________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૮-૪૫
રકમ તેમણે ભેટ આપી છે અને તે એ રીતે કે એલીસબ્રીજની ખીજી બાજુએ સરખેજ રોડ ઉપર આવેલ તેમની એક માટી મીલ્કત છે, જેની આજે ત્રણથી સાડાત્રણ લાખ જેટલી કીમત આંકવામાં આવે છે. તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એ લાખ રૂપીઆના બદલામાં શ્રી ભેાળાભાઈ વેચાણ આપે જે બે લાખ રૂપી ઉપર જણાવ્યા મુજબ ગુજરાત વર્નાકયુલર સોસાયટીને સુપ્રત કરવામાં આવે, અને એ મીલ્કત ઉપર શ્રી મહાવીર જૈન વિદ્યાલય અમદાવાદ ખાતે કાલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીગૃહની શરૂઆત કરે. શ્રી. ભાળાભાઇ શેઠની આ માં પહેલવહેલી સખાવત નથી. કેટલાક સમય પહેલાં તેમણે એક લાખ રૂપીઆ અમદાવાદમાં એક સેનેટારીયમ બંધાવવા માટે આપ્યા છે. રૂ।. ૫૦,૦૦૦ પેાતાની ઓસવાલ જ્ઞાતિના ભાઈઓને મદદ આપવા માટે તેમણે કાઢયા છે, રૂા. ૧૦,૦૦૦ સર હરકીસનદાસ હાસ્પીટલને આપ્યા છે. શ્રી ભાળાભાઇ આપણને બહુ જાણીતા નથી, કારણુ કે તેઓ જાહેર પ્રસિદ્ધિથી દૂર રહેનારા અને ઉચ્ચ કોટિનુ' શ્રદ્ઘાપરાયણ જીવન ગાળનારા એક સજ્જન છે, કેટલાંય વર્ષોથી તે એકાકી જીવન ગુજારે છે. સત્સંગ અને ધમ કરણીમાં તેમને પુત્ર રસ છે. સાદાઇ, સરળતા અને એકાન્તપરાયણતા એ તેમના ખાસ ગુણા છે. ઉપર જણાવેલ ઉદાર સખાવત માટે તેમને જૈન સમાજના હ્રાદિક ધન્યવાદ ઘટે છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું વિસ્તરતુ કાર્ય ક્ષેત્ર
શ્રી મહાવીર જૈન વિધાલયની એક નાના સરખા સામાન્ય વિદ્યાથીઁગૃહથી શરૂઆત કરવામાં આવેલી, તે આજે મુંબઇમાં લગભગ ૧૫૦ વિધાર્થીઓ માટે મે વિદ્યાર્થીગૃહે ચલાવે છે; એ ઉપરાન્ત પુના, કરાંચી તથા બનારસમાં ભણુતા કેટલાક જૈન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિએ આપે છે; મુંબઇમાં કન્યાછાત્રાલયની યોજના માત્ર અનુકુળ મકાન મળવાના અભાવે હજુ સુધી અમલમાં મુકી શકેલ નથી, એમ છતાં પણ મુંબઈમાં તેમજ અન્યત્ર ભણતી કેટલીક બહેનેાન શ્રી. મહાવીર જૈન વિદ્યાલય તરફથી મદદ આપવામાં આવે છે. ઉપર જણાવેલ શેઠ ભેળાભાઇની માંગણી માન્ય કરીને શ્રી. મહાવીર જૈન વિદ્યાલયે એક નવું સાહસ ખેડયું છે અને નવી જવાબદારી સ્વીકારી છે. અમદાવાદ કેળવણી અને ઉચ્ચ શિક્ષણનું એક અસાધારણ મહત્ત્વભયુકેન્દ્ર છે. થોડા સમયમાં ત્યાં ગુજરાત યુનીવર્સીટીની શરૂઆત થવાનેા પુરા સભવ છે. આવા વતમાન અને ભાવી સયેગે વચ્ચે મહાવીર જૈન વિદ્યાલય મુંબઇમાં ચલાવે છે તેવા એક વિશિષ્ટ જૈન વિદ્યાર્થીગૃહની અમદાવાદ માટે અત્યંત આવશ્યકતા હતી. આવી જરૂરિયાત ઉપર જણાવેલી સખાવતને લીધે શ્રી મહાવીર જૈન વિદ્યાલયારા થે!ડા સમયમાં પુરી પાડવામાં આવશે એ સમસ્ત જૈન સમાજ માટે અતિ આવકારદાયક ઘટના છે. આશા રાખીએ કે અમદાવાદને ધનાઢય જૈન સમાજ શ્રી. મહાવીર જૈન વિદ્યાલયના આ સાહસને પુરા ઉત્સાહ અને ઉદારતાથી અપનાવશે અને થે।ડા સમયમાં શરૂ થનાર પ્રસ્તુત 'વિદ્યાર્થીગૃહને ગુજ રાતના પાટનગરને શેાભાવે એવુ સુસમૃદ્ધ બનાવશે. શ્રી મયાભાઈ તેલીએ એકની હયાતીમાં બીજી સી સાથે કરેલુ લગ્ન
શ્રી મયાભાઈ તેલી જૈન સમાજના એક સંસ્કારી યુવાન છે અને નવસારીમાં તે ઉદ્યોગ વ્યવસાય ચલાવે છે. તેમનું પ્રથમ લગ્ન જે વ્હેન સાથે થયેલું તે મ્હેતે વૈરાગ્યને લીધે કે વિષમ લગ્નજીવનથી કંટાળીને કેટલાંક વર્ષો પહેલાં દીક્ષા લીધી છે. ત્યાર પછી તેમણે પેાતાની પસંદગીથી ખીજું લગ્ન કર્યું હતુ જૈને આજે લગભગ પંદર વ થવા આવ્યાં છે. તાજેતરમાં કહેવાય છે તે મુજન્મ પાતાની પરિણીત સ્ત્રીની સ"મતિ લઇને તેમણે શ્રી ભાગીલાલ મેાતીલાલ ઝવેરીની પુત્રી સાથે લગ્ન કર્યુ છે. પેાતાની આગળની સ્ત્રી સાથે મનને મેળ નહાતા એ આ નવા લગ્નની ભૂમિકા છે. આવાં લગ્ન વિષે સમાજ ધૃણા અનુભવે એ સ્વાભાવિક છે. પેાતાના અદ્ઘિક સુખ ખાતર પોતાની
નજીકનાં સ્વજતાનાં સુખ તેમજ શ્રેયને તથા તેમની પ્રત્યેની પાતાની જવાબદારીઓને ગમે તેટલે ભાગ અપાય એ વિષેની તદ્દન બેપરવા આ તત્વ આજના વાતાવરણમાં વધારેને વધારે વ્યાપક બનતુ જોવામાં આવે છે અને તેથી જ સમાજને ગમે તેટલા વિરાધ તેમજ અણુગમે। હાવા છતાં આવા બનાવે અવારનવાર બનતા સાંભળવામાં આવે છે. સુખની ધેલછા અને કતવ્યનિષ્ઠુરતા–આ વૃત્તિએ આજની યુવાન જનતાને બેજવાબદાર બનાવી રહી છે અને જે દિશાએથી અપૂર્વ આભેગ અને આદશનિષ્ઠાની આપણે આશા અને અપેક્ષા રાખીએ તે દિશાએથી સ્વછંદ અને ન સમજી શકાય તેવી. મનસ્વીતાને અનુભવ કરાવતી ઘટનાઓ આપણે “જોઇ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. આમાં પણ જ્યારે એકની હયાતીમાં બીજી સ્ત્રી કરવાને લગતી ઘટનાએમાં આગળની સ્ત્રીની સ”મતિનું નાટક ભજવવામાં આવે છે ત્યારે દાઝયા ઉપર ડામ દેવાતા હાય અથવા તા પ્રહાર ઉપર અપમાનનું લીંપણુ થતુ હાય એમ આપણને લાગી આવે છે. એક સ્ત્રીના પત્ની તરીકેના સહકોને તમારે લાત મારવી હાય, અને તેની વિધવા સદૃશ સ્થિતિ કરવાને તમે ઉઘુક્ત થયા હો તેા તમારૂં” અપકૃત્ય તમને મુબારક પણ તે ઉપર પણ ત્યકતા પત્નીની સંમતિની મહેાર મારવાને આ દબ શુ' કામ આચરવામાં આવે છે તે સમજાતું નથી.
આ તે આવાં લગ્નો પ્રત્યે આપણા દિલમાં ઉદ્ભવતી ધૃષ્ણા આપણે વ્યકત કરી. પણ આવી ઘટનાએ તે હવે બન્યા જ કરવાની એ વસ્તુસ્થિતિ આપણે સ્વીકાર્યાં સિવાય આપણા છુટકે નથી. આવા લગ્નની ભેગ બનતી સ્ત્રોતું શું ? તેણે પોતાના ધણીની ઓશીયાળી અને વિધવા સદૃશ સ્થિતિમાં જ બાકીનુ જીવન પુરૂ કરવાનું કે તેના રક્ષણને ઉદ્ધારના કાઇ ઉપાય ખરા ? આજે કાયદાનું, મોટા ફેરફાર સાથે પુનઃવિધાન કરવાની હીલચાલ ચાલી રહી છે અને તેમાં અમુક અસાધારણ સંયોગામાં લગ્નવિચ્છેદ કાયદાથી થઇ શકે એવી છુટ અને એક પત્નીની હયાતીમાં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાના પ્રતિબંધને સમાવેશ કરવામાં આવ્યા છે. પણ આ આખા પુનઃવિધાનને કાયદાનું અમલી સ્વરૂપ મળતાં હજુ કેટલ સમય લાગશે તે કહી શકાય તેમ નથી. તે દરમિયાન આજના કાયદામાંઘું આટલો 'તાત્કાલિક ફેરફાર થવા જ જોઇએ. એક તે આવી ત્યકતા સ્ત્રીના સુખમય નિર્વાહની અન્ય સ્ત્રી સાથે લગ્ન કરતાં પહેલાં પુરેપુરી વ્યવસ્થા કરવાની પુનઃ`ગ્ન કરવા ઈચ્છતા પુશ્મને કાયદાથી ફરજ પાડવી જોઇએ અને આવી ત્યક્તા સ્ત્રી જ્યારે પણ અન્ય કેષ્ઠ પુરૂષ સાથે લગ્ન કરવા ઈચ્છે ત્યારે તેને તેવા લગ્ન કરવાની કાયદાથી પુરી સરળતા કરી આપવી જોઇએ. આમ થવાથી કાંઇ પૂર્વ પરિણીત સ્ત્રીને થયેલા અન્યાયને પુરા બન્ને મળી રહેશે અથવા તે આવા કાયદાનો આવા દુદૈવના ભોગ થયેલી સ` સ્ત્રીએ લાભ લેશે એમ માનવાતે કશુ' જ કારણ નથી. પણ આથી ત્યાં પત્નીએને કાંઇક રાહત જરૂર મળશે અને જેને પેાતાના માગ કરવાની તક સુલભ હશે તે તેવી તર્કના લાભ લઇ શકશે.
શ્રી. અમૃતલાલ સવચંદ ગાપાણીને અભિનદન
શ્રી. અમૃતલાલ સવચંદ ગેાપ:ણી જેએ કાઠીયાવાડના વતની છે. અને કેટલાક સમયથી મુંબઇના શ્રી, ભારતીય વિદ્યાભુવનમાં કામ કરે છે તેમને દુર્ગાદેવના ‘રિષ્ટ સમુચ્ચય’ નામના ગ્રંથની સટીક આવૃત્તિ તૈયાર કરીને રજુ કરવા બદલ મુંબઇ યુનીવર્સીટી તરફથી પી. એચ ડી.ની પદવી સમર્પિત કરવામાં આવી છે. શ્રી. ગેપાણી જૈન સાહિત્ય અને દશ નથેના એક નિપુણુ અભ્યાસી છે. આ સન્માન મળવાં બદલ તેમને જૈન સમાજ તરફ્થી ધન્યવાદ આપવામાં આવે છે અને તેમની ઉત્તરેત્તર સાહિત્ય પ્રવૃત્તિ અંધારામાં પડેલા અતિ કીંમતી જેનું સાહિત્યને અધિકાધિક પ્રકાશમાં લાવવામાં ઉપકારક નીવડે એવી આશ રાખવામાં આવે છે. પત