________________
આ
છે
'+'?'
તા. ૧૫-૪-૪૫
:
(૨9 *
છે
(૧૨૪ થી ચાલુ) પણ ફરજિયાત લેખવામાં આવતી નથી. સાધુ સંમેમનનું આ નિયમન જુન્નર કોન્ફરન્સના ઠરાવને કોઈ પણ રીતે વિરોધ કરતું નથી પણ તેના ધણુ અશોનું સમર્થન કરે છે. જુન્નર કોન્ફરન્સને ઠરાવ પૂર્વ ભૂમિકા છે. સાધુ સંમેલનના કરી તેનું સ્વાભાવિક પરિણામ છે.
દીક્ષાને લગતા બીજે ઠરાવ પૂર્વોકત સાધુ સંમેલન બાદ તુરતમાં જ મુંબઈ ખાતે મળેલ કેન્ફરન્સના અધિવેશને કર્યો છે. આ શિવ સાધુ સંમેલનના ઠરાવને વધાવી લે છે અને સાથે સાથે કેટલીક બાબતેમાં સ્પષ્ટતા માંગે છે. આ ઠરાવ પણ સાધુ સંમેલનના કરા સામે નાની સરખી પણ પ્રતિકુળતા દાખવતા નથી. - ત્રીજી બાબત ૧૮૩૧ માં બાળદીક્ષાની અટકાયત કરતા નામદાર ગાયકવાડ સરકારે કાયદે કર્યો તે કાયદાને તે કાયદો અમલમાં મુકાય તે પહેલાં મુંબઈમાં મળતી કોન્ફરન્સની સ્થાયી સમિતિએ અનુમોદન આપ્યું હતું તેને લગતી છે. આ અનુમોદન સાધુ સંમેલનનું પુરોગામી હતું એમ છતાં કેટલાક સ્થિતિચુસ્ત ભાઈઓને આ અનુમોદન ખુબ જ ખુંચતું હતું અને તે પાછું ખેંચી લેવામાં આવે તે જ તેઓ કોન્ફરન્સને સાથે અને સહકાર આપી શકે એમ તેમના તરફથી જણાવવામાં આવતું હતું. ઐકય સમિતિના ઠરાવો ૧૯૪૨ ના જાન્યુઆરી માસમાં કરવામાં આવ્યા. ૧૯૪૩ ના એકીલ માસમાં મળેલી મુંબઈની સ્થાયી સમિતિએ કેટલાક સ્થિતિચુત ભાઇઓની દષ્ટિએ અત્યન્ત વાંધા પડતું એવું ગાયકવાડના કાયદાને અપાયેલું અનુમોદન રીતસર ઠરાવ કરીને રદ કર્યું. આજે આપણે ૧૯૪૫ ના એપ્રીલ માસમાં મળીએ છીએ. અકય સમિતિના હવે ઘડાયાને આજે ત્રણ વર્ષ ઉપર મુદત થવા આવી છે. આજે સાધુ સંમેલનના ઠરાવને બાધક એવી એક પણ હકીકત અસ્તિત્વ ધરાવતી નથી કે જેને રદ કરવાની જરૂર છે એમ કોઈ પણ કહી શકે. એમ છતાં આજે આ ઠરાવ શા માટે લાવવામાં આવે છે અને સાધુ સંમેલનના આગળ અને પાછળ પૂરક એવા આ કોન્ફરન્સના ઠરાને શા માટે પાછા ખેંચી લેવાનો આગ્રહ કરવામાં આવે છે એ સમજી શકાતું નથી. કરેલા ઠરાવો પાછા ખેંચી લેવા પડે એ સ્વમાન ધરાવતી સંસ્થા માટે નાક કપાવવા બરાબર લેખાય. વળી કોન્ફરન્સના ઠરાવો પાછા ખેંચી લેવાની ગેરવ્યાજબી માંગણું શા માટે કરવામાં આવે છે? મનિ સંમેલ ના ઠરાવને વધાવી લેવા માટે ? હું પૂછું છું કે એ મુનિ સંમેલન આજે કયાં છે? એના ઠરા આજે, કોણ પાળે છે? એ ઠરાવે.ને ૧૯૩૪ થી આજ સુધીમાં તે સમેલનમાં ભાગ લેનાર અગ્રગણ્ય આચાર્યોએ તેમજ કેટલાય સાધુઓએ આજ સુધીમાં કેટલીયે વાર છડેચોક ભંગ કર્યો છે. તેમને આજ સુધીમાં કોઈએ પૂછ્યું છે કે તેમની જરા પણ કદિ ખબર લેવામાં આવી છે? સાધુ સંમેલન એ આજથી અગિયાર વર્ષ પહેલાં બનેલી ભૂતકાળના પેટાળમાં સમાઈ ગયેલી એક ઘટના છે. તેને આગળ ધરીને કોન્ફરન્સના ઠરાને રદ કરવાનું કહેવું એ નર્યું તુત છે, સ્વ અને પરની વંચના છે. છે. આવા વિચિત્ર અને કઢંગા ઠરાવ પાછળ અમને એક જ મને- દશા દેખાય છે. આપણામાં એ એક વર્ગ છે કે જે સાધુઓની ચાલી રહેલી દીક્ષા પ્રવૃત્તિના કશા ૫ગુ નિયમનમાં માનતા નથી, જેમનું એવું ધારવું છે કે દીક્ષા એ ધાર્મિક સવાલ છે અને એમાં આપણે શ્રાવકોએ બીલકુલ વચ્ચે પડવું ન જોઈએ અને સાધુઓને ફાવે ત્યાં ઠીક પડે તેને દીક્ષા આપી દેવાની છુટ હોવી જોઈએ. દીક્ષા સંબંધી | નાનું મોટું નિયમન સૂચવનાર કેન્ફરન્સના ઠરાવ રદ કરવાનું કહેવું
અને તે માટે ભૂતકાળમાં વિલીન થયેલ સાધુ સંમેલનના ઠરાવને આગળ ધરવા એ પાછળ સાધુઓની દીક્ષા પ્રવૃત્તિને કેવળ નિરંકુશ બનાવવા સિવાય અમને બીજી કોઈ મને દશા કે બીજું કોઈ પરિણામ દેખાતું નથી.
• અહિં સ્પષ્ટ કરવાની જરૂર છે કે અમે કઈ સંયમના વિરોધી નથી; દીક્ષાના વિરોધી નથી. ધર્મની રક્ષા ખાતર સાચા ત્યાગી સાધુન એની ખૂબ જ જરૂર છે એમ અમે પણ માનીએ છીએ. પણ જે.
- આવ્યું તેની ગ્યાયેગ્યતાને વિચાર કર્યા સિવાય અપાતી દીક્ષા સામે અમારે વધે છે. અમને સાધુઓની સંખ્યાને જરા પણ મેહ નથી. અમને ગુણનો આગ્રહ છે. કહેવાતા પાંચસો કે પાંચ હજાર સાધુઓ કરતાં સાચા પચ્ચાસ સાધુઓ વધારે કીંમતી છે એમ અમે માનીએ છીએ અને " તેથી દીક્ષા લેનાર ઉમેદવારની પુરી યોગ્યતા પુરવાર થયા બાદ તેને દીક્ષા અપાવી જોઈએ એ અમારે આગ્રહ છે. બાળ દીક્ષા સામેને ' , અમારે વિરોધ પણ તેજ કારણે છે. જ્યાં સુધી દીક્ષા સંબંધી કડક નિયમન કરવામાં નહિ આવે ત્યાં સુધી સાધુ સંસ્થાને સડે વધતો જ જવાને છે, અને એ સંસ્થાને ઉદ્ધાર કદિ શકય બનવાને નથી.
હવે ઐક્ય સમિતિના બીજા ઠરાવની આલોચના કરીએ. એ ઠરાવ સાંપ્રદાયિક સંકીર્ણતાથી ભરેલો છે, ધાક બાબતમાં કાળે કાળે જરૂરી બનતી સુધારણાઓને વિરોધ કરે છે અને ધાર્મિક પ્રશ્નો , સંબધી સ્વતંત્ર વિચારણા અને ચર્ચાની અટકાયત કરે છે. આપણે ધર્મને આપણે હંમેશાં “જન ધર્મ ના વિશાળ નામથી ઓળખતા આવ્યા છીએ; આ ઠરાવ “જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ' એવા વિશિષ્ટ નામાભિમાનથી આપણુ ધર્મની વિશાળ અને વ્યાપક કલ્પનાને વિનાકારણ મર્યાદિત કરે છે. ધાર્મિક અનુષ્ઠાન કાળે કાળે બદલાતા આવ્યા છે અને આજે પણ જે તિથિચર્ચા આપણા સમાજને ક્ષુબ્ધ કરી રહી છે તે પણ આ હકીકતને પુરવાર કરે છે. પ્રચલિત અનુષ્ટાને માન્ય : રાખતા આવ્યાં છે તે પ્રમાણે જેને સંસ્થાઓ તેને માન્ય રાખશે એ ' સમિતિને ઠરાવ આદેશ કરે છે અને આ પ્રચલિત અનુષ્ટોને વિરુદ્ધ જન સંરથાના આગેવાન અધિકારીઓએ કશું બોલવું કે લખવું નહિ એ આદેશ કરે છે. આ દેશ કાલની સંપૂર્ણ અવજ્ઞા કરે, અને ધાર્મિક ઇતિહાસની ઉપેક્ષા કરતા તેમજ વાણી સ્વાતંત્ર્યનું રૂધન કરતે ઠરાવ આગલા ઠરાવની માફક કેવળ પ્રત્યાઘાતી છે અને કોન્ફરન્સને પીછેહઠ કરાવનારે છે એમ અમારું પ્રમાણીકપણે માનવું છે અને તે તેથી આ બન્ને ઠરાવો સામે અમારે ઉગ્ર વિરોધ છે.
આપણામાંના એક ભાઈ પૂછે છે કે અમે મહામહેનત કરીને બધા પક્ષ વચ્ચે સમજુતી થાય એવી એક ભૂમિકા નકકી કરી લઈ આવ્યા તે તમે સ્વીકારતા નથી. પછી તમે આપણી સર્વ વચ્ચે સમજુતી થાય એ કઈ માગે-એવી કોઈ ભૂમિકા–કેમ સૂચવતા નથી ? આના જવાબમાં જણાવવાનું કે અમક અગત્યના વિભાગને કોઈ પણ રીતે માન્ય થઇ ન શકે એવી વિચાર સરણીને સૌ કઈ વચ્ચે સમજુતી થઈ શકે એવી ભૂમિકા તરીકે આગળ ધરવી એ મૂળથી જ ડહાપણને માર્ગ નહતા. આજે જ્યારે સાધારણ સમાજને પણ આ બાબતમાં આટલો મોટો વિરોધ પ્રત્યક્ષ થઈ રહ્યો છે ત્યારે પણ આવા પ્રત્યાધાતી ઠરાવોને આગળ ને આગળ . . ધર્યા કરવા એ એટલું જ અનુચિત અને બી-ડહાપણભર્યું છે. . આપણું મુરબ્બી આગેવાની ફરજ છે કે આ બધું નજરે નિહાળીને, આ બાબત ઉપર તેમણે ફરીથી વિચાર કરવા મળવું જોઈએ અને સૌ કોઈને સ્વીકાર્ય બને એવી ભૂમિકા શોધી કાઢવામાં તુરત જ પ્રયત્ન હાથ ધરવે જોઈએ અને એવી ભૂમિકા શકય જ નથી એ કઈ કહેતું હોય કે માનતું હોય તે તે બરાબર નથી. આજના આપણુ જીવનના સમભાગને સ્પર્શતા અનેક સવાલે આગળ ઐક્ય સમિતિના ઠરાનાં ગર્ભમાં રહેલા પ્રશ્નો કેવળ મામુલી છે. આપણને જુદા પાડતી બાબતે બહુ જ થોડી અને બહુ જ નાની છે. આજે સળગતે પ્રશ્ન છે જેના સમાજને મોટો ભાગ જેનો બનેલો છે. તેવામાં મધ્યમ વર્ગની' પાર ' . વિનાની મુંઝવણને છે. તેમના ધંધા ભાંગી પડયા છે; બેકારી તેમને બાળી રહી છે; જીવનનિર્વાહને પ્રશ્ન તેમને દિનરાત ગુંગળાવી રહેલ છે. આવા પ્રશ્નને વિચાર કરવામાં, આવાં ભાઈબહેને રાહુતી આપવામાં આપણે કઈ પણ વિચારભેદ આડે આવી શકતા નથી. ઐક્ય સમિતિના .. ઠરાવે પણ મતભેદેને આગળ ધરે છે; સુતેલા પ્રશ્નોને જીવતા કરે : છે; નૂતન વિચારનું મેટું શીવી લેવા માંગે છે. અમે કોઈપણ સમ- કે જુની ઉપર આવવાને તૈયાર છીએ. આજે સળગતા પ્રશ્નોનું દર્દ જેટલું છે
કી પડે તેવી સગવનાર કારના સાધુ સંમેલનના કાન
કે
*
*
* *