________________
.તા. ૧૫-૪-૪૫
પ્રમુખ જૈન
ગ્રંથ, ગ્રંથકાર
(અંક ૨૨ થી ચાલુ)
'ચકાર, ગ્રંથ અને ગ્રંથાલય સધી આટલો વિચાર કર્યાં પછી કેળવણીના એક મહત્વના અંગ જેવા ગ્રંથાલયાને વધુ આકર્ષક, ઉપયોગી અને વ્યાપક કેમ બનાવી શકીએ તેને વિચાર કરવા. આપણે ત્યાં આજે અસ્તિત્વ ધરાવતા ભિન્ન ભિન્ન પ્રકારના પુસ્તકાલયા ઉપર એક ઉડતી નજર નાંખી જઇએ.
(૧) અમુક વિષય ઉપરના અભ્યાસ માટેના પુસ્તકોના સંગ્રહ ધરાવતા પુસ્તકાલયેા તેમજ ખાસ વિષયેા ઉપર ભિન્નભિન્ન વિદ્વાનોએ લખેલા ગ્રંથાના સંગ્રહ હેાય તેવાં ગ્રંથાલયા: આવા ભંડારા સામાન્ય જનતા માટે બહુ ઉપયેગી ન બને પણ વિશિષ્ટ અભ્યાસીઓને ઉપયોગી બને. અભ્યાસીએ ત્યાં જઇ તેના ઉપયોગ કરે અને એકજ વિષય ઉપર અનેક વિદ્વાનોના અભિપ્રાયા જાણી. તેઓની તુલનામાંથી પેાતાનું સ્વતંત્ર મંતવ્ય ઘડવાંનુ આથી તેઓને સુલભ અને સગવડતાભયુ બને. નજીવા ખર્ચે સુલભ થતી આવી યોજના વિદ્યાર્થી આલમ માટે ખરેખર એક આશિર્વાદસમ છે. દરેક રાષ્ટ્ર આ રીતેજ પેાતાની કેળવણી સંગીન બનાવી શકે છે. આપણે ત્યાં અગાઉના પુસ્તક ભંડારા આ જાતનાજ હતા, જેનું રૂપ આજે પણ આપણે ઇતિહાસદ્નારા જોઇ શકીએ છીએ. આજે આપણે ત્યાં ભાંડારકર ઇન્સ્ટીટયુટ, હિન્દ સેવક સમાજ, ગુજરાત પુરાતત્વ મંદીર ભારતીય વિદ્યાલયની લાઇબ્રેરી અને જુના ભંડારામાં ખંભાત, જેસલમીર, પાટણ આદિના ભ’ડારા તેના ઉદાઢરણરૂપે છે. વિજ્ઞાન અંગેની કાઇ ખાસ સધ્ધર લાયબ્રેરી આપણે ત્યાં નથી. કારણ કે હજુ સુધી આપણી આધ્યાત્મિક અસર નીચે ઉછરેલી પ્રજાને તે દિશામાં જોઇએ તેવી અભિરૂચી જાગી નથી; પણ ધીમે ધીમે પ્રજા તે માગે વળતી જાય છે.
આજે આપણે કયાં છીએ? પશ્ચિમાદિ દેશોમાં અભ્યાર્સી માટેના પુસ્તકાલયો સ્થળે સ્થળે હાય છે, જેમાં હજારા પુસ્તકો સંગ્રહિત કરવામાં આવે છે અને પ્રતિદિન નવા ઉમેરે તેમાં થયાજ કરે છે. ધનિષ્ઠા અને રાજ્યસત્તા બન્ને તરફથી આવી સસ્થા ભરપૂર પોષણ પામે છે. જ્યારે આપણે ત્યાં તેવુ નથી. જડવાદી ગણાતા તે દેશમાં ધામિક અભ્યાસ માટેની પણ સુદર લાયબ્રેરી હાય છે. જગતના
ના અભ્યાસ અને સમન્વય કરી શકાય તેવી સગવડતા પણ ત્યાં મળે છે, જ્યારે અધ્યાત્મવાદી ગણાતા આપણા દેશમાં વિજ્ઞાન તે દુર રહ્યું, પણ જ્ઞાન, પ્રજ્ઞાન પણ વીસરાતુ જાય છે અને અધ્યાત્મિક વિદ્યા “હતી’ બની ગઇ છે. આપણે ત્યાં ધાર્મિક અભ્યાસ માટેના પુસ્તકાલયો વિદ્યમાન નથી. અગાઉના હતા ત્યાં પણ તાળાં દેવાયાં છે. હાલમાં દેશના વિદ્યાનેાનુ. લક્ષ્ય તે દિશામાં કંઇક ગયું છે અને કાઇ કોઇ સ્થળે શુભ શરૂઆત થતી જોવામાં આવે છે. ખુદ સાધુએ પાસે પેાતાના નિત્ય ખપના પુસ્તક નથી હોતા. એક વિધાવાંચ્છુ સાધુએ ઉચાયુ. હતું કે ‘અમારૂ જ્ઞાન તાજુ, તુલનાત્મક અને નિર્ભેળ કયાંથી રહે ? અમે વિદ્વાન કેમ થઈ શકીએ ? અમારી પાસે થોડાં પુસ્તકા છે કે અભ્યાસ કરીએ? અમારા માટે એવી વ્યવસ્થા પણ કર્યાં છે કે જેના આશરા લઇએ ?' આ વાત આજે સાચી છે. સમાજની કેળવણી વિષયક આજની સ્થિતિ જોતાં જરૂર લાગે છે કે દરેક કેળવણી તેમજ ધાર્મિક સંસ્થાને પેાતાની વિશિષ્ટ અભ્યાસ માટેની લાયબ્રેરી હાવીજ જોઇએ અને રેફરન્સ લાયબ્રેરી વિશેષ પ્રમાણમાં ઉધડવી જોઇએ જો પ્રજામાં સાચા જ્ઞાનની આશા રાખતા હાઈએ તા.
(૨) પ્રજાગણને ઉપયેગી સામાન્ય માહિતી તેમજ મનાર્જન કરે તેવાં પુસ્તક ધરાવતી અને વર્તમાનપત્રો પૂરાં પાડતી લાઈબ્રેરી અને વાંચનાલયા:—
અને ગ્રંથાલય
૧૨૫
• સામાન્ય પ્રજા આવાં પુસ્તકાલયોના ખૂબ લાભ લે છે અને જ્યારથી જગતના રંગે નિત્ય અધ્યતાં થયાં છે ત્યારથી રાજે રાજતી હકીકતા જાણવાની જીજ્ઞાસા અને ચાલુ પ્રશ્નો ઋણતાં પુસ્તક, નવલકથા, નવલિકા, જીવનવૃતાંતા અને રાજકીય, સામાજિક આર્થિક અને ધાર્મિક પ્રશ્નો ઉપર લખાયલાં પુસ્તકો વાંચવાની રસવૃત્તિ જાગી છે. પ્રજાજાગ્રુતિનું અગત્યનું કામ આવાં પુસ્તકાલયા બજાવે છે. પુસ્તકા તેમજ પદ્માની પસંદગી ઉપરજ હેતુની સફળતાના આધાર છે. આવી લાઇબ્રેરીએ સહેલાથી ઉપયોગી માહીતી મળે તેવા નકશા, માહિતીપત્ર, ચિત્ર, પુસ્તકોની ચેગ્ય વિભાગવાર ખરાબર ગાઢવણુ અને વાંચનારને માર્ગદર્શન મળે તેવા ગ્રંથાલયના વ્યવસ્થાપકની ગ્રંથપાાની તત્પરતા 'ખરેખર ગ્રંથાલયને વધુ આકર્ષક, ઉપયોગી અને વ્યાપક બનાવી શકે છે. દૈનિકો કે થોડા વખતે કાઢી નાખવા જેવા પત્રામાંથી અમુક વખતે તેમાંથી ઉપયોગી લેખા કે વાંચનનાં કટીંગ કાઢી વિષયવાર પેઇસ્ટીઇંગ ફ્રાઇલમાં સંગ્રહવામાં આવે તે ભવિષ્યમાં રેફરન્સ માટે ઉપયોગી સામગ્રી વગર ખચે જળવાય રહે અને અભ્યાસીઓને ઉપયોગી નીવડે. લાઇબ્રેરીયન કે સચાલકાની થોડી કાળજી આ કામ સહેલાઇથી કરી શકે.
આપણા આજના કહેવાતા ગ્રંથાલયેા:આપણે ત્યાં થોડાં ખાટા, પુસ્તકો, છાપાં, પડેલાં ટેબલે અને વગર તૈયારીએ ખેડેલા એક આદમી એટલે લાબ્રેરી પૂ' થઈ જાય છે. લાબ્રેરીના સંચાલકા કે આશ્રયદાતાએ તેથી કૃતકૃત્યતા અનુભવે છે. પણ આ વ્યાજખી નથી. લાબ્રેરીમાં વાંચવાનું માનસ જન્માવે અને જાગ્રત રાખે તેવુ વાતાવરણ, સુઘડ આંગણું, કલાત્મક દ્રષ્ટિ, ભાળકા, સ્ત્રી અને સામાન્ય જને તેમજ અભ્યાસીઓ માટે અલગ અલગ વિભાગે અને તે મુજમ્મુની ચાપડી, પત્ર વગેરેની યેજના આ યુગમાં પુસ્તકાલય વાંચનાલયનું અંગ ગણાવુ જોઇએ.
અહિં સ્થળ, સાધન અને સુરૂચિના અભાવે જેવા તેવા સ્થળેામાં જેવી તેવી રીતે ગ્રંથાલયા ચલાવાય છે. ગમે તેવા માણસને ગ્રંથપાળ બનાવી તેને વહિવટ સાંપાય છે અને પરિણામે કઈ દેખાતુ નથી એ વાતને ખટકા કેળવણીના પ્રચાર કરવા ઇચ્છતી જનતાને જરૂર હવા જોઇએ, જો કેળવણીને સર્વાંગી અને વ્યાપક બનાવવી હાય તે. ', યુગની તાસીર પ્રમાણે પ્રજાના ભિન્ન ભિન્ન સ"પ્રદાયા કે વર્ષાં સૌને પેાતાના અહેવાલોમાં બતાવવા પૂરતી અનેક સંસ્થાઓની સાથે પુસ્તકાલય જેવી સસ્થા પણ હાવી જોઇએ એવા મિથ્યા મેહ જાગ્યા છે. પણ તેના વિકાસ માટેની મમતા જોઇએ તેવી જાંગી નથી એટલે તે ખીચારી સસ્થા કઈ છાને ખૂણે મરતી મરતી જીવે છે. આ વાત તરફ પ્રજાનુ' ધ્યાન ખેંચું છું કે સૌ પોતપોતાના હસ્તકની સંસ્થાએનુ નિરીક્ષણ કરી લે, ગામમાં રાજ્ય કેળવણીની સસ્થા પણ જ્યાં મરતાં મરતાં ચલાવે છે ત્યાં તેની પાસેથી સમૃદ્ધ પુસ્તકાલયની ખ કરાવનારી સંસ્થાની શી આશા રાખી શકાય ? જેમ દરેક ગામને પોતાનાં દેવસ્થાન, ઠાકરસેરા, ગાંદરા અને ભિન્ન ભિન્ન ન્યાતાને પેાતાની સંસ્થા હોય છે તેમ ગામને એક પુસ્તકાલય હાવુ જ જોઇએ એ વાત આ યુગમાં જરૂર સ્વીકારવા જેવી છે.
(૩) ફરતાં પુસ્તકાલયા: આપણે ત્યાં પુરૂષામાં વાંચવાની વૃત્તિ જાગી છે. સ્ત્રીગ્મામાં તે જગવવી પડે તેમ છે. છતાંય નવા યુગના આંદલને તેને પણ અડકયાં છે. તે જ્ઞાન મેળવવા કરતા પણ વખત ગાળવા માટે કઇક વાંચવા માંગે છે, પણ લાજ શરમના ભ્રામક ખ્યાલ તેઓને પુસ્તકાલયેામાં જ ́ વાંચવા કે પુસ્તકો લેવા જવા દેતા નથી. ઉપરાંત દિવસભર ધરની બહાર રહી કામ કરતા માણસા પુસ્તકા મેળવી શકતા નથી તેમજ ધણાં સ્થળે પુસ્તકાલયે નજદીક હાતા નથી. તે