________________
તા. ૧-૧૦-૪૫
હિં‘દુ મુસલમાનની એકતાના પ્રશ્ન • આગળ ધરવામાં આવશે તે આવતી કાલે બ્રીટીશ હિંદુ અને દેશી રાજ્યોની એકતાની મુશ્કેલી આગળ ધરાવાની જ છે. દેશમાં આજે એકતા નથી એ હકીકતને કાઇ ઇનકાર કરી શકે તેમ નથી. પણ એ હકીકત નિર્માણ કરવામાં સરકારને કેટલા કાળા છે એ ખાબત હવે અજાણી રહી નથી. યોગ્ય બને એમ કહેવુ' અને યાગ્યતા આવવા જ ન દેવી, એક બને એમ કહેવું અને એકતા કેળવાવા જ ન દેવી-આવી દુષિત રાજ્યનીતિના અવલંબન વડે રાજ્યસત્તા હતી એમને એમ હજુ નળ્યે જાય છે અને પ્રજા કદમ ઉઠાવી ઉઠાવીને પાછી જ્યાં હતી ત્યાં આવીને ઉભી રહે છે. આ વિષમ વતુ લમાંથી પ્રજાને ત્યારે જ મેક્ષ થાય કે જ્યારે રાજ્ય કરતી સતાની સવ" કરામતા પ્રજા આરપાર સમજી જાય અને ‘કરે’ગે યા મરેંગે’ એવી પ્રબળ ભાવનાપૂર્વક પ્રજાને મોટા ભાગ એકરૂપ બની સ્થાપિત સતાના પુરેપુરા સામને કરવાની તાકાત કેળવે. એ દિવસ ન આવે ત્યાં સુધી આપણુ સવ માટે દીલ્હી હજી દૂર છે' એ હકીકત સ્વીકાયે જ છુટકા છે. મુંબઈમાં ભરાયલી એ. આઈ, સી. સી. ની બેઠક
પ્રસુંદ્ધ જૈન
ગયા સપ્ટેમ્બર માસની ૨૧, ૨૨ અતે ૨૩ ના રાજ અખિલ હિંદુ મહાસભા સમિતિની આજ સુધીમાં કિદે જોવામાં નહિ આવેલી એવી વિરાટ સભા મળી ગઈ. આજથી ત્રણ વર્ષ પહેલાં જે સ્થળે સરકારને પડકાર કરતી એ. આઇ. સી. સી. ની યાદગાર બેઠક મળી હતી એ જ સ્થળ ઉપર આગલી બેઠક કરતાં પણ ત્રણગણુા વિશાળ મંડપમાં આ ખેટક બરવામાં આવી હતી. દેશદેશાવરથી સખ્યાબંધ નરનારીએ આ બેઠકમાં ભાગ લેવા મુબઇ ઉતરી આવ્યાં હતાં અને મુંબષ્ટની જનતા પણ આ બેઠક પાછળ ઘેલી ઘેલી બની ગઇ હતી. પરિણામે અનેક ભાઈ બહેનેાને ટીકીટ નહિ મળવાના કારણે નિરાશ થવુ પડયું હતું. લાંબા ગાળે મળવાનું બનતાં લેકામાં અપાર ઉત્સાહ ઉછળી રહ્યો હતા અને ત્રણે દિવસ બેઠકના સમય દરમિયાન સભા સ્થાન તરફ જનતાના અસ્ખલિત પ્રવાહ વહી રહ્યો હતે. પરિણામે આ એક વિષયવિચારિણી સમિતિનું સ્વરૂપ છેડી. એક વિરાટ રાષ્ટ્રીય જલસામાં પરિણામ પામી હતી.
આ બેઠકમાં બનેલી ઘટનાઓ વિષે દૈનિક પત્રમાં એટલાં બધાં વિગતવાર વણુના પ્રગટ થયાં છે કે તેની વિગતા. અહિં પુનઃ રજી કરવાની જરૂર નથી. તેમાં પસાર થયેલા લાંબા લાંબા ઠરાવા પણ અહિં વિગતથી આપી શકાય તેમ નથી. પણ તેને સક્ષિપ્ત સાર ધ્યાનમાં રાખવા જરૂરી છે. પહેલા ઠરાવ ૧૯૪૨ ની લડત અને ત્યારે પછીની પરિસ્થિતિ સબંધે કરવામાં આવ્યો છે. આ ઠરાવ ૧૯૪૨ ની લડત દરમિયાન પ્રજાએ જે પાર વિનાનાં બલિદાન આપ્યાં છે અને સરકારના` અમર્યાદ દમન સામે જે અજબ ધૈય, સહનશીલતા અને બહાદુરી દાખવી છે તે માટે પ્રજાને ધન્યવાદ આપે છે, પરાધીન પ્રજાની મુક્તિ પુરતા છેલ્લા વિશ્વવિગ્રહ પરિણામશૂન્ય નિવડયા છે એમ જાહેર કરે છે, અને ૧૯૪૨ ના ઓગસ્ટ માસની આઠમી તારીખે કરેલા ઠરાવવામાં જણાવેલા રાષ્ટ્રીય તેમજ આન્તર રાષ્ટ્રીય મન્તવ્યોનું પુન: સમન કરે છે. બીજો ઠરાવ છેલ્લા સાઠ વર્ષથી ચાલી રહેલી આઝાદીની લડતનું અને કૉંગ્રેસની સમયે.સમયે પરિ વન પામતી આજ સુધીની નીતિનું નિરૂપણું કરે છે અને છેવટના ભાગમાં જણાવે છે કે કેંગ્રેસ જેમ રાષ્ટ્રની આઝાદી હાંસલ કરવા ખાતર જરૂર પડયે સપૂણૅ કે મર્યાદિત અસહકારના ત્યાગ કરી શકે નહિ તેવી જ રીતે ગમે તેટલાં ઉશ્કેરાટનાં કારણા ઉભા થાય તેપણ અહિંસાત્મક નીતિની મમ રૂપ વાટાધાટ અને સમાધાનીની પત્તિને પણ કોંગ્રેસ કદિ ત્યાગ કરશે નહિ. આમ હોવાથી શકય હોય ત્યાંસુધી વાટાધાટ અને સમાધાની, અને જરૂર પડે ત્યારે અસહકાર અને સીધી લડત—આ કોંગ્રેસના સદા માદક નિયમ રહેવા જોઇએ.” એક ઠરાવ ખર્મો તેમજ દૂરપૂર્વના અન્ય દેશમાં ઉભાં થયેલાં હિંદી
*
રાષ્ટ્રીય સેનાના સૈનાપત્તિને અને સૈનિકોને મુકત કરવાની અને આઝાદ હિંદ લીગમાં જોડાયેલા હિંદીઓને જરા પણ હેરાનગતીમાં નહિં મૂકવાની સરકાર પાસે માંગણી કરે છે. હિંદુસ્થાનમાં રાષ્ટ્રીય સરકાર સ્થપાય તે પહેલાં અંગ્રેજ સરકાર જે કાંઇ હિંદના નામે આર્થિક કે અન્ય પ્રકારની જવાબદારીએ સ્વીકારે તે હિંદુસ્થાનન અંધન કર્તા નહિ ગણાય એમ ખીજો એક ઠરાવ જણાવે છે. અન્ય એક હરાવ દ્વારા કૉંગ્રેસ વિજિત થયેલા વિશ્વયુધ્ધ દરમિયાન હિંદુ ખાતે ઇંગ્લાંડમાં જ થયેલી મેટી સ્ટર્લીંગ પુરાંત હિંદને હવાલે કરવાની માંગણી કરે છે. એક - ઠરાવ ભારત કોંગ્રેસના બંધારણમાં છેલ્લાં ત્રણ વની અસાધારણ પરિસ્થિતિને અંગે જરૂરી એવા કેટલાક કામચલાઉ સુધારાએ મજુર કરવામાં આવ્યા છે. ખીજ એક ઠરાવ વડે આગામી ચુંટણીની વ્યવસ્થા કરવા માટે, ઉમેદવારો નક્કી કરવા માટે તેમજ ચુંટણીને લગતી જરૂરી પ્રવૃતિઓનું સચાલન કરવા માટે અમુક આગેવાનની એક ધારાસમા ચુટણી—સમિતિ નીમવામાં આવી છે. રચનાત્મક કાર્યક્રમને વેગ આપવાને લગતા, દેશી રાજાની આપખુદીને વખોડતા અને દેશી રાજ્યની પ્રજાઓનુ છેલ્લી લડતમાં ભાગ લેવા માટે અભિનન્દન કરતા, ખાં અને મલાયામાં વસતી હિંદી પ્રજાના હકકાની રક્ષા ઉપર ભાર મૂકતા, ચીનનુ અભિનન્દન કરત અને દૂર પૂર્વના દેશની આઝાદી રક્ષા વિષે ચિન્તા દાખવતા તેમજ બલુચીસ્તાનની અનુમતે વતનની સંબદ્ધતા સ્વીકારતે મુજબના કેટલાક ઠરાવા પણ મજુર કરવામાં આવ્યા છે. સૌથી વધારે અગત્યન ઠરાવ અગ્રેજ સરકારની નવી દરખાસ્ત અને આગામી ચુંટણીને લગતે છે. આ ઠરાવ દ્વારા સરકારની તાજેતરમાં પ્રગટ થયેલી દરખાસ્તા વિષે કોંગ્રેસ પાતાની અત્યન્ત નાપસ ંદગી અને અસતીષ વ્યકત કરે છે અને એમ છતાં પણ આગામી ચુંટણીમાં ભાગ લેવાના પેાતાનો નિર્ણીય જાહેર કરે છે. આ ઠરાવ ઉપર પંડિત જવાહરલાલ નહેરૂએ અને સરદાર વલ્લભભાઇ પટેલે બહુજ ઉગ્ર ભાષણા કર્યાં હતાં અને એ ભાષા દરમિયાન તેમણે મેસ્લેમ લીગ અને જના” ઝીણા સાથે આજ સુધી અખત્યાર કરવામાં આવેલી કાઇ . પણ રીતે સમાધાન કરવાની નીતિના હવેથી ત્યાગ કરવામાં આવે છે એમ સ્પષ્ટપણે જાહેર કર્યું હતું.
એ. આઇ. સી. સી. ની બેઠકના આ ટુંક સાર છે. આ વખતનાં રાવે કાંઇક નરમ હતા જ્યારે ભાષણે ગરમ હતાં. ઠરાવેામાં ઉગ્રતા ઓછી દેખાય છે, સમાધાનીનું માનસ વધારે પ્રગટ થાય છે, જ્યારે દેશનેતાઓનાં વ્યાખ્યાને પહેલેથી છેડે સુધી અત્યન્ત ઉગ્રતાથી ભરેલાં અને લડાયક માનસને જ વ્યકત કરતાં હતાં અને એ સાંભળતાં આગામી આઝાદી જંગ–જો સરકાર હુન્નુ પણ સમયસર આજની મડાગાંઠને નિકાલ ન લાવે તા—બહુ દૂર નથી એવી છાપ સૌ કોઈનાં મન ઉપર પાડતા હતા. એ. આઇ. સી. સી. ની બેઠકના પરિણામે લેકાના જુસ્સામાં નવે જુવાળ આવ્યા છે; જનતામાં નવી ચેતના પ્રગટી છે, આઝદીની તમન્ના ચેતરફ તરવરવા લાગી છે, અને આવતા સુ’ટણીજંગ ઉપર સમસ્ત ભારતની જનતાનું ચિત્ત કેન્દ્રિત થવા પામ્યું' છે. પ્રચંડ આન્દોલન ઉભુ* કરવાની દૃષ્ટિએ એ આઇ. સી. સી. ની આ બેઠક અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે. આવતી આંધી !
તા. ૨૭-૯--૪૫ ના ફ્રી પ્રેસ જર્નલમાં નીચે મુજબ સમાચાર આપવામાં આવ્યા છે.
મેસ્લેમ લીગ આગામી ચુંટણીમાં કેવી રીતે કામ લેવા માંગે છે તેને કાંઇક ખ્યાલ અખિલ હિંદ મસ્લિમ લીગના મંત્રી નવાખઝાદા લિયાકતઅલી ખાને જે ચુંટણી સંબધી માર્ગદર્શન આપતા પરિપત્ર જુદી જુદી પ્રાન્તિક સમિતિ ઉપર મોકલ્યું છે. તે ઉપરથી આવી શકે તેમ છે. આ પરિપત્ર બીજી ખાખતા સાથે જણાવે છે કે “આ ચુંટણી જંગ એલીગના જીવન મરણને સવાલ છે. જ્યારે એક પ્રજાના જીવનમાં આવા કટાકટીને સમય આવે છે ત્યારે કાઇ પણ