________________
તા. ૧–૬-૪૧
પ્રયુધ્ધ જૈન
દેવદ્રવ્યના ઉપચાગ.
એક સમય એવા હતેા કે જ્યારે આપણાં મંદિરે ધણા ભાગે જંગલો અને સુંદર ઉપવનેામાં હતા. તેના દરવાજા પ્રભુ મૂર્તિના દર્શન માટે બધાને સારૂ ખુલ્લા રહેતા હતા; કારણ કે તે વખતે પ્રભુ મૂર્તિને શ ુગાર નહાતા સજાતા અને મંદિરની સંભાળ માટે દ્રવ્યને સંગ્રહ નહેતા થતા. આ કારણથી લુટારા, ચેર, ડાકુઓના તેને ભય નહાતા. પરંતુ કાળ બદલાતા ચાલ્યા; ભકતામાં શ્રમસાધ્ય ભક્તિની ભાવના ઓછી થઇ. એટલે ધીમે ધીમે વસ્તીવાળા ગામો અને શહેરમાં મંદિરો બંધાવાં લાગ્યાં. જંગલો અને ઉપવનોનાં મંદિરાની સંભાળ ઓછી લેવાવા લાગી. નવાં મિંદર બંધાવવાથી અનેક ગણ્ પુન્ય મળે છે. એવા શાસ્ત્રોના પાઠો ધર્મગુરૂ ભક્તશ્રાવકોને વ્યાખ્યાન દ્વારા સમજાવવા લાગ્યા. પરિણામે જરૂરીઆત કરતાં વધુ પ્રમાણમાં નવાં મંદિ થવા લાગ્યાં. મંદિર બંધાતાં મંદિર અને મૂર્તિનું મહાત્મ્ય વધારવા માટે અન્ય કામેાના ધાર્મિક અવસરા જેવા ધાર્મિક અવસર શાસ્ત્રોના પાઠો દ્વારા દાખલ કરવામાં આવ્યા અને ઉપધાન આદિ નવા એવાની શરૂઆત થઇ. તેના વિધિવિધાન રાશિમાં વધુ પ્રમાણમાં દ્રવ્યના સંગ્રહ વા લાગ્યા. ભક્ત જનાએ પણ પ્રભુ મૂર્તિને શણગારવા માટે હજારા રૂપીઆનુ દાન કરવા માંડયું, જેથી મૂર્તિ એક અને તેને શણગારવા માટેના હજારેના દાગીના થયા. આ મંદિર, તેમાં એકઠું થતું દ્રવ્ય અને દાગીનાના વહીવટ શરૂઆતમાં તે ગામા અને શહેરામાં સંઘના આગેવાને કરતા, પણ તેમાં અનેક જાતના ગેાટાળા થવાથી વહીવટ વધુ સારી રીતે ચાલે તેના સાફ લાયક માણસોને ચુંટી કાઢી તે મારફત વહીવટ કરાવવાનું કેટલીક જગાએ ઠરાવવામાં આવ્યું. આ વહીવટદારાએ પણ સમાજના લાભાલાભને વિચાર કરવા સિવાય મુક્ત દ્રવ્યને વધુ સંગ્રહ પ્રેમ કરી શકાય એના તરફ઼ે જ વધુ ધ્યાન આપ્યુ. આ તકનો લાભ લેવા કેટલાક સ્વાર્થી માણસોએ ઝગડા શરૂ કર્યાં. પરિણામે મંદિરે જુદા ગચ્છ, ઉપાશ્રય અને પાળાના નામથી ઓળખાતા થયા. આપણા ભગવાન આખા જન સમાજના એક પ્રભુ મટીને નાના વાડાના જુદા જુદા પ્રભુ બની ગયા અને એ નાના દરેકે વાડા ખીજાવાડાના પ્રભુ કરતાં પોતાના પ્રભુને વધુ મેટા માનવા લાગ્યા. આ ઝગડાતા લાભ સાધુઓએ સારા પ્રમાણમાં ઉડાવ્યા અને આપણને એક બીજાને પ્રભુના નામે ઝગડતા બનાવી દીધા. આના લીધે સમાજ અનેક ભાગલા પડી અસ્તવ્યસ્ત થઇ ગયા.
આ રીતે એક જ ' પિતાના પુત્રો એક બીજાથી ઘણા દુર જતા અને સ્વામીભાઇનું શગપણ ભુલાતું ગયું.
હવે આપણે મંદિરમાં દ્રવ્યને જે સગ્રહ થાય છે તેના વ્યય કેમ થાય છે એ તપાસીએ. પ્રભુ મદિરા એક વેપારી પેઢી જેવા બની જાય છે. મંદિર દ્રવ્યની રક્ષા માટે ચોકીદાર અને મિલકતની વ્યવસ્થા માટે નાના મોટાં મુનીમ નેકરા રખાય છે. ઘણી વખત વહીવટમાં નાની મેાટી ભુલો થાય છે પરિણામે મંદિર જે ગચ્છનુ ગણાય છે એ ગચ્છના સભ્યો સાથે ટ્રસ્ટીઓને અથડામણુ ઉભી થાય છે અને બન્ને પક્ષ મમતે ચડે છે, કારટમાં જાય છે અને હજારાનું ખરચ થાય છે અને એ રીતે મંદિરના હજારો રૂપીઆ નકામાં વેડફાઈ જાય છે. વળી કેટલીકવાર ટ્રસ્ટીઓ કે જેને સમાજે નીમેલા છે તેક્ષે હઠે ચડે છે અને આખા સપ્રદાય મળી જે કાંઇ કરવાનું કે તેમ કરતા નથી અને ખટરાગ વધતા જાય છે. આવી જાતના થતા. ઝગડા મીટાવવા માટે અને ઝગડાએ થાય જ નહીં તેને સારૂ ટ્રસ્ટીઓએ
દ્રવ્યને બહુ એકઠું થવા ન દેતાં સમાજના ભલા માટે ખરેચી નાખવુ જોઇએ. હાલ આપણા સમાજના મોટા ભાગ આર્થિક સંકડામણમાં સંકળાયેલા છે. ધણા ભાઈઓ બેકારીના ખપ્પરમાં સપડાયેલા છે તે કુટુંબ સાથે હવા ઉજાશ વિનાની અંધારી જગામાં રહે છે. તેમને અને તેમના બાળકોને સ્વચ્છ અને સારા ખારાક મળી શકતા નથી. તેમનાં બાળકા સાધનોના અભાવે અભ્યાસ આગળ કરી શકતાં નથી. શારીરિક તંદુરસ્તીમાં આખી સમાજ માયકાંગલીજ છે. એટલે આપણી સમાજને જો આપણે તેની આર્થિક સંકડામણુમાંથી ઉદ્ધાર કરવા માંગતા હોઇએ તે મદિરામાં થયેલા દ્રવ્યસંગ્રહના ઉપયોગ એ તરફ કરવા જોઇએ. આમ કરવાથી આપણામાંથી ધીમે ધીમે એકારી ઘટતી જશે. આપણા ભાઇઓને સાદા સ્વચ્છ ખારાક. મળવાથી તેઓ વધુ સુદૃઢ બનશે. બાળકાને અભ્યાસ કરવાનાં સાધના આપવાથી તેઓ વધુ અભ્યાસ કરી શકશે. પરિણામે ઉત્તમ શહેરી બનશે અને ધર્મ અને કામની સેવામાં ઉત્તમ ફળ આપશે. આ રીતે આપણી સમાજને આપણે વધુ સારી સ્થિતિમાં લાવી શકીશુ.
આ. સામે ઘણા રૂઢિચુસ્ત ભાઇઓને વાંધે છે એ હુ જાણુ છુ પણ ટ્રસ્ટીએ જરા ઉદાર બને અને હિંમતભર્યું' પગલું ભરે'તા તેને સમાજમાંથી મોટા ટકા મળવાના પુરા સંભવ છે. છતાં જો ટ્રસ્ટીઓ ઉદાર ન બની શકે તે પછી આપણા કળામય સુંદર કારિગીરીવાળાં તીર્થોં અને મદિરા જે ક્ષીણ થતા જાય છે તેની જાળવણી મરામત પાછળ એ દ્રવ્યના સંગ્રહ ખરચાવે જોઇએ અને તેમ કરીને આપણા પૂર્વજોએ કળામય તીના જે વારસો આપણને આપ્યા છે તેના નાશ થતા અટકાવવાનુ પુન્ય કામ કરવુ જોઇએ.
અમદાવાદના કેટલાક મંદિરાના વહીવટકર્તાઓએ બે વર્ષથી મંદિ। સુધારવા માટે એક ચેાજના કરી છે અને તે દ્વારા વરસ દિવસે આઠ દશ નાનાં મોટાં મંદિરે તે સભરાવે છે; આવી રીતે મુંબઇનાં મંદિરના ટ્રસ્ટીએ એકઠા થઇને જુના તીર્થીની કળામય કારિગીરી તેના અસલ રૂપમાં ટકાવી રાખવા સારૂ એક યેાજના તૈયાર કરે તે તેએ દશ વરસમાં હિંદુસ્થાનના તમામ મેટાં તીનેિ તેના અસલ રૂપમાં ટકાવી શકે. મુંબઇનાં મંદિ રાની વાર્ષિક આવક લગભગ છ લાખ રૂપીઆની ગણાય છે. તેમાંથી તેના વાર્ષિક ખરચના થતા એ લાખ બાદ કરીએ તેના દર વર્ષે ત્રણ ચાર લાખ રૂપીઆર તે જરૂર ખરચી શકાય અને આપણા ભવ્ય તોૌના જીર્ણોદ્ધાર કરી શકાય. હું મશિના વહીવટકર્તાઓને આગ્રહપૂર્વક વિનંતિ કરૂં છું કે દેવના મંદિરામાં થતા દ્રવ્ય સંગ્રહ હવે વધુ પ્રમાણમાં સંગ્રહ ન કરતા ઉપરની એ યોજનામાંથી યોગ્ય લાગે તે રસ્તે તેઓ દ્રવ્ય ખર્ચે. દ્રવ્યને વધુ સંગ્રહ વહિવટી સત્તા હાથ ધરવા માટે અનેકને પ્રેરણા આપે છે. જેના પરિણામે મેટા ઝગડાએ થઇ એકસપીમાં ભંગાણ પડે છે. ઘેાડા વખત પહેલાં કલકત્તાના એક મંદિરના ટ્રસ્ટીએ ચુંટવા માટે તા. ૨૩ મી માર્ચના રાજ મળેલી સભામાં ખુબ કાન અને મારામારી થઇ. અહિંસક જૈને હિંસક બની ગયા. આવા બનાવો તે આપણી તરફ પણ ઘણી વખત બન્યા કરે છે. એટલે આપણામાં આવા ઝગડા થાય નહિં, અને જે કાંઇ આવે તેને સમાજના ભલા માટે ખરચી નાંખવાની યા તેા જુના તીથૅના છોધ્ધાર કરાવવાની પાછળ તે દ્રવ્યના ઉપયેગ કરવાની પધ્ધતિ સર્વત્ર સ્વીકારવામાં આવે એ આજના સમયમાં ખાસ જરૂરી છે.
મણિલાલ મેાકમચંદ્ર શાહુ,
6)