________________
તા. ૧૫-૩-૪૧
પ્રભુ જૈન,
ગ્રંથ, ગંથકાર અને ગ્રંથાલય
(તા. ૩૧-૧૨-૪૪ ના રાજ ઘાટાપર ખાતે ભરાયેલ પ્રથમ પુસ્તકાલય પરિષદનાં પ્રખસ્થાનેથી શ્રી. વ્રજલાલ ધરમચં મેધાણીએ આપેલ વ્યાખ્યાન),
આધુનિક પદ્ધતિએ કેળવણી શરૂ થઇ ત્યારથી જ પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઇ છે એમ નથી. એ તે જ્યારથી જ્ઞાન લિપિબદ્ધ થયું ત્યારથી આપણા સમાજ જીવનમાં કેળવણી, ધમ અને સાહિત્યાદિના એક અગત્યના અંગ તરીકે ખૂબ મહત્વનું સ્થાન ભાગવતી આવી છે.
૧. અગાઉના જીવંત પુસ્તકાલયેા:-અગાંઉ લેખનની સામગ્રી પૂરેપૂરી શોધાઇ નહેાતી એટલે તે સમયના જ્ઞાની માણુસા ઉત્તરાત્તર શારો અને સાહિત્યના અમુક અમુક વિયે। કાસ્ય કરતા અને તે વિષયાને જીવતા રાખવા સજીવ માનવ ગ્રંથૅ બની રહેતા. તે વખતે જ્ઞાનનુ ક્ષેત્ર આજના જેવ ુ· વસ્તી નહેાતુ, અને તે સમયના તંદુરસ્ત માનવીની યાદશકિત પણ તેવી સતેજ અને તિવ્ર હતી. તેથી આ વાત શકય હતી. સૈકા સુધી આવા જીવંત પુસ્તકાલયો દેશભરમાં રથળે સ્થળે ગુરૂકુળા, ઋષિકુળા અને અરણ્યોમાં કે જળાશયનાં કાંઠે હતા. વિદ્યાવાંચ્છુઓ ત્યાં જતા, જ્ઞાન મેળવતા અને મેળવેલા જ્ઞાનના વારસા પ્રજાને આપતા. ગરય ગાંઠે અને વિદ્યા પાઠે રાખવાને એ યુગ હતા.
૨. ગ્રંથલેખન અને પુસ્તકાલયની રચના:-સમયના વહેવા સાથે શાસ્ત્રો કસ્ય કરવાની શકિત ઉપર જ નિભર રહેવુ જ્ઞાનીએને યોગ્ય ન લાગ્યું” એટલે તેએ ઉપયોગી શાઓ જેવાં કે ધમ', સાહિત્ય, અર્થ વૈદ્યક, જ્યોતિષ, તત્વજ્ઞાન અને દર્શન આદિ શાસ્ત્રોને લિપિબદું કર્યાં, આ રીતે પ્રથમ પુસ્તક સૂત્રરૂપે ઝાડના પાંદડાં, ધાતુના પતરાં, લાકડાના પાટીયાં અને પત્થરની લદી ઉપર લખાયાં. તેની સાથે જ તેવા બધા તૈયાર થયેલા 'થાની જાળવણી અને વ્યવસ્થિત · ઉપયોગ માટે ગ્રંથાલય પ્રવૃત્તિ અને પુતકબ’ડારા રચાયા, પુસ્તક લખવ'નું અને જ્ઞાનને લિપિબદ્ધ કરવાનું માન મોટે ભાગે આપણા દેશમાં જૈન અને બૌદ્ધ સાધુઓને ફાળે જાય છે. ત્યારે પુસ્તકા વિક્રયની દૃષ્ટિએ ભાગ્યે જ લખાતા. રાજા અને ધનપતિએ 'િમતી પુસ્તકા પોતાના ભરડારમાં રાખતા અને જ્યારે કોઇ મહત્વના ગ્રંથ લખાઇને તૈયાર થતા ત્યારે ગ્રંથ અને ગ્રંથકાર બહુમાન પામતા અને સામાજિક ઉત્સવ પ્રમાણે તેને ઉત્સવ મનાતા. આવા પુસ્તક ભ’ડા। સાથે જ કેળવણીની સંસ્થા પણ રહેતી એટલે વિદ્યાર્થીએ ગ્રંથાલયમાં એસી ગ્રંથેના ઉપયોગ કરતા, કાઇ કાઇ પાતાની લેખિનીથી પુસ્તક ભંડારમાં ઉમેરા કરી પોતાનુ. નં નઋણુ પણ ફેડતર ગ્રંથ રચનાનું ક્રમ પુસ્તક ભંડાર દ્રારા થતું
૩. સપ્રદાયા અને ગ્રંથાલયા: ધાર્મિક સપ્રદાય) અને તેના આચાર્યોની વિદ્વતા અને સખ્યાના પ્રમાણમાં તેની ધાર્મિક માન્યતા પ્રમાણેના પુસ્તકાના ખાસ ભંડારા ઘણાં સ્થળે રહેતાં. આપણા ગુજરાત અને બૃહદ ગુજરાતમાં ખંભાત, પાટણુ, જેસલમીર ઉપરાંત બૌદ્ધ વિહારીમાં આ જાતના મેાટા મોટા પુસ્તક ભંડાર હતા. આવા ભડારા જ્યાં જ્યાં રાજ્યાશ્રય કે ધર્માંશ્રય મળે અને પરદેશીએ તથા પરધર્મીઓથી રક્ષણ થઇ શકે એવા સ્થળેમાં સ્થપાતા. દેશ પરદેશમાંથી વિદ્યાથીં ત્યાં આવતા અને એ જ્ઞાનમગામાંથી પાન કરતાં, તે કાળે આવાં સ્થાને યાત્રાના સ્થળ જેવા અની જતા. આજે પણુ પ્રજાને સકાંઓ વીત્યા છતાં પણ આવા સ્થાને માટે સદ્ભાવ અને માન રહ્યાં છે, અને ત્યાં રહી વિદ્યાઉપાર્જન કરનારા સન્માનને પાત્ર ગણાયા છે. કાશી અંતે કાશીના પડીતો આજે પણ ભૂલાયા નથી. જેમ આજે કેળવણીની સસ્થાઓ વચ્ચે વ્યવદ્વારનું જોડાણુ (affiliation) છે અને જેમ નાની નાની શાળાઓ કાલેજ અને કોલેજો માટે યુનિવર્સીટીની ચેન્જના છે તેવી નહિ તેા તેના જેવી યોજના અગાઉ પણ હતી. ગામડે ગામડે ચાલતા ગુરૂકુળા, વિહાર, ઋષિકુળ અને મઢમાંથી તૈયાર થયેલા વિધ એ. વધુ અભ્યાસ માટે સારા સાધનવાળા સ્થળાએ જતા
.
૧૬.
અને જ્ઞાનની ઉચ્ચતમ ભૂમિકાએ પહોંચતા. આવા દરેક સ્થાનેને આધાર તેના ગ્રંથ ભડારા અને તે દ્વારા તૈયાર થયેલા અધ્યાપકોના ઉપર જ રહેતા. આવી રીતે વિદ્યા ઉપાર્જન કરવા આવનારાઓને અભ્યાસ પૂરા થતાં ગુરૂ જ્ઞાનના પ્રમાણમાં ઉપાધિ અને તે વિષયના પુસ્તકાની ભેટ આપી વિદાય દેતા.
૪. પુસ્તકાના દેશભરમાં ફેલાવા : શિષ્યા પણુ અન્ય ઉપયોગી ગ્રંથાની નકલ કરી સાથે લઇ જતા. આ રીતે જ્ઞાન અને પુસ્તકા દેશભરમાં વિસ્તરતા. આવા તૈયર થયેલા વિધાર્થીઓ પોતાના વતન કે આશ્રય મળે તેવા સ્થળામાં પેાતાના આશ્રમો ચલાવતા અને જ્ઞાનની પરબ માંડી પોતાના પુસ્તક ભંડારાનેા લાભ પ્રજાને આપતાં. સાંપ્રદાયિક સાધુસમાજ પણ પેાતાના જ્ઞાનની ગાંઠડી સદાય ખાંધે ઉઠાવીને સ્થળે સ્થળે કરતા અને પુસ્તકાના ફેલાવા કરતા. ચાતુર્માંસમાં તે પુસ્તક લેખનનું કામ કરતા. આપણા ઘણા ઉપયોગી અને શાસ્ત્રીય ગ્રંથા સાધુઓએ જ લખ્યા છે અને જ્ઞાનભંડારા ભરી આપણને વારસામાં આપ્યા છે.
૫. લેાકભાષા અને ગ્રંથ:-આપણુા પ્રાચીન ગ્રંથમ’ડારા, ગ્રંથકારો અને ગ્રંથો આ રીતના હતા. તેવા ગ્રંથામાં મુખ્યત્વે કરીને શાસ્ત્રીય ગ્રંથ હતા એટલે તે બધા સંસ્કૃત ભાષામાં જ લખાયેલા હતા. પ્રાંતીય પ્રચલિત લોકભાષાને પ્રજા પોતાના સાંસારિક વ્યવહાર માટે ઉપયોગ કરતી પણ શાસ્ત્રીય ગ્રંથ તેમાં નહેાતા લખાતા પણ જૈન તેમજ બૌદ્ધ ધર્મના ઉદય સાથે Àકભાષામાં ધમગ્રંથ લખવાની પહેલ થઇ અને ત્યાર પછી જ્ઞાનેશ્વર આદિ ધણા વિદ્વાનાએ તેનું અનુકરણ કર્યુ છે અને ત્યારથી પ્રાચીન ગ્રંથાલયેામાં પણ તેવા પુસ્તક દેખાવા લાગ્યા છે.
૬. પઠન પાઠનના અધિકાર:–એ સમયની એક વાત ધ્યાન ખેંચે તેવી છે તે એ કે એ વખતની પ્રજામાં જ્ઞાનનુ મહત્વ ધણું હતું. તેઓનુ જીવન પણ આધ્યાત્મિક અને `િક હતુ. અને ઇશ્વર સૌના કર્તા અને પિતા છે અને આપણે તે પિતાના પરિવાર છીએ એમ માનતા; છતાંય પુસ્તક ભડારાના ઉપયોગ અમુક વ` જ કરી શકતા. કારણ કે પદ્મન પાઠન અને અધ્યયનના અધિકારના વિચિત્ર ખ્યાલે અમુક વર્ગå જ્ઞાન લેતા અટકાવવામાં આવતા એટલે પ્રજાનુ* 'એક અંગ પાંગળું રહેતું. ગ્રંથાલયે ને ઉપયોગ સ્થાપિત કકામાં માનવાવાળી ઈશ્વરની કૃપાપાત્ર ગણાતી અમુક કામો જ ત્યારે કરતી. પણું આજે આ વિષયમાં આટલી કટ્ટરતા નથી. સૌ માટે કેળવણીનુ’ ધારણ એકસરખુ” થતાં કેળવણી માટે ગુણુ, ક્રમ કે વારસામાં ઉતરતા સકારા ૐ વ્યવસાય કે અધિકારને બદલે સામાન્ય માનવ અધિકારની ભાવના પ્રચલિત થતાં અને વર્ણભેદ, કેમભેદ કે ઉચ્ચ નીચના ભેદ તરફ અગાઉ જેવું પ્રજાનું વલણુ જનસંપર્ક, રાજ્યકારણુ અને પ્રજાની બદલાતી વૃત્તિને કારણે ન રહેતાં જ્ઞાન મેળવવાને અને પુસ્તક વાંચવાના સૌને અધિકાર છે. એમ લાગવા માંડયું છે. અગાઉ છાપવાની કળા નહેાતી એટલે લહીઆએ, સાધુએ કે વિદ્વાનને હાથથી મોટા મોટા ગ્રંથા લખવા પડતા અને બહુ જ કાળજીપૂર્ણાંક તેનુ' જતન કરવું પડતું એટલે ગ્રંથની અછત અને જતનના કારણે પણ શ્રમજીવી વર્ગના પદ્મનઠિન ઉપર પ્રતિબંધ કદાપિ મૂકાયે। હોય તે ના ન કહેવાય.
૭. ગ્રંથ અને જ્ઞાન :-સમયના વહેવા સાથે સ્થિતિ પલટાણી, •લાકાને ગ્રંથો સહેલાઇથી મળી શકે તેવી સગવડતા છાપવાની કળા અને લેખન સામગ્રીની વધતી જતી વિપુલતાએ કરી. આથી ગ્રંથલેખન પ્રવૃત્તિમાં વિક્રયભાવના પેડી. આજે પુસ્તકા ખાનગી રીતે ખરીદી શકાય છે. એટલે વાંચનના અધિકારના વાંધે ઉડી ગયા છે. આ ઉપરાંત આજે સ્થળે સ્થળે નાના મેટા પુસ્તકાલયેા અસ્તિત્વમાં આવ્યાં છે, લોકાની અભિરૂચિ વધી છે અને લેખકોને પેાતાની લેખિની અજમાવવાની તાલાવેલી પણ જાગી છે, પણ લેકાની શોધક બુદ્ધિ, ઉડાણ્ અને વિદ્યા પ્રેમ ઘટયાં છે અને તેમાંય જ્ઞાન માટે જ ધરબાર તજી ત્યાગી થનારા વ` તે। .આજે તે દિશામાં સાવ નિષ્ક્રિય થયા છે. અગાઉ જે