________________
૨૮
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૬-૪૧
અને અબંધારણસર છે. મેં ખુલાસે કર્યો હતો કે આવી સંસ્થાને જ્યાં સુધી આજીવન કુશળ કાર્યકર્તાઓ ન મળે અને અન્ય રીતે વ્યવસાયી માણસે પોતાના વ્યવસાયમાંથી જેમ તેમ થડે સમય બચાવી કેન્ફરન્સનું કાર્ય કરતાં હોય ત્યાં સુધી તેનું કામકાજ જોઈએ તેટલું વેગવંત, વ્યવસ્થિત અને બંધારણીય ન જ બને. નવું બંધારણ કાર્ય કર્તાઓનો વિશેષ સમય અને શકિત માગે છે. તેથી તે બંધારણનો વિચાર કરવામાં આવે તે પહેલાં અધિકારીઓની ચુંટણી થાય તે દરેક રીતે ઉચિત હતું. તેની ચર્ચામાં વધારે પડતી ગરમી આવી એ ખરૂં છે પણ તેથી તેમાં કોઈ મુત્સદ્દીગીરી કલ્પવી એ શેાભાભરેલું નથી. * શ્રી. પરમાનંદભાઈના બીજા અભિપ્રાયેની ચર્ચા કરવાનું આ સ્થાન નથી. જે તેમની દૃષ્ટિ વધારે પડતી અને માત્ર બંધારણીય ન હોત તે આ અધિવેશનમાં, ખાસ કરી નિંગાળાનાં તેમના અનુભવ પછી તેમને ઘણું એવું જોવાનું મળત કે જેથી તેમને સંતોષ થવો જોઈતો હતો. દા. ત. નિંગાળા અધિવેશનમાં સાધુઓનું નામ પણ ન લેવું એવી મર્યાદા તેમણે સ્વીકારી હતી. અહીં તેમણે જોયું હશે કે સાધુઓની વિના સકેચ ટીકા થઈ શકતી. નિંગાળા અધિવેશન એક પ્રાતીયગુજરાતીઓની જ પરિષદ્ હોય તેવી બની રહી હતી. આ અધિવેશનમાં અખિલ હિંદનાં પ્રતિનિધિની હાજરી હતી. નિગાળા અધિવેશનમાં કેળવણી અને બેકારી નિવારણની વાત થઈ. અહીં સંગીન ફંડ થયું પણ તે તે શ્રી. પરમાનંદભાઈને એક “અવાન્તર” સફળતા લાગે છે. અહીં ખેએ પિતાનામાંથી રૂ. ૮૦૦૦) ને ફાળે કર્યો. સૌથી મહત્ત્વની હકીક્ત એ કે અધિકારીઓની નીમણુકની અત્યંત રસાકસીભરી ચર્ચા પછી રાત્રે ત્રણ વાગે, પ્રેક્ષક સમુદાય ઘણા ઓછા હતા ત્યારે પણ નવા બંધારણ મુજબ સભ્યો નેધવાની મેં અપીલ કરી ત્યારે પાંચ હજાર સભ્ય નેંધાવાનાં વચને ત્યાંજ મળ્યાં. મારે મન એ વસ્તુ અપૂર્વ છે. અધિકારીઓ પ્રત્યેને વિશ્વાસ સૂચવે છે.
શ્રી. પરમાનંદ ભાઈએ આ અને આવું ઘણુંય જોયું હોત પણ તેમની દૃષ્ટિ અમારા કરતાં જુદી જણાય છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ નોંધ:
જે સંસ્થા સાથે પિતાને ઘનિષ્ટ સંબંધ હોય તે સંબંધે ગેરસમજુતી ઉભી થાય એવું કાંઈ પણ લખાણ અન્યત્ર પ્રગટ થયું છે એમ જ્યારે લાગે ત્યારે સંસ્થાના જવાદાર કાર્યવાહકની ફરજ છે કે તેણે આવી ગેરસમજુતી દુર કરવાની તકેદારી રાખવી. આ દૃષ્ટિએ ઘાટ પર અધિવેશન સંબંધી શ્રી ચીમનભાઈએ જે ખુલાસે લખી મોકલ્યો છે તે ઉપર પ્રગટ કરવામાં આવેલ છે. આ ખુલાસામાં ચર્ચેલા એક મુદા સિવાય બીજી વિગતે વિષે ચર્ચામાં ઉતરવાની મને જરાપણ જરૂર લાગતી નથી. એ ખુલાસાના છેવટના ભાગમાં નિંગાળા અધિવેશન સાથે ઘાટકોપર અધિવેશનની શ્રી ચીમનભાઈએ સરખામણી કરીને જે તુલનાત્મક ચર્ચા કરી છે તે પાછળ તેમનું એવું કાંઈક સૂચન ભાસે છે કે - નિંગાળા અધિવેશન હતું તેથી વધારે ઉજળું બતાવવાને અને ઘાટકોપર અધિવેશન હતું એથી ઓછું ઉજળું બતાવવાને મેં પ્રયત્ન કર્યો છે. આવો કશો ભેદભાવ મારા દિલમાં મેં કદિ અનુભવ્યો નથી. ઘાટકોપર અધિવેશનની બન્ને બાજુ મને જેવી લાગેલી તેવી મેં નિરૂપિત કરી છે અને એમ છતાં પણ ઘાટકે પર
અધિવેશનની ઉજ્જવળતાને વિશેષ વિસ્તૃત ઉલ્લેખ મેં ન કર્યો હોય તો તેનું કારણ તે ઉજજવલતા મારા દયાનમાં રહેતી એ નથી પણ “પ્રબુધ્ધ જેને ને આગળના અંકમાં શ્રી ચીમનભાઈએ એ બાજુ બહુ સુંદર રીતે રજુ કરી હતી અને તેથી ઘાટકોપર અધિવેશનની ઉજ્જવળ વિગત વિષે વધારે લાંબા ઉલ્લેખની જરૂર નથી એમ મને લાગ્યું હતું. ઘાટકોપર અધિવેશન કે જેના સંબંધે શ્રી. ટી. જી. શાહ પિતાની લાક્ષણિક શૈલિમાં કહે છે કે “ઘાટકોપર કે ઘાટમેં, ભયી જૈનકી ભીર” એ અધિવેશનની વિરાટ મેદિની આગળ નિંગાળા અધિવેશન બચ્યુંજ ગણાય એમ કેઈને પણ કબુલ કર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ. ઘાટકોપર અધિવેશનમાં કેળવણીનું આવડું મોટું ફંડ થયું ત્યારે નિંગાળા અધિવેશને કેળવણી અને બેકારી નિવારણની વાત જ કરી એમ શ્રી. ચીમનભાઈ જ્યારે કહે ત્યારે -- તેને પણ નિંગાળા અધિવેશનને કાંઈ જવાબ આપવાપણું છે જ 3. 5 એક બાબતની ચોખવટ જરૂરી છે. શ્રી ચીમનભાઈ જણાવે છે કે “નિંગાળા અધિવેશનમાં સાધુઓનું નામ પણ ન લેવું એવી મર્યાદા તેમણે સ્વીકારી હતી. આ બરાબર નથી. કેળવણી પ્રચાર, બેકારી નિવારણ અને કેન્ફરન્સના બંધારણની સુધારણ” આટલી જ બાબતે ચર્ચવી એ મર્યાદાના સ્વીકારપૂર્વક નિંગાળા અધિવેશન ભરવામાં આવ્યું હતું. તેથી ધાપર અધિવેશનમાં સાધુઓની વિનાસ કેચ ટીકા થઈ શકતી હતી એ ઘાટકોપર અધિવેશનની અને એ રીતે સ્થાનકવાસી સમાજની જરૂર વિશેષતા ગણીએ. પણ તે વિગત નિંગાળા અધિવેશનનું માપ માપવામાં જરા પણ ઉપયોગી નથી. નિંગાળા અધિવેશન જાણે કે મારું હોય અને ઘાટકોપર અધિવેશન જાણે કે શ્રી. ચીમનભાઈનું હોય-એ શ્રી. ચીમનભાઈની ચર્ચાને ઝોક દેખાય છે એ ગ્લાનિજનક છે. જે વિશાળ જૈનત્વનું અવલંબન લઈને આપણે સામાજિક જીવનમાં ભાગ લઈ રહ્યા છીએ તે વિશાળ જૈનત્વની દૃષ્ટિએ નિંગાળા અધિવેશન કે ઘાટ પર અધિવેશન જેટલાં મારાં હતાં તેટલાં જ શ્રી. ચીમનભાઈનાં હતાં અને પ્રત્યેક અધિવેશનમાં કાંઈક વિશેષતા હતી તે કાંઈક ત્રુટિ પણ હતી. વિશેષતાઓને પુષ્ટ કરવી અને ત્રુટિએની ઉપેક્ષા કરવાને બદલે બને તેટલી દૂર કરવી એટલું જ આપણું કર્તવ્ય રહે છે.
પરમાનંદ
શ્રી. જન મહિલા સમાજ શ્રી. જૈન મહિલા સમાજ તરફથી પંદર વરસથી ઉપરની ઉમરની બહેને માટે ગુજરાતી, અંગ્રેજી, શીવણ ભરત વગેરે શીખવવાના વર્ગો ખેલવાનું નકકી કરવામાં આવ્યું છે. જે પુરતી સંખ્યામાં બહેન નામ નોંધાવશે તે તા. ૧૫-૬-૪૧ થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ઓફીસ (સીવર મેન્શન ધનજી સ્ત્રીટ)માં શરૂ કરવામાં આવશે સમય બપોરના ૨ થી ૪ રહેશે તે જે
હેને આ વર્ગોને લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ ઉપર • જણાવેલે સ્થળે બપોરના ૧ થી ૪ ના સમયમાં ત્યાં જે માણસ . હાજર હોય તેને પોતાનું પુરૂં નામ ઠેકાણું અને શું શીખવા માગે છે તે તા. ૧૩-૬-૪૧ સુધીમાં લખીને આપી જવું. ઉપરના વર્ગોને લાભ કોઈ પણ કોમની બહેન લઈ શકશે.
લી. મંત્રી, શ્રી જૈન મહિલા સમાજ.