SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫ ૭-૪૫ પ્રબુદ્ધ જૈન શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનું પ્રતિક્રમણ અને ‘મિચ્છામિ દુકકડમ્' સવાત્રણેક વરસના ગાળા વછી હમણાં સરદારશ્રીને મળવા ગયા ત્યારે મારા દિલમાં ડુમેા ભરાઇ આવ્યા. લાંબા કારાવાસ દરમ્યાન તેમનું શરીર રાગથી પીડાયું હશે. તે કરતાં પણ તેમનું દિલ દેશના દુઃખથી અને શ્રી. કસ્તુરબા તે શ્રી. મહાદેવભાઈના અવસાનથી વધારે ધવાયુ' હશે. વ્યાધિની પીડા, અંતરના ધા અને નવા કામના ભારની રેખાએ તેમના વ્હેરા પર જણાઈ. પણ તેમની તીરછી નજરતુ તેજ ધટયું નથી-તેમાં વજ્રથીયે કાણુ અને કુસુમથીયે કામળ હૃદયને પ્રકાશ ચળકતા દેખાયા. ત્રીસ વર્ષનાં સ્મરણા તેમને જોઈને હું નમી પડયા તે નમ્રભાવે કઈક વાત કરી. પણ ખરૂ જોતાં મને કેમ વવું તે શું ખેલવું તેની ગમ ન પડી. લગભગ ત્રીસ વરસના ગાળા દરમ્યાન મેં તેમને કેટલી વાર પૂજ્યા, તે કેટલી વાર તરÐાડયા, તેનું ભાન મને થઈ આવ્યું અને અમારા જૂના સ્નેહી ને સાથી ડા. ચંદુભાઇએ ટકોર કરી કે: હવે પાછા પલટા ખાશે। ?' ત્યારે મારી જબાન લગભગ અંધ થઇ ગઇ. સન ૧૯૧૭ માં નડીઆદના સ્ટેશને બીજા વર્ગના ડબ્બામાં શ્રી વલ્લભભાઈને પહેલા મળ્યા ત્યારથી તેમણે મને સહેજે અપનાવી લીધા. પછીનાં વરસામાં તેમના સ્નેહને વિશ્વાસનું પાત્ર હું વધારે ને વધારે બનતા ગયા. સન ૧૯૧૮ ના ખેડા સત્યાગ્રહ, અને લશ્કરી ભરતીના, સન ૧૯૧૯ ના દુષ્કાળનિવારણ અને કાળા કાયદાની તેમજ ૧૯૨૦– ૨૧ ની પ્રચંડ અસહકારની પ્રવૃત્તિમાં તેમની સાથે નાના ભાઈ તરીકે મેં કામ કર્યુ છે, તેનાં મીઠાં સ્મરણા મારા દિલમાં તરવરે છે. પહેલુ ભંગાણ દુર્ભાગ્યે સન ૧૯૨૧ માં પહેલું ભંગાણ પડયુ. સરદારશ્રી પ્રખર રાજપુરૂષ અને હું અસલી સમાજસેવક. ' અછૂત અને ભીલસેવાના મહત્વ વિષે તેમની સાથે મારે ઉગ્ર મતભેદ થયા. અને તેથી પ્રાંતિક સમિતિના મંત્રીપદનું મેં રાજીનામુ આપ્યું, ત્યારે મારી આંખામાંથી ચેાધાર આંસુ વહ્યાં, તે। શ્રી. વલ્લભભાઇની આંખા સ્નેહુભાવથી ભીની થઇ. આ ભેદ દિલના નહિ પણ દૃષ્ટિને હતેા. તે પાહે સંધાવા લગ્યા. મહાત્માજીની નિર્ભેળ અસહકારની નીતિ પર સ્વરાજ પક્ષે હાથ ઉગામ્યો ત્યારે હું પાછા સરદારશ્રીને પડખે આવી ઉભે અને ગયા કૉંગ્રેસના ઠરાવ મુજબ સત્યાગ્રહની તૈયારી કરતાં હું જેલ ગયે—તે ચરાડામાં મહાત્માજીને સાથી થયા. સને ૧૯૨૪ માં જેલમાંથી છુટા થયા બાદ થાડા માસમાં ચરખાના મતાધિકાર વિષે ગાંધીજી અને મહાસભા પ્રત્યેજ મતભેદ થતાં મેં ગુજરાત અને તેની સ થે જાહેર જીવન છેડયુ. જુવાની દીવાનીના તેરમાં મુંબઇમાં પરદેશી વાઘા સજી ઉન્મત્ત પત્રકાર બન્યો અને ગાંધીજી, મહાસભા અને ખારડેલીની લડત પર સખ્ત ટીકાની ઝડીએ વરસાવતા ગયા. ત્યારે સફાળા જાગ્યા દુનિયાના અનેક રંગ જોયા પછી સન ૧૯૩૦ માં રાષ્ટ્રિય લડત શરૂ થઇ તે ગાંધીજી જેલમાં ગયા ત્યારે મને કઇક ભાન આવ્યું છતાં પુરૂ' નહિ. જ્યારે આઝાદ મેદાન પર વીરાંગનાઓ પર લાઠીઓ વરસી ત્યારે હું સફાળા જાગ્યા. પરદેશી વાધા ઘડીવારમાં ફગાવી દીધા. મુંબઈના કૉંગ્રેસભવનના યાત્રાળુ બન્યા. એવામાં સરદારશ્રી જેલમાંથી છુટી રાષ્ટ્રપતિ તરીકે મુબઇ પધાર્યા ત્યારે તેમને મળવા ગયા. તેમણે ભૂતકાળની ભૂલે વિષે એક શબ્દ ઉચાર્યો નહિ-એક ટાણા માર્યાં નહિ. નિઃસીમ ક્ષમાભાવ અને સ્નેહભાવથી મને સહેજે અપનાવી લીધા અને કામકાજ વિષે કઇંક ચર્ચા કરવા લાગ્યા. પણ ' એવામાં મને પરદેશ જવાને ખુટ્ટો આવ્યા. તે સંબધી પ્રે. કે. ટી. શાહ સાથે વાતચીત કરવાને, મારા આગ્રહથી મારી સાથે તેઓતેમની ઓફીસે ગયા. મારી મુંઝવણુ પારખી તેમણે મિત્રખાવે રજા આપી અને હું સાડાપાંચ વરસ માટે પરદેશ પરવર્યાં. ફરી મને અપનાવ્યો વિલાયતમાં જને પણ હું સખણેા તે ન રહ્યો. ગાંધી ઇરવીન સમાધાન થતાં વાર તેના પર મેં ટીકાના વરસાદ વરસાવવા માંડયા. અને ગાંધીજી વિષે એક ટીકાત્મક પુસ્તક લખવા માંડયું, પણ જેમ સન ૧૯૩૧ માં તેમણે જ લંડનમાં મને એક નાદાન હેકરા તરીકે સત્કાર્યાં, તેવા જ ભાવથી શ્રી વલ્લભભાઇએ સન ૧૯૩૫ ની આખરે અમદાવાદના સ્ટેશને મને બાથમાં લેધા. ફરી વાર ગગુજરાતી ભૂલીને તેમણે મને સ્નેહભાવથી અપનાવ્યા-જૂના સાથી તરીકે સ્વીકાર લીધા. એક જાહેર સભામાં તેમણે મુકતકઠે જે શબ્દોમાં મારા અતિશયોકિત ભરેલાં વખાણુ કર્યાં તેનું સ્મરણ થતાં મને આજે ધણી શરમ આવે છે. ફરી વાર સામા મારામાં પણ તેમને શી ખબર કે મારૂ સ્વાભિમાની બુદ્ધિવાદનું અજીરણું શમ્યું નહતુ. ચેડા જ માસમાં ગુજરાતમાંથી હદપાર થતાં મુંબઈ જઇને મેં નવા મારચા માંડયા. અસલી અસહકારી તરીકે હું પ્રધાનપદાંનાં સ્વીકારના કટ્ટર વિરોધી હતા; પણ સરદારશ્રી હવે આવા હાદા સ્વીકારવાના વિચાર માત્ર કરે છે એમ જાણીને હુ· તેમની સાથે રીસાઇ ગયેા. ન હું તેમને મળ્યા. ન તેમની સાથે ચર્ચા કરી અને કિસાનવાદી ની જમીનદારી મૂડીદારીને હું કટ્ટર વિરોધી અનતે ગયેા. તેમ તેના કાક તરફદાર તેમને માની લતે તેમની સાથે વિરાધભાવ સેનતે ગયે( ફરીવાર તેમનાથી અને મહાત્માજી તેમજ મહાસભાથી—સામા પક્ષમાં હું ભરાઇ એડ. સરદારશ્રીના ચરણમાં નમું છું આ બધું તે નિર્દોષ રાજકીય મતભેદનુ પ્રકરણ ગણાય, પણ અહંભાવ અને મદમસરથી હું એટલે આંધળા બની ગયા કે નવીધારાસભાના અગ્રેસર તરીકે અમારા માનીતા ભાઈ નરીમાનને બદલે મારા જૂના મિત્ર શ્રી બાળાસાહેબ ખેરની ચૂંટણી થઇ, ત્યારે તે। મે સરદારશ્રી પરજ. નનામી તીરાજી છાપામાં શરૂ કરી. રાજદ્વારી રમત તરીકે આરબેલુ' આ પ્રકરણ ધીમે ધીમે ઘણું આગળ વધી ગયું.. કદાચ શ્રી વલ્લભભાઇ પર કદી ન વરસી હાય એવી ઝેરીલી અને દ્વેષીલી ટીકાઓ વરસાવવામાં હુ* નિમિત્તરૂપ બન્યો. ઝનુની પાર્ટીખાજી અને રાજકીય દ્વેષભાવ શ્રી વલ્લભભાઇ જેવા સાના હિતસ્ત્રી વડીલ તરફ દાખવવ માટે મે સન ૧૯૪૨ માં ખાનગી રીતે બિનશરતી મારી માગી છે—અને જાહેરમાં આજે શરમથી તેમના ચરણુ આગળ હું શિર નમાવું છું. * મહાત્માજીના આદર્શોન' વ્રત કદાચ તે વખતે જ તેમણે ધાયુ હશે કે હું બધા આગલાં શસ્ત્ર છેડી દઇ તેમની સાથે રાજકારણમાં જોડાશ. અનેકવાર તેમને મળી આવી કેટલાક મિત્રોની આશાઓને મેં ઉત્તેજન પણ આપ્યું હશે, છતાં તે વખતે મે સામ્યવાદી બનતી જતી કિસાન સભામાં અલગ એતરા કાયમ રાખ્યો. ૫ણુ ’૪૨ના ઓગષ્ટની લડત શરૂ થઇ અને સર્વે મહારથીએ જેલમાં પુરાયા ત્યારથી મારૂ દિલ લેવાવા લાગ્યું. ધીમે ધીમે મહાત્માજી, સરદારશ્રી અને મહાસભા તરફ મારા ભાવ વધતા જ ગયો. મહાસભાની નીતિ તે તેનાં કાય કર્તાઓ પર સામ્યવાદીએ જે તીરખાજી ચલાવવા માંડી, તેથી તેમનાથી મારૂ દીલ અળગું થતું ગયુ. તેથી '૪૩ ના જુલાઇમાં મે' કિસાન સભા ડી. ગઇ સાલ જુહુ ખાતે મહાત્માજીનાં કેટલે વરસે દન કર્યાં ત્યારે નિર્દય એત્રકાઇનું ભાન થતાં મા` દિલ રડી ઉછ્યુ.. તેમને સેવાગ્રામમાં મળ્યા, ત્યારે તેમના ( અનુસધાન પૃષ્ઠ ૪૬ જુઓ ) G
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy