SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૯-૪૫ ઉપરના . ધ છે. એ ધર્મોના અનુપાલનમાં રાજ્ય જો ચુકે અને દેખીતી ગુંડાગીરીતે નીભાવી લેવાની નીતિ સ્વીકારે અથવા તે ઉપર ગુનેહગાર માંથી બે ચારને શિક્ષા કરી. ઉપરછલાં થીગડાં મારીને આ બાબત પતી ગઇ એમ માનીને જો રાજ્ય ચાલે તેા રાજ્ય ભારેમાં ભારે ગલતીનું ભાગ બને છે અને પરિણામે ગુંડાગીરીની નવી આવૃત્તિએને નાતરે છે એમ સમજવુ. આ તપાસ પ્રસ્તુત અત્યાચારના માત્ર કર્મચારીઓને પકડી પાડવા સાથે પુરી નથી થતી, પણ એના મૂળમાં જઇને આવા અત્યાચારની પ્રેરણા આપનાર અને સૂત્રસંચાલન કરનાર કાણુ કાણુ છે તેના ઉંડાણુમાં રાજ્યે જવાની જરૂર છે અને હવે પછીથી આવી ગુંડાગીરીની બીજી આવૃત્તિ કદિ પણ થવા ન પામે એવી પરિસ્થિતિ રાજ્યમાં હુ ંમેશાને માટે ઉભી કરવાની અને એ ધારણે ચાલતા જરૂર જણાય તેટલી કડકાથી કામ લેવાની રાજ્યની ખાસ ફરજ છે. ઘેાડાં વર્ષો પહેલાં આજ રાજ્યમાં પ્રબુદ્ધ જૈન આથી અન્ય પ્રકારની ગુંડાગીરીની એક ઘટના બની હતી અને તે વખતે જે સખ્તાઇથી રાજ્યે કામ લેવું જોઇતુ હતું તેવી સખ્તાથી કામ લેવામાં રાજ્યે મન્દતા દર્શાવી હતી. આજે સમાજ જીવનના ખીજા પ્રદેશમાં એવા જ પ્રકારની ગુડાગીરીએ દેખાવ દીવે છે. રાજ્યસત્તા નીચે સૌ કાઇ સરખી રીતે સુરક્ષિત હવા જોઈએ; 'દિર કે મસદ કોઇ પણ પવિત્ર દેવસ્થાન કે ધર્મસ્થાનને કોઇ આંગળી પણ અડાડી ન શકે એવી સુરક્ષિતતા અને નિ યતાને પ્રત્યેક પ્રજાજનને રાજ્યે પુરા વિશ્વાસ આપવા જોઇએ. રાજ્ય આ રીતે પોતાના કર્તવ્ય ધર્મનુ પુરી મક્કમતાથી પાલન કરે અને એ રીતે અત્યન્ત દુભાયલી જૈન કામતે શાન્ત, સ્વસ્થ અને નિશ્ચિન્ત કરે એવી માત્ર જૈન સમાજ જ નહિ પણ સમસ્ત હિંદુ આલમ ભાવનગર રાજ્ય અને ભાવનગર મહારાજા વિષે આશા સેવે છે અને અપેક્ષા ધરાવે છે. આવી રીતે પ્રત્યેક પક્ષ પોતપોતાના કૃત વ્યંમનુ યોગ્ય રીતે પાલન કરીને તળાજાની દુર્ઘટનાના માઠાં અને ભયાનક પરિણામામાંથી રાજ્યતે, પ્રજાને તેમજ કાઠીયાવાડની જનતાને બચાવી શકે છે. પરમાનદ, પુરવણી : તળાજા ખાતે બનેલ મૂર્તિ ખંડનની દુર્ધટના પ્રત્યે અત્યન્ત ધૃષ્ણા વ્યકત કરતા અને ભાવનગર મહારાજાને આ બાબતમાં સત્તર પગલાં ભરવાની વિનંતિ કરતા અનેક ધરાવા જાહેર સસ્થા તેમજ સભા તરફથી અમને પ્રકાશન માટે મળ્યા છે. એ સ ધરાવે લગભગ એક જ મતલબના છે અને તેમાંના ઘણા ખરા અન્ય સામયિકોમાં પ્રગટ થઇ ચુકયા છે. તે સ` ઠરાવેા તળાજાના બનાવે ઉપસ્થિત કરેલ તુમુલ આન્દોલન અને અસાધારણ સમાજક્ષેમ વ્યક્ત તંત્રી. કરે છે. કેટલાક સમાચાર અને નેાંધ ( પૃષ્ઠ ૭૭ થી ચાલુ ) કટાઈ ગયેલા ભાલાથી વીંધાઈને મરવા કરતાં અણુમેનથી ખલાસ થઈ જવાનું... હું વધારે પસ ંદ કરૂ'. એ અણુએએ આખા વિશ્રા અન્ત આણ્યા છૅ અને લાખા માણસે તે મૃત્યુના મેઢામાં હ।માતાં બચાવી લીધા છે. એક માણસને મારવા કરતાં એક લાખ માણસને એક સાથે મારવા એ વધારે ધણાપાત્ર છે એમ કહેવામાં આવે છે; પણ આ વાત મારી તે પુદ્ધિમાં જ ઉતરતી નથી.” “જો તારા એક ગાલ ઉપર તને કોઇ એક તમાચે મારે તેા તેની સામે તારા ખીજો ગાલ ધરજે” આવેલું શાન્ત અવરોધને સદેશેા આપનાર અને એજ રીતે આજથી બે હજાર વર્ષ પહેલાં જીવી અને મરી જાણનાર્ ભગવાન ઈશુ ખ્રીસ્તના વારસદાર અને ધર્માધિકારીના મેઢામાં આવી વાણી સ્વપ્ને પણ સંભવે ખરી ? એમ છતાં પણ આવા ઉદગારા અને તે પણ ધમ ની વ્યાસપીઠ ઉપરથી આપણે છડેચેક નીકળતા સાંભળીએ છીએ, ત્યારે આ આસુરી સસ્કૃતિ અને તેના સ્વાભાવિક પરિણામરૂપ વિગ્રહે માત્ર સામાન્ય જનતાની જ નહિ, પણ વિશ્વમ ધ્રુવને મેાખરે રાખનાર ધર્માંના અનુયાયી સાધુગણ જેવા વિશિષ્ટ વના ચિત્તની પણ કેટલી ભય કર વિકૃતિ કરી નાંખી છે. તેને આપણને કાંઇક ખ્યાલ આવે છે. આ વિગ્રહે નિપજાવેલુ. ભૌતિક તુક શાન તે દશ પંદર કે પચીશ વષ માં ભરપાઇ થઇ જશે, પણ એટ નીપજેલા દારૂણ આધ્યાત્મિક હાસની પુરવણી થતાં કાણુ જાણે કેટલા સમય વીતી જશે એ કહી શકાતું' નથી, આજે તે ધમના સ્થાનમ અધમની, અહિંસાના સ્થાનમાં સહારની અને વિશ્વબવના સ્થાનમ વૈતૃપ્તિની પ્રતિષ્ટા થઈ રહી છે. માનવી પશુથી પણ નીચેની કેાટિએ પહોંચ્યા છે; ધમધિકારી નિષ્ઠુરતાના ઉપાસક બન્યા છે; સાધુએ જાણે કે સેતાનની ઉપાસના કરી રહ્યા છે. ભગવાન શુ આજે પેકા કરી રહેલ છે કે “આજથી બે હજાર વર્ષ પહેલાં તા ભારા વિરાધી એએ. મને ક્રાસ ઉપર લટકાવ્યા હતે. પણ આજે તે મારા અનુ યાયીઓ જ મને ફરીથી ક્રાસ ઉપર લટકાવી રહ્યા છે. ખરેખર તેએ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી. એ પરમ પિતા! તેમ સન્મતિ આપ !” ભાઈ અનિલકાન્ત હેમચંદ અમરચંદને અભિનંદન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગમાં માંગરૅાળનિવાસી સ્વ શે હેમચ'દ અમરચંદનુ નામ તેમની ઉદારતા તેમજ કેળવણીપ્રચા પ્રત્યે તેમની વિશિષ્ટ અભિરૂચિને અગે બહુ જાણીતુ છે. મુબઈમ આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્ય સંચાલકામાંના તેઓ એ હતા. તેમના ત્રીજા પુત્ર ભાઈશ્રી અનિભ્રકાન્ત મુબઇ યુનીવર્સીટીન બી. એસ. સી. ની પરીક્ષા પસાર કરીને ટેકસ્ટાઇલના વિષયના વિશિ અભ્યાસ કરવા માટે ૧૯૩૭ ની સાલમાં ઇંગ્લાંડ ગયેલા અને મેનચેસ્ટરમ રહેલા. ત્યાં તેમણે બી. એસ. સી. ટેક.ની તેમજ એમ એસ. સી. પરીક્ષા પસાર કરી. એમ. એસ. સી. માટે તેમણે કૃત્રિમ રેશમન સોધનને વિષય પસંદ કર્યો હતેા. તેમને અભ્યાસ તે! ઘણા સમ પહેલાં પુરા થયા હતે; પણ વિશ્વવિગ્રહે તેમને અહિં આવવામાં માટ અન્તરાય નાંખ્યા. તેએ ઇંગ્લાંડમાં ઇમ્પીરીયલ કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ પહેલાં જોડાયા હતા અને એ જ કંપનીમાં આજે પણ તે અહિ કામ કરે છે. ચાલુ વર્ષોંના જાન્યુઆરી માસમાં તે હિંદ ખાતે પાછી કર્યો છે અને લગભગ સાત વર્ષના ઈંગ્લાંડ ખાતેના તેમના ચાલુ નિવાસને લીધે અને યુદ્ધ પ્રવૃત્તિને લગતા અનેકવિધ રાકાણાને લીધે તેમણે વ્યાપાર તેમજ ઉદ્યોગના ક્ષેત્રમાં બહેળે અનુભવ પ્રાપ્તા કર્યાં છે. તેમના મોટા ભાઇ શ્રી. પ્રવીણચંદ્ર મુંબઈ જૈન યુવક સધની કાર્યવાહક સમિતિના સભ્ય છે તેમજ બીજી અનેક જૈન સસ્થાઓમાં જોડાયલા છે. ભાઈશ્રી અનિલકાન્તનું અભિનન્દન કરવા માટે તા. ૧૧–૮–૪૫ નો રાજ માંગરોળ શ્રીમાળી સમાજ તરફથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ના પ્રમુખપણા નીચે સન્માન સમાર’ભ યોજવામાં આવ્યા હતા. પોતાના વિડને પગલે ચાલીને ભાઇશ્રી અનિલકાન્ત પેાતાના ઉત્કર્ષ સાથે જેન -સમાજને તેમજ વિશાળ રાષ્ટ્રને પોતાની શકિત અને વિશાળ અનુભવને પુરા લાભ આપશે એવી આશા રાખવામાં આવે છે.
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy