________________
सचस्स आणाए उबट्ठिए मेहाबी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જૈન
सत्यपूतां वदेद्वाचम्
પ્રબુદ્ધ
પ્રબુદ્ધ જૈન
જુલાઈ ૧૫
૧૯૪૫
જૈન કામનું ખાસ પ્રતિનિધિત્વ !
રાજકીય નવી રચનામાં જો ખીજી કામાને અગત્યની લઘુમતી કામા હેાવાના કારણે પ્રતિનિધિત્વ મળતુ હાય તો જૈન કામ પણ એક અગત્યની લઘુમતી કામ હાઇને તેને પણ ખાસ પ્રતિનિધિત્વ મળવુ જોઇએ. આવી માંગણી ચેતરફથી સંભળાઈ રહી છે. આ માંગણી પાછળ જૈન કામ હિંદુઓથી અલગ એવી એક કામ છે અને વિશિષ્ટ રાજકીય હકકા મેળવવાની યોગ્યતા ધરાવે છે એવી માન્યતા રહેલી છે. લઘુમતી કામેાના ખાસ હકકોના પ્રશ્ન હિંદુસ્થાનના રાજકારણી પ્રશ્નને અત્યન્ત જટિલ બનાવી દીધેલ છે. આ પ્રશ્નને જૈન કામ કામી ધોરણે ખાસ હકકો અને પ્રતિનિધિત્વની માંગણી કરીને વધારે જટિલ બનાવે તે કઈ પણ રીતે ઈચ્છવા યેગ્ય નથી. વિશેષમાં આવી માંગણી જૈન કામને પોતાને લાભપ્રદ થવાને બદલે અત્યન્ત હાનિપ્રદ થવા સંભવ છે.
જે કામ પાંતાની યોગ્યતા મુજબ ચાલુ રાજ્યરચનામાં પોતાનુ સ્થાન મેળવી શકતી નથી અથવા તા જે કામના આગેવાને રાષ્ટ્રના સમગ્ર કલ્યાણુને ગૌણ અથવા તે કેવળ ઉપેક્ષાપાત્ર ગણીને કાઇ પણ ભેગૅ પેાતાની કામને જ આગળ વધારવી એ, ધ્યેયને આગળ રાખીને કામી કે સાર્વજનિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હેાય છે તે કામ જ ઉપર જણાવી તેવી—પેાતાની કામ માટે ખાસ ડુક્કો, અધિકારે અને પ્રતિનિધિત્વની-માંગણી કરે છે. મુસલમાનાના મેટા ભાગના અવાજ રજી કરતી મેસ્લેમ લીગના આગેવાનોનુ ધ્યેય કેવળ કામી છે; તેમને સમગ્ર રાષ્ટ્રના કલ્યાણુ—અકલ્યાણની કાંઇ પડી જ નથી. આ આપણે આજ સુધીની તેમની સર્વ હીલચાલામાં જોઇ રહ્યા છીએ, આ વગે અન્ય લઘુમતી કામાની અપેક્ષાએ પોતાની અતિ વિપુલ સંખ્યાના લાભ લઇને હિંદની રાજકારણી પરિસ્થિતિમાં ગુંડાગીરી અને ધાકધમકીથી એક એવી ફૂટ વસ્તુસ્થિતિ ઉભી કરી છે કે વસ્તીગણતરીના ધારણે અત્યંત અઘટિત લાગતી એવી તેમની માંગણીઓને બને તેટલી સતૈષીને પણ કાંઇક ભાગ કાઢવા આપણા રાષ્ટ્રવાદી નેતાઓ અને ગાંધીજી પણ પ્રયત્ન કરી રહ્યા છે. કેળવણી, રીતરીવાજ તેમજ સભ્યતામાં બીજા વર્ગોની હરાળમાં ઉભી રહી શકે તેમ નહાય અને તેને લીધે માત્ર ચેાગ્યતાના ધેારણે ચાલુ રાજ્યરચનામાં જેને યોગ્ય સ્થાન મળવા બહુ ઓછા સંભવ હાય તેવા આપણા દેશના પછાત વર્ગો છે જેને 'Scheduled castes' તરીકે ઓળખવામાં આવે છે અને જેમાં અસ્પૃશ્ય ગણાતા વર્ગોના મેટા ભાગે સમાવેશ થાય છે. આ વર્ગીના હક્કો સબંધે વિચાર કરતાં સાપેક્ષભાવની અને વિશિષ્ટ સહાનુભૂતિની આવશ્યકતા સર્વત્ર સ્વીકારવામાં આવી છે અને તેથી તેમના ખાસ પ્રતિનિધિત્વની માંગણીને આપણા રાજકારણી સૂત્રધારા હંમેશા મજુર રાખતા આવ્યા છે. આ સિવાય બીજી કાઈ કાઇ લધુમતી કામને કોઈ ખાસ હુ કે પ્રતિનિધિત્વ આપવાનું વિચારાયુ` કે સ`મત કરવામાં આવ્યું હોય તે તે પાછળ કાઇને કોઇ વિશિષ્ટ રાજકારણી હેતુ કે પ્રાન્તિક મહત્ત્વના ખ્યાલ રહેલા હાય છે. જૈન તરીકે ખાસ પ્રતિનિધિત્વની - માંગણી કરવા માટે જૈન કામ પાસે આવું કાઉ મહત્ત્વનું કે ખાસ વિશિષ્ટતા ધરાવતું કારણ નથી, એટલુ જ નહિ પણ બીજી કામોની અપેક્ષા એ ધન, વિદ્યા તેમ પ્રભુત્વમાં જૈન કામ એટલી આગળ પડતી છે કે સર્વ સામાન્ય હરીફાઈમાં જૈન કામના આગેવાન કાય કર્તાએ જે વિશિષ્ટ
તા. ૧૫-૭-૪૫
સ્થાન ભેગવી રહ્યા છે તે ધ્યાનમાં લેતાં. એક કામ તરીકે વિશિષ્ટ હ કે પ્રતિનિધિત્વની માંગણી કરવા જતાં જૈન કામને કાં વિશેષ મેળ વવાને બદલે ઉલટુ' ધણુ ગુમાવવું પડે એવા સભવ છે. આજ રીતે હિંદુએથી પણ પાતાંને તદ્દન અલગ લેખાવવા જતાં જૈન ફ્રેમ પેાતાને અત્યન્ત હાનિ કરી બેસશે અને સમગ્ર હિં ́દુ સમાજ ઉપર આજે જે વર્ચસ્વ ભેગવી રહેલ છે તે પણ ખાઇ બેસશે એ ભતિ પણ અવાસ્તવિક નથી. આ બધા વ્યવહારૂ ખ્યાલા ધ્યાનમાં લતે જૈન કામે કાઇ પણ વિશિષ્ટ હક્કની કે ખાસ પ્રતિનિધિત્વની માંગણી કરવી જરા પણ ઉચિત નથી. આવુ સ્પષ્ટ વિધાન વાંચીને કાઇ પ્રશ્ન કરશે કે જો મધ્યસ્થ કારોબારીમાં પારસી પ્રતિનિધિ હાય તેા એક જૈન પ્રતિનિધિ કેમ નહિ ? પહેલાં તે પારસી કેમે કદિ પણ ખાસ પ્રતિનિધિત્વની માંગણી કરી જ નથી. મધ્યસ્થ કારોબારીમાં કે અન્યત્ર જો કોઇ પશુ પારસી મહત્વનું સ્થાન ધરાવતા હાય તે પારસી છે એટલા માટે નહિ પણ એક વ્યકિત તરીકે તે સ્થાનની યોગ્યતા ધરાવે છે એ કારણે જ તે સ્થાન સુધી તે પહેાંચેલ હોય છે. જૈન કામે ટુજી દાદાભાઇ નવરેજી કે સર પ્રીરાજશાહ મહેતા જેવા નરપુંગવા પેદા કર્યાં નથી. આ દિશાએ પારસી કામ ખીજી કામા કરતાં ઘણી આગળ છે. જૈન સમાજ પણ આવતી કાલે આવા અસાધારણ પ્રતિભાવાળા પુરૂષો જરૂર પેદા કરશે અને પોતે જૈન છે એટલા માટે નહિ પણ પાતામાં રહેલી અસાધારણ વિશિષ્ટતાના કારણે તેએ નવી રાજરચનામાં સર્વોપરિ સત્તાસ્થાને પ્રાપ્ત કરશે. આજે પણ ધારાસભામાં, યુનીવર્સીટી સીનેટમાં, કૅલેજોમાં તેમજ સરકારી તેકરીઓમાં જને મહત્વનું સ્થાન ભોગવે છે. વ્યાપારી મળીએ'માં તેમ જ ઉદ્યોગપતિઓમાં જૈને આગેવાન સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય મહાસભાની સ` હીલચાલમાં જૈનોએ આગળ પડતે ભાગ ભજવ્યા છે અને તેને લીધે અનેક સ્થાનિક મહાસભાની કાર્યવાહીમાં અધિકાર—આરૂઢ જૈને નજરે પડે છે. જે કામમાં પુરૂષાથ છે અને સ્વાશ્રય છે, જે કામ અન્ય વર્ગા સાથે કેળવણી, વ્યાપાર અને ઉદ્યોગમાં આગળ વધી રહેલી છે તેણે પેાતાના ઉજ્જવળ ભાષી કે ભાવી નવરચનામાં પેાતાને મળનાર સ્થાન વિષે લેશ માત્ર ચિન્તા કરવાની જરૂર નથી. ઉલટુ તે કેમે જ્યારે અનેક લઘુમતી કામે પેતાની માંગણીએ કામના નામે આગળ ધરી રહી હાય ત્યારે એવી જાહેરાત કરવાની જરૂર છે કે “અમારી કામના નામે કાંઇ પણ વિશિષ્ટ હક્ક, અધિકાર કે પ્રતિનિધિત્વની અમને લેશ મ આકાંક્ષા નથી. જ્યાં રાષ્ટ્રીય મહાસભા ત્યાં જ અમે દેશ આઝદી એજ અમારી કામના. તે ખાતર સૌથી વધારે બલિદાન આપવુ એજ અમારા અધિકાર. એ ખાતર અમને જે કાંઇ કામ નાનુ કે મોટુ સોંપવામાં આવે તે પુરી નિષ્ટાથી કરી છૂટવું એજ અમારૂ ધ્યેય. દેશ પહેલા, પછી અમે અને અમારી કામ” આવી જાહેરાત કરીને રાષ્ટ્રનિષ્ઠાની સૌ કાઇને પ્રતીતિ કરાવવી એમાં જ જૈન કામની શાબા, પ્રતિષ્ટા અને ઉજ્જવળતા રહેલી છે.
પરમાનદ,
નવાજૂનાનું ઘર્ષણ
છેલ્લા એકાદ દશકાથી આપણા સમાજમાં જૂના અને નવા વચ્ચેનું ઘર્ષણ દેખાયાં કરે છે. આ ધણુ કઇ નવુ નથી. એ તા સનાતન છે, ઇતિહાસ કાળથી જાણીતું છે. પરંતુ એમ કહી શકાય કે છેલ્લા દશકામાં એ ઘર્ષણ વધુ સ્પષ્ટ અને વધુ તીવ્ર બન્યું છે.
સને ૧૯૩૦ ના સત્યાગ્રહ સંગ્રામમાં આપણને કેટલાંક નવાં મૂલ્યો પ્રાપ્ત થયાં છે. જેમાં એક ‘આત્માના અવાજ' છે. ત્યાં સુધી જીવાના પાતાના અંગત વિચારેને સમાજ પાસે રજી કરવાને જોઇએ તેટલી હિંમત દાખવતા નહાતા, અથવા તે અને ત્યાં સુધી સમધાનવૃત્તિથી કામ લેતા. ગાંધીયુગમાં જીવાનામાં નૈતિક હિંમતરપુરી છે, અને તે ‘આત્માના અવાજ' રજૂ કરતા થયા છે, ત્યારથી નવા જૂના વચ્ચેનુ ધણ તીવ્ર થયું છે.
આ ધણુ દરેક ક્ષેત્રમાં છે. રાજદ્વારી, સામાજિક અને ધાર્મિક ક્ષેત્ર ઉપરાંત કૌટુંબિક ક્ષેત્રમાં પણ સ્પષ્ટ વકતવ્ય ખીલતું થયું છે,