________________
૬૪
સરકારની મારી ઉપર નજર પડી અને મને જેલમાં પૂરવામાં આવ્યે ત્યારે કાંઇક કર્યાંના મે સાષ અનુભવ્યા અને એ રીતે જેલવાસથી પ્રાસ થતા અખાધ આરામને હું કાંઇક અધિકારી છું એમ મને લાગ્યું. પશુ આજ વખત દરમિયાન દેશના નવ જુવાતાએ જે કામ કર્યું છે, જે ભાગ આપ્યા છે, જે ન જવા સુધીના અને ફ્રાંસીના લાકડે ચડવા સુધીનાં જોખમ ખેડયાં છે તેની સરખામણીમાં મેં જે કાંઇ કામ કર્યુ હતુ તે કાંઈ જ હીપાળમાં નથી એમ કહેવામાં હું જરા પણ અતિશયેાંકિત કરતા નથી. તમે જાણા છે એમ એ વખતે કોઇ ચોક્કસ કાર્યક્રમ નહતો, જેના હાથમાં કાર્યનું સૂત્ર આવ્યું તેને સુઝે તેમ કાર્યની ચેાજના કરવાની હતી અને બલિદાનતત્પર બનેલા યુવાનેને દારવણી આપવાની હતી. આ વખતે જે કાંઇ થયું તે વિષે જ્યારે ગાંધીજી અને અન્ય દેશનેતા છુટશે ત્યારે કેવા અભિપ્રાય આપશે એ બાબતને અમે કેટલાક જેલસાથીના મન ઉપર ખુબ ભાર રહેતા હસ્તે. રખેને તે એવો ચુકાદો તે નહિ આપેને કે અહિંસાની સુક્ષ્મ દૃષ્ટિથી ચકાસતા ઓગસ્ટની ૮ મી તારીખ પછી જે કાંઇ બન્યું હતુ, જે કાંઇ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હતી—તે સ અટિત હતી? આવા ચુકાદો આપવામાં આવશે તે અમે તે। ભુલ્યા ત્યારથી કરીને ગણીશુ એમ વિચારી મન વાળીને બેસી રહેશું; પણ જે નવÀાહીયા જુવાનએ પેાતાની આખી કારકીર્દીની, ભવિષ્યની આશાઓની, જાન અને માલની અચ્યાદી કરી છે તેમને કેવા આધાત લાગશે અને તેઓ કેટલા ઉત્સાહભંગ થશે એ બાબતની અમને ભારે ચિન્તા અને મુંઝવણ હતી સદ્ભાગ્યે પડિત જવાહરલાલ નહેરૂએ એ યુવાનેનુ' અભિસન્દન કર્યું" છે અને તેમની શુભનિષ્ટને સ્વીકારી છે અને વિક્રેલી સરકાર સામે બળવા કરતાં જે કાંઇ કરવામાં આવ્યું છે તેની સવ જવાબદારી પોતાના માથે લીધી છે. સરદાર વલ્લબભાઇ પટેલે પણ મેજ રીતે બહાદુરી અને વીરતા દાખવતા યુવાનાના બલિદાનને ધન્યરાદથી નવાજ્યા છે. આ જાણી સાંભળીને અમને ખુબ નિરાંત વળી, મુંબ આશ્વાસન મળ્યું. અમારા પગમાં નવું જોર આવ્યું. આજે પણ મારૂ આજ વળષ્ણુ છે. જો દેશને ગુલામીમાં રાખતી સરકાર માથું માવે અને વિક્રે અને પ્રજા પ્રાણને છુંદી નાંખતી દમનનીતિ અખકાર કરે તે પ્રજાએ શું કરવું? મારી પાસે તેના એક જ ઉત્તર " કે બની શકે ત્યાં સુધી અહિંસાને વળગી રહીને આવી સરકાર જાએ સખ્તમાં સખ્ત સામના કરવો. હિંસક સામના અને કાયરપણા એજ પસંદગી કરવાની હાય તેા કાયરપણાને પહેલી તકે તિલાંલિ આપવી. મારી જીંદગીમાં જ્યારે પણ આવા પ્રસંગ આવશે ત્યારે તે સુઝશે તેવા અને તે ત્યાં સુધી અહિંસાને નજર આગળ રાખીને ધાવી વિકરેલી સરકારના હુ` સામને. કરવાના હું કદિ કાયર ન તું વી મારી અભિલાષા છે.
પ્રબુદ્ધ જૈન
જેલના વાતાવરણમાંથી છુટયે। અને બહાર આવીને જે ચિત્ર જોઉં છું તે ભારે નિરાશાજનક લાગે છે. આજે નીતિ અનીતિને ઇં વિવેક રહ્યો નથી. જ્યાં ત્યાં કાળા બજાર વ્યાપેલાં નજરે પડે છે, ચરૂશ્વત જીવનના સામાન્ય ક્રમ થઇ પડયા છે. આ કાળાં બજારેનાં ને લાંચરૂશ્વતનાં પાપાથી જૈને પણ મુક્ત નથી. વૈશ્ય વૃત્તિમાં અધ તા અને હીનતા દાખલ થઇ ગયાં છે. લેાકાની હાડમારીને કે ઇ ર નથી. અન્ન વસ્ત્રના અભાવે પ્રજાના કેટલાયે વર્ગો ટળવળે છે. નિજવાબદાર રાજ્યતંત્ર, અને ખીનજવાબદાર ઉદ્યોગપતિ તથા
પારીએ ઉભયે મળીને યુદ્ધ પરિસ્થિતિથી વિકટ ખવેલા પ્રજાજીવનને જૈન્ત વિષમ બનાવી દીધુ છે. આવી વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે લિયોજના આપણી સમક્ષ આવીને ઉભી રહી. કર્યાં ૧૯૪૨ની ‘કરેગે મંરેગે'ની ઉદ્વેષણા અને કાં ચાલુ રાજ્ય વહીવટમાં ઉપર ઉપરના લેક ફેરફાર સૂચવનારી વેવલ ચેાજના ? ૧૯૪૨ ની ઉદ્દામ ભૂમિકા પરથી નીચે ઉતરીને વેવલ યોજના અપનાવવા કાંગ્રેસ પોતાના હાથ માવે એમાં પહેલી ષ્ટિએ કોંગ્રેસની અમને મેટામાં મેટી હીણપત ગી. પણ બીજી બાજુએ લેાકાની ભયંકર દુશાના વિચાર કરતાં
તા. ૧૫-૮-૪૫
તેમને રાહત આપી શકાય એવી કાઇ પણ યેાજનાને કોંગ્રેસે આજની વાસ્તવિકતાને ખ્યાલ કરતાં પોતાના સ્વમાન અને સ્વરૂપને બાધ ન આવે એ રીતે સહકાર આપવા ઉઘુક્ત થવુ જોઇએ એમ મને તેમજ મારા સાથીએને સ્પષ્ટ દેખાયું' અને તેથી સીમલા કાન્સમાં કેગ્રેસની કારે.બારીએ જે ભાગ ભજવ્યો છે તેમાં કશું ખાટુ થયુ નથી એમ અમને લાગે છે. મધ્યસ્થ સરકાર જવાબદારી કૉંગ્રેસના હાથમાં આવે તે એક તે લોકોની અનેક, હાડમારીઓ હળવી કરી શકાય, લેાકેામાં વિશ્વાસ ધીરજ અને નવેશ ઉત્સાઢુ પ્રેરી શકાય અને પ્રાન્તિક કૉંગ્રેસી પ્રધાનમ`ડળે। પણ પુનર્જીવિત કરી શકાય. મધ્યસ્થ સરકારમાં સત્તાવાહી સ્થાન મળ્યા સિવાય પ્રાન્તિઃ પ્રધાનમડળા ઉભાં કરવાને કાંઇ અથ નથી એમ હું માનું છું; કારણ કે આજની યુદ્ધ પરિસ્થિતિમાં મધ્યસ્થ સરકારમાં જ ઘણી ખરી સત્તા કેન્દ્રિત થઇ છે અને તે સત્તાએ હાથમાં આવ્યા સિવાય લેાકેાને કશી પણ સંગીન રાહત આપવી શકય જ નથી. આજે તે સીમલા પરિષદ્ ભાંગી પડી છે. હવે પછી શુ બને છે તે જોવાનુ રહે છે.
.
આજે આપણા આખા દેશ સમાજવાદ તરફ ઘસડાઇ રહ્યો છે અને સમાજવાદના સિદ્ધાન્તાના અધિકાધિક અમલમાં જ આપણો ઉદ્ધાર રહેલે છે એમ હું માનુ છું. મારા વિચારેનું સવ વલણ સમાજવાદ તરફ છે. જૈન ધર્મોનાં અહિંસાથી માંડીને અપરિગ્રહ સુધીના મુખ્ય સિદ્ધાન્ત! સમાજવાદના પોષક અને સમર્થક છે એમ મને લાગે છે. સમાજવાદની ચાવી નીચેના જાણીતા શ્લોકમાં રહેલી છે.
न त्वहं कामये राज्यं न स्वर्ग नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥
આ મારા પ્રિય શ્લોક છે અને આમાંથી મળતી પ્રેરણા મુજબ મારૂ બાકીનું જીવન ઘડતા રહેવુ એ મારી ઇચ્છા છે. આમ છતાં પણ મારી અંગત પરિસ્થિતિનાં બંધને અને મારી અંગત જવાબદારીઓની મારાથી ઉપેક્ષા થઇ શકે તેમ નથી. જેલમાં એઠાં એવાં તા એવાં સ્વપ્નાં સેવતા હતા કે બહાર નીકળ્યા બાદ રાષ્ટ્રકા'માં જ હવે આખું જીવન જોડી દેવું. પણ બહાર આવ્યા બાદ થતું વસ્તુસ્થિતિનુ ખરૂં ભાન આ મનેરથને અમલમાં મૂકવા દે તેમ નથી લાગતું. આજે તેા સેાલીસીટરના જે વ્યવસાય આજ સુધી હુ' કરતા આવ્યા છુ તે ચાલુ રાખશે અને સાથે સાથે મજુરનું જે કાઇ કામ થઇ શકે તે કરવુ આવી મેં મારા માટે મર્યાદા બાંધી છે. આપ સર્વે એ મારા પ્રત્યે આ રીતે આટલા બધા સદ્ભાવ દાખવ્યા તે માટે તમા સતા હુ' ક્રીયી અન્તઃકરણપૂર્વક ઉપકાર માનુ છું.
શાન્તિલાલ હ. શાહ,
“સમય યુગધર્મ ઓળખજે''
જગત રડતુ જરા જોજે, ગણી નિજ દુ:ખ ત્યાં ધાજે; પડે પોકાર ના ઊંધજે, સમય ચુગંધમાં આળખજે, વિતંડાવાદ તું તજજે, કલહ ક’કાસ દૂર કરજે; સમાજે સપ રેલવજે, સમય ચુગધર્મ ઓળખજે, રૂડા સંસ્કાર ત્યાં સીંચજે, જીવન પલટા થવા દેજે; ઉરે કર્ત્ત ૐ ધરજે, સમય યુગધર્મ ઓળખજે. સમપ ણ જ્ઞાન તું શિખજે, પરાર્થે શાય દાખવજે, ફના કરજે ફના થાજે, સમય યુગધમ ઓળખજે. સદા સાદાઈમાં વસજે, પ્રભુનું નામ ના ભુલજે; દુ:ખીની દાઝ દિલ લેજે, સમય યુગધર્મ' આળખજે, પ્રભુ મદદે હવે રહેજે, કિનારે નાવ લાંગરવે; દિશા પ્રતિ તરફ વળજે, સમય યુગધર્મ ઓળખજે. અંગનલાલ દલીચંદ્ર દેસાઈ,