________________
મફત જૈન
તા. ૧-૧૧-૪૫
સંઘ સમાચાર દિવાળીની બેણ આપે!
સંધની વિવિધ પ્રવૃત્તિઓને દ્રવ્યસિંચન કરે! વિક પ્રબુદ્ધ જેનઠારા સંધની વિવિધ પ્રવૃત્તિઓને અવારનવાર પરિચય જ આપવામાં આવે છે. આ સર્વ પ્રવૃત્તિઓ સમાજ તરફથી થતા ચાલુ '
મળતી મદદ વડે ચાલી રહી છે. સંધ પાસે કોઈ મેટું એવું ભંડેળ . દ નથી કે જેના આધારે આ બાબતમાં સંધના કાર્યવાહકે ચિંતામુકત રહી શકે. આ અંક દિવાળીના દિવસે બુધ જૈનના વાંચકેના હાથમાં આવશે. એ પ્રસંગે દીવાળીની બોણી તરીકે નીચે જણાવેલી સંધની કોઈ પણ પ્રવૃત્તિમાં બને તેટલી આર્થિક મદદ મોકલવા વિનંતિ કરવામાં " આવે છે. : મ, મે, સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલય
- સંધ તરફથી ચલાવવામાં આવતા વાંચનામાં હમેશા લગભગ ૧૨ ભાઈઓ વાંચવા આવે છે અને જાણીતા લગભગ સર્વ દૈનિક,
સાપ્તાહિક, પાક્ષિકો તેમજ માસિક વાંચવા માટે મૂકવામાં આવે છે.. [વાંચનના સમયે સંધતા કાર્યાલયમાં વાંચવા આવતા ભાઈઓને સમાવવા કે મુશ્કેલ પડે છે. એટલું જ વાંચકેનું દબાણ પુસ્તકાલય ઉપર રહે છે. નું પુસ્તકો વાંચવા લઇ જવા માટે અનામત મુકનારાની સંખ્યા ૭૦૦ ઉપરની
છે. આ બ- સૌ કેઈન માટે ખુલા છે અને તેને લાભ વિના લવાજમ " આપવામાં આવે છે. આ સંસ્થાના નિભાવ પાછળ સંધને વાર્ષિક વિરૂા. ૨૨૦૦ લગભગને ખર્ચ છે. આ જ્ઞાનની પરબમાં જે કાંઈ દ્રવ્યની ( પુરવણી કરવામાં આવે તે જ્ઞાનની જ આરાધના છે. સંધ માટે આ
જવાબદારી સૌથી ભેટી છે. તેને બને તેટલી હળવી કરવા અને આ જ્ઞાનપચારની પ્રવૃત્તિને ટેકવવા જાહેર જનતાને તેમજ ખાસ કરીને વાંચમાલય અને પુસ્તકાલયને લાભ લેતા ભાઈઓને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. , , ' રાહત પ્રવૃત્તિ
સંધની કાર્યશક્તિ મર્યાદિત હોઈને જે પ્રવૃત્તિ જન સમાજ પુરતી છેલ્લાં બે વર્ષથી ચલાવવામાં આવે છે તેને આજે ૬૫ ઉપર છે જેન કુટુંબે લાભ લે છે, અને દર માસે લગભગ રૂ. ૭૦૦ ની વહેં:
ચણ આ કાર્ય પાકૅળ કરવામાં આવે છે. સાધારણ રીતે આ પેજનાને - લાભ લેતા કુટુંબને તેના માસિક રેશન બીલની જે રકમ અને તે ૫૦ { ટકા અને કેટલાક કુટુંબને ૭૫ ટકા સુધી રકમ ચુકવવામાં આવે છે.
આ પ્રવૃત્તિ સવંતુ ૧૯૮૪ના ભાદરવા મહીનામાં શરૂ કરવામાં આવી હતી. તે કાર્યને ચલાવવા માટે આ જ સુધીમાં જનસમાજ તરફથી લગભગ રૂ. ૧૭૦૦૦ મળ્યા છે અને બીજી બાજુએ જુદા જુદા કુટુંબમાં દીવાળી સુધીમાં રૂ. ૧૫૦૦૦ ઉપર વહેંચાયા છે. આ પ્રવૃત્તિ દર છ મહીના માટે નકકી કરવામાં આવે છે અને સંગે વિચાર કરીને તેમજ સમાજને કેટલે સહકાર મળે છે તે કાનમાં
લઈને બીજા છ મહીના માટે લંબાવવામાં આવે છે. આ મુદત આ { દીવાળીથી પુરી થતી હતી તે ત્યારબાદ આ પ્રવૃત્તિ ચાલુ રાખવી કે
નહિ તે પ્રશ્ન છેડા સમય પહેલાં મળેલી સંઘની કાર્યવાહક સમિતિ E સમક્ષ ઉપસ્થિત થયે હતા, જે વખતે દીવાળી સુધીની જવાબદારીને
પહોંચી વળતાં આ ખાતે રૂ. ૧૮૦૦ લગભગ વધશે એમ અડસટદવામાં આવ્યું હતું. આજસુધી જૈન સમાજના ધનિક તેમજ સાધારણ ક સ્થિતિના ભાઈઓએ રવેચ્છાથી મટી નાની મદદ મોકલીને આ પ્રવૃતિને આ જે સહકાર આપે છે તે સહકાર ચાલુ રહેશે એવી શ્રદ્ધા ઉપર સંઘની
રાહત પ્રવૃતિને હવે પછીના છ મહીના લંબાવવાનો નિર્ણય કર્યો છે. - સમય હવે બદલાતા જાય છે અને જે સરળતાથી અને છુટથી આ આ કાર્ય માં આજ સુધી મદદ ચાલી આવતી હતી એ રીતે હવે નાની મોટી રકમ ચાલી આવતી નથી એ જોતાં આ રાહત પ્રવ્રત્તિ ચાલુ
રાખવામાં સાથે મોટું આર્થિક જોખમ ખેડયું છે. એમ છતાં પણ આ દેખાતી ! ! છતાં મદદ લેતા કુટુંબ માટે અતિ મહત્વની માસિક રૂ. ૧૦-૧૫ થી ૨૫ કે ૩૦ સુધીની મદદ એકાએક બંધ કરવામાં આવે તે તેમની મુંઝવણ કેટલી , બધી વધી જાય તે ધ્યાનમાં લઇને આ પ્રવૃત્તિ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપર જણાવી તેવી રેશન રાવન ઉપરાંત રોકડ માસિક મદદ તેમજ છુટક મદદ પણ આપવામાં આવે છે. સાંપ્રદાયિક કશા પણ ભેદભાવ સિવાય ચલાવવામાં આવતી આ રાહત પ્રવૃત્તિમાં આર્થિક પુરવણી કરવા જૈન સમાજને અમારી આગ્રહભરી વિનંતિ છે.
પ્રબુદ્ધ જૈન - શ્રી મુંબઈ જેન યુવક સંધ તરફથી પ્રગટ થતું પ્રબુધ જૈન છેલ્લા સાત વર્ષથી માત્ર જૈન સમાજની નહિ, પણ વિશાળ માનવ સમાજની સેવા કરી રહ્યું છે. આ પત્રને આજ સુધીમાં ઉત્તરોત્તર વિકાસ થઈ રહેલ છે અને ગ્રાહક સંખ્યામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહેલ છે. વચગાળે પ્રબુદ્ધ જૈન સરકારી કાનુનને લઈને માત્ર ચાર પાનાની જ વાંચનસામગ્રી આપી શકતું હતું, અને તેની થોડી અસર ગ્રાવક સંખ્યા ઉપર પડી હતી, આજે સાધારણ રીતે આઠ અને કદ કદિ દશ અને બાર પાનાં સુધી વાંચનસામગ્રી આપવામાં આવે છે. અને પરિણામે શ્રાવક સંખ્યા પણ હવે ઠીક ઠીક વધવા લાગી છે. પ્રબુદ્ધ જૈન ને પ્રચાર આમ જનતામાં વધારે પ્રમાણમાં થાય એવી ઈચ્છાથી વાર્ષિક લવાજમ રૂ. ૩ લેખે પાંચ, દશ પંદર કે. પરીસ લવાજમની રકમ પ્રબુદ્ધ જૈનના પ્રશંસકે તરફથી ભરવામાં આવે છે અને તેના બદલામાં તેઓ જણાવે તેમને અથવા તે અમને ઉચિત લાગે તેવી સંસ્થા એ, વાંચનાલયે તેમજ વાર્ષિક લવાજમ ન ભરી શકે તેવી વ્યકિતઓને પ્રબુદ્ધ જન વિના લવાજમે મોકલવામાં આવે છે. પ્રબુધ્ધ જનને જાહેર ખબર દ્વારા કે બીજી કઈ રીતે આવકનું અન્ય કોઈ સાધન નથી તેમ જ સંધા સભ્યોને વિના લવાજમે પ્રબુદ્ધ જન મોકલવામાં આવે છે, તેથી આજની અસાધારણું મેઘવારીના સમયમાં પ્રબુદ્ધ જૈન હજુ પગભર થઈ શકતું નથી. તેથી ઉપર જણાવ્યું તે રીતે અથવા તે સીધી રીતે મદદ કરીને પ્રબુધ્ધ જૈનને બને તેટલું આર્થિક ટેકો આપવા વિનંતિ કરવામાં આવે છે. પ્રબુદ્ધ જૈનમાં વધારે ને વધારે વાંચન સામગ્રી આપતા રહેવાની અમને ખુબ ઇચ્છા રહે છે, પણ. એ ઈચ્છા પાર પાડવાનો આધાર એક તે ઉપર જણાવી તેવી આર્થિક પુરવણી ઉપર રહે છે. બીજુ વિદ્વાને, વિચારક અને સમાજસેવકે પિતાની વિદ્વતા, વિચારણા અને અનુભવને લાભ લેખે દ્વારા પ્રબુદ્ધ જૈનને આપતા રહે તેના ઉપર પ્રબુદ્ધ જનને ભાવી વિકાસ અવલંબે છે. પ્રબુદ્ધ જેની આજ સુધી ( શૈ લ ઉપરથી જેમના દિલમાં પ્રબુધ્ધ જૈનની સત્યનિષ્ઠા અને ઉદાત્ત વિચારસરણી વિષે વિશ્વાસ બંધ હોય તે સર્વને પ્રબુદ્ધ જૈનને અર્થસમૃદ્ધ અને વિચારસમૃદ્ધ બનાપવાની દિશાએ બનતે સહકાર આપવા અમારી નમ્રભાવે વિજ્ઞપ્તિ છે.
- નર્સ થવા ઈચ્છતી જૈન બહેનને ધી બેબે ગ્રેવીન્સીયલ. નસીંગ એસેસીએશનને અભ્યાસક્રમ પાર કરીને નસ થવા ઈચ્છતી કેઈ પણ જૈન બહેનને દર માસે રૂ. ૨૦ ની શિષ્યવૃત્તિ આપવા માટે શ્રી. મણિલાલ મકમચંદ શાહ તરફથી શ્રો. મુંબઈ જન યુવક સંધને રૂ. ૧૦૦૦ મળ્યા છે. જે બહેનને આ શિષ્યવૃત્તિને લાભ લેવાની અપેક્ષા હોય તેણે પિતાની ઉમ્મર, આજ સુધી અભ્યાસ તથા આર્થિક સ્થિતિ / વિગતે સંઘના મંત્રી ઉપર ૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ મુંબઈ. ૩ એ સરનામે તુક્ત અરજી એકલવી. આવેલી અરજીઓમાંથી સૌથી વધારે ગ્યતા ધરાવતી બહેનને ઉપરની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંજ,