SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ક : ७ ૧૩ શ્રી મુંબઈ જૈન યુવકસ ́ધતુ' પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી : મણિલાલ માકમચંદ શાહ, મુંબઈ : ૧ નવેમ્બર ૧૯૪૫ ગુરૂવાર, મીરાંને ખબરે નહિ કે એની પાછળ કેવુ' ઝેરી કાવત્રુ' રચાયુ. છે. એને ખબર હતી કે રાણાજીને પથ ન્યારે છે, અને પેાતાને પથ જુદો છે. એને કારણે જે કલેશ પેદા થયા હતા તે તે એ કયારની પી ચૂકી હતી. એણે માન્યું હતુ કે સ ંસારની અસë વહુએ જેમ સહન કરે છે તેમ આપણે પણ આ કલેશ સહી લશું. આપણા માટે .તે એ કર્મેશ જેવા રહ્યો જ નથી. જ્યાં સ` જંગ ખારૂ થયુ છે, ત્યાં રાણાજીની કડવાશ વધારે શું અસર કરવાની હતી? પણ રાજા લાકે તા જાણે છે કે એમની પાસે દરેક અગવડ માટેનું છેલ્લુ એસડ મરણ જ છે. મરણ કેટલુ નિર્વીય છે એ સમજી લેવા જેટલી બુદ્ધિ સત્તા આગળ હતી જ નથી. દુનિયાના પ્રારંભથી આજ સુધી, મરણુની મદદથી એ સારી કે નરસી એકે વસ્તુને નાશ કર્યાં નથી. આવેલું મરણુ અથવા આપેલુ મરણ બધી રીતે નિષ્ફળ નીવડે છે. સ્વેચ્છાએ સ્વીકારેલુ મરણ અને વધાવી લીધેલું મરણુ એ જ જીવનની પરિપૂતિ છે. એ જ જીવનની કૃતાંતા છે. એવું . મરણ જ અમરતાનું એક માત્ર બારણુ છે. .1 66 विषम् अपि अमृतायते " [તા. ૧૧ મી સપ્ટેમ્બરને દિવસે નેશનલ થીએટરવાળાઓ તરફથી મીરાં નામની એક નૃત્યનાટિકા ભજવાઈ. નૃત્ય મારફતે નાટયની અસર પેદા કરવાનેા એ એક સારા સરખા ના પ્રયોગ હતા. નૃત્ય અને નાટય એ બને કળા કેવળ ધધાદાર લોકોના હાથમાં જ રહે તે સમા તે તે કળા મારફ્તે સસ્કારિતા મેળવવાની તક ન મળે. એ ઉગ્રુપ દૂર કરવા માટે સંસ્કારી સમાજનાં પુરૂષો શેખ તરીકે એ કળમ કેળવવા લાગ્યા છે એ આનંદની વાત છે. મીરાની નૃત્યનાટિકા આ જ ઢબના પ્રયાગ હેઇ, એની ખૂબી સમજાવવાની દૃષ્ટિએ મારા મિત્ર, મુતે એ જોવા લઇ ગયેલા. ત્યાં મીરા રાણાજી તરા માકલેલે ઝેરને પ્યાલે હાથમાં લઇ એ ભગવાનને બારણે રાખે છે, અને રાધેશ્યામની ધુનમાં તલ્લીન થઈને નૃત્ય કરે છે, અને પછી જ્યારે રાધેશ્યામ સાથે તદાકાર થવા સુધી ધુનની અસર ચઢે છે, ત્યારે પ્યાલામાંનુ ઝેર પી જાય છે. એ નાટિકામાં ભાગ ભજવતી બહેનેા સાથે ઉપરના પ્રસંગના રહસ્યની ચર્ચા કરતાં જૈ વિચાર ઉપજ્યો, તે જ અહિં નોંધેલ છે, મીરાંની જીવનસિદ્ધિનું રહસ્ય આમાં આવી જાય છે એમ હું માનુ છું. काका कालेलकर પાતની - ધુન, અને એની રાણાજીએ મરણુ વાટે મીરાંની અગવડ મટાડવાના વિચાર કર્યાં અને એતે માટે ઝેરને પ્યાલો મેકલી દીધો. અહિં મીરાં શ્યાĀસુદરના ધ્યાનમાં અને રાધેશ્યામની ધુનમાં મગ્ન હતી. એની આગળ જ્યારે ઝેરના પ્યાલે આવ્યા ત્યારે એ શું છે એ સમજવા પૂરતી એ નીચે ઊતરી, એને ખબર પડી કે રાણાજી અકળાયા છે, એને એના પ્રાણ લેવા છે. કોઇ માણસ આપણી પાસે આપણાં ઘરના કચરા મગવા આવે ત્યારે જેમ “હાશ, સારૂં થયું, ધરતી ગુર્રડ ગઈ અને કાકને ના ઉપયોગ થયેા,” એવી લાગણી પેદા થાય છે, તેવી જ રીતે મીરાંને થયું. એ જાણતી હતી કે એના શરીરમાં રમતા પ્રાણ એ 'કાંઈ જ વસ્તુ નથી. હવાનું કેવળ ચલનવલન છે. એ તે કાઈના હાથમાંયે આવવાના નથી. એનાં હૃદયનાં પચપ્રાણ તે એણે એના રાધેશ્યામને કયારના અણુ કર્યાં હતા. એ પ્રાણા સુધી દુનિયાના કોઇ પણ રાણાજીની પહોંચ હતી નહિ. Regd No. B, 4266 રાણાજીને હેતુ સમજતાંવેંત મીરાંએ ઝેરના પ્યાલે! હાથમાં લીધે, અને "દિરની મૂર્તિ આગળ ભકતભાવે મૂઠ્ઠી દીધું. લવાજમ પયા પ્યાલા મૂકીને એણે પોતાનું ધ્યાન, સાથેનું સર્વાંગીણ નૃત્ય ચાલતું રાખ્યું. એ વખતે મીરાંના ધ્યાનમાં શું ચાલતું હતું ? કૃષ્ણની ધુનથી નીચે ઉતરાય જ નહિ. અને રાણાના સંકલ્પના અક રૂપી એ ઝેરને પણ ભૂલાય નહિ. એ જૈન વચ્ચે મીરાંએ રસ્તે શી રીતે કાઢયા હશે ? ધ્યાનમાં દ્વૈત ચાલે નહિ, અને અહિં તે આ છે. વસ્તુમાંથી એકનો તિરસ્કાર કરાય નહિ. મીરાંએ મનમાં કહ્યું ‘આ રૂપે આવ્યા છે, મારા શ્યામ ? આ ઝેરને રંગ કૃષ્ણન રંગથી જરાય જૂદા નથી. હળાહળે વિશ્વના સહાર કર્યાં, કૃષ્ણે પણ મારી દુનિયાને કયારનો નાશ કર્યાં. એ દેખાએ મારે માટે કશું જ રહેવા ન દીધું. બસ એકલા પોતે જ રહેવા માગે છે. મને લાગતું હતું કે અમે એ છીએ–શ્રી કૃષ્ણ અને એની મીરાં, પણ એ તે મીરાંને પણ કેમ રહેવા દે ! હાય તા એ કૃષ્ણ જ હાય. આ ઝેર શરીરના નાશ કરશે અને આત્માને મુકત કરશે. શ્રી કૃષ્ણે પણ બીજું શું કરે છે ? દુનિયાને નષ્ટ કરે છે. માટે જ તે એને ‘રિ' કહે છે, ‘જનાદન’ કહે છે, ‘ભવરાંગદન’ કહે છે. આમ કરે છે ત્યારે જ તા ભકતો મુકત ચાય છે. રાણાજીએ મોકલેલું આ ઝેર ઝેર નથી, પણ પોતે શ્રી કૃષ્ણ જ છે. એની વાટે પણ હું તે મારા શ્યામનું જ ધ્યાન કરવાની. દુનિયાની ધારા ઉલટાવવાનું નું કામ છે. માટે જ તેા રાધાની સૃષ્ટિ થઈ. એ રાધા સાથે હુ એકરૂપ ચાઉ અને રાધા થઇને શ્રી કૃષ્ણને પી જાઉં. ત્યારે જ તે હું અમર થવાની. મીરાંએ રાધા સાથે અભેદ સાધ્યે. રાધા થઇને શ્રી કૃષ્ણ સાથે અભેદ સાધ્યું. આમ કરીને ઝેરનું અમૃત કયુ", મીરાંએ એ ઝેરને અમૃત કરીને પી ગઈ ત્યારથી તમામ ભકત હૃદયમાં એ અવતરી ‘અને અમર થઇને દરેક ભકત-હક્યને રાધેશ્યામની દીક્ષા આપતીરહી છે. મીરાં એટલે જ અભેદ ભકિત, જીવન સાથે ભરણુ ભેળવીને તૈયાર કરેલું' અમૃત રસાયણુ, काका कालेलकर.
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy