SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 08 ૧૨ ન્યાયના નામે પોલીસે આખા કુટુ અને જગત્રીસીએ ચડાવ્યુ, પણ્ કોઇએ ન વિચાયુ` કે. રાધા ભાગી ગઇ છે કે ગામના કાઇ હરામખોરોએ તેને ભગાડી છે? જ્યાં લઇ ગયા હશે ત્યાં તેની ઉપર શું શું વીત્યું હશે? તેનાં માતને કાંઠે મેહેલાં ગરીબ માબાપની હ્રદય-વ્યથા શી હશે? આજે સાત વરસે જ્યારે તે પછી ત્યારે પુનઃ ભુલાઇ ગયેલી વાતા ફરી વખત તાજી થઇ અને તે વૃદ્ધ માનવીઓએ પોતાના અધૂરા રહેલા દુઃખના વિષકટારા કરી વખત ભરાતે જોયે અને તેએ હતાશ થઈ ગયાં. સૌ પોતપોતાને કારણે ભાંગી પડવાની અણી ઉપર હતાં—બાપ પેાતાની દીકરી ઉપર અને કુટુંબ ઉપર થતી ક્રૂર ટીકાને કારણે, મા આ દુઃખને ભાર તેને વૃદ્ધ પતિ કેમ સહી શકશે તે ભીતિએ, અને રાધા વતન જ્યારે જાકારા ભણે છે ત્યારે કયાં જાઉં–કાને આધારે જાઉ તે દુઃખે, પણ સૌને ઉગારી લીધાં ભેળા શેઠે. ‘દીકરી, ધણીવાર પાપ પણ કાઇ કાળચેડિએ થઇ જાય, પણ જો દિલમાં તેને ખટકા હાય તે ગમે તેવું પાપ પણ બળીને ભસ્મ થઇ જાય. માણસનું જીવન ઘડીઘડીતુ, તેમાં અનેક પલટા આવે, ત્યાં કાઇના ગવ થોડા ટકી રહે છે કે તે કાયમ એવા ને એવા સારે રહેશે! વાલા રાખે તેમ રહેશે, બાકી તે વાતું! બધાંય સમય અને સ ંજોગ પ્રમાણે નાચતાં પુતળાં ! બેટા, તેં ભુલ કરી ડેાય તેાય આજે કર્યાંય એ ભુલ નથી. તારાં આંસુએ એ તે કયારની ધોઇ નાખી છે. સુખેથી ઉચાટ વગર રહેજે. મનને જરાય માળું પડવા દઇશ નહિ. k માણસ માત્ર એછી-વધતી નબળાઇ થી ભરેલા છે જ. પૂર્ણ મનુષ્ય તે! કયાંય મળે તેમ નથી, ત્યાં જગતના અભિપ્રાયને અર્થ પણ શું? ભૂલો, નબળાઇએ ભૂલી ભૂલીને જ માણસ આગળ વધે છે-કુદરત વધવા દે છે. જો આપણી ભૂલો સામું ધરતીમાતા જુએ તે તેની ઉપર ઊભા રહેવાને કાષ્ઠના અધિકાર ન રહે. જો કુદરત ભૂલેા માફ કરતી ન હેાત તેા કા ઘડીભર પણ જીવી ન શકે. ‘ બેટા ! આજે દુનિયાભરમાં એવું તે ધાર અંધારૂ' જામ્યું છે કે માણુસ પાપ કર્યાં વિના એક ડગલું આગળ જઈ શકે તેમ નથી. એટલી હંદ સુધી સમાજવ્યવસ્થા બગડી ગઇ છે કે માસને માણુસાત તરફ પ્રેમ નથી. આપણા કાંથડ ખુમાણ, કાળા નાગ અને કાદુ મકરાણી જ્યારે દુઃખને અન્યાયનેા તાપ નહિ જીરવાણી હાય ત્યારે જ બહારવટે નીકળ્યા હશે ને ! એને શુ દોષ દઇએ ? નર્મદા બ્રહ્મણી અતે માધા શેઠની વિધવા ઝાક વટલી ગયાં તે કાંઇ સુખે બન્યું હશે ? ખુબ મૂઝાણાં હશે, કાએ વાર કરી પડખામાં લીધાં નહિ હાય, ત્યારે જ ખાટ ખાંધી હશે ને? કાઇ થે સુખે વડે છે કે વટલે છે, મા! - * દિલમાં દયા હાય તે શું બાર છે પાપના કે માણુસમાં ટકયુ* રહે? આ તે આપણે જ વાડીએ અને આપણે જ રેઇએ કે જગત વઢે છે! ભાંગ્યાના ભેરૂ થવાની સમાજમાં નૃપિત હોય તે કોઇ ભાંગે જ નહિ, સમજી ને દીકરી! રાધા, આજે તે દુનિયા ઉપર પરમાત્મા રૂડયેા છે. આખા ગામમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ભર્યાં છે, પણ કાઇ તે કાઇ ની પડી નથી. એક ગામમાં વસ્યાં, ભાઇભાંડુની પેઠે રહ્યાં, ત્યાં આજે આંખની શરમ નથી, કેાઈની આંખમાં અમી નથી; તે ગામવા ખીજે કર્યાં જઇ ને ફરે ? ધરતીનાં ઢાંકણુ દેવાઈ ગયાં અને પાપને પેરે। આવ્યા!' ભેળા શેઠે રાધાને પેાતાનું દુઃખ તે ભુલાવી દીધું, પણ તેને સ્થાને તેથીયે માટુ' ગામનુ દુઃખ આવીને એન્ડ્રુ કે, ગામ દુ:ખી છે, નાશને આરે ઉભું છે, તેને ઉગારવુ જોઇએ. જો ગામ ગામનુ દુઃખ ૧ ભાંગે તે દુ:ખિયાં જાય કયાં ? પતિતને જો તેનું વતન- પાવન કરી 1 અપનાવે તે તે કયાં જઇ તે રે? પ્રબુદ્ધ જૈન પોતે આજે કાણુ છે, તેની શાખ ગામમાં શી છે, કેવી રીતનુ જીવન પતે જીવી રહી છે, તે બધુ તે ભૂલી ગઇ. એક વાત યાદ તા. ૧૫-૧૧-૪૫ રહી કે તે ગામની પુત્રી છે, આ ભૂમિનું અન્નજળ અને પ્રેમ તેણે પણ પીધાં છે, અને આ માટીમાંથી જ તેને દેહ બન્યો છે, તે તેણે પણ કંઇ કરવું ઘટે. ગઇ કાલની વેશ્યા જેવી રાધા ગામની પુત્રી બની ગઈ ! અનાથે। માટે ખર્ચી નાખી, મુંબઇના તેના લાંબા વસવાટે આપેલું તેણે પાતા પાસેની બધી રકમ ગામના ગરીબ, ખીમાર અને જ્ઞાન તેને માંદાની માવજત માટે ખૂબ ઉપયોગી થયું. તેણે જાતે સેવા કરી અને સમાજના નીચલા થરનાં બાળકમાં ઠીક રસ લીધો અને ભેાળા શેઠને પછીનું કામ સોંપી પોતે મુંબઇ ગઇ. પછી તે તે વારંવાર આવતી અને પોતાથી શકય બધી નાની મોટી સેવા કરી છૂટતી. છેલ્લાં ત્રણ વર્ષ થયાં દેશભરમાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી. ગામમાં પાણીની તાળુ હતી. રાધાએ દેશમાં આવી ઘેાડાક કૂવા સમરાવ્યા અને એક કૂવા નવા ખેાદાબ્યા. પાણી પાછળ લગભગ પાંચથી છ હજાર રૂપિયા અને અનાજ પાછળ પણ તેટલી રકમ તેણે ખી તેના કૂવામાં પાણી મીઠું અને પુષ્કળ હતું. રાધાને જીવનમાં કદી ન થયે તેવા આનદ આ વખતે થયે. જ્યારે તેના કામની કાઇએ તારીફ કરી ત્યારે તે માત્ર એટલુ જ ખેલી કે, ‘દીનાનાથ ! હુ ના જગતની ઉતાર કુ', પણ તારી દા અસીમ છે!” કૂવા સુંદર છે, પાણી ખૂબ મીઠું છે, બંધાવનારનુ ભગવાન ભલું કરે. ભગવાને તેને આપેલા પૈસા લેખે લાગ્યા છે.' એક અજાણી વ્યક્તિએ કૂવાની નજદીકમાં આવેલા શિવાલયના એટલા ઉપર એઠાં એમાં સહજ પેાતાને આભારભાવ વ્યકત કર્યાં. બાજુમાં બેઠેલ ખીજ યુવાન વ્યક્તિએ તુરંત જવાબ આપ્યા કે, પૈસા લેખે જ લાગે ને, ? કયાં રળતા પરસેવા વહ્યો છે ! આ કૂવે મુંબઇની પેલી નામચીન રાંડ રાધાએ બધાવ્યો છે. ધણાં કાળાંધળાં કરીને હવે ધરમ કરવા નીકળી છે એટલે તેનાં પુણ્યનાં પાણી મીઠાં જ હાય ને ! એણે તા ગામમાં એકાકાર કરી દીધુ. ટ્રેડ-ભગી બધાને પાણી ભરવાની છૂટ. ગામમાં પાણીની તાણુ છે, નહિતર એ રાંડ પાતરના કૂવાનું પાણી પીવે કાણુ ? કાંઠેોય ભ્રષ્ટ થઈ જાય અને ધમ ચાલ્યા જાય. હલકટનું દાન ગામ આખાનું નખ્ખા કાઢી નાંખશે. રાંડ ઢેઢ--ભગીને ઘેર જઇ માંદાના ખાટલા પાસે આખી રાત ઉજાગરા કરે છે. ગામમાં હલકા વરણને ભેગા કરી શુય પારાયણ વાંચે છે. મુંબઈથી ચેડીક દવા લાવી છે તેનું દવાખાનુંરાંડે કાઢયુ છે. કળજુગ છે ને! ગામની જુવાન છેકરીએ!ને મુંબઇ કસબ શીખવવા ન લઈ જાય તે સારૂ" !' મંદિરમાં દર્શને આવેલી રાધાએ આ કઠાર શબ્દો સાંભળ્યા. તેનું આળું દિલ ધવાયું. એટલે આવી એ એટલુ જ ખેલી: મારા વીર ! ભલે હું જગતની વેશ્યા હશ, રાંડ હશ, પણ મારા આ ગામની તે। દીકરી જ છું! ભલે ખીજે સ્થળે મારા આશકા આવતા હશે, પણ આંહી તે બધે મારા માડીષ્નયા ભાઇ જ જો છું! મારા જીવનમાં સહરાના રણ જેવી ધીખતી રેતી જ ભરી છે, તેમાં વતનને પ્રેમ-મારાં બાંધવ–બહેનીના પ્રેમ-જ એક મીઠી વીરડી જેમ મારા જીવનને રસમય રાખે છે. જીવનની કડવી-મીડીથી મરી તે રહી છું. તેમાં અને વતન અને તેનાં માનવીએની મીઠી પ્રીતિ જ જીવન જીવવા જેવું રાખી રહી છે. આટલું પણ જગત નહિ રહેવા ?? મને મારા જીવનની કાળી યાદી નહિ ભૂલવા દે?' · આંસુભરી આંખે જ્યારે રાધા મંદિરનાં પગથીયાં ઉતરતી હતી ત્યારે ભેળે ભેળા શેઠ શિકાલયમાં પ્રાથના કરતા હતાઃ * કરજો માફ તુજારો પામર પાપને દિનચર્યાંમાં પ્રભુ પાસે પણ થાય જો.' વ્રજલાલ ધ. મેઘાણી, શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ ૨
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy