SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ભિન્ન-ભિન્ન પ્રબુદ્ધ જૈન: આજે સાત વર્ષોંથી પ્રબુદ્ધ જૈન પ્રગટ થઈ રહ્યું છે અને માત્ર જૈન સમાજની જ નRsિ પણ સમસ્ત રાષ્ટ્રની અનેકવિધ સેવા કરી રહેલ છે. જૈન સમાજમાં અવારનવાર ઉપસ્થિત થતા પ્રશ્નો વિષે પ્રબુદ્ધ જૈનમાં સ્પષ્ટ, સચોટ તેમજ વિશાળ માગદશન આપવામાં આવે છે તેમ જ રાષ્ટ્ર તેમ જ વિશાળ સમાજની અનેક સમસ્યાએનુ હાદ સામાન્ય જનતાની બુદ્ધિ સરળપણે ગ્રહણ કરી શકે એ રીતે રજુ કરવામાં આવે છે. રાજકારણની નિડર ચર્ચા પ્રબુદ્ધ જૈનનુ એક પ્રધાન અંગ છે. નવા વિચારાને વેગ આપવે, સ’સ્કારિતાને પ્રચાર કરવા અને સમાજના નાના કે મેટા પ્રશ્નોનું માનવતા અને રાષ્ટ્રીયતાની વિશાળ ભૂમિકાને અનુલક્ષીને સુગમ્ય ભાષામાં નિરૂપણ કરવું–આ પ્રબુદ્ધ જૈનનુ લક્ષ્ય છે. પ્રબુદ્ધ જૈન વિષે જે કાઇ ભાઇ બહેનને આવી પ્રતીતિ થઈ હાય તે તેને ફેલાવા કરવામાં અને ગ્રાહકા, વધારવામાં બને તેટલા મદદરૂપ થાય. પ્રબુદ્ધ જૈનતુ લવાજમ રૂ. ૩ છે. ગ્રાહક થવા ઇચ્છનારને વાર્ષિક લવાજમ રૂ. ૩ માકલી આપવા અથવા રૂ.૩. ૪. ૦ નુ વી. પી. માંગવવા વિનંતી કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રમુદ્ધ જૈનની પ્રવૃત્તિ ચલાવવા પાછળ સધને દર વર્ષે રૂા. ૫૦૦ થી ૬૦૦ જોડવા પડે છે તે તે ભાર બને તેટલા હળવા કરવા પ્રબુદ્ધ જૈનના વાંચકાને ખાસ વિનતિ કરવામાં આવે છે. મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલય: આ વાંચનાલય અને પુસ્તકાલય પણ છેલ્લાં સાત વર્ષથી ચલાવવામાં આવે છે. સધના કાર્યાલયની સાંકડી જગ્યામાં હમેશાં લગભગ ૧૨૫ ભાઈએ વાંચનાલયના લાભ લઇ રહ્યા છે અને પુસ્તકાલયના ચાલુ લાભ લેનારની સખ્યા ૮૦૦ ની છે. આ પ્રવૃત્તિના અંગે સધના શિરે વહીવટી ખર્ચ તેમજ નવા પુસ્તક ખરીદવાને અંગે આશરે રૂા. ૨૦૦૦ની જવાબદારી છે. આ પ્રવૃત્તિ શુદ્ધ અર્થીમાં સાવ જનિક છે અને તેને લાભ લેનાર પાસેથી કશું' પણ લવાજમ લેવામાં આવતું નથી. આ સાર્વજનિક કામાં બને તેટલી મદદ કરવા જાહેર જનતાને વિજ્ઞપ્તિ છે. રાહત પ્રવૃત્તિ: સંધની કાર્યશક્તિ પરિમિત હોઇને આ પ્રવૃત્તિ મુ′ઇ તથા પરાંઓમાં વસતા જૈત સમાજ પુરતી મર્યાદિત રાખવામાં આવી છે. આ પ્રવૃત્તિદ્વારા ૬૫ કુટુંબને રોકડ અથવા રેશન રાહત દ્વારા દર માસે આશરે કુલ રૂા. ૭૦૦ જેટલી મદ આપવામાં આવે છે. આ ઉપરાંત કાઈ અસાધારણ પરિસ્થિતિ કે માંદગી જેવા સંયોગે લક્ષ્યમાં લઇને સધ તરફથી છુટક મદદો પણ આપવામાં આવે છે. આ પ્રવૃતિને પુષ્ટ કરવા પાછળ જૈન સમાજ પાતાના ઉદાર હાથ લખાવે એવી પ્રાથના છે. પ્રવૃત્તિએ માંદાની માવજતનાં સાધનો પુરાં પાડવા: આ સાધના કશા પણ નાતજાતના ભેદ સિવાય પુરાં પાડવામાં આવે છે. સંધના કાર્યાલયમાં આ સાધના પુરતા પ્રમાણુમાં રાખવામાં આવે છે અને ચોક્કસ અનામત રકમ સામે જેને જરૂર પડે તે આ સાધને લઇ જઇ શકે છે. સભ્યાનાં લવાજમ આ વર્ષ તે શ્રાવણ માસ પુરા થવા આવ્યા છે, એમ છતાં હજી સંધના ઘણા સભ્યાના લવાજમ વસુલ થવા બાકી છે. આગામી પયુઘણું વ્યાખ્યાનમાળા દરમિયાન વ્યાખ્યાન સાંભળવા આવતા સભ્ય પેાતપેાતાનાં લવાજમ સાથે લેતા આવે અને એ રીતે સંધના વહીવટી કાને અંતે તેટલું સરળ કરે એવી સ` સભ્યોને ખાસ વિજ્ઞપ્તિ છે. રાષ્ટ્રવીર સુભાષબુના અવસાન સાથે ઠરાવ શ્રી. મુંબઇ જૈન યુવક સંધની તા. ૨૭-૮-૪૫ સોમવારના રાજ મળેલી કાય વાહક સમિતિની સભાએ સદ્ગત સુભાષબાબુના અકાળ અવસાન સબંધે. નીચે મુજબના ઠરાવ કર્યાં છે, ‘‘રાષ્ટ્રવીર સુભાષબાજીના પર્યુષણ વ્યાખ્યાનમાળા: દર વર્ષે સધ તરફથી પયુ પણુ પર્વ દરમિયાન આ વ્યાખ્યાનમાળા ચાજવામાં આવે છે અને આ પ્રસંગે મુ′બઇ તેમજ બહારથી સુપ્રસિદ્ધ વિદ્વાના, વિચારકા તેમજ સમાજસેવકાને ધાર્મિ`ક, આધ્યાત્મિક તેમજ સામાજિક વિષય ઉપર વ્યાખ્યાને આપવા માટે નિમત્રણ આપવામાં આવે છે. આ વ્યાખ્યાનમાળા જો કે પર્યુષણ પર્વના અનુસ ́ધાનમાં ગેાઠવવામાં આવે છે એમ છતાં પણ કાઇ પણ સાંપ્રદાયિકતાના ખ્યાલથી આ પ્રવૃત્તિને હુ’મેશા મુક્ત રાખવામાં આવે છે. ક્રિચાર અને ઉન્નત ભાવનાઓના સા જનિક પ્રચાર એજ માત્ર આ વ્યાખ્યાનમાળાના હેતુ છે. આ વ્યાખ્યાનમાળાનેા પ્રબંધ પણ રૂા. ૫૦૦ થી ૬૦૦ સુધીના ખર્ચના વિષય બને છે. સઘના સભ્યો અનેા. સધની આ વિવિધ પ્રવૃત્તિઓ ધ્યાનમાં લઇને જે કાઇ જૈન ભાઈ કે બહેન સબના સભ્ય થવા ઇચ્છે તે સધનું બંધારણ વાંચી વિચારી સમજીને તેમજ તેમાં રહેલા શિસ્તના નિયમાનુ બંધન સ્વીકારીને સધના સભ્ય થઈ શકે છે. સાધારણતઃ વાર્ષિક લવાજમ ભાઇએ માટે રૂ।. ૪ અને બહેને માટે રૂા. ૩ છે. પર્યુષણથી આગામી વર્ષના આસા વદ અમાસ સુધી સભ્ય થવા ઈચ્છનાર ભાઇને રૂા. ૫ અને બહેનને રૂા. ૪ લવાજમ આપવાનું રહે છે, સધના દરેક સભ્યને પ્રબુદ્ધ જૈન વિના લવાજમે મળે છે, આળાં હૈયાં પ્રબુદ્ધ જનના વાંચકાને ભાઇ વ્રજલાલ ધરમચંદ મેધાણીનું નામ સુપરિચિત છે. તેમની કરૂણાપ્રધાન હૃદયસ્પર્શી અને સમાજના નીચલા ચરના દુઃખ, દર્દ અને યાતનાઓથી ભરેલા જીવનની ઝાંખી કરાવતી કેટલીક કથાઓના સંગ્રહ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી થોડા સમયમાં બહાર પડનાર છે. આમાંની રેંટલીક કથા પ્રબુદ્ધ જૈનના અકામાં પ્રગટ થઇ ચુકી છે. આ ૨૫૦ પાનાના દળદાર પુસ્તકની કીમત રૂ।. ૨૫ રાખવામાં આવી છે. સબના સભ્યોને તેમજ પ્રબુદ્ધ જૈનના ગ્રાહકાને આ પુસ્તક રૂ।. ૧૫ માં આપવામાં આવશે. ભાઇ મેધાણીની વાર્તાઓની લેાકપ્રિયતા તેમજ પ્રસ્તુત પુસ્તકની પ્રતાની પરિમિત સંખ્યા ધ્યાનમાં લેતાં આ પુસ્તક બહુ જદિથી ખપી જશે એમ ધારણા રાખવામાં આવે છે તે પુસ્તકના ગ્રાહક થવા ઇચ્છનારને જદ્ધિથી નામ નોંધાવવા વિનતિ કરવામાં આવે છે. મંત્રીઓ, સુબઈ જૈન યુવક સધ સધ સમાચાર અકાળ અવસાનની આ સભા અત્યન્ત ખેદપૂર્વક નોંધ લે છે. તેમની કાય પધ્ધતિ વિષે ગમે તે મતભેદ હૈાય, પણ રાષ્ટ્રની આઝાદી એ જ તેમના જીવનનું એક માત્ર ધ્યેય હતું અને તે ધ્યેયની પાછળ તેમને પેાતાના આખા જીવનનું બલિદાન આપ્યું છે એ વિષે લેશમાત્ર મતભેદ હાવા સભબ નથી. તેમના સ્વ`ગમનથી દેશને એક મહાન કમવીરની ખોટ પડી છે. આગામી પેઢીએને તેમનુ જીવન અખંડ પ્રેરણારૂપ બનશે અને તેમની નિડરતા અને વીરતા હંમેશાને માટે યુવક જનતાને દૃષ્ટાંત રૂપ રહેશે. પરમાત્મા તેમના તેજસ્વી છતાં અસ્વસ્થ આત્માને પરમ શાન્તિ આપે એવી આ સભા પ્રાર્થના કરે છે. મત્રી, મુખર્જી જૈન યુવક સધ સુર્યકાન્ત પ્રિ. પ્રેસ, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨.
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy