________________
તા. ૧૫-૫૪૧
‘પ્રબુદ્ધ જૈન’ સબંધી કાકાસાહેબ
(છેલ્લાં બે વર્ષથી પ્રગટ થઇ રહેલા 'પ્રબુદ્ધ જૈન' સબંધે ક્રાંઇક લખી. મોકલવાની વિજ્ઞપ્તિ કરતાં માન્યવર કાકાસાહેબ 'કાલેલકરે નીચેના પત્ર લખી માકલ્યો છે. પરમાનદ,)
પ્રબુધ્ધ જૈન
હ
પ્રિય પાત દભાઇ
તા. ૩૦-૪-૪૩.
વર્ષો હાઉં છું ત્યારે તમારૂ ‘“પ્રભુધ્ધ જૈન” જોવાની ઇંતેજારી રહે છે. પણ હું તે મોટે ભાગે રખડતા રહ્યો છું. પરિણામે તમારૂં છાપું નિયમિત વચતું નથી. જેટલું જોયુ છે તે પરથી મને ઘણા સતેજ થયા છે; પણ આશ્ચર્ય જરાય થયું નથી. તમારી પાસેથી જે અપેક્ષા રખાય છે તે જ બર આવેલી જોઉં છું. દરેક વસ્તુને બન્ને બાજુને વિચાર કરવા, સમતાલપણ જાળવવુ, રાષ્ટ્રહિતની દૃષ્ટિએ જ અને સમભાવપૂર્વક ટીકા કરવી, સંસ્કૃતિનાં સારા તત્વા એળખવાં, અને પ્રગતિ માટે અનુકુળ રહેવુ એ તમારા સ્વભાવની ખાસીયત છે. એના પાઘેા “ પ્રબુધ્ધ જૈન”માં પડે એમાં નવાઈ શી ? ભાષાની દૃષ્ટિએ પણ તમારા પાક્ષિકે સંતોષ આપ્યો છે, જો કે છાપણીની શુધ્ધિ વિષે તેવુ અભિનંદન નથી આપી શકતા ! પણ મારે તે એવી બીજી જ ફરીયાદ કરવી છે. તમે પ્રબુદ્ધ જન જેવા કામી નામ તળે કેટલા દિવસ સુધી રહેશેા ? જે જન હાય તે રાષ્ટ્રીય ન હોય એમ હું નથી કહેવા માંગતા અને જાગતે પ્રબુદ્ધ જૈન તેા શુદ્ધ રાષ્ટ્રીય જ હાઇ શકે છે એ બધુ ખ પણ ઝેરી કામીવાદના આ દિવસેામાં આપણે કામી નામ ધારણ કરીને ન જ ચાલવુ જોઇએ. સ્વામી વિવેકાનદે પેતાના માસિક માટે “પ્રબુદ્ધ ભારત” નું નામ ન રાખ્યુ હાત તે। એ જ નામ સૂચવત.
તમારૂ` અને તમારા પાક્ષિકનુ મુખ્ય કાર્ય જૈન સમાજને તેમજ આખા ગુજરાતને અહિંસાની નવી દૃષ્ટિ આપવાનું છે અને એ નવી દૃષ્ટિએ જ્વનના બધા પાસા ખીલવવાનુ છે. આપણા ન્યાત- જાતના, ખાનપાનના અને શાદી વ્યાહના પ્રશ્નો આપણી આગળ છે જ; પણ જે પ્રશ્નો આખી દુનિયા આગળ વિરાટ રૂપે પ્રગટ થયા છે તેમના ઉકેલ ભારતીય દૃષ્ટિએ અને અહિંસાની ઢબે કેમ આવી શકે એમ છે, એ જોવાનુ અને બતાવવાનું કામ તમારે કરવાનું છે. એ ભાવ વ્યકત થાય એવુ કંઇક નામ. રાખશે તો સારૂ થશે,
એજ ભાવ વ્યકત કરવા માટે અમે અમારા માસિકને ‘સર્વોદય' કહ્યું છે. તમે તમારા માસિકને “સહિત” અથવા ‘વિશ્વ કલ્યાણ’ કહી શકે છે. પણું આવુ ભારેખમ નામ ન જોઇતુ હાય તે એજ મતલબનું કાઇ હળવું નામ પસંદ કરશે. મને પાતાને ભારેખમ નામ પસંદ કરવામાં સોચ નથી હોતા. ઉદ્દેશ મહાન ડ્રાય તે નામ પણ મહાન રખાય. ધણીવાર નામ જ આપણને એવી જાતની દીક્ષા આપે છે અને આપણી પાસે ઉચ્ચ આદર્શ પળાવે છે. તબુર જો સ્હેજ ઉચ્ચ સ્વરમાં રાખ્યા હાય તે તે રીતે ગાવું જ પડે છે. તમારા પાક્ષિકથી જે સતેષ ન થયા હાત તે નામપરિવર્તનની સૂચના હુ તેજ કરત. સ્નેહાધીન કાકાના સપ્રેમ વદન. સરદાર પૃથ્વીસિંહની યેાજના
આ યોજના મુજબ આવતા જુન માસથી એક વર્ષ માટેના જે વર્ગો શરૂ થવાના છે તેમાં જવા ઇચ્છનાર એક જૈન ઉમેદવારનું વાર્ષિક લવાજમ રૂા. ૩૦૦] . મુંબઈ જૈન યુવક સધારા આપવાની શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે ચ્છા દર્શાવી છે. જે ભાઇની પ્રસ્તુત યાજનામાં જોડાવાની ઇચ્છા હોય તેણે અમને તુરત જણાવવુ.
૧૭
કેટલાક સમાચાર અને નોંધ આવતી કાલના ઘડવૈયા'
શ્રી. જગન્નાથ દેસાઇએ રચેલ આવતી કાલના ધડવૈયા' નામની નવલિકા હમણાં જ મારા વાંચવામાં આવી. આ નવલિકામાં અમુક દેશનાં રાષ્ટ્રવાદી યુવક યુવતીઓએ સંગર્હુત બનીને પોતાના દેશને પારકી સત્તાની ધુંસરીથી સત્યાગ્રહ અને અહિંસાભય યોજના વડે કેવી રીતે મુકત કર્યાં અને સ્વાયત્ત શાસનની કેવી રીતે સ્થાપના કરી એનું એક કાલ્પનિક ચિત્ર આપવામાં આવ્યું છે. આજની આપણા દેશની પરિસ્થિતિને વિચાર કરતાં આ કલ્પનાચિત્રમાં રજુ કરવામાં આવેલી સ્વરાજ્ય સાધના વાસ્તવાં એટલી સહેલી નથી એમ કહ્યા વિના નહિ ચાલે. ભાષા તેમજ વસ્તુનિરૂપણ સુંદર છે અને આ નવલિકાં વાંચવાની શરૂઆત કરનારને એક બેઠકેજ પુરી કરવી પડે એવી સરળ અને પ્રવાહાત્મક આ પુસ્તકની શૈલિ છે. સાધુઓના શિષ્યલાભ અને માબાપની મુંઝવણ
થેોડાક સમય પહેલાં કલકત્તાથી શ્રી. ચંપાલાલ ઓસવાલ બરડિયાને એક પત્ર આવ્યા હતા. તે પત્ર સ્વયમેવ પેાતાની કથા ખેલે છે. તેને ટીપ્પણની જરૂર નથી. પત્ર હિંદીમાં છે તેને જરૂરી અનુવાદ નીચે મુજબ છે.
~~~~~મારા પન્નાલાલ નામના વીશ વર્ષા દીકરા-રંગે ઘઉંવર્ણો, આંખે જરાક ત્રાંસા, ફ્રાગણ શુદ ૬ ના દિવસે અહિંથી કાઇને કહ્યા કર્યા સિવાય સાધુ થવા માટે ભાગી ગયા છે, જે બાબતને લગભગ એક માસ થવા આવ્યા છે. શ્રી વિજયધર્મંસૂરીના શિષ્ય શ્રી વિજ્યેન્દ્રસૂરીએ ગયું. ચેામાસુ કલકત્તામાં કર્યું હતું. તેમની પાસે તે વારંવાર ગયા કરતા હતા. એમણે તેમનું મગજ રહુંકાવ્યું. તેમની સાથે તે તે જઇ ન શકા કારણ કે ઝગડો થવાના સંભવ હતા. પરંતુ તેમને અહિંથી વિહાર થવા બાદ પણ તેમની સાથે પન્નાલાલના પત્રવ્યવહાર ચાલ્યા કરતા હતા. અહિં પણ એમના કેટલાક ભકતા હતા. તેમણે તેને રૂપીઆ આપીને છુપી રીતે ભગાડયા છે, જેનું કાંઇક પ્રમાણ મળ્યું છે અને તે ઉપરથી તેમનામાંનાં એ સજ્જન ઉપર એક નોટીસ મોકલવામાં આવી છે જેની નકલ આ સાથે ખીડું છું. આ સાધુઓએ જૈન ધર્મની સાધુતા ઉપર કાળપ લગાડી છે. શ્રાવક વથી જ એમનુ પલણ પોષણ થાય છે અને એમના જ ધરા ભાંગવાની તે તજવીજમાં રહે છે. સાધુઓ છેાકરાને ભગાડીને સાધુ બનાવે છે અને સાધ્વીઓ વહુ એટીએને ભગાડીને સાધ્વી બનાવે છે. આશ્ચર્યની વાત એ છે કે જે રક્ષક હતા તે જ આજે ભક્ષક બની ગયા છે.
હું ગરીબ સાધર્મી છું. મારાથી જે બનશે તે અહીં બેઠાં ખેડાં હું કરતા રહીશ. પણ આપનુ નામ મેં સાંભળ્યુ છે તેથી આ પત્ર મોકલીને આશા રાખું છુ કે આપ આ થે।ડા સરખા લખાણ ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર દયા કરશે; કારણ કે મને એ ઠેકરાને મોટા આધાર હતા. તે મહીને પચ્ચાસ રૂપી કમાતા હતા. આજ કાલની પરિસ્થિતિ જોતાં આપણા સાધુએ મારી સાથે જે વર્તાવ કર્યાં છે તેવા વર્તાવ કાઈ પોતાના દુશ્મન સાથે પણ નહિ કરે.”
X
X
X
એજ ભાઈશ્રી ચંપાલાલ એસવાલ અગીયા તા. ૯-૫-૪૧ ના પત્રમાં જણાવે છે કે “આપનો પત્ર પહોંચ્યો. મારા પુત્ર પન્નાલાલ બરડીયા સાધુ પાસે ચાલી ગયેલ તેને પાછે મેળવી