નથી. એ વાત બરાબર છે પણ જ્યાં મરજી પ્રમાણે વેશ અને પદવીઓ લેવાતાં હોય ત્યાં સાચી સાધુતા પારખવી અત્યંત કઠિન થઈ પડે છે. આપણે એ વેશ અને પદવીને જ સાચી સાધુતા માની લઈએ છીએ. કેવળ વેશધારીઓ અને ઉપાધિના આડંબરધારીઓના ચરણોમાં લાખો હિંદુઓનાં મસ્તક મૂકે છે. ભૂખમરાના રોગથી પીડાતા આ દેશનાં ધનધાન્યને ભારે દુર્વ્યય થાય છે. આત્માને છેતરવા સિવાય એને . બીજો કોઈ બદલે મળતા નથી. “સાધુતા અથવા સંન્યાસ જો પોતાનાં આધ્યામિક કલ્યાણની ખાતર જ હોય તે વેશ અને નામ બદલાવવાની ભાગ્યે જ જરૂર રહે છે, અને જો એ બધું બીજાની ખાતર હોય તે પરીક્ષા કે કસેટીની જરૂર છે. ધમ જો આજીવિકાનો વિષય બને, અથવા તે લોકમાન્યતાને વિષય બને અને ચોક્કસ પ્રકારના વેશ તથા વહેવાર વડે એ ધાર્મિકતાની જાહેરખબર ફેલાવવામાં આવતી હોય તે, આખરે બીજા કશા ખાતર નહીં–સ્વમાનની ખાતર એ જાહેરખબરમાં કેટલે દંભ-પાખંડ છે તે આપણે સૌએ સમજવાની તકલીફ લેવી જોઈએ.” (ઈરાન-યાત્રા) ઈરાનમાં દીક્ષા--પ્રતિબંધ ઈરાનના આજના ભાગ્યવિધાતા રેઝા શાહ પહેલવીએ રાજસૂત્ર હાથમાં લીધું ત્યારે ધંટીના બે પડ વચ્ચે દાણે દળાય તેમ આખુયે ઈરાન લૂંટારા અને ધર્મગુરૂ-મુહલાઓની એડી નીચે છુંદાતું હતું. લૂંટારાઓનું, જડાબીટ કાતાં રેઝા શાહને જરા આકરૂં તે પડયું, પણ અંધશ્રદ્ધાળુઓ ઉપર ઈશ્વરના નામે આપખુદી ચલાવનારા અને રાજ્યના શાસનતંત્રને પણ ઉથલાવી નાંખવાની તાકાત ધરાવનારા મુલ્લાએની સામે કલ્લેબંધી બાંધવી એ વળી વધારે આકરી વાત હતી. રેઝા શાહે પિતે લશ્કરની આગેવાની લીધી અને રાજમાર્ગો ઉપર તેમજ અંધારી-એકાંત ઝડીમાં ચાંપતા પહેરા ગોઠવીને હરામખોરને તેમજ ધાડપાડુઓને જેર કર્યો. એક જાદુગર જોતજોતામાં ચમત્કાર કરી બતાવે તેમ રેઝી શાહે ઈરાનના ઇતિહાસમાં એ રીતે એક નવું જ પ્રકરણ ઉઘાડયું. પણ ખરેખરૂં મુશ્કેલ કામ તે તેને હજી હવે જ કરવાનું હતું. સામાજીક કે ધાર્મિક સુધારા માત્રને ધર્મગુરૂઓને મહેટ ભાગ કે વિરોધ કરે છે એ આપણે અંગત અનુભવ ઉપરથી જાણીએ છીએ. અંધશ્રદ્ધાનું વાદળ જરા વીખરાવા લાગે કે તે જ ક્ષણે આ ધર્મગુરૂઓ કેટલા ભેદ પડાવે છે અને કેવી વિચિત્ર ઉશ્કેરણી ફેલાવે છે તે પણ આપણું માહીતીની વસ્તુ છે. ઇરાનના પુનરુદ્ધારમાં એ જ ઈતિહાસે પિતાની પુનરાવૃતિ આદરી. તા. ૧૮ મી જુનના ટાઈમ્સમાં એક વિદ્વાન લેખક પિતાનો અંગત અનુભવ નાંધતાં આ વિષે એક સ્થળે કહે છે કે : "The Mullahs were the real rulers of Persia far centuries. They could support or smash &ny Government by the immense influence they had on ignorant and superstitious people. Every measure of reform was stifled by the bigoted priesthood; all progress was at a standstill. Canti ( અનુસંધાન પૃષ્ટ ૧૫૫ જુઓ )
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy