________________
૩૦
પ્રબુદ્ધ જૈન
વાર્ય રીતે છોડવું જ પડશે અને જડતા ત્યજી વિચારના બધાં ત્રામાં ઊંચે ઉડવુ જ જોશે આ દૃષ્ટિએ પ્રબુધ્ધ જૈનને યંગાળનો સાથ છે
તે
મેં
છેલ્લે મારે એક જ બાબત તરફ સારા કરવા છે અને તે એ કે પ્રભુધ્ધ જૈનના તંત્રીને અર્થ ચિંતાથી મુક્ત કરવા. અલબત્ત પ્રબુદ્ધ જૈન ગ્રાહક મંડળ મોટુ નથી પણ તે જેવડું અને જેવુ છે તે પણ ધારે પ્રબુધ્ધ જૈનના પ્રચાર દ્વારા આ દિશામાં ઘણું કરી શકે. ગયા સપ્ટેમ્બરમાં કલકત્તાનિવાસી કેટલાક જૈન ભાઇને જે કહેલું તેની જ પુનરુક્તિ અહિં કરૂ છું. મેં કહેલું કે એક વર્ષના પ્રભુધ્ધ જૈન'ના ગ્રાહક થઇ તેના લેખા વાંચા, સમજવા પ્રયત્ન કરો અને તમને વર્ષને અંતે એમ લાગે કે અમારૂં લવાજમ વ્યર્થ ગયુ તે તમે મારી પાસેથી તમારૂં લવાજમ પાછું માગી શકે જે એક વાર ‘ પ્રભુધ્ધ જૈન ’ના વિશિષ્ટ લેખા ધ્યાનપૂર્વક વાંચી ગયા હશે જેમની માનસિક ભૂમિકા એવી તૈયાર થયા સિવાય રહી જ નહિ હોય કે જેમાં તેમને પ્રબુદ્ધ જૈનના ગ્રાહક થવા બદલ ઉડે સતાષ લાધ્યું! ન હેાય. અસ્તુ!
છેલ્લે પ્રમુદ્ધ જનના નામ પરિવર્તનના પ્રશ્ન વિચાર પ્રદેશમાં આવે છે કેમકે કાકાસાહેબે એ પ્રશ્ન ચચ્ચેો છે, જૈન શબ્દના ખરા અને વિશાળ અર્થ છે વિશ્વહિતકાંક્ષી. આ અર્થ એટલા સુંદર અને સર્વ ગ્રાહ્ય છે કે તે દ્રષ્ટિએ તે જૈન શબ્દના સ્થાનમાં બીજો શબ્દ મુકવાને કાંઇ કારણુ જ રહેતું નથી, પણ જેમ બીજા સોંપ્રદાયામાં બન્યુ છે તેમ જૈન સંપ્રદાયમાં પણ જૈન શબ્દના અર્થ છેક જ સકુચિત અને માત્ર ક્રિયાકાંડ ધક થઈ ય છે. ખુદ જને જ જૈન શબ્દના એશ અર્થ આચરણમાં પ્રગટ કરતા હોય ત્યાં એવા અર્થ કરનાર નેતાને આપણે શું કહી શકીએ ? આવી સ્થિતિમાં જૈન શબ્દ જ્યારે પત્રના નામ સાથે જોડાયેલા હાય ત્યારે એ પત્રમાં લેખા અને વિચારો ગમે તેવી માનવતાની અગર શુ રાષ્ટ્રીય દૃષ્ટિએ આવતા હાય છતાં એ પત્ર સાંપ્રદાયિક જ લેખાવાનુ અને દેશને એક મોટા વિચારક વર્ગ એના ક્ષેત્રથી અલગ જ રહેવાના. તેથી જો યુવક સધ પોતાના કાર્યક્ષેત્રને અને વિચારમાર્ગને સજનવ્યાપી કરવા પૃચ્છતા હાય અને પોતાના મુખપત્રદ્રારા જૈનેતરાને પણ પોતાના વિચાર તરફ આકર્ષવાની શકિત વિષે વિશ્વાસ હાય તે। એણે નામ પરિવર્તનના વિચારને વધાવી લેવા જોઇએ.
વિચાર કરતાં હશે તે મુધ્ધ ભારત નામ યોગ્ય લાગે છે. આપણે માનવતાની વધારે નજીક જવુ હોય તે હું પહેલાં પગથીઆ રૂપે ભારતની જ વધારે નજીક જવુ જોઇએ એમ સમજું છું. એમાં જૈન સંપ્રદાય તે। આવી જ જાય છે અને એ ઉપરાંત બીજા પણ બધા આવે છે વળી એ નામ ખેલવામાં અને અર્થમાં સુંદર અને ગંભીર છે તેમજ પ્રચલિત પણ છે. પંડિત સુખલાલજી
તા. ૧-૬-૪૧
રહેવા માટે તથા જમવા માટેની સગવડ પણ મંદિરના ભવ્ય ઉપાશ્રયમાં કરી છે. આવું સમાજ હિતનું પગલું ભરવા માટે ટ્રસ્ટીએને ધન્યવાદ છે. બીજા મંદિશના ટ્રસ્ટીએ પ્રસંગ આવ્યે આવા પરમાથી કામ ઉપાડી લેવાનું અનુકરણ કરે એમ ઇચ્છું છું. નિર્ભય અને મદ અનેા
આવકારદાયક શુભ શરૂઆત
મુંબઈમાં છેલ્લા કેટલાક વરસોથી કામી હુલ્લડા થાય છે. તે વખતે દરેક જ્ઞાતિના અગ્રેસરા મળીને સંકટમાં ફસાયેલા ભાઇઓને રાહત આપવા અને સંકટગ્રસ્ત વિસ્તારામાંથી સહીસલામત લઇ આવવા માટેના સાધનો મેળવીને રાહત કાર્ય શરૂ કરે છે. પણ જન જનતા માટે રાહત કાર્યના ગણ્યા ગાંઠયા જ પ્રબંધો કેટલીક સંસ્થા તરફથી તેની સ્થિતિના પ્રમાણે થતા હતા. પણ આ વખતે શ્રી ગેડીજી મંદિરના ટ્રસ્ટીઓએ મંદિર તરથી સંકટગ્રસ્ત ભાઇઓને તેમના ભય ભરેલા વિસ્તારમાંથી લાવવા માટેની શ્રી મુંબઇ જૈન સ્વયંસેવક દ્વારા ગેાઠવણુ કરી છે ઉપરાંત તેને
3
અમદાવાદ અને મુંબઈમાં પંદર દિવસના આંતરા ખાદ ફરીથી કામી હુલ્લડે! થયા છે અને દિવસે દિવસે સ્થિતિ વધુ ભયગ્રસ્ત અને ભયંકર થતી જાય છે. આશ્ચર્યજનક તા એ છે કે સરકારની તકેદારી હાવા છતાં તે શાંત થયા નથી એ એક પ્રકારે તે પ્રજા અને સરકાર અને માટે નામેાશી ભરેલુંજ ગણાય. અમદાવાદમાં હુલ્લડની શરૂઆત થતાં ત્યાંની પ્રજાએ ભયભીત બની જે નામદ પણું દેખાયું, એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. મુંબઇની જનતા ગુંડાએના અચાનક હિચકારા હુમલાથી ત્રાસી ઉઠી છે, પોલિસ તરફની કેટલેક સ્થળે થતી હેરાનગતીએ શાંત અને નિર્દોષ પ્રજાના ભયમાં ઉમેરો કર્યો છે અને વિશ્વની જેમ વ્યાપી રહેલા હુલ્લડના ચેપથી સર્વત્ર વ્યાકુલતા છવાઈ રહી છે. વ્યાપારી બજારે બંધ રહ્યા છે, રસ્તાઓ ઉજ્જડ અને વેરાન જેવા દૃષ્ટિગોચર થાય છે, મનુષ્યના જાન— માલની સલામતી કર્યાં? એ સર્વત્ર પુછાઇ રહ્યું છે. આવા વિકટ પ્રસંગે જનતા અને વેપારી ભાઇઓની ફરજ છે કે તેઓએ સ ંગતિ થઇ, સાવધ પણે હુમલાઓના સામના કરવાની બધી તૈયારી રાખવી ભયથી ડરી જઈ ગભરાટ કે ઉશ્કેરાટ કરવાની જરૂર નથી પણ સમય અને સંગ અનુસારે આત્મશકિત જાગૃત કરી સ્વ અને પર રક્ષણ કાજે તત્પર થવું જોઇએ. કુતુહલતા ખાતર ખેટી અફવાઓ ફેલાવવા કે ટાળટેાળા એકત્ર થવાથી દૂર રહેવાની આજે આવશ્યકતા ઉભી થઈ છે. પોલીસ, સાર્જન્ટ કે તેવા અન્ય કાઇ અધિકારીને જોઇ નાસભાગ કરવામાં ડાહપણું નથી. પણ એક જાતના ભય અને કાયરતાના પ્રદર્શન શિવાય બીજું કંધ નથી. તેથી ઉલ્ટી સ્થિતિ ઉગ્ર બનાવવામાં આવે છે અને પોતાની જાત તેમજ ખીજાને અગવડભરી પરિસ્થિતિમાં મુકવા જેવુ બને છે. અહિં પૂજ્ય ગાંધીજીના મંત્રી શ્રી. મહાદેવભાઇ દેશાઇએ અમદાવાદથી વર્ષો જતાં કરેલા એક નિવેદનમાં એક દાખલા આપ્યા છે તે પ્રસ્તુત હાઇ ટાંકીએ છીએ.
એક બહાદુર માણસ
“એક સુકલકડી જેવા માણસની ઉપર વીતેલી વિતક કથા સાંભળીને અમને બહુ માન ઉપજ્યું. એ માણસને ચાર લાડીવાળા મુસલમાનએ ઘેરી લીધા. એના ઉપર લાઠીઓ પડવા માંડી, પગ ઉપર પડેલી લારીઓના સેાળ તે હજુ પણ દેખાતા હતા. માથા ઉપર પડતી લાડી તે ઝીલી લીધી ત્યારે પગ ઉપર પડવા માંડી. એ પછી એ માણસે એક લાઠી પેલા પાસેથી ઝુંટવી લીધી અને સામા પડયેા એટલે પેલા બધા ભાગ્યા. આ બનાવ પોલીસ ચેકીની સામે બન્યા હતા. પણ આ બહાદુર માણસે પેાલીસાને ન ખેલાવતા પોતાનાથી પોતાની રક્ષા જેટલે અશે થઇ શકી એટલે અંશે કરી. કયાં આ માણસની બહાદુરી અને કયાં અવાજોથી ભાગીને મકાનો છેાડી જનારાએ!ની કાયરતા ?”
આ ઉપરથી આપણે એક મેધપાઃ જરૂર લઇએ, આપણામાં રહેલ ભય કાઢી નાંખી નિર્ભય અને મર્દ બનવાના નિશ્ચય કરીએ હિંમતથી આપણી જાત, આજુ બાજુના માસા, પડોશીએ અને આગળ વધીને મેહલ્લા કે શહેરના માણુસેના રક્ષણ માટે આપણે તૈયાર થવાનું જ રહ્યું. સંગનની શક્તિ અદ્ભુત અને જોડ છે, નિર્ભયતા અને મર્દાનગી એ માણસ માત્રને જીતના દરેક પંથમાં આગળ લઈ જનારી વસ્તુ છે. આત્મવિશ્વાસ સાથે સ્વ અને પર રક્ષણાથે ઉડા-જાગૃત થાઓ, મણિલાલ માકમચંદ શાહુ