SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રી : મણિલાલ માકમચ'દ શાહ શ્રી મુખઈ જૈન ચુવકસ ધનુ' પાક્ષિક મુખપત્ર વર્ષ ૬ ] પ્રબુદ્ધ મારા મુ`બઈ: ૧ માર્ચ ૧૯૪૫ ગુરૂવાર જેન (ગતાંકથી ચાલુ) તેમનુ' ચિર સ્મરણ રહે એવાં તેમના એ જીવન કાર્યાં. એક ભાવનગર પાંજરાપેાળ. પોતાની સમજ પ્રમાણે આ કાય ને વિકસાવવા વધારવા તેમજ સ્થાયીપણાને પહાંચાડવા પાછળ તેમણે ખુબ શકિત ખરચી હતી. પાછળના ભાગમાં શરીર જરા-જર્જરિત થતું ગયું એટલે આ કાની જબાબદારી તેમણે ઢંડેલી. એમ છતાં પણ પાંજરાયેળના ખર્ચે વધતા ચાલ્યો અને દ્રવ્યની ભારે ભીડ પડી, ત્યારે શરીરની અત્યન્ત નાજુક સ્થિતિ હાવા છતાં કેટલાક ગૃહંસ્થા સંથે આજથી લગભગ ચારેક વર્ષ પહેલાં તેમાં મુબઇ આવ્યા હતા અને લગભગ રૂ. ૫૫૦૦૦ નું ક્રૂડ તેમણે એકઠું કર્યું હતું. ખીન્તુ તેમનુ` કા` શ્રી જૈન ધમ' પ્રસારક સભા. આ સભાની આજથી ૬ ૩ વર્ષ પહેલાં તેમણે પોતેજ સ્થાપના કરેલી ત્યારથી આજ સુધી સભાના અધ્યક્ષસ્થાને રહીને તેમણે સભાને મેટી કરી અને નાની મેટી અનેક આક્રતાને સામને કરીને ટકાવી રાખી. આ સભાનાં મુખ્યત્વે કરીને બે કાય પુસ્તક પ્રકશન અને ‘જૈન ધર્મ પ્રકાશ' નામના માસિકનું સચાલન..સભા હસ્તક આજ સુધીમાં તેમની નજર, દેખરેખ - તેમ દવા નાચે ૩૦૦ ઉપરાંત પ્રકારાના થયા છે અને જૈનધમ પ્રકાશ' ૬૧ વર્ષથી આજ સુધી એકસરખુ પ્રગટ થઇ રહ્યું છે. પાછળતા આઠેક મહીના તેમની જોવા વાંચવાની શકત બહુ જ ઘટી ગઇ...છતા હતી. એમ હોવા છતાં પણ તે લેખે લખાવતા, ધામિક બાબતે ને લગતા પ્રશ્નોના ઉત્તરા પણ પોતે જ લખાવતા અને માસિકનું છેલ્લુ પ્રુ、 પોતે સાંભળીને મજુર કરે પછી જ તે છપાતું. ઉપર જણાવેલ જૈનધમ પ્રસારક સભાએ તેમના જ જીવન દરમિયાન સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપણા નીચે રજત મહેસવ ઉજવ્યેા હતા અને આજથી દશેક વર્ષ પહેલાં આચાય શ્રી `નર્દેશકર ખપ્પુભા ધ્રુવના પ્રમુખષણા નીચે સુવણ મહૅત્સવ ઉજવ્યો હતે. સભાને. હીરક મહેત્સવ ઉજવવાની તેમની ઇચ્છા. મનની મનમાં જ રહી ગઇ. તેમનાં બળષ્ણુ સામાન્યત: સ્થિ-િચુમ્નનાં હતાં. જીવનનેા યૌવનકાળ તેમ જ પ્રૌઢકાળ દરમિયાન તેમની પ્રકૃતિમાં અમુક પ્રકારની અસહિષ્ણુતાનું તત્વ જોવામાં આવતું. ધર્મ' વિશ્ર્વની કોઇપણ પ્રરૂપણા તે જાણે કે 'સાંભળે તે તેમનું દિલ ઉકળી ઉતુ. સામાજિક બાબતે માં પશુ તેમનું વળ સાધારણ રીતે રૂઢિચુસ્ત હતુ. જૈન સએ પ્રત્યે તેમને અસાધરણ ભક્તિભાવ હતો. સાધુઓમાં ગુણે હાય તેથી પણ તેમને મેાટા દેખાય અને તેમના અવગુણા તેમની નજરે ધણું ખરૂ પડે જ નહિ અને એમ છતાં પણ અવગણી કે નકારી ન શકાય એવી કેાઇ હકીકત ધ્યાનમાં આવે ત્યારે પણ આખા વ પ્રત્યેના તેમના અસાધારણ પક્ષપાતને લીધે આવી હકીકતાની ઉપેક્ષા કરવા તરફ જ તેમનુ મન ઢળી જતું. પણ તેમની ઉત્તરાવસ્થા દરમિયાન આપણા દેશમાં ગાંધીજીનું આવવું થયું. તેબના પ્રત્યે મારા પિતાના દિલમાં ચેક્કસ પ્રકારનું આકર્ષણ જન્મ્યું. તેમને ચેડે સરખા પરિચય પણ થયા. તેમને ત્યાગ, તપ, સાદાઇ, આધ્યાત્મિકતા અને સાથે સાથે તેમના દ્વાથે થતી દેશની ભગીરથ સેવા, ગરીમા, અસ્પૃશ્યો, દલિત પ્રત્યે તેમના દિલની દાઝ -આ બધુ જેમ જેમ તેમના જેવા અનુભવવામાં આવતું ગયું તેમ તેમ તેમનું દૃષ્ટિકાણુ અમુક પ્રમાણમાં બદલાતું ગયું અને તેમનાં સ્થિતિચુસ્ત વાણા જૈન સગ્મા પ્રત્યેના એકધારા આદરભાવ તેમજ જુના રીત રીવાજો જાળવી રાખવાના આગ્રહ–આ બધી ગ્રંથી અ’શત: ઢીલી થઇ ગઇ. નવા યુગના વિચારે તે સાંભળવા લાગ્યા અને સમાજ ક્રાન્તિના મનેારથ ધરાવતા Regd. No. B. 4266 લવાજમ રૂપિયા ૩ [અક ૨૦-૨૧ પિતા ફાય કર્તાઓના સમાગમમાં તેઓ આવવા લાગ્યા. કહેવાતી ધામિક વ્યક્તિએના જીવનમાં રહેલુ’ કેટલુંક પેાલાણ અને કહેવાતી ધવિધી વ્યકિતએના જીવનમાં રહેલી સત્યનિષ્ટા તથા પોતાની બુધ્ધિ પ્રમાણે જનતાની સેવા કરવાની કડી ધગશ તેમની નજરે પડતાં માણુસાને માપવાનાં તેમનાં માપતેલાં બદલાવાં લાગ્યાં અને જેમના વિચારો પેાતાને માન્ય ન હાય એવી અનેક વ્યકિત વિષે પણ તે સ્વાભાવિકપણે આદર અનુભવતા થયા.. તેમની ધર્મશ્રદ્ધા જીવનના અન્તભાગ સુધી એક સરખી સુર્દઢ હતી; તેમજ સાધુમસ્થા પ્રત્યે તેમના દિલમાં એક સરખા ઉડા આદર હતા; પણ જીવનભરની ધર્મોપાસનાએ તેમનામાં એ તત્ત્વ ખુબ વિકસાવ્યા હતા (૧) સત્યનિષ્ઠા અને (૨) ચારિત્ર્યશુદ્ધિને અસ્ત આગ્રહ `સત્યનિષ્ઠા એવી વસ્તુ છે કે જે અસ્થાને પ્રતિષ્ટિત થયેલા માલ કે પક્ષપાતને લાંખાં વખત સ્થિર રહેવા દેતી નથી. તે રીતે તેમને પણ જ્યાં ત્યાં અસત્ય કે દંભ નજરે પડતાં ત્યાં ત્યાંથી તે એકદમ પાછા હઠવા લાગ્યા. જ્યાં ચારિત્ર્ય દોષ તેમના જોવા કે સાંભળવામાં આવતા ત્યાં તેમને એકાએક ધૃણા ઉપજી આવતી. આમ તેમના અંગત