SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૪૫ ગાંધીયુગ જન્મે છે. ( ગતાંકથી ચાલુ ) સ્થળ–ગામ ઝાંપે ઝાડ નીચે આવેલુ ભેળાનુ રહેઠાણુ. પ્રસુત્ર જૈન (ભેાળાની પાસે કેટલાએક તેના જેવા દુ:ખી માણસે આવે છે. તેઓએ પણ ભેળાની જેવી જ હાડમારી, અપમાના, અત્યાચાર અને ઉજળિયાત વર્ગની પાશવતા, સત્તાધારીઓના તુમાખીભર્યાં ઝુલમે અને ધર્માંન્ધ ધર્માચાર્યાંના પ્રદ્ઘારા ભોગવ્યા છે. ભૂખમરા, નરી નગ્નાવસ્થા અને તિરસ્કારેએ તેના આખા દિલને વતું કરી નાંખ્યું છે. તેમાં વરની, પાશવતાની ભાવના સળગી ઉઠી છે.) પહેલા જણ–ભોળા, તારા અને તારા છોકરાના હાલહવાલ વિષે જાણ્યું ત્યારથી અમને લાગે છે કે આ જગમાંભલા અને ગરીબ, નમ્ર થઇને હવે નહિ જીવી શકાય. ઘણાં વર્ષો સુધી દુ:ખ ભોગવ્યાં, અપમાન વેઠ્યાં, લૂટાણાં અને માણસ મટીને પશુ જેવા થઇ રહ્યા, પણ દુ:ખનો અંત ન આવ્યા. ન ભગવાન મદદે આવ્યે કે ન કાઇમાં રામ જાગ્યું ! સ સહનશીલતાને અંત આવી ગયા ! બધાને હદ હાયને . હવે એકજ અવાજ નાદ અંતરમાંથી ઉઠે છે કે વૈર ! હવે લાતે ખાઈને નથી જીવવું, હવે ભીખી ભીખીને નથી નભવું, હવે દયા નથી ભાગવી. તે નિશ્ચય ! જો ભેળા ! અમે શેઠિયાઓની હવેલીએ ક્ાડવાનું, ધનિકાની મીલકતામાં આગ લગાડવાનુ, તક મળે ત્યાં લૂટવાનું અને જેણે જેણે આપણતે રંજાડયા છે, તેનું કાસળ કાઢી નાંખવાનુ નક્કી કર્યું છે, તે રાત્રે તૈયાર રહેજે. આજથી આપણા દુઃખના અંત ! ખરાબર ખાર વાગે આવશું. સમજ્યોને ! કાં આ પાર કે કાં પેલે પાર ! 1 બાળા-અરે ! આવા અધમ કરવા ક્રમ સુઝો ? એક પાપનાં ફળે તે આ ભવે પૂરાં થયો નથી ત્યાં નવાં પાપ કરીને કરવુ છે શું ? કાઢયાં એટલા હવે નથી કાઢવાં. ભગવાનના ભટ્ટા રાખે! મારા ભાઈ ! કરમ ધરમને હિસાબ દીધેજ છૂટકો છે.! બીજો જણ—તેષ્ટ લીધે તારા ભગવાન અને જોયે તેને ભસે ! આવી નમાલી ભગતામાં જ ભવ આખા કરમાં ધરમને રાષ્ટ્ર દેશને કાઢ્યા, પણ કાંઇ ભાળ્યુ નહિં તેાય અક્કલ નથી આવતી ? તારને ભગવાનને શુ? જો ભગવાન હશે તે કઇ શેઠ શાહુકારને હશે, વાણિયા બ્રાહ્મણતા હશે, રાજા મારાજા કે ધરમગુરૂને હશે. તારા કેવા ! કાલેો થયા કાંઇ ! ભગવાન ભગિયાના થવા નવશે નથી!. આ યુગમાં તે બધા પાપે જ પેટ ભરે છે ત્યાં સત્ ધરની પૂછડી થઇ મરીશ તેર્ય સુખને મારગ નઇ દેખ ! હવે તો પાકુ વેર લેવુ તે કાળાન્તરૈય નિ ય ! – તૈયાર રહેજે. ભલે થને અમારી બાજી ઉંધી વાળીશ માં, તે કાઢવા એટલા નથી કાઢવા એટલે શું? તુ તે મરીશ પણ્ તારી પ્રજાનું શું? તેની પ્રજાનું શું? તારી નાત ખીરાદરીનું શું? બાળા--મારૂ દિલ તેા ના પાડે છે. તમ તમારે કરવુ હોય તેમ કરાને. મને મારે મારગે જાવા દે! પહેલા જણ--એટલે ? છટકી જઈશ એમ? જ્યારે જ્યારે કઇ મારગ કહીએ ત્યારે આવાને આવા ભગતડા, ધરમના પૂંછડાં આડાંને આડાં ! હવે. તે મારગમાંથી આવા મેઢાને કાઢયે જ છૂટકો. ખીજુ પછી. જો બાળા! આજે જરાય આડા ચાલ્યા કે ચુચાં કર્યું. તે તારી ખેરિયાત નથી. અમારા વેરની આગમાં શેકાઇ જતાં ખીન્નને તે ઠીક પણ તમે તે વાર નહિ લાગે. નાહકને વાલેાળ ભેગી પ્રયળ, માફક બફાઈ જઇશ. કાં તે અમારી સાથે ખભેખભા મેળવીને ચાલ અને કાં તે દુશ્મન બનીને ઉભા રહે; પણ તારી ભગતાઇ નથી જોતી. આજે હિસાબ ચૂકતા કરવે છે. અમે મરશું અને એ જુલ્મીએ જીવશે? અમે ભૂખે ટળવળશુ' 'અને તે ખાઇ જશે એમ? એમ હવે નહિ બને. અમારે તે આમેય મરવું છે અને મારીનેય મરવુ છે. બીજો જણ–એમ કર ! તું રાત સુધીમાં વિચાર કરી રાખજે. પછી ન કહેતા કે અમે તને ચેતવ્યો નહાતા ! (બન્ને જણ જાય છે) ૩૩. ભાળે હે ! ભલા ભગવાન શું કરૂ? આ લેકને પશુ શું કહું ? સૌ વાતને હદ હોય છે ને ! દુઃખમાં ભાનભૂલી જવાય તે ઠપકો શું અપાય ! હુ તે મુંઝાણા માલિક ! કયાં જાઉં! હું ! ભગવાન ! તે' તા કૃપા કરીને માનવદેહ આપ્યો, પણ અહિ તે મારા જ ભાઈએ મને પશુ કરતાં પણ નપાવટ કરી નાંખ્યું! બિલાડા કે કુતરાંથી ન અભડાય, પણ મારા તે પડછાયો પણ પાપી ગણી મને દૂર રાખે છે ! હે ભગવાન ! શું મારી આવી મશ્કરી ઉડાવવા માટે તે મને માનવદેહ ! આપ્યો છે ? શું કહુ' વા'લા તને ? શું ઠંપા આપુ? તે તે। મને સશક્ત શરીર આપ્યુ કે જેથી જગતમાં તેના આધારે જીવનના માર્ગ કાઢું, તેં કુદરતમાં ઘણું બનાવ્યું કે જેમાંથી હું ક પામી શકું. પણ નાથ ! આજે ધનિકાએ કેને માટે સ્થળ કે કામ કાં રહેવા દીધાં છે કે મારૂ' શરીર વાપરી જીવન ધરી રહુ! કાં કુદરતની બક્ષિસા ખૂલ્લી પડી છે કે તેમાંથી ચેતન મેળવું! પ્રભુ ! આમ ભૂખે મરવા, લાચાર જીવન રાતા રાતા વીતાવવા તે મને શા માટે માનવી બનાવ્યે ? પશુ બનાવ હતાને કે દુઃખ સુખ સમજી શકત નહિ અને જીવન પૂરૂં કરત ! નાથ! દુઃખથી હારીને ભાન ભૂલી રાની પશુ જેવા ન ખતી જાઉં કે લાગણીશૂન્ય જડ પત્થર જેવા ન થઇ જાઉ તેટલા માટે આશ્વાસન શોધવા તને શોધતા આવુ' છુ, તા ત્યાંય દ્વાર અધ છે, ત્યાંય મને માર પડે છે, મારી અને તારી વચ્ચે દીવાલ બાંધી દેવામાં આવી છે. એટલે મારામાં માણસા પણ કેમ ટકશે? ના ભસે, કૈાના આધારે હું દુઃખ સહી શકીશ? પ્રભુ ! કદાપિ માણસાઇ વગરે હું મારગ ભૂલી પતિત થઈ જાઉં તો ઠપકા ન આપજે! પેટને બળ્યા, વેરનો બળ્યો પાપ કર્યું કે જગતને આગ લગાવી દઉં તે! એમાં મારા વાંક પણ શે? પણ નાથ ! ગભરાઉં છું કે અનેક બવાના પુષ્પના સંચયથી આ માંનવદેહ મળ્યેા છે તે મિથ્યા થઇ જાય અને ફરી વખત એને એ એકડો ઘૂંટવા પડે ! ભગવાન ! ખળ આપ મારા અનેક ભવાનું ભારણુ મિથ્યા ન થાય ! ૐ કઇ ભાગ સુઝતા નથી. મન માંકડુ મુ ́ઝાણું છે. મારા સમદુઃખી બાઇએ આકળા થયા છેં. એટલે બન્નેની ભીંસમાં ભીંસાઇ “ ભારે મરવાતુ આવ્યુ છે. તેથી બહેતર છે કે પાપમાં પડવા કરતાં મારા છગનને અંત લાવું! આમાંય પાપ થાતુ હોય તે માલિક ! માક્ ઘેર (ફ્રાંસ) ખાવા જાય છે.) અંતરિક્ષમાંથી. વધે ગ્લાનિ જ્યારે ધરમ લોપાય અહિ આ પીડા પામે પ્રાણી સખળના અન્યાયથી જ્યાં, અનાથાની વહારે ધસી જેવા અતિ અરે! લઉં છું જન્મા હું. જનપે આ વિધ આરે. (ભોળા, આયચિકત થયેલ રહે માનવી નજર એક એક શ્વેતવસ્ત્રધારી * શ્વેતવસ્ત્રધારી અરે એ ભાઇ. આ શું કરી રહ્યો છે ? આ શે ગજબ તારી જાત ઉપર ગુજારી રહ્યો છે? ખોલ શું દુ:ખ છે કે આવા મૂલ્યવાન માનવદેહ નાશ કરવા તૈયાર થયા છે. જરા સમ્બુર કર. મને વાત કર ક ઉપાય થઇ શકતા હાય તો કરીએ. ઉતાવળા થા મા. ભેળા-જા, ભાઇ, જા. મને મરવા દે. તમે સુખે જીવવા દેતા નથી. હવે મરવાને પણ મારે અધિકાર નથી, મરીને તમારી આભડસ્ટેટ મટાડુ છું, સમાજની શરમ અને સુગ દૂર કરૂ છું. તમે અને તમારા ધરમ બચે એટલા માટે હુ મારે મારગે ચાલ્યો જાઉં છું, તું જા તારે મારગે. નાહકનો આ ગંદકીમાં ઉભીને શું કામ હેરાન થાય છે? શ્વેતવસ્ત્રધારી એક વાર મને તારી વાત કર અને તુંય મારી વાત સાંભળ. પછી ઠીક લાગે તેમ કરજે. ચેડી વાર તે સબુરી કર! એકાદ ક્ષણમાં શુ ખારૂં મેળું થઈ જવાનું છે ?
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy