________________
તા. ૧-૬-૪૧
પ્રશ્ન ૩
હિંસા અહિંસા (ગતાંકથી ચાલુ)
પ્રયુદ્ધ મ
જો આપણે એમ માની લઇએ કે યુદ્ધ વગેરે ટટાક્રિસાદ જેવી આકસ્મિક હિંસાના ઉપદ્રવ વખતે અહિંસા કામ આપી શકે નહિ તે આપ મેળેજ એ સિદ્ધ થાય છે કે અહિંસા જીવનના સર્વવ્યાપી સિદ્ધાંત થ! શકે નહિ, ભ્રૂણીજ તાન્તુખીની વાત છે કે અહિંસા ધર્મની દાંડી પીટનારાઓમાંથી ઘણાંએ એ જવાબ આપ્યો છે કે અહિંસા સવ સમયે અને સર્વે પરિસ્થિતિઓમાં લાગુ થઇ શકે નહિ. આ એ લેાકેાનો જવાબ છે કે જેએ સાથે સાથે . એવા દાવા કરે છે .ગાંધીજીની અહિંસાને લગતી આજની વિચારધારા ઘણી સંકુચિત અધુરી છે અને તે સાથે સરખાવતાં જૈનધર્મની અહિંસા ઘણી વ્યાપક અને સૂક્ષ્મ છે. . (ગેરસમજૂ ન આય એ માટે કહેવુ જોઇએ કે કયાંય ગાંધીજીની અહિંસા અગર જૈતાની અહિંસા એવી એ જાતની અહિંસા હાઇ શકે એમ અમે બીલકુલ માનતા નથી. અમે તે માનીએ છીએ કે અહિંસા એક સર્વવ્યાપી અને અખંડ તત્વ છે; આવી રીતે બે પક્ષા માનીને અમે વાદવિવાંદ ઉભા કરવા માંગતા નથી. પરંતુ પ્રસ્તુત ચર્ચાના કારણે ઉત્તરદાતાઓની ભાષા વાંપરવી પડી છે.) અહિંસાની વ્યાપકતાના સંબંધમાં પહેલા પ્રશ્નમાં પુરતું કહેવાઈ ગયું છે. જે લોકાએ અહિંસાના સર્વવ્યાપી પણામાં શકા માની છે એમનામાંથી મેાટા ભાગના લોકોને તર્ક એજ રહ્યો છે કે સંપૂર્ણ અહિંસાનું પાલન દેહધારી માટે અશકય છે, કારણકે શ્વાસ લેવામાં પણ નિરંતર હિંસા થાય છે એટલે અહિંસા સર્વવ્યાપી છે જ નહિં. પણ એ તર્ક કરનારા એ ભુલી જાય છે કે જો એક આદર્શ જીવનમાં સંપૂર્ણ રીતે ન ઉતરી શકે તે પણ જો એને આદર્શ તરીકે સ્વીકારીએ તા હંમેશાં આપણા પ્રયત્ન એજ હાય અગર હાવા જોઇએ કે હંમેશાં એ આદર્શમાં આપણે આગળ અને આગળ પ્રગતિ સાધતા રહીએ. આપણે જાણીએ છીએ કે હિંસા સર્વત્ર ફેલાયલી છે, પણ એ હિંસાને ઉત્તરોત્તર ઘટાડતા જતાં આપણે વધારે વધારે. અહિંસક બનીએ એ જ આપણુ ધ્યેય ડાવુ જોઇએ. ઉપનિષદ્ની પ્રસિધ્ધ પ્રાર્થના “શ્વક્ષતો મા સમય:, તમસો મા યોનૈિમય:'' પણ એ જ સંદેશ આપે છે. રાત્રે ચેતરફ અધકાર ફેલાયલા હાય, ગમે તેટલે પ્રકાશ કરીએ છતાં અંધકાર સંપૂર્ણ રીતે મટાડી નથી શકાતાં, તેથી શું આપણે દીવાની નિરર્થકતા મંન્નુર કરી લઇશું? રાતના અંધકારને દૂર કરે . અગર નહિ કરે પણ તે પ્રકાશ આપણા માર્ગને તે પ્રકાશિત કરે જ છે.આપણે માટે એટલું પણ બસ છે. આપણે માનીએ છીએ કે 'આપણી પ્રત્યેક ક્રિયામાં પ્રાહરણના અર્થમાં હિંસા થાય છે જ. પણ જેમ ઉપર આચાય ઉમાસ્વાતિની હિંસાની પરિભાષાની ચર્ચામાં બતાવવામાં આવ્યું છે કે જો આપણી ક્રિયા પ્રમાદરહિત હૈાય તે તે હિંસા વિરોધી કહેવાતી નથી. તે અનુસાર આપણે એમ પણ કહી શકીએ કે એવી પ્રમાદરહિત, · અનિવાયૅ અને આવશ્યક ક્રિયાએ આપણે કરતા રહીએ તે આપણે ઉત્તરોત્તર ઃ અહિંસક બની શકીએ છીએ. જરૂર તે છે પ્રમાદરહિત બનવાની, સ્વાર્થ ત્યાગની અને જનકલ્યાણની ભાવના પોતાનામાં પ્રગટાવવની. પછી આપણને દીધા જેવું 'ચોખ્ખુ માલુમ પડશે કે અહિંસા જે જીવનનો સર્વવ્યાપી સિધ્ધાંત થઈ શકે છે. એટલું જ નહિં પણ જેને આપણે જીવન કહીએ છીએ તે એના વગર તદ્દન અસ ંભવિત છે.
૩૧
પ્રશ્ન:૪
ચેાથા પ્રશ્નના વિષય–અહિંસાત્મક રીતે દેશની રક્ષા કેવી રીતે કરી શકાય ની ચર્ચા આપણે ઉપર ખીજા પ્રશ્નમાં પુરતા પ્રમાણમાં કરી છે. અહીં એક વસ્તુપર જ ખાસ ભાર આપીશું કે હિંસાનું –સામાજીક અગર આર્થિક હિંસાનુ અહિંસાથી રક્ષણ નહિં કરી શકાય. એ સમજી લેવુ જોઇએ કે આજની આખી વિષમ સમાજવ્યવસ્થા, ઉંચ નીચના ભેદભાવ કાયમ રાખીને અહિંસાત્મક રક્ષણ કદી પણ કરી શકીશું નહિં. આ તે। જેમ આજના શહેરીવિલાસમય વાતાવરણમાં રહી બ્રહ્મચારી બની રહેવાની આશા રાખે તેવી વાત કહેવાય. તેથી અહિંસાત્મક રક્ષાના ઉપાયેામાં સૌથી પહેલી વાત તો એ હાવી જોઇએ કે આપણે ઉંચ નીચના ભેદ અને આર્થિક શાષણ ઉપર રચાયેલી સમાજ વ્યવસ્થાના નાશ કરવામાં પોતાની જાતને લગાડી એ એજ અહિ ંસાત્મક રક્ષણની તૈયારી છે. એમાંથી જ આપણામાં શક્તિ-સંચય અને સાહસ પેદા થશે અને એ ભ્રાતૃભાવ જાગશે કે જે અહિંસાત્મક રક્ષણ અને અહિંસાત્મક સામના માટે ખાસ જરૂરી છે.
એ વિષયમાં ગાંધીજીએ પેાતે જે દિશા સૂચન કર્યું છે અને જે આ અંકમાં મહાત્મા ગાંધી કે વિચાર' એ મથાળા હેઠળ પ્રગટ થયું છે તે તરફ્ અમે વાંચકાનું ધ્યાન ખેંચીએ છીએ. વાંચકા એકવાર કરીથી તે વાંચી લે; એ સિવાય આ પ્રશ્ન સંબંધમાં અમારે કાંઇ પણ વધારે કહેવાનું નથી. પ્રશ્ન પ
અહિંસાત્મક રક્ષણને જે ગંભીર પ્રશ્ન આજ આપણી સામે છે એને ક્રિયાત્મકરૂપ દેવા માટે અમને કાંઇક મદદ મળે એ ખ્યાલથી અમે જૈન સાધુએ પાસેથી જેઆને અમે શાસ્ત્ર અને ઇતિહાસના જ્ઞાની સમજી લીધા છે અને બીજા જૈન વિદ્યાને પાસેથી આ પાંચમા પ્રશ્નના સબંધમાં એવા ઉદાહરણો જાણવાની ઇચ્છા રાખી હતી કે જેમાં દેશ કે રાજ્યની રક્ષાને માટે અહિંસાત્મક ઉપાયે કામમાં લેવામાં આવ્યા હાય. પરંતુ એક પણ એવુ ઉદાહરણું બતાવવામાં નથી આવ્યું અને અમે પેતે પણ માનીએ છીએ કે વસ્તુસ્થિતિ પણ એજ છે. ખુદ મહાવીર, બુધ્ધ ‘અગર કોઈપણ અહિંસા પ્રચારકે આજ સુધી એ સમસ્યા પર વિચાર કર્યાં હાય એમ અમારી જાણમાં નથી. આજ સુધી અહિંસાનુ ક્ષેત્ર વ્યકિતગત જીવન સુધી જ મર્યાદિત રહ્યુ છે અને આ દિશામાં તે જૈન ધર્મે જરૂર અહિંસાને એની ચરમસીમા સુધી પહોંચાડી છે. અમે માનીએ છીએ કે જૈન પરંપરામાં જે જે ગૃહસ્થના નિયમો અને સાધુના આચારા કહ્યા છે તેનું ઇમાનદારીથી પાલન કરવામાં આવે તે જીવનમાં હિંસાને ઘણું જ થાડુ સ્થાન રહે. અમે તે એ વ્યવસ્થાને આજ પણ સમસ્ત અહિંસાપ્રેમીએને માટે મનન કરવા લાયક અને અપનાવવાને લાયક સમ જીએ છીએ બુલ્કે એમ પણ માનીએ છીએ કે એ પ્રકારનો જીવનક્રમ સામાજીક ક્ષેત્રમાં પણ અહિંસાને વ્યાપક કરવામાં ઘણી મદદ કરી શકે. પણ એ તે નિર્વિવાદ જ છે કે જૈન ધર્મમાં અગર કે ખીજે કયાંય પણ પહેલાના કાળમાં અહિંસાને સામાજિક અગર રાજનૈતિક ક્ષેત્રમાં લાવવાની કલ્પના પણ કદાચ ન હાય. અને આજે જ એકદમ નવી દિશામાં અહિંસાના વિસ્તાર થઇ રહ્યો છે. પ્રસ્તુત પ્રશ્નમાં માંગવા આવેલ એક પણ ઉદાહરણના અભાવથી આપણે આ પ્રમાણે માની લીધા સિવાય છૂટકો જ નથી.. એ તે સ્વાભાવિક છે કે જ્યાં અહિંસાત્મક રીતે દેશ—રક્ષા કરવાની કલ્પના જ ન ઉંડી હેાય ત્યાં જે કાઈ જન રાજા અગર રાજ્યાધિકારીઓ થયા. તેમણે જરૂર પડતાં હિંસાત્મક ઉપાયાના શસ્ત્રાસ્ત્રનો નિ:સકાચ ઉપયોગ કર્યો હાય.
E