________________
તા. ૧-૮-૪૫,
પ્રમુખ જૈન
માતાની ઝંખના
અનિલે પેાતાની માતાને જોઇ હતી, તેને ખાળેા ખૂદ્યો હતા, અનેક વાર તેણે તેને હસીને હસાવી હતી - વિગેરે વાતેની સ્મૃતિ પણ તેને નહાતી. પોતે દેઢેક વર્ષના હતા ત્યાં તે તે અદ્રષ્ય થઈ હતી. પણ જ્યારે તેને ઘરના જુના સામાનમાંથી પેાતાને તેડીને ઉભેલી માતાની એક છબી મળી ત્યારે જ માતાની ઝંખના તેના દીલમાં જાગી. જેમ જેમ તે માતાની કલ્પના કરતા ગયા તેમ તેમ મનામન માતાની જ નહિ પણ માતૃત્વની પણ મધુર-મગળ મૂતિ તેના હૃદયપટ ઉપર અંકિત થતી ગઇ અને દિલમાં માતૃમીલનની ઝંખના વધતી ગઇ. ઘરના માણુસાની ચંડાળ જીભે વર્ણવેલી-માતા કાણુ હતી ? કેવી હતી? વિગેરેબધી અમંગળ વાતાને બદલે તેના દિત્રમાં નયુ શુદ્ધ માતૃત્વ સ્થપાતું ગયું.
વાત એમ હતી કે અનિલની માતા જ્યારે તે દોઢ વર્ષના પાર ામાં પઢતા ધાવણા બાળક હતા ત્યારે ધર – તજીને કયાંય ચાલી ગઇ હતી. પણ કયાં ? કોની સાથે ? અને શા કારણે ? તે કાઇ કહેતુ' નહિ, પણ જ્યારથી તે ભાગી ગઇ, ત્યારથી અનિલના કાકા પુરૂષેત્તમ ગામમાં અનેકની ખાટી મીઠી ચર્ચાના વિષય બન્યા હતા.. અને ટીકાથી :; કંટાળી આફ્રિકા તરફ ચાલી ગયા હતા, જ્યાંથી હજુ સુધી ન તે પાછા ફર્યા હતા કે ન કાંઇ ખબર મોકલ્યા હતા. અનિલને મન આ એક અગમ્ય સમસ્યા જ હતી. અને તે ધરમાં થતી સામાન્ય વાર્તામાંથી કડીઓ મેળવીને તેને ઉકેલવાની હતી. લાકના કે લેકવાયકા સમાજ જીવનની પારાશીશી છે. અને અનેક કાયડાના ઉકેલ તેમાંથી સાંપડે છે. તે તરફ દૃષ્ટિ રાખી જીવનને યેાગ્ય વળાંક આપવાથી ઘણી વખત મેટી ગલતીમાંથી ખેંચી જવાય છે.
- અનિલ જાણી શકો કે તેના પિતા કીસનદાસ જ્યારે પરણ્યા ત્યારે તેની ઉંમર ૪૫ વર્ષની અને તેની માતા માયાની માત્ર ૧૪. વર્ષની હતી. માયાના મામાએ બને તેટલા વધુમાં વધુ પૈસા લઈને આ લગ્ન સંબધ યેાજ્યેા હતેા. બહારગામ દીકરી ન પરણાવવાની કાળીઓની પ્રચલિત રૂઢિને કારણે માયાની ખૂણામાં બેઠેલી વિધવા માતાએ આવા ખીજવર સાથેના લગ્નની સંમતિ આપી હતી.
લગ્ન પછી એ વર્ષે અનિલના જન્મ થયો અને તે માત્ર એક વર્ષા થયે। ત્યાં તે કીસનદાસ પ્લેગથી આ દુનિયા તજી' ખીજી દુનિ ષામાં ચાલી ગયા. પાછળ રહી ભયંકર કરજાઉં ગરીબી, ગભરૂ બાળવિધવા અને આધાર વગરના ધાવણા બાળક. કીસનદાસના પરણવા યોગ્ય નાના ભાઈના લગ્નની આછી આછી દૂરની સંભાવના પણ આથી અદૃશ્ય થઇ ગ' થોડા વખત ભરનાર ભાઈની આંખની શરમ ટકી. પછી તે ધીમે ધીમે ભાઈના ખેઠાં જે ભાભી હતી તે અચાનક કલાણાની દીકરી બની ગઇ અને તેના કાળ પગલાંએંજ ધરને નાશ કર્યો છે એમ તે ખુલ્લે ખુલ્લું કહેવા લાગ્યા. પછી તે। અનેક જાતની કનડગત અને પતન થઈ જાય ત્યાં સુધીની સ્થિતિએ વાત પહોંચી. પરણવા ચેાગ્ય વય હોય, મહેનત કરીને ઘરનીભાવે તેવી સ્થિતિ હોય, પણ લગ્નના બીજા ખર્ચને પહેાંચી વળે તેવી શકિત ન હાય કે તેવી સ્થિતિ તુરતમાં ઉત્પન્ન થવાની આશા ન હેાય એટલે ઘર બંધાવાની કાઇ સભાવના ન હેાય એવું જ્યારે કોઇના મન ઉપર પૂરેપુરૂ સાઇ જાય છે ત્યારે તેની લગ્ન માટેની શ્રૃતા વધતી જાય છે. કોઈ ભાગ્યશાળી માણસ પ્રયત્નપૂર્વક જીવનને કચરીતે, ભાવના મારી નાંખી કોઈ પણ પ્રકારના રસ વગર જીવે છે, પણ મોટે ભાગે તે। તે વિકારમાં સ‘પૂર્ણ પણે ગળી જઇ વિકારમૂર્તિ બની જાય છે. તે અધ બને છે. ગૃહજીવનના અંતગત સડા આ અધતાનું પરિણામ હાય છે. પ્રથમ - મનમાં છૂપાયેલે વિકાર દૃષ્ટિમાં દેખાવા લાગે છે અને ત્યાંથી શરીર સુધી વ્યાપી તે પશુતાની સુધી પહોંચી જાય છે. ગરીબ દુનિયામાં મેટી ઉમરનાં કુંવારાઓમાં દેખાતે વિકાર આવા કારણે જ છે. પૈસાની ખામીએ ઉભી થતી કુંવારાપણાની દુ:ખદ સ્થિતિ સમાજને એક અતિ
૫૭
ભારે પ્રશ્ન છે. માયાએ માટી ઉમરના કુવારા દીયરની આંખમાં પશુતા દેખી. અતિ મુઝાઇને આગળ પાછળને વિચાર કર્યા વિના પ્રભુને ભસે બાળકને મૂકી ભગવાનભરૂસે તે ભાગી નીકળી.
પછીની હકીકત અસ્પષ્ટ હતી. કે એ માયાને અમદાવાદમાં તે કેઇએ તેને વડાદરામાં જોઇ હતી. એવી ભિન્ન ભિન્ન વાતા સભળાતી, પણ એક વાત તેા તે ઉપરથી નકકી થઇ કે તે અમદાવાદ, સુરત કે વડોદરા જેવા શહેરની કોઇ સંસ્થામાં હતી.
માતાના ગૃહત્યાગ પછી અનિલને કોઇ ઉછેરે તેવુ‘ નહેતુ એટલે તેની એક ક્એ તેના ઉછેરને ખાજો લોકલાજે માથે લીધે હતા, જેટલી કાળજી અને પ્રીતિ તેને તેની નિજીવ મૂર્તિ એ માટે હતી, જેટલી ફળીમાં ચણતાં કબુતરાં માટે હતી, તેટલી નમાર્યા, નખાંમા દુ:ખી બાળક માટે નહેાતી. તે આકસ્મિક એક બાળકના ઉછેર પૂરતી માતા બની 'હતી, પણ તેનામાં માતૃત્વને મધુ ભાવ કર્દિ આવ્યો જ નહેાતા. માસી તે તે ધામિક વૃતિવાળી હતી ! જ્યારે ખેડિંગમાં મૂકવા જેવડી અનિલની ઉંમર થઇ ત્યારે તેને એક અનાયાશ્રમમાં અનાથ તરીકે દાખલ કરી દીધા. આ સમયથી જ માતાની ખાદ્ય તેને જણાવા લાગી. અનાથાશ્રમમાં • સગવડતા મળવા છતાં પણ જીવનમાં ખીચારાપણુ' આવતું હતું ! ઉછેર થતા હતા છતાં પણ તેને જીવનમાં ખાલીખમપણું લાગતું હતું. પ્રતિક્ષણે જીવનમાં કંઇ ને કંઇ સમજ, પ્રકાશ ભરાતા હતા છતાં પણ ત્યાં ઘેર અંધકાર દેખાતા હતા. બીજા બાળકાને પેાતાથી ભિન્ન સ્થિતિમાં જોતે ત્યારે સહેજ તેના મનમાં થઈ જતું. કે “તેને તે। માબાપ હશે! મારે કયાં છે કઇ ? ' હું તે અનાથાશ્રમના બાળક ! અચાનક તે વિચારે ચડી જતા કે માતા શુ કામ ચાલી ગઇ હશે ? કાઇની માતા ચાલી જતી નથીને પોતાની જ માતા ક્રમ જતી રહી? શું કાકાએ પરાણે કાઢી મૂકી હશે ? હશે ! ગમે તે કારણુ હશે! પણ તે સુખે તે નહિ જ ગઇ હાય ! કેઇ મા પેાતાના બાળકને તજીને થોડી સુખે જ શંકે છે ?” તેનું હૈયું પેાકારી ઉઠતું “મા, મા, તારે કેટલુયે શાષવું પડયું હશે ? કેટલાયે કડવા ઘૂંટડા ગળવા પડયા હશે ? કેટલાયે મન! ધા છૂપા છૂપા સડવા પડયા હશે ? માતા ! મંમતાના તાર તેાડતાં તેડતાં તારૂ' દીલ તુટી ગયુ હશે? આના બદ્લા મા જીવીશ તે વાળીશ ! મા...મા..”
પ્રતિદિન માતા માટેની તેની ઝંખના વધતી જતી હતી. પછી તે તે મેટ્રીક થયા. સ્કોલરશીપ મેળવીને કાલેજમાં દાખલ થયો. સ્વસ્થિતિ સંભાળી શકે તેવી શકિત અને વય આવી ગયાં, પણ માતાની ઝંખના તેા એક નાના બાળકની મા જેવીને, તેવી રહી . તપાસ કરાવતાં વડાદરા શ્રધ્ધાનંદ આશ્રમમાંથી કેટલીક માહીતી મળી કે વર્ષોં પહેલાં એક દિવસે ખેભાન અવસ્થામાં કાઇ તેને લ આવ્યું હતું. ચાર પાંચ વર્ષ આશ્રમમાં તેણે અભ્યાસ અને નેકરીમાં કયાં. પછી માધવરાવ જોશી નામના એક દક્ષિણી બ્રાહ્મણુ સાથે પુનઃલગ્ન કરી સુરત ગઇ. ત્યાં.......પ્રીન્ટીંગ પ્રેસમાં તે ગૃહસ્થ મેનેજર તરીકે કામ કરે છે. માયાના એક પત્ર ચાર પાંચ વર્ષ પહેલાં હતા તેમાં તેણે આશ્રમે કરેલી મદદના બદલામાં આભાર માન્યા હતા અને પચાસ રૂપિ ભેટ તરીકે મોકલ્પા હતા. ત્યારપછી દર દિવાળીએ તે રીતે ભેટ નિયમીત મોકલે છે. આ માહિતી ઉપરથી તપાસ કરતાં જણાયું કે, એક વર્ષ થયાં તે કુટુંબ સુરત છોડીને નાસીક ગયેલ છે. અને ત્યાં સ્વતંત્ર ધંધા કરે છે.
માતૃમીલનની તીવ્ર ઝંખનાએ અનિલને સુખે એસવા ન દીધો. ચેડા વખત પછી એક પ્રભુ-પ્રેમ-ધેલા ભકતની માફક તે પુનઃ ઉપડયા. નાસીક એ દિવસની સતત મહેનત પછી ભાળ મેળવી જ્યારે તે તેના ઘેર ગયા, ત્યારે તેણે ત્રણ નાનાં બાળકો અને એક ૩૫/૪૦ વર્ષની ઉમરની સ્ત્રીને ધરમાં જોયાં. છાની રીતે પેાતાની સાથેના ફોટા સાથે ખઈને સરખાવી જોતાં અને ખાળા સાથે વાત કરતાં તેને ખાત્રી થઇ કે તે તેજ છે કે જેની તે વર્ષોં થયાં ઝંખના કરી રહ્યો છે, તે તેજ છે કે જેના વિના તેનું જીવન