વિચારાનુ મૂળ કલેવર ઘણી બાબતામાં ઠેઠ સુધી એકસરખુ ટકી રહેલુ હાવા છતાં તેમને આદર તેમજ સહાનુભૂતિ ઉતરેત્તર વ્યાપક બની રહ્યાં હતાં. અનેક જૈતુ ધર્મ વિરાધી ગણાતી અનેક વ્યકિતએ પંડિત લાલન, સાધુએ સાથે તેમના સંબધ એકસરખા જળવાઇ રહ્યો હતો એમ મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, પડિત ખેચરદાસ વગેરે સાથે પશુ તેમને બહુ સારા નાતા હતા. એવી જ રીતે ધાર્મિક ક્રિયાકાંડ તરફની તેમની રૂચિ પહેલાં જેટલી જ . તીવ્ર હતી એમ છતાં પણ આજે માનવજાતની પાર વિનાની સ્માત, અગવડ, હાડમારીઓ, ભુખમરે તેમના હૃદયને કાર્યાંજ કરતાં હતાં અને આ બધાની ઉપેક્ષા કરીને ધામિક જલસા, સમારભ તેમજ વઘેાડાએ પાછળ અનગળ દ્રવ્ય ખરચાતુ જોઇને તેમને ખુબ દુ:ખ થયા કરતું. તેમનામાં ઉડી અને દબરી માનવતાએ જન્મ લીધા હતા. આ' તેમનું પરિવર્તન તેમના દિલની વિશાળતાનું ઘોતક હતું, 1 ધર્માં કે તત્ત્વની .મૌલિક વિચારણામાં તેમને કાળા કાઇ ખાસ મહત્ત્વના હતા એમ હું ન કહ્યું. તત્ત્વદૃષ્ટા રાધાકૃષ્ણન, આચાય આનંદ શ ́કર કે "ડિત સુખલ લન્ડની મસ્પેશિ` બુદ્ધિ તેમની કદાચ ન લેખાય. તેમની વિરાટ અક્ષર પ્રવૃત્તિ મેક્રટે ભાગે જૈન સાહિત્ય પુરતી મર્યાદિત હતી. તેમનુ" કાય મુખ્યત્વે કરીને સંગ્રાદ્ધકનુ, સૌંપાદકનું, વિવેચનકારનુ" અને ઉપદેશકનુ હતુ. જનતાને તેમનો ઉપદેશ ખુબ સ્પર્શતા કારણ કે એક તે તેમની ઉપદેશ શૈગ્નિ બહુ જ આકર્ણાંક અને રાયક હતી અને બીજું તેમના ઉપદેશ પાછળ સંયમ, સાદાઈ અને પવિત્રતાથી ભરેલું તપામય જીવન હતું. તેઓ ઉચ્ચ કૅાર્ટિના વકતા અને સારા લેખક હતા. તેમની ભાષા સાદી અને સામાન્ય જનેતે સુચાલ હતી. • તેઓ જ્ઞાનની એક પરબ સમાન હતા. તેમની પાસેથી કેટલાયે લોકોએ જ્ઞાનામૃતનું પાન કર્યું. હશે; કેટલાય લેકાએ ધમ પ્રેરણા પ્રાપ્ત કરી હશે. તેમની દ્વારા ધમ તત્ત્વ જીવન્ત-મૂર્તિમત્ત બન્યુ હતું. લેખા તેમજ ઉપદેશદ્રારા ધામિક ભાવનાની જનસમાજમાં પુષ્ટિ કરવી એ જ જાણે કે તેમનું જીવનવ્રત હતું. તેમનાથી કેટલાય ધમમાગે ચઢયા હરશે, કેટલાય પાપમાર્ગેથી પાછા વસ્યા હશે. તેઓ વધુની ાનગંગા હતા. એ જ્ઞાનગ’ગાને આરે એસીને કેટલાય મુમુક્ષુજને એ વિશ્વાન્તિ અનુભવી ' હશે અને અધ્યાત્મ, વૈરાગ્ય અને સમભાવની દીક્ષા લીધી હશે. (અનુસધાન પાતુ ૧૦૬)
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